પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૮: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
<center>'''શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી'''</center> | <center>'''શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી'''</center> | ||
* | * ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. તેમનો જન્મ ૧૮૯૪ની ૨૦મી જૂને જૂનાગઢમાં થયેલો. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું. ૧૯૧૦માં મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી મુંબઈમાં નિવાસ કર્યો. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. એક અત્યંત કડક અને શિસ્તપ્રિય આચાર્ય તરીકેની તેમની ખ્યાતિ હતી. ઊંચા, ટટ્ટાર, ગોરા, દેખાવડા અને કાયમ સફેદ લૉંગ કોટ, વેસ્ટ કોટ, પાટલૂન અને પાઘડીમાં સજ્જ રહેતા રામપ્રસાદભાઈને જોઈને આદરની લાગણી થાય. મિતભાષી પણ ધારદાર સત્યના આગ્રહી. શબ્દો પ્રત્યે આદર કેવી રીતે કેળવાય તે તેમની પાસેથી શીખવા મળે. | ||
રામપ્રસાદ બક્ષી એટલે જીવંત વિદ્યાપીઠ. જ્યારે મળે, જ્યાં મળે ત્યાં કંઈક ને કંઈક જાણવા જેવું, જીવનમાં ઉતારવા જેવું તેમની પાસેથી અનાયાસે મળતું જ રહે. રામપ્રસાદભાઈ માત્ર બી.એ. થયેલા. તેમ છતાં તેમની ક્ષમતા પીએચ.ડી.ના ગાઇડ થઈ શકે તેવી. વિદ્યાપીઠનાં સર્વોચ્ચ સ્થાન શોભાવે તેવા, સંસ્કૃતના મહામહોપાધ્યાય, અંગ્રેજીના જાણકાર, વિદ્યાપ્રેમી, નિયમિત અને હંમેશ અભ્યાસમાં રમમાણ રહેતા. તેમનામાં આટલી બધી વિદ્વત્તા હતી તેમ છતાં અભિમાન તેમને સ્પર્શ્યું નહોતું. | રામપ્રસાદ બક્ષી એટલે જીવંત વિદ્યાપીઠ. જ્યારે મળે, જ્યાં મળે ત્યાં કંઈક ને કંઈક જાણવા જેવું, જીવનમાં ઉતારવા જેવું તેમની પાસેથી અનાયાસે મળતું જ રહે. રામપ્રસાદભાઈ માત્ર બી.એ. થયેલા. તેમ છતાં તેમની ક્ષમતા પીએચ.ડી.ના ગાઇડ થઈ શકે તેવી. વિદ્યાપીઠનાં સર્વોચ્ચ સ્થાન શોભાવે તેવા, સંસ્કૃતના મહામહોપાધ્યાય, અંગ્રેજીના જાણકાર, વિદ્યાપ્રેમી, નિયમિત અને હંમેશ અભ્યાસમાં રમમાણ રહેતા. તેમનામાં આટલી બધી વિદ્વત્તા હતી તેમ છતાં અભિમાન તેમને સ્પર્શ્યું નહોતું. | ||
રામપ્રસાદ બક્ષીની રચનાઓ જોતાં તેમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો સમન્વય થયેલો જોવા મળે છે. એમનું વિવેચન વિવરણાત્મક શૈલીથી થયેલું જોવા મળે છે. તેમાંથી તેઓ સંસ્કૃત પરિપાટીની તત્ત્વચર્ચાને ઉપસાવી શક્યા છે. | રામપ્રસાદ બક્ષીની રચનાઓ જોતાં તેમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો સમન્વય થયેલો જોવા મળે છે. એમનું વિવેચન વિવરણાત્મક શૈલીથી થયેલું જોવા મળે છે. તેમાંથી તેઓ સંસ્કૃત પરિપાટીની તત્ત્વચર્ચાને ઉપસાવી શક્યા છે. | ||
Line 134: | Line 134: | ||
હું પરિષદની એ કાર્યસરણીમાં કદી સક્રિય ભાગ લઈ શક્યો નથી, અને લઈ શકીશ એવો સંભવ બહુ જોઈ શકતો નથી. ઉપરાંત પરિષદના એ ક્ષેત્રમાંના કાર્યકરો અન્ય જેવા સુજ્ઞ છે, વિચારશીલ છે, દૃષ્ટિસંપન્ન છે, કર્તવ્યપરાયણ અને શક્યાશક્યતાથી પરિચિત છે, એથી હું સ્વતઃ મારા તરફથી કે પ્રવૃત્તિવિકાસ વાંછતા અન્ય વિચારકોની સૂચનાને આધારે કોઈ વિશિષ્ટ સૂચના કરવાની ધૃષ્ટતા નહિ કરું. મને શ્રદ્ધા છે કે પરિષદની કાર્યવાહીનો ભાર પોતાને શિરે વહી રહેલા એ સુજ્ઞ જનોના પ્રયાસોથી પરિષદ એના પ્રવૃત્તિક્ષેત્રમાં અધિકાધિક પ્રગતિ કરતી જ રહેશે. | હું પરિષદની એ કાર્યસરણીમાં કદી સક્રિય ભાગ લઈ શક્યો નથી, અને લઈ શકીશ એવો સંભવ બહુ જોઈ શકતો નથી. ઉપરાંત પરિષદના એ ક્ષેત્રમાંના કાર્યકરો અન્ય જેવા સુજ્ઞ છે, વિચારશીલ છે, દૃષ્ટિસંપન્ન છે, કર્તવ્યપરાયણ અને શક્યાશક્યતાથી પરિચિત છે, એથી હું સ્વતઃ મારા તરફથી કે પ્રવૃત્તિવિકાસ વાંછતા અન્ય વિચારકોની સૂચનાને આધારે કોઈ વિશિષ્ટ સૂચના કરવાની ધૃષ્ટતા નહિ કરું. મને શ્રદ્ધા છે કે પરિષદની કાર્યવાહીનો ભાર પોતાને શિરે વહી રહેલા એ સુજ્ઞ જનોના પ્રયાસોથી પરિષદ એના પ્રવૃત્તિક્ષેત્રમાં અધિકાધિક પ્રગતિ કરતી જ રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રકાશકીય | |||
|next = ૩૦ | |||
}} |