ભરત વિંઝુડાની ગઝલસંપદા/તે આજ છે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે;
આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે;
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે.
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે.
સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં,
સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં,
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે.
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે.
કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને?
કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને?
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે.
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે.
કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા,
કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા,
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે.
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે.
આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી?
આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી?
કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે.
કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે.
હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત,
હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત,
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે.
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે.

Latest revision as of 10:25, 20 November 2025

૭૦
તે આજ છે

આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે;
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે.

સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં,
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે.

કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને?
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે.

કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા,
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે.

આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી?
કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે.

હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત,
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે.

(તમારા માટે)