સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 492: Line 492:
“માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.”
“માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.”
ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો.
ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો.
{{Poem2Close}}
<center>''''''</center>
<poem>
::::આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શકન થાય,
::::ડાબી તે ભેરવ કળકળે, નાથા, જમણાં જાંગર જાય;
::::::: મોઢાને મારવો નો’તો!
::::::: ભગત તો સાગનો સોટો!
::::કેડ્યો કટારાં વાંકડાં નાથા, ગળે ગેંડાની ઢાલ,
::::માથે મેવાડાં મોળિયાં નાથા, ખભે ખાંતીલી તરવાર,
::::::: મોઢાને મારવો નો’તો,
::::::: ભગત તો સાગનો સોટો.
</poem>
{{Poem2Open}}
“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય. માઠાં શકન થાય છે, અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”
“અરે ભાઈ! બેનને ઘેર જાવામાં કાંવ બીક હુતી? અને શકન-અપશકન કોઈ દી નથી જોયાં તો આજ કાંવ જોવાં?”
“ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી.”
“તો તમારે વળવું હોય તો વળે જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરું છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઈ વાત જો બેનને કાને જાય તો બચાડી દખ લગાડે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.”
બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો,
તેને ઘેર જે બાઈ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટિયાએ ધર્મની
બહેન કરી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકેથોક લૂંટની કમાણી ભરી દીધી હતી.
આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. નાથાની
વાટ જોવાય છે.
જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો, ત્યાં આડો કાળો એરુ ઊતર્યો. સાથીઓએ ફરી ચેતવ્યો કે “ભગત, આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?”
“જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે.”
ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે, એના મોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો : “કાં બે’ન, પોગ્યા છીએ, હો કે!”
બાઈએ હાથની ઇશારત કરીને હળવેથી કહ્યું : “ભાઈ! આંહીં જરીક આવી જજો!”
“અબઘડી ઉતારો કરેને આવીએ છીએ, બાપા!”
“પછી તો આવી રહ્યા, મારા વીર!”
એ વેણ બોલાયું, પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાર્યા. રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી રસોઈ જમાડી. ચાર-ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો : “હરજી ગોર! બસ! આવડું જ પેટ હુતું? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈ નુતો મારવો. મારે હથિયારે મરવું હુતું!”
ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો ખસ્તરિયો વગેરે ચાર જણાઓએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ, ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમસ્યામાં સમજાવ્યું.
“હાં! હાં! શિયાળશિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે, ખરું ને!”
મરતાં મરતાં બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધુણાવ્યું.
હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તરત જ નાથાનું
શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને
દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઈનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દીથી નહિ, પણ ઝેરથી આ બહારવટિયાને માર્યો છે.
પૂંજાને ઇનામ ન મળ્યું, રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામેગામ ગાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}