કવિની ચોકી/1: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
'''આશ્રમમાં એક રાત્રિ''' | '''આશ્રમમાં એક રાત્રિ''' | ||
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું. | કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું. | ||
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. | ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. <ref>. અ. દે. Vol. 18, P. 245</ref> સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref> | ||
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref> | 7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref> | ||
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref> | આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref> | ||
Line 193: | Line 193: | ||
સુંદર કરો હે !’’ | સુંદર કરો હે !’’ | ||
ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ. | ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ. | ||
બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને. | બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’<ref>.અ. દે. Vol. 18, P. 245</ref> પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી. | ||
અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો. | અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’<ref>એજન, P. 247</ref> | ||
ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો : | ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો : | ||
‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર ! | ‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર ! | ||
::: તો મારે કરિ નમસ્કાર; | |||
એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક, | એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક, | ||
::: ફિરબો નાગો આર, | |||
તો મારે કરિ નમસ્કાર. | તો મારે કરિ નમસ્કાર.’’<ref>‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247</ref> | ||
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં. | આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’<ref>The Myrid Minded Man, P. 135</ref>આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’<ref>અ. દે., Vol. 19, P. 12</ref> | ||
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો. | આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો. | ||
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ. | અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||