આત્મનેપદી/1982/એક જાતનું હિઝરાયા કરવાનું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 78: | Line 78: | ||
ઉ. : natural talent છે તે કેવળ પરિબળોનું પરિણામ કે સાંસ્કૃતિક પરિવેશનું પરિમાણ નથી. તમે જે કંઈ કરો છો, એક સર્જક તરીકે તમે જે કંઈ અનુભવો છો એ અનુભવવાની તમારી રીત માટે કે અનુભવનાં પરિમાણોને મૂર્ત કરવાની ભાષા માટે પ્રયત્ન તમે કરો – આ બધી તમારે માટે ઊભી કરેલી તાલીમની પ્રક્રિયાઓ છે. એટલે એમ નથી કહેતો કે કેવળ પ્રેરણા વગેરે તૂતનો હું પ્રચારક છું. એટલે સાધના તો છે જ. સાધના દૈવીકૃપા પર જ આધાર રાખે ને માને કે દૈવીકૃપા થશે ને લખાશે અને એ રીતે કોઈ શક્તિનું અવતરણ થશે તો લખીશ તેમાં હું નથી માનતો. એક વાક્ય લખવા પાછળ એને કેટલીક વાર કેટલા બધા મહિના ને વર્ષોની મહેનત કરવી પડે તેવું બને. પશ્ચિમમાં તો બે દાખલા જાણીતા છે. વાલેરીએ એક કવિતા વીસ વર્ષ સુધી ઘૂંટી. બધા લોકોએ આશા છોડી દીધી. વાલેરી હવે કવિ તરીકે મટી ગયો. ત્યારે પ્રકાશક દોડી જઈને એની પાસેથી કવિતા લઈ આવ્યો. પણ નીચે એણે લખી આપ્યું could have been continued – હજુ મારી તાલીમ ચાલુ હતી. અને બીજી બાજુ રશિયાનો ઇઝાક બાબેલ. એણે કોઈ દિવસ નવલકથા લખી ન હતી. ટૂંકી વાર્તા જ લખતો હતો. ત્યારે લગભગ બસો-અઢીસો પાનાંની થોકડી જોઈને મિત્રોએ એને કહ્યું : નવલકથાના છંદે ચઢ્યો? તું એ રસ્તે ના જઈશ. ત્યારે તેણે કહ્યું : ના ના, આ તો મારી વાર્તાનું વીસમું રીવીઝન છે! આ તાલીમ છે. માલકમ લાવરીએ પાંત્રીસ-ચાલીસ પાનાંની નવલકથા લખી છે. તે લખવા માટે તેણે બે હજાર પાનાં લખ્યાં ને એમાંથી ‘સાલવેજ’ કરીને આટલાં પાનાં કાઢ્યાં. આ તાલીમ છે. આ મને કોઈ બીજું નથી આપતું. હું જોકે, કાગળ પર નહીં, પણ મારા મનમાં લખું છું. ધારો કે મેં નવલકથા શરૂ કરી, છ પાનાં લખીને હું અટકી ગયો છું. એ છ પાનાં એવાં રહેશે એવું પણ નહીં, બદલીશ પણ ખરો. પણ હજુ એ મનમાં ઘુંટાયા કરે છે. હવે ધારો કે પાંચ વર્ષ પછી પૂરી થાય તો આ પાંચ વર્ષ હું નિવૃત્ત બેઠો ન હતો, મનમાં તો એ ચાલ્યા જ કરતું હતું. આપણે આ વાત કરીએ છીએ ત્યારે મારા મનમાં એનો વિચાર નથી આવતો એવું નથી. પશ્ચાદ્ભૂમાં વિચાર ચાલે છે. હું ચોવીસ કલાક જીવું છું. મારા મનમાં વાક્યો આવે છે. શબ્દો આવે છે. હું એને reject કરું છું. ફરી ગોઠવું છું. શબ્દોના રણકાર સાંભળું છું અને balance કરું છું. ક્યારેક લાગણી વધારે પડતી છલકાઈ જાય એનો વિચાર કરું. વિચારનું આવું બધું મનમાં ચાલ્યા જ કરતું હોય છે. એ રીતે તાલીમ અનિવાર્ય ગણું છું. આશા રાખીએ કે દરેક સર્જક પોતાની પ્રવૃત્તિને ગંભીર ગણતો થાય. | ઉ. : natural talent છે તે કેવળ પરિબળોનું પરિણામ કે સાંસ્કૃતિક