અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 22: Line 22:
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો? | કેમ છો?]]  | કેમ છો? સારું છે? દર્પણમાં જોયેલા ચહેરાને]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં | વિમાન કાગળનાં]]  | વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...]]
}}

Latest revision as of 10:45, 23 October 2021


(પથ્થરના મૌનની ગલીમાં...)

દુર્ગેશ ભટ્ટ

પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
આંખોમાં અંધકારને નિહાળવું પડે.

કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
સૂનકારને આખર સુધી સંભાળવું પડે.

વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.

સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.

ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.

મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.