નીરખ ને/‘શેષપ્રશ્ન’ની કમલ અને શરદબાબુનું સંવેદનવિશ્વ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}} | {{gap}}શરત્ચંદ્ર ૧૯૩૮ની સાલમાં મરણ પામ્યા, પણ હજી પણ ભારતીય સાહિત્યના ‘વર્તમાન’ના એ ખાસ્સા અંગ છે, અને વર્ષો સુધી રહેશે એવો સંભવ છે. ન કોઈ અકાદમી પારિતોષિકે કે જ્ઞાનપીઠ પારિતોષિકે એમને દરજ્જો બક્ષ્યો હતો કે ન કોઈ વિદેશી માન્યતા એમની સ્થાનિક ખ્યાતિ માટે જવાબદાર હતી. એ એક જ એવા ભારતીય લેખક હશે કે જેમને બંગાળી ભાષામાંથી બીજી ભારતીય ભાષાઓમાં અનુવાદ કરાવવા માટે કોઈ સરકારી આશ્રયની જરૂર નથી પડી. ભારતમાં ક્યાંય પણ કોઈ પણ સાહિત્યિક ચર્ચામાં એમનો સંદર્ભ-નિર્દેશ થતો રહ્યો છે; અને ઘણા વખતથી એ ફેશનમાં ન રહ્યા હોવા છતાં હજી પણ એમનો ખૂબ બહોળો વાચક સમુદાય છે. લગભગ બધી ભારતીય ભાષાઓમાં એમની સર્વ નવલકથાઓ પ્રાપ્ય છે – જોકે બહુ ઓછી એમની કૃતિઓ અંગ્રેજી અનુવાદને પામી છે. એમની કૃતિઓની બહોળી પ્રાપ્ય સ્થિતિ જ એમની અપીલના વ્યાપ વિશે અને વાચકોના પ્રકાર વિશે પ્રકાશ પાડી શકે એમ છે, ખરે જ આ વાચકવર્ગ માત્ર પ્રજા નહીં, પણ વાંચન-પ્રિય પ્રજા છે. | ||
એમના જીવન દરમ્યાન (૧૮૭૬-૧૯૭૮) શરત્ચંદ્રની એક વિદ્રોહી તરીકે ગણના થતી હતી; રૂઢિચુસ્ત સાંપ્રદાયિકતાના પડકાર તરીકે અને સ્થાપિત હિતો માટે જોખમરૂપ પણ એ મનાતા. એમની નવલકથાઓ જ્ઞાતિપરસ્ત હિંદુ સમાજના દંભ અને સ્ત્રીઓ પ્રત્યેના એના વલણ સામેની જ્વલંત ટીકાઓ સમ ગણવામાં આવતી. ‘શ્રીકાંત’ અને ‘શેષપ્રશ્ન’ જેવી નવલકથાઓએ તો સતીત્વ અને પ્રેમ વગરનાં લગ્નોની પવિત્રતાની વિભાવનાઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા. | એમના જીવન દરમ્યાન (૧૮૭૬-૧૯૭૮) શરત્ચંદ્રની એક વિદ્રોહી તરીકે ગણના થતી હતી; રૂઢિચુસ્ત સાંપ્રદાયિકતાના પડકાર તરીકે અને સ્થાપિત હિતો માટે જોખમરૂપ પણ એ મનાતા. એમની નવલકથાઓ જ્ઞાતિપરસ્ત હિંદુ સમાજના દંભ અને સ્ત્રીઓ પ્રત્યેના એના વલણ સામેની જ્વલંત ટીકાઓ સમ ગણવામાં આવતી. ‘શ્રીકાંત’ અને ‘શેષપ્રશ્ન’ જેવી નવલકથાઓએ તો સતીત્વ અને પ્રેમ વગરનાં લગ્નોની પવિત્રતાની વિભાવનાઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા. | ||
}} | }} |