પરિવેશનું પરિમાણ નથી. તમે જે કંઈ કરો છો, એક સર્જક તરીકે તમે જે કંઈ અનુભવો છો એ અનુભવવાની તમારી રીત માટે કે અનુભવનાં પરિમાણોને મૂર્ત કરવાની ભાષા માટે પ્રયત્ન તમે કરો – આ બધી તમારે માટે ઊભી કરેલી તાલીમની પ્રક્રિયાઓ છે. એટલે એમ નથી કહેતો કે કેવળ પ્રેરણા વગેરે તૂતનો હું પ્રચારક છું. એટલે સાધના તો છે જ. સાધના દૈવીકૃપા પર જ આધાર રાખે ને માને કે દૈવીકૃપા થશે ને લખાશે અને એ રીતે કોઈ શક્તિનું અવતરણ થશે તો લખીશ તેમાં હું નથી માનતો. એક વાક્ય લખવા પાછળ એને કેટલીક વાર કેટલા બધા મહિના ને વર્ષોની મહેનત કરવી પડે તેવું બને. પશ્ચિમમાં તો બે દાખલા જાણીતા છે. વાલેરીએ એક કવિતા વીસ વર્ષ સુધી ઘૂંટી. બધા લોકોએ આશા છોડી દીધી. વાલેરી હવે કવિ તરીકે મટી ગયો. ત્યારે પ્રકાશક દોડી જઈને એની પાસેથી કવિતા લઈ આવ્યો. પણ નીચે એણે લખી આપ્યું could have been continued – હજુ મારી તાલીમ ચાલુ હતી. અને બીજી બાજુ રશિયાનો ઇઝાક બાબેલ. એણે કોઈ દિવસ નવલકથા લખી ન હતી. ટૂંકી વાર્તા જ લખતો હતો. ત્યારે લગભગ બસો-અઢીસો પાનાંની થોકડી જોઈને મિત્રોએ એને કહ્યું : નવલકથાના છંદે ચઢ્યો? તું એ રસ્તે ના જઈશ. ત્યારે તેણે કહ્યું : ના ના, આ તો મારી વાર્તાનું વીસમું રીવીઝન છે! આ તાલીમ છે. માલકમ લાવરીએ પાંત્રીસ-ચાલીસ પાનાંની નવલકથા લખી છે. તે લખવા માટે તેણે બે હજાર પાનાં લખ્યાં ને એમાંથી ‘સાલવેજ’ કરીને આટલાં પાનાં કાઢ્યાં. આ તાલીમ છે. આ મને કોઈ બીજું નથી આપતું. હું જોકે, કાગળ પર નહીં, પણ મારા મનમાં લખું છું. ધારો કે મેં નવલકથા શરૂ કરી, છ પાનાં લખીને હું અટકી ગયો છું. એ છ પાનાં એવાં રહેશે એવું પણ નહીં, બદલીશ પણ ખરો. પણ હજુ એ મનમાં ઘુંટાયા કરે છે. હવે ધારો કે પાંચ વર્ષ પછી પૂરી થાય તો આ પાંચ વર્ષ હું નિવૃત્ત બેઠો ન હતો, મનમાં તો એ ચાલ્યા જ કરતું હતું. આપણે આ વાત કરીએ છીએ ત્યારે મારા મનમાં એનો વિચાર નથી આવતો એવું નથી. પશ્ચાદ્ભૂમાં વિચાર ચાલે છે. હું ચોવીસ કલાક જીવું છું. મારા મનમાં વાક્યો આવે છે. શબ્દો આવે છે. હું એને reject કરું છું. ફરી ગોઠવું છું. શબ્દોના રણકાર સાંભળું છું અને balance કરું છું. ક્યારેક લાગણી વધારે પડતી છલકાઈ જાય એનો વિચાર કરું. વિચારનું આવું બધું મનમાં ચાલ્યા જ કરતું હોય છે. એ રીતે તાલીમ અનિવાર્ય ગણું છું. આશા રાખીએ કે દરેક સર્જક પોતાની પ્રવૃત્તિને ગંભીર ગણતો થાય. | ||
'''(‘કંકાવટી’ સામયિકમાં ભરત નાયકે 1982માં સુરેશભાઈની એક મુલાકાત પ્રગટ કરી હતી.)''' | {{Right|'''(‘કંકાવટી’ સામયિકમાં ભરત નાયકે 1982માં સુરેશભાઈની એક મુલાકાત પ્રગટ કરી હતી.)'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |