સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સ્તબક પહેલો – પ્રાવેશિક: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 9: Line 9:
આ પહેલા સ્તબકની કાવ્યપ્રવૃત્તિ સ્થૂલ પ્રમાણમાં ઠીક ઠીક છે. આ ચાળીસ વરસમાં સોએક જેટલા લેખકોનાં નાનાંમોટાં ત્રણસોએક જેટલાં પદ્યનાં પુસ્તકો મળી આવે છે. આ વરસોમાં પ્રજામાં કવિતા પ્રત્યે સામાન્ય રીતે ઘણો અહોભાવ દેખાય છે. સામાન્ય શિક્ષિત માણસ પણ પોતાની ગમે તેવી અલ્પાલ્પ અંતઃપ્રેરણાને વ્યક્ત કરવા તરફ પ્રેરાતો દેખાય છે. અને પ્રજાનો ભાવુક વર્ગ પણ પોતાના રોજિંદા વ્યવહારુ જીવનને કાવ્યમાં અમર કરવા કવિઓને નોતરે છે. જીવનમાં ઠેર ઠેર કવિતાનો સ્પર્શ પહોંચી જતો લાગે છે. આ વ્યાપારમાં લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે.
આ પહેલા સ્તબકની કાવ્યપ્રવૃત્તિ સ્થૂલ પ્રમાણમાં ઠીક ઠીક છે. આ ચાળીસ વરસમાં સોએક જેટલા લેખકોનાં નાનાંમોટાં ત્રણસોએક જેટલાં પદ્યનાં પુસ્તકો મળી આવે છે. આ વરસોમાં પ્રજામાં કવિતા પ્રત્યે સામાન્ય રીતે ઘણો અહોભાવ દેખાય છે. સામાન્ય શિક્ષિત માણસ પણ પોતાની ગમે તેવી અલ્પાલ્પ અંતઃપ્રેરણાને વ્યક્ત કરવા તરફ પ્રેરાતો દેખાય છે. અને પ્રજાનો ભાવુક વર્ગ પણ પોતાના રોજિંદા વ્યવહારુ જીવનને કાવ્યમાં અમર કરવા કવિઓને નોતરે છે. જીવનમાં ઠેર ઠેર કવિતાનો સ્પર્શ પહોંચી જતો લાગે છે. આ વ્યાપારમાં લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે.
આ પ્રથમ સ્તબકના ઉપર જણાવ્યા પ્રમાણે સોએક જેટલા લેખકોમાંથી અર્ધા જેટલા લેખકોનાં કાવ્યો નિઃસત્ત્વ જોડકણાં જેવાં છે. બાકીના લેખકો ત્રણ રીતે વહેંચાઈ જાય છે. એમાંનો પહેલો વર્ગ પોતાની મૌલિક પ્રતિભાને બળે કંઈક કાવ્યગુણવાળું સર્જન કરી શક્યા હોય તેવા સ્વયંપ્રતિષ્ઠિત કવિઓનો છે. બીજો વર્ગ આવા કોઈ ને કોઈ કવિને પગલે પળનાર અનુગતિક લેખકોનો છે. અને ત્રીજો વર્ગ નહિ ઝાઝી પ્રતિભાવાળા કહેવાય તેમ જ નહિ અનુગતિક કહેવાય તેવા પોતાનું નાનકડું તંતુવાદ્ય સહેજસાજ બજાવીને એકાદ કૃતિથી યા એક કૃતિના એકાદ અંશમાં પણ કળાની કશીક અલ્પાલ્પ છતાં આંજે તેવી ચમક બતાવી જનાર લેખકોનો છે. આ ત્રણ વર્ગ ઉપરાંત આ સ્તબકમાં તથા આવતા સ્તબકના થોડા ભાગમાં જેનું કાર્ય લંબાયું છે તેવો એક બીજો લેખકવર્ગ પણ ધ્યાન ખેંચે છે. એ છે પારસી બોલીમાં લખનાર પારસી લેખકોનો વર્ગ. આ રીતે આ સ્તબકના કવિઓના કાર્યનું નિરીક્ષણ ચાર ભાગમાં વહેંચાય છે.  
આ પ્રથમ સ્તબકના ઉપર જણાવ્યા પ્રમાણે સોએક જેટલા લેખકોમાંથી અર્ધા જેટલા લેખકોનાં કાવ્યો નિઃસત્ત્વ જોડકણાં જેવાં છે. બાકીના લેખકો ત્રણ રીતે વહેંચાઈ જાય છે. એમાંનો પહેલો વર્ગ પોતાની મૌલિક પ્રતિભાને બળે કંઈક કાવ્યગુણવાળું સર્જન કરી શક્યા હોય તેવા સ્વયંપ્રતિષ્ઠિત કવિઓનો છે. બીજો વર્ગ આવા કોઈ ને કોઈ કવિને પગલે પળનાર અનુગતિક લેખકોનો છે. અને ત્રીજો વર્ગ નહિ ઝાઝી પ્રતિભાવાળા કહેવાય તેમ જ નહિ અનુગતિક કહેવાય તેવા પોતાનું નાનકડું તંતુવાદ્ય સહેજસાજ બજાવીને એકાદ કૃતિથી યા એક કૃતિના એકાદ અંશમાં પણ કળાની કશીક અલ્પાલ્પ છતાં આંજે તેવી ચમક બતાવી જનાર લેખકોનો છે. આ ત્રણ વર્ગ ઉપરાંત આ સ્તબકમાં તથા આવતા સ્તબકના થોડા ભાગમાં જેનું કાર્ય લંબાયું છે તેવો એક બીજો લેખકવર્ગ પણ ધ્યાન ખેંચે છે. એ છે પારસી બોલીમાં લખનાર પારસી લેખકોનો વર્ગ. આ રીતે આ સ્તબકના કવિઓના કાર્યનું નિરીક્ષણ ચાર ભાગમાં વહેંચાય છે.  
{{right|-પ્રવીણ કુકડિયા}}<br>
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રસ્તાવના (પહેલી આવૃત્તિની)
|previous = પ્રસ્તાવના (પહેલી આવૃત્તિની)
|next = સ્તબક બીજો – પ્રાવેશિક
|next = સ્તબક બીજો – પ્રાવેશિક
}}
}}