અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભુલાલ દ્વિવેદી/ઉજાગરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉજાગરો|પ્રભુલાલ દ્વિવેદી}} <poem> મીઠા લાગ્યા તે મને આજના ઉજા...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)}}
{{Right|(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /સુરમો નયન માટે | સુરમો નયન માટે]]  | હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો | સાહ્યબો]]  | સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની.]]
}}

Latest revision as of 08:22, 20 October 2021


ઉજાગરો

પ્રભુલાલ દ્વિવેદી


મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી'તી વ્હાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળા ખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે,

અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

આજના તે જાગરણે આતમા જગાડ્યો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)