ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/દેવજી રામજી મોઢા: Difference between revisions

Jump to navigation Jump to search
(Corrected Inverted Comas)
No edit summary
Line 9: Line 9:
શ્રી મોઢાએ પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળ વખતે ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં પ્રગટ થતાં સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોથી પ્રેરાઈને કરેલી. શ્રી ઝવેરચંદ મેઘાણીનાં લખાણોમાંથી પ્રગટતી ધરતીની સુગંધે એ ખૂબ પ્રભાવિત થયા છે અને એ એમના પ્રિય લેખક પણ છે. શ્રી રામનારાયણ પાઠકની કાવ્યરચનાકલા એમને વિશેષ ગમે છે. ‘યુગવંદના' અને ‘શેષનાં કાવ્યો’-ભાવોની અભિવ્યક્તિ અને વિશદતાને કારણે-એમનાં પ્રિય કાવ્યપુસ્તકો છે. શ્રી મોઢાનાં કાવ્યોમાં પણ પ્રસાદનો ગુણ તરી આવે છે.
શ્રી મોઢાએ પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળ વખતે ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં પ્રગટ થતાં સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોથી પ્રેરાઈને કરેલી. શ્રી ઝવેરચંદ મેઘાણીનાં લખાણોમાંથી પ્રગટતી ધરતીની સુગંધે એ ખૂબ પ્રભાવિત થયા છે અને એ એમના પ્રિય લેખક પણ છે. શ્રી રામનારાયણ પાઠકની કાવ્યરચનાકલા એમને વિશેષ ગમે છે. ‘યુગવંદના' અને ‘શેષનાં કાવ્યો’-ભાવોની અભિવ્યક્તિ અને વિશદતાને કારણે-એમનાં પ્રિય કાવ્યપુસ્તકો છે. શ્રી મોઢાનાં કાવ્યોમાં પણ પ્રસાદનો ગુણ તરી આવે છે.
હૃદયના ભાવ કાવ્યમાં ઉત્તમ રીતે પ્રગટતા હોવાથી કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના માનસિક બંધારણને કારણે કુદરત, સામાજિક વિષમતા અને આધ્યાત્મિકતા એ એમના મનગમતા લેખનવિષયો રહ્યા છે. કવિતા, અધ્યાત્મ, પરિભ્રમણ અને જીવનચરિત્રવિષયક કૃતિઓ એ વિશેષ પ્રમાણમાં વાંચે છે. સ્વજનોનાં મૃત્યુએ એમના સાહિત્યસર્જનમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. લોકસંપર્કમાં એમને વિશેષ રસ છે અને એનું પ્રતિબિંબ પોતાની કૃતિઓમાં પડે છે એમ લેખક માને છે.
હૃદયના ભાવ કાવ્યમાં ઉત્તમ રીતે પ્રગટતા હોવાથી કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના માનસિક બંધારણને કારણે કુદરત, સામાજિક વિષમતા અને આધ્યાત્મિકતા એ એમના મનગમતા લેખનવિષયો રહ્યા છે. કવિતા, અધ્યાત્મ, પરિભ્રમણ અને જીવનચરિત્રવિષયક કૃતિઓ એ વિશેષ પ્રમાણમાં વાંચે છે. સ્વજનોનાં મૃત્યુએ એમના સાહિત્યસર્જનમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. લોકસંપર્કમાં એમને વિશેષ રસ છે અને એનું પ્રતિબિંબ પોતાની કૃતિઓમાં પડે છે એમ લેખક માને છે.
એમનું પ્રથમ કાવ્ય ‘ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, ‘આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના 'ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું.
એમનું પ્રથમ કાવ્ય ‘ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, ‘આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના ‘ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું.
