બીડેલાં દ્વાર/14. મિશનરીની ધગશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |14. મિશનરીની ધગશ}} '''પત્નીના''' હૃદયપદ્મની પાંખડીઓને આ રીતે એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
પ્રભાને આ પરાક્રમ દરમિયાન એક રોમાંચક અનુભવ મળી ગયો. સાવિત્રીબહેનના ધર્મભાઈ દીવેશ્વર પોતાની શાળામાં ઉનાળાની છૂટી હોવાથી અજિતના ક્રાંતિવાદી વિચારો ઝીલવા વધુ ઘાટા સંબંધમાં આવી ચૂક્યા હતા. અજિતને વશ કરી લેવાનું દીવેશ્વરનું સૌથી મોટું બળ એનું મૌન હતું. અજિતને પોતાના વિચારોની ધૂન પાગલપણાની હદે લાગી હતી. એને તો કોઈક સારો શ્રોતા જોઈતો હતો, હોંકારો દેનારો ને ‘હા, ખરું છે’ કહેનારો એકાદ જણ મળે તો પણ એને મહાન વિજય લાગતો. મહાન ક્રાંતિકારોએ એને પકડાવેલું એક નાડું આ હતું, કે વધુ નહિ, એકાદ સારો વિચારપલટો અનુભવનાર માણસ મળી રહે ને, તોપણ આપણા ‘કૉઝ’ને પરમ લાભ છે. દીવેશ્વર શાસ્ત્રી જે ચૂપકીદીથી અજિતના કલાકો સુધીના દલીલ-પ્રવાહો ઝીલતા હતા, ને મૂંગા મૂંગા જાણે પોતે બધું સ્વીકારતા હોય તેવો મુખભાવ દાખવતા હતા, તે એમને સજ્જનમાં ગણાવવા માટે બસ હતું. એને પણ અજિતના ક્રાંતિવાદમાં ગમ્મત પડી. એ શંકાશીલ બનતો ત્યાં પ્રશ્નો પણ પૂછતો, અને અજિત જ્યારે એને એકડે એકથી શીખવવાની સબૂરી હારી બેસતો, ત્યારે પ્રભા દીવેશ્વરને શાંતિપૂર્વક ગળે ઉતરાવી શકતી. કોણ જાણે કેમ પણ દીવેશ્વર શાસ્ત્રી પ્રભાની સમજાવવાની શક્તિની સારી કદર કરતા. | પ્રભાને આ પરાક્રમ દરમિયાન એક રોમાંચક અનુભવ મળી ગયો. સાવિત્રીબહેનના ધર્મભાઈ દીવેશ્વર પોતાની શાળામાં ઉનાળાની છૂટી હોવાથી અજિતના ક્રાંતિવાદી વિચારો ઝીલવા વધુ ઘાટા સંબંધમાં આવી ચૂક્યા હતા. અજિતને વશ કરી લેવાનું દીવેશ્વરનું સૌથી મોટું બળ એનું મૌન હતું. અજિતને પોતાના વિચારોની ધૂન પાગલપણાની હદે લાગી હતી. એને તો કોઈક સારો શ્રોતા જોઈતો હતો, હોંકારો દેનારો ને ‘હા, ખરું છે’ કહેનારો એકાદ જણ મળે તો પણ એને મહાન વિજય લાગતો. મહાન ક્રાંતિકારોએ એને પકડાવેલું એક નાડું આ હતું, કે વધુ નહિ, એકાદ સારો વિચારપલટો અનુભવનાર માણસ મળી રહે ને, તોપણ આપણા ‘કૉઝ’ને પરમ લાભ છે. દીવેશ્વર શાસ્ત્રી જે ચૂપકીદીથી અજિતના કલાકો સુધીના દલીલ-પ્રવાહો ઝીલતા હતા, ને મૂંગા મૂંગા જાણે પોતે બધું સ્વીકારતા હોય તેવો મુખભાવ દાખવતા હતા, તે એમને સજ્જનમાં ગણાવવા માટે બસ હતું. એને પણ અજિતના ક્રાંતિવાદમાં ગમ્મત પડી. એ શંકાશીલ બનતો ત્યાં પ્રશ્નો પણ પૂછતો, અને અજિત જ્યારે એને એકડે એકથી શીખવવાની સબૂરી હારી બેસતો, ત્યારે પ્રભા દીવેશ્વરને શાંતિપૂર્વક ગળે ઉતરાવી શકતી. કોણ જાણે કેમ પણ દીવેશ્વર શાસ્ત્રી પ્રભાની સમજાવવાની શક્તિની સારી કદર કરતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 13. સખી સાંપડી | |||
|next = 15. ‘એ મને ગમે છે’ | |||
}} |