રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૂડકાવડિયો તો ડાબો મારગ દ્વારકાનો મેલી દઈ જમણે લોયાણાગઢને માર્ગે ચાલ્યો. લોયાણાગઢને પાદર એણે તો એક વાવ જોઈ છે. ને પૂછ્યું છે — | કૂડકાવડિયો તો ડાબો મારગ દ્વારકાનો મેલી દઈ જમણે લોયાણાગઢને માર્ગે ચાલ્યો. લોયાણાગઢને પાદર એણે તો એક વાવ જોઈ છે. ને પૂછ્યું છે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::કીણે ખોદાઈ જગમેં વાવડી રે | |||
::::::: કીણે બંધાઈ હરિ પાળ? | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પનિહારીઓ કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::ચંદણ ખોદાયો કૂવા–વાવડી રે | |||
::::::: માતા મેણાંગર બંધાવી મોતીડે પાળ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે ભાઈ! આ વાવકૂવા તો રાજા ચંદણે ગળાવ્યા છે ને મોતીની પાળ માતા મેણાંગરે બંધાવી છે. | |||
કૂડકાવડિયો તો વાવના પગથિયા માથે જઈને આડો ઊભો રહ્યો. એણે તો પનિહારીઓનો મારગ રોક્યો છે. માંહીં પાણી ભરતી હતી તે માંહીં ઊભી થઈ રહી અને બહારથી પાણી આવનારી બહાર થંભી ગઈ. કોઈ કરતાં કોઈ એને અડીને હાલતી નથી. એમ કરતાં તો તો ઝાઝી વેળ થઈ ગઈ. ને પનિહારીઓની કેવી દશા થઈ! તો કહે છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::રાતે ધવરાયો પરભાતે પોઢાડિયો રે | |||
::::::: મારે ઊંડળીએ ધાવેલ નાનાં બાળ; | |||
::::શશરો કેવીજે અંગરો આકરો રે | |||
::::::: મારો પિયુજી બોલે મુંને ગાળ | |||
::::::: આ…જી…એ…એ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અમારે ઘેર તો ખોળામાં ધાવણાં બાળ છે, એ બાળને રાતે ધવરાવ્યાં છે ને પ્રભાતે પોઢાડી કરી પાણીડાં આવી છે. આંહીં વાવડીએ તો ઝાઝી વેળ થઈ ગઈ છે. ઘેરે જાશું ત્યારે સસરા મેણાં બોલશે અને પિયુજી ગાળ કાઢશે. છતાં કોઈ બામણને વળોટીને જાતી નથી, માંયલી માંય ને બાહ્યલી બહાર! | |||
કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |