એકોત્તરશતી/૯. હિં ટિ છટ્: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 17: Line 17:
‘ધન્ય! ધન્ય! ધન્ય!'ના પોકારોથી ચારે દિશાઓ કાંપી ઊઠી, બધા કહેઃ સ્પષ્ટ! બિલકુલ સ્પષ્ટ! જે કંઈ દુર્બોધ હતું તે બધું પાણી જેવું સરળ અને શૂન્ય આકાશના જેવું અત્યંત નિર્મળ થઈ ગયુ. રાજા હબુચન્દ્ર હાશ કરી ઊભા થયા અને પોતાના મસ્તક પરથી તાજ ઉપાડીને તેમણે એ દુબળા પાતળા બંગાળીના મસ્તક ઉપર પહેરાવી દીધો—તાજના ભારથી એનું માથુ તૂટી પડશે એવું લાગ્યું. ઘણે દિવસે આજે ચિંતામાંથી છુટકારો થયો. ડૂબુંડૂબું થતા હબુ-રાજ્યમાં હલચલ મચી. છોકરાઓએ રમવા માંડ્યું, વૃદ્ધોએ હૂકો પીવા માંડ્યો, સ્ત્રીઓનાં મોં એક પળમાં ઊઘડી ગયાં! આખા દેશનું માથું એકદમ ઊતરી ગયું; બધાને સમજાઈ ગયું—હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.
‘ધન્ય! ધન્ય! ધન્ય!'ના પોકારોથી ચારે દિશાઓ કાંપી ઊઠી, બધા કહેઃ સ્પષ્ટ! બિલકુલ સ્પષ્ટ! જે કંઈ દુર્બોધ હતું તે બધું પાણી જેવું સરળ અને શૂન્ય આકાશના જેવું અત્યંત નિર્મળ થઈ ગયુ. રાજા હબુચન્દ્ર હાશ કરી ઊભા થયા અને પોતાના મસ્તક પરથી તાજ ઉપાડીને તેમણે એ દુબળા પાતળા બંગાળીના મસ્તક ઉપર પહેરાવી દીધો—તાજના ભારથી એનું માથુ તૂટી પડશે એવું લાગ્યું. ઘણે દિવસે આજે ચિંતામાંથી છુટકારો થયો. ડૂબુંડૂબું થતા હબુ-રાજ્યમાં હલચલ મચી. છોકરાઓએ રમવા માંડ્યું, વૃદ્ધોએ હૂકો પીવા માંડ્યો, સ્ત્રીઓનાં મોં એક પળમાં ઊઘડી ગયાં! આખા દેશનું માથું એકદમ ઊતરી ગયું; બધાને સમજાઈ ગયું—હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.
આ સ્વપ્નમંગલની કથા જે સાંભળશે, તેના બધા ભ્રમો દૂર થઈ જશે, એમાં કદી પણ અન્યથા થવાનો સંભવ નથી. વિશ્વને વિશ્વ સમજી એણે કદી ઠગાવું નહિ પડે અને સત્યને એ મિથ્યા તરીકે તરત સમજી જશે. જે છે તે નથી અને જે નથી તે છે એ વાત એની આગળ દીવા જેવી સ્પષ્ટ થઈ જશે. જે વસ્તુને બધા લોકો સહજ સરળ ભાવે જોશે, તેની પાછળ એ પોતાની પૂંછડી જોડી દેશે. આવો ભાઈ, બગાસાં ખાઓ અને ચિત થઈને સૂઈ જાઓ! આ અનિશ્ચિત સંસારમાં આટલી વાત નિશ્ચિત છે— જગતમાં બધું મિથ્યા છે, બધું માયામય છે, એકમાત્ર સ્વપ્ન સાચું છે, બીજું કંઈ સત્ય નથી. સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.
આ સ્વપ્નમંગલની કથા જે સાંભળશે, તેના બધા ભ્રમો દૂર થઈ જશે, એમાં કદી પણ અન્યથા થવાનો સંભવ નથી. વિશ્વને વિશ્વ સમજી એણે કદી ઠગાવું નહિ પડે અને સત્યને એ મિથ્યા તરીકે તરત સમજી જશે. જે છે તે નથી અને જે નથી તે છે એ વાત એની આગળ દીવા જેવી સ્પષ્ટ થઈ જશે. જે વસ્તુને બધા લોકો સહજ સરળ ભાવે જોશે, તેની પાછળ એ પોતાની પૂંછડી જોડી દેશે. આવો ભાઈ, બગાસાં ખાઓ અને ચિત થઈને સૂઈ જાઓ! આ અનિશ્ચિત સંસારમાં આટલી વાત નિશ્ચિત છે— જગતમાં બધું મિથ્યા છે, બધું માયામય છે, એકમાત્ર સ્વપ્ન સાચું છે, બીજું કંઈ સત્ય નથી. સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.
<br>
૩૦ મે ૧૮૯૨
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
‘સોનાર તરી’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૮. સોનાર તરી |next =૧૦. દુઈ પાખી }}