ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1936: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 35. ચન્દ્રકાન્ત ટોપીવાળા | (7.8.1936)}}
{{Heading| 35. ચન્દ્રકાન્ત ટોપીવાળા | (7.8.1936)}}
[[File:35. chandrakant topivala.jpg|thumb|center|150px]]
[[File:35. chandrakant topivala.jpg|thumb|center|150px]]
<center>  '''અનુઆધુનિકતાવાદની દાર્શનિક ભૂમિકા''' </center>
<center>  '''{{larger|અનુઆધુનિકતાવાદની દાર્શનિક ભૂમિકા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
પુનરુત્થાનકાળની આધુનિકતા(modernity)થી આગળ વધી આધુનિકતાવાદ અને પછી આત્યંતિક આધુનિકતાવાદના સંદર્ભો તપાસીએ તો સ્પષ્ટ જણાઈ આવે છે કે બુદ્વિનિર્ભર વિચારણા અને વૈજ્ઞાનિક પદ્ધતિનાં ગૃહીતો પર ઉત્તરોઉત્તર વધુને વધુ મદાર બાંધવામાં આવતો રહ્યો છે. ઇન્દ્રિયપ્રામાણ્ય પૃથક્કરણાત્મક વિજ્ઞાનનો આશય તંત્રવિજ્ઞાનના વિકાસનો, પ્રકૃતિના નિયંત્રણનો અને સત્તાનું વર્ચસ ઊભું કરવાનો રહ્યો છે. ગેલીલિયોના સમયથી ઊભું થયેલું આધુનિકતાનું પ્રચલિત સૂત્ર હતું કે ‘જે કાંઈ માપી શકાય એવું છે તેને માપવું અને જે અપરિમેય છે તેને માપની સીમામાં લાવવું.’ આમ વૈજ્ઞાનિક આધાર પર જે જ્ઞાન મેળવવાનો માર્ગ છે તે જ્ઞાનના સ્વરૂપને નક્કી કરી લેતો હોય છે. આ પ્રકારનું ઇન્દ્રિય-પ્રામાણ્ય એવી પ્રત્યક્ષવાદી (positivistic) પદ્ધતિએ નિરૂપાતું જ્ઞાન વસ્તુલક્ષી બને છે પણ વસ્તુલક્ષી પદ્ધતિએ સમજાવી ન શકાય એવા ઘણા બધા અંશોની એમાંથી બાદબાકી થઈ જાય છે. આવું જ્ઞાન એક-પરિમાણી અને વસ્તુલક્ષી દૃષ્ટિઓના ભ્રામક સ્તરોને લઈને ચાલે છે. બુદ્ધિથી તારવેલી ઉપપત્તિઓમાંથી પ્રગટ થતું આ સત્ય વૈજ્ઞાનિક હોવા છતાં વસ્તુઓ જે રીતે અસ્તિત્વમાં હોય છે તેનું રૂપ દર્શાવી શકતું નથી.
પુનરુત્થાનકાળની આધુનિકતા(modernity)થી આગળ વધી આધુનિકતાવાદ અને પછી આત્યંતિક આધુનિકતાવાદના સંદર્ભો તપાસીએ તો સ્પષ્ટ જણાઈ આવે છે કે બુદ્વિનિર્ભર વિચારણા અને વૈજ્ઞાનિક પદ્ધતિનાં ગૃહીતો પર ઉત્તરોઉત્તર વધુને વધુ મદાર બાંધવામાં આવતો રહ્યો છે. ઇન્દ્રિયપ્રામાણ્ય પૃથક્કરણાત્મક વિજ્ઞાનનો આશય તંત્રવિજ્ઞાનના વિકાસનો, પ્રકૃતિના નિયંત્રણનો અને સત્તાનું વર્ચસ ઊભું કરવાનો રહ્યો છે. ગેલીલિયોના સમયથી ઊભું થયેલું આધુનિકતાનું પ્રચલિત સૂત્ર હતું કે ‘જે કાંઈ માપી શકાય એવું છે તેને માપવું અને જે અપરિમેય છે તેને માપની સીમામાં લાવવું.’ આમ વૈજ્ઞાનિક આધાર પર જે જ્ઞાન મેળવવાનો માર્ગ છે તે જ્ઞાનના સ્વરૂપને નક્કી કરી લેતો હોય છે. આ પ્રકારનું ઇન્દ્રિય-પ્રામાણ્ય એવી પ્રત્યક્ષવાદી (positivistic) પદ્ધતિએ નિરૂપાતું જ્ઞાન વસ્તુલક્ષી બને છે પણ વસ્તુલક્ષી પદ્ધતિએ સમજાવી ન શકાય એવા ઘણા બધા અંશોની એમાંથી બાદબાકી થઈ જાય છે. આવું જ્ઞાન એક-પરિમાણી અને વસ્તુલક્ષી દૃષ્ટિઓના ભ્રામક સ્તરોને લઈને ચાલે છે. બુદ્ધિથી તારવેલી ઉપપત્તિઓમાંથી પ્રગટ થતું આ સત્ય વૈજ્ઞાનિક હોવા છતાં વસ્તુઓ જે રીતે અસ્તિત્વમાં હોય છે તેનું રૂપ દર્શાવી શકતું નથી.