ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિ અને કવિતા – નર્મદાશંકર દવે (નર્મદ), જ. 1833: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
<center> '''કવિ અને કવિતા*''' </center> | <center> '''કવિ અને કવિતા*''' </center> | ||
<ref> | |||
* ગુજરાતીઓ ભણેલા નહી તેથી તેઓના કવિતા સંબંધી વિચાર જાણીતી અને પુરાણોની વાત રાગડામાં મુકેલી એટલોજ છે. એમ જોઈ અને કવિ દલપતરામ સરખાના વિચાર પણ સાધારણ જાણીતી વાતને સમજ પડે તેવી રીતે સારી રચનામાં મુકવી, અને કંઈ કંઈ તર્ક અલંકારથી ઘણું કરીને હસવું આવે તેવી સણગારવી, અને ગદ્યમાં કવિતા હોયજ નહી–પ્રાસ મળે તેજ કવિતા એટલોજ છે એ જોઈ – એ ખોટા ને અધુરા વિચારો જોઈ ઉપલો વિષય 1858 ના સપટેમ્બરના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છાપી પ્રગટ કર્યો હતો.—1914 ના ભાદરવામાં. એમાં કેટલાએક મહારા પોતાના, કેટલાએક અંગ્રેજ વિદ્વાનના, અને કેટલાએક સંસ્કૃત વિદ્વાનોના વિચાર છે. અર્થાત્, એવા જુદા જુદા વિચારોને નિબંધમાં એકઠા કીધેલા છે, માટે, મેં મારા નિબંધને મિશ્ર એવી સંજ્ઞા રાખી છે. | |||
</ref> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રસજ્ઞાન તો સહુ માણસને હોય છે, ત્યારે શું સહુને જ કવિ કેહેવા! પણ રસજ્ઞાન સઘળા માણસનું સરખું હોતું નથી. જુદા જુદા પ્રસંગો ઉપરથી, જુદી જુદી મન શરીરની પ્રકૃતિ ઉપરથી, જુદી જુદી વસ્તુઓ ઉપરથી, જુદાં જુદાં અવલોકન ઉપરથી, જુદા જુદા કાળ ઉપરથી અને જુદા જુદા દેશ ઉપરથી માણસનું રસજ્ઞાન થોડું-ઘણું, પોલું-નક્કર અને ઉંઘતું જાગતું હોય છે, જેનું રસજ્ઞાન થન થન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુકતીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને “કવિ” કહેવા. સઘળાનામાં ઉપર કહ્યું તેમ કરવાની શક્તિ હોતી નથી; થોડાએકને જ હોય છે. માટે થોડાએકને જ કવિ કહેવા. આ બધી વાત ઉપરથી હમારા વાંચનારાઓના જાણ્યામાં આવ્યું હશે કે, કવિ થવામાં કંઈપણ સ્વાભાવિક બુદ્ધી જોઈયે ખરી. કેટલાકને સ્વાભાવિક બુદ્ધી હોય છે, પણ પ્રસંગ ન આવેથી તેઓની બુદ્ધી મનમાંની મનમાં ખઈના રોગે મરી જાય છે. | રસજ્ઞાન તો સહુ માણસને હોય છે, ત્યારે શું સહુને જ કવિ કેહેવા! પણ રસજ્ઞાન સઘળા માણસનું સરખું હોતું નથી. જુદા જુદા પ્રસંગો ઉપરથી, જુદી જુદી મન શરીરની પ્રકૃતિ ઉપરથી, જુદી જુદી વસ્તુઓ ઉપરથી, જુદાં જુદાં અવલોકન ઉપરથી, જુદા જુદા કાળ ઉપરથી અને જુદા જુદા દેશ ઉપરથી માણસનું રસજ્ઞાન થોડું-ઘણું, પોલું-નક્કર અને ઉંઘતું જાગતું હોય છે, જેનું રસજ્ઞાન થન થન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુકતીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને “કવિ” કહેવા. સઘળાનામાં ઉપર કહ્યું તેમ કરવાની શક્તિ હોતી નથી; થોડાએકને જ હોય છે. માટે થોડાએકને જ કવિ કહેવા. આ બધી વાત ઉપરથી હમારા વાંચનારાઓના જાણ્યામાં આવ્યું હશે કે, કવિ થવામાં કંઈપણ સ્વાભાવિક બુદ્ધી જોઈયે ખરી. કેટલાકને સ્વાભાવિક બુદ્ધી હોય છે, પણ પ્રસંગ ન આવેથી તેઓની બુદ્ધી મનમાંની મનમાં ખઈના રોગે મરી જાય છે. |