સોરઠી ભજનપરંપરાને અનુરૂપ રચનાઓ પર આ કવિની પકડ આકર્ષક છે. સોરઠી તળપદા શબ્દો અને વાણીપ્રયોગો એમની આ પ્રકારની કૃતિઓમાં સહજતાથી શોભી રહે છે. ઊર્મિકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, ખંડકાવ્ય, મુક્તક વગેરે કાવ્યપ્રકારોમાં એમની વિશદ અને સ્વસ્થ શૈલીનાં દર્શન થાય છે. શિક્ષકજીવનના આદર્શ અને શાળાપ્રેમ વિશે પણ એમણે કેટલીક કૃતિઓ લખી છે. વર્તમાન યુગની કૃત્રિમતા અને આડંબરપ્રિયતાને એ કાવ્યનો વિષય બનાવે છે. સમકાલીન ભાવો-વિશ્વયુદ્ધની યાતનાઓ, દેશના ભાગલા, સ્વરાજ્ય વગેરેનાં પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયાં છે. કવિએ સફાઈબંધ છંદોબદ્ધ કાવ્યો અને ભાવઘૂંટયાં ભજનોની આપણને ભેટ આપી છે. સૉનેટનો પ્રકાર એમને વિશેષ ફાવટવાળો હોય એમ લાગે છે. ગરવા ગુરુજીએ ચૂંટી ખણીને ઉડાડેલી ઊંઘ ફરી કદીયે ન ઢૂકે-એ કવિના હૃદયની આરત છે, કારણ કે આ ‘અનિદ્રા ’થી કવિ જાગર્તિને રાસ ખેલતી-આનંદ-હાસ રેલતી નિહાળી શકે છે. નિજાનંદે કાવ્યપ્રવૃત્તિ કરતા આ સાચકલા કવિહૃદયની શ્રદ્ધા એમના આ પ્રકારનાં કાવ્યોમાં વિશેષ અંકિત થયેલી છે. સ્વસ્થ નિરૂપણશૈલીથી ધ્યાન ખેંચતાં આ કવિનાં કાવ્યો જીવનનાં ભદ્ર તત્ત્વોમાં શ્રદ્ધા પ્રેરે છે. વિભુની અકળ રચનાલીલાથી એ આનંદભર્યો વિસ્મયભાવ વ્યક્ત કરે છે, તો એના વિયોગને કારણે આરતભાવ ૫ણ. કવિના જ શબ્દોમાં કહીએ તો
સોરઠી ભજનપરંપરાને અનુરૂપ રચનાઓ પર આ કવિની પકડ આકર્ષક છે. સોરઠી તળપદા શબ્દો અને વાણીપ્રયોગો એમની આ પ્રકારની કૃતિઓમાં સહજતાથી શોભી રહે છે. ઊર્મિકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, ખંડકાવ્ય, મુક્તક વગેરે કાવ્યપ્રકારોમાં એમની વિશદ અને સ્વસ્થ શૈલીનાં દર્શન થાય છે. શિક્ષકજીવનના આદર્શ અને શાળાપ્રેમ વિશે પણ એમણે કેટલીક કૃતિઓ લખી છે. વર્તમાન યુગની કૃત્રિમતા અને આડંબરપ્રિયતાને એ કાવ્યનો વિષય બનાવે છે. સમકાલીન ભાવો-વિશ્વયુદ્ધની યાતનાઓ, દેશના ભાગલા, સ્વરાજ્ય વગેરેનાં પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયાં છે. કવિએ સફાઈબંધ છંદોબદ્ધ કાવ્યો અને ભાવઘૂંટયાં ભજનોની આપણને ભેટ આપી છે. સૉનેટનો પ્રકાર એમને વિશેષ ફાવટવાળો હોય એમ લાગે છે. ગરવા ગુરુજીએ ચૂંટી ખણીને ઉડાડેલી ઊંઘ ફરી કદીયે ન ઢૂકે-એ કવિના હૃદયની આરત છે, કારણ કે આ ‘અનિદ્રા ’થી કવિ જાગર્તિને રાસ ખેલતી-આનંદ-હાસ રેલતી નિહાળી શકે છે. નિજાનંદે કાવ્યપ્રવૃત્તિ કરતા આ સાચકલા કવિહૃદયની શ્રદ્ધા એમના આ પ્રકારનાં કાવ્યોમાં વિશેષ અંકિત થયેલી છે. સ્વસ્થ નિરૂપણશૈલીથી ધ્યાન ખેંચતાં આ કવિનાં કાવ્યો જીવનનાં ભદ્ર તત્ત્વોમાં શ્રદ્ધા પ્રેરે છે. વિભુની અકળ રચનાલીલાથી એ આનંદભર્યો વિસ્મયભાવ વ્યક્ત કરે છે, તો એના વિયોગને કારણે આરતભાવ ૫ણ. કવિના જ શબ્દોમાં કહીએ તો
{{Poem2Close}}
{{Poem2Close}}