વિવેચનની પ્રક્રિયા/વિવેચનની પ્રક્રિયા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 15: | Line 15: | ||
વિવેચનશક્તિ એ આમ તો આદિમ (primitive) અને મૂળભૂત (fundamental) શક્તિ છે. આપણે દરેક પ્રસંગે કાંઈનું કાંઈ વિવેચન કરતા જ હોઈએ છીએ. પણ એમાં એકવાક્યતા, વૈજ્ઞાનિકતા, તાર્કિકતા હમેશાં હોતી નથી, વિવેચક પાસે પ્રથમ અપેક્ષા એવી રહે કે સૌન્દર્ય પ્રત્યે એક સ્વાભાવિક ખુલ્લાપણું તે ધરાવે, સૌન્દર્ય પ્રત્યેની એક સાહજિક સંવેદનશીલતા એનામાં હોય, શ્લીલ-અશ્લીલ કે પ્રકૃતિ-વિકૃતિનો પણ સમાવેશ કરી લેતી સૌન્દર્યગ્રાહક દૃષ્ટિ વિવેચકને વરેલી હોય. વિવેચક પણ સર્જક છે એવા મારા કોઈ ખ્યાલ કે અભિનિવેશથી નહિ, પણ આ દૃષ્ટિએ પોપનું એક કથન – સર્જક અને વિવેચક ઉભયને પ્રાપ્ત પ્રકાશ દૈવી છે – જોવા જેવું છે : | વિવેચનશક્તિ એ આમ તો આદિમ (primitive) અને મૂળભૂત (fundamental) શક્તિ છે. આપણે દરેક પ્રસંગે કાંઈનું કાંઈ વિવેચન કરતા જ હોઈએ છીએ. પણ એમાં એકવાક્યતા, વૈજ્ઞાનિકતા, તાર્કિકતા હમેશાં હોતી નથી, વિવેચક પાસે પ્રથમ અપેક્ષા એવી રહે કે સૌન્દર્ય પ્રત્યે એક સ્વાભાવિક ખુલ્લાપણું તે ધરાવે, સૌન્દર્ય પ્રત્યેની એક સાહજિક સંવેદનશીલતા એનામાં હોય, શ્લીલ-અશ્લીલ કે પ્રકૃતિ-વિકૃતિનો પણ સમાવેશ કરી લેતી સૌન્દર્યગ્રાહક દૃષ્ટિ વિવેચકને વરેલી હોય. વિવેચક પણ સર્જક છે એવા મારા કોઈ ખ્યાલ કે અભિનિવેશથી નહિ, પણ આ દૃષ્ટિએ પોપનું એક કથન – સર્જક અને વિવેચક ઉભયને પ્રાપ્ત પ્રકાશ દૈવી છે – જોવા જેવું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>Both must alike from heaven derive their light | {{Block center|'''<poem>Both must alike from heaven derive their light | ||
Those born to judge, as well as those write.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પછી વ્યુત્પત્તિ, પ્રશિષ્ટ ગ્રંથનું પરિશીલન, રસરુચિનું ઘડતર વગેરે આવે. વર્ષોથી એમ માનવું મને ગમ્યું છે કે વિવેચકમાં કવચિત્ ઝીણી વિદ્વત્તા કે શાસ્ત્રોનો રૂઢિબદ્ધ અભ્યાસ થોડોક ઓછો હોય તો નભી જશે પરંતુ એનામાં કળાકૃતિ પ્રત્યેનું વિસ્મય જ ન હોય એ કદાપિ ન નભી શકે. સતેજ સંવેદનાવ્યાપાર એ વિવેચક હોવાની પ્રથમ શરત છે. પોતાની ચેતના પર કળાકૃતિએ શો કીમિયો કર્યો એની વાત એ માંડે ત્યારે ઐતિહાસિક પરિવેશ, બહુવિધ શાસ્ત્રોની જાણકારી અને કૃતિમાંથી નિષ્પન્ન થતા પ્રશ્નોના પરામર્શ અંગે વિવિધ જ્ઞાનસંભાર એને ઉપયોગી નીવડે અવશ્ય. તેમ છતાં વિવેચન એ પદાર્થવિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનનો કલ્પિતાર્થ નથી, એ ગાણિતિક સિદ્ધાંત નથી. વિવેચક એક સજીવ સાવયવ એકતાવાળી ચેતન વસ્તુ સાથે કામ પાડી રહ્યો હોઈ એણે અનેકવિધ સંભાવનાઓથી સંતોષ પામવો રહ્યો. | આ પછી વ્યુત્પત્તિ, પ્રશિષ્ટ ગ્રંથનું પરિશીલન, રસરુચિનું ઘડતર વગેરે આવે. વર્ષોથી એમ માનવું મને ગમ્યું છે કે વિવેચકમાં કવચિત્ ઝીણી વિદ્વત્તા કે શાસ્ત્રોનો રૂઢિબદ્ધ અભ્યાસ થોડોક ઓછો હોય તો નભી જશે પરંતુ એનામાં કળાકૃતિ પ્રત્યેનું વિસ્મય જ ન હોય એ કદાપિ ન નભી શકે. સતેજ સંવેદનાવ્યાપાર એ વિવેચક હોવાની પ્રથમ શરત છે. પોતાની ચેતના પર કળાકૃતિએ શો કીમિયો કર્યો એની વાત એ માંડે ત્યારે ઐતિહાસિક પરિવેશ, બહુવિધ શાસ્ત્રોની જાણકારી અને કૃતિમાંથી નિષ્પન્ન થતા પ્રશ્નોના પરામર્શ અંગે વિવિધ જ્ઞાનસંભાર એને ઉપયોગી નીવડે અવશ્ય. તેમ છતાં વિવેચન એ પદાર્થવિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનનો કલ્પિતાર્થ નથી, એ ગાણિતિક સિદ્ધાંત નથી. વિવેચક એક સજીવ સાવયવ એકતાવાળી ચેતન વસ્તુ સાથે કામ પાડી રહ્યો હોઈ એણે અનેકવિધ સંભાવનાઓથી સંતોષ પામવો રહ્યો. | ||