વિદિશા/પરિશિષ્ટ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ |ભોળાભાઈ પટેલ}} <center>થોડા પ્રતિભાવ</center> <center>નિબંધની ન..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 13: Line 13:


{{Right|(સમકાલીન, મુંબઈ, ૨૮ ડિસેમ્બર ‘૯૨.)}}
{{Right|(સમકાલીન, મુંબઈ, ૨૮ ડિસેમ્બર ‘૯૨.)}}


ભોળાભાઈ કાકાસાહેબની કેડીનાં પ્રવાસી છે.
ભોળાભાઈ કાકાસાહેબની કેડીનાં પ્રવાસી છે.


{{Right|(‘ગુજરાતમિત્ર’ : સુરત ૧લી જાન્યુઆરી, ૧૯૯૩)}}
{{Right|(‘ગુજરાતમિત્ર’ : સુરત ૧લી જાન્યુઆરી, ૧૯૯૩)}}


‘વિદિશા’ દ્વારા શ્રી ભોળાભાઈ પટેલે એકીસાથે આપણાં નિબંધ-સાહિત્યને તેમ જ પ્રવાસ-સાહિત્યને વધુ રિદ્ધિવંત બનાવ્યાં છે.
‘વિદિશા’ દ્વારા શ્રી ભોળાભાઈ પટેલે એકીસાથે આપણાં નિબંધ-સાહિત્યને તેમ જ પ્રવાસ-સાહિત્યને વધુ રિદ્ધિવંત બનાવ્યાં છે.


{{Right|(‘નવનીત સમર્પણ’, ડિસેમ્બર – ૧૯૮૦)}}
{{Right|(‘નવનીત સમર્પણ’, ડિસેમ્બર – ૧૯૮૦)}}


<center>વિદિશા : કદંબિત ચેતના</center>
<center>વિદિશા : કદંબિત ચેતના</center>
Line 32: Line 35:


{{Right|– રાધેશ્યામ શર્મા}}
{{Right|– રાધેશ્યામ શર્મા}}


ચિલિકા નિબંધમાં કવિને (હું આ નિબંધકા૨ માટે લેખક નહિ કવિ વિશેષણ યોજવાનું પસંદ કરીશ.) પૂર્ણ મુક્ત ગતિ મળી છે. મારે સૂચવવાનું હોત તો હું સંગ્રહને માટે ચિલિકા નામ સૂચવત. સૌથી વધુ પ્રિય થઈ પડે એવો આ નિબંધ છે. એ નિબંધ ભોળાભાઈના સાહિત્યસંસ્કારોથી સમૃદ્ધ છે. ઉમાશંકર-રાધાનાથ રાય-બાણ-બુદ્ધદેવ બસુ કેટકેટલાને એ યાદ કરે છે. વડનું સામ્રાજ્ય, પંખીઓનો કલરવ, ચિલિકાનાં વારિનું દૃષ્ટ-અદૃષ્ટ રૂપ આ બધું આ પ્રવાસીની ચેતનાના કયા કયા સ્તરને સ્પર્શે છે તે જોવું રસપ્રદ છે. એ અનુભવમાંથી બહાર આવવું વિષાદપ્રેરક બની જાય છે. નિબંધનો અંત એથી જ સંવેદનાત્મક અને માર્મિક બની આવ્યો છે. ચિલિકાથી મુક્ત થવું મુશ્કેલ છે.
ચિલિકા નિબંધમાં કવિને (હું આ નિબંધકા૨ માટે લેખક નહિ કવિ વિશેષણ યોજવાનું પસંદ કરીશ.) પૂર્ણ મુક્ત ગતિ મળી છે. મારે સૂચવવાનું હોત તો હું સંગ્રહને માટે ચિલિકા નામ સૂચવત. સૌથી વધુ પ્રિય થઈ પડે એવો આ નિબંધ છે. એ નિબંધ ભોળાભાઈના સાહિત્યસંસ્કારોથી સમૃદ્ધ છે. ઉમાશંકર-રાધાનાથ રાય-બાણ-બુદ્ધદેવ બસુ કેટકેટલાને એ યાદ કરે છે. વડનું સામ્રાજ્ય, પંખીઓનો કલરવ, ચિલિકાનાં વારિનું દૃષ્ટ-અદૃષ્ટ રૂપ આ બધું આ પ્રવાસીની ચેતનાના કયા કયા સ્તરને સ્પર્શે છે તે જોવું રસપ્રદ છે. એ અનુભવમાંથી બહાર આવવું વિષાદપ્રેરક બની જાય છે. નિબંધનો અંત એથી જ સંવેદનાત્મક અને માર્મિક બની આવ્યો છે. ચિલિકાથી મુક્ત થવું મુશ્કેલ છે.


{{Right|– નૂતન મહેતા}}
{{Right|– નૂતન મહેતા}}


તેમની દૃષ્ટિ ખીલી તો છે ‘ખજુરાહો’માં. વાત્સ્યાયનને અનુસરતી, આ શિલ્પનગરીનું લેખકે જે મુગ્ધ-સ્વસ્થ દૃષ્ટિથી દર્શન કર્યું-કરાવ્યું છે તે અનન્ય છે. ખજુરાહોના મંદિરમાં જે નૃત્ય-મુદ્રાઓ ઝીલાઈ છે તેને વર્ણવતાં લેખક નોંધે છે : ‘અહીં ગતિ છે પણ ગમન નથી. અહીં સ્થિતિ અને ગમન વચ્ચેની ગતિ છે. શિલ્પીએ જાણે કશીક ક્રિયા પૂર્વની ક્ષણને ઝડપી લીધી છે – ન યયૌ, ન તસ્થૌની ક્ષણ! અહીં તો મનુષ્યદેહ એ જ દેવમંદિર છે.’ આ સૌંદર્ય માણ્યા પછી લેખક જાણે કે તેને એકલા માણી શકતા નથી તેથી જ મંદિરમાંના એક અપૂજ દેવતાને વિનવે છે : ‘આંખમાં સૌંદર્યનું નૈવેદ્ય લઈને આવ્યા છીએ. સ્વીકારો ચતુર્ભુજ દેવતા અમારું આ નૈવેધ.’ આ રાગનગરીના દર્શન પછી લેખક અચાનક ભાવકના ચિત્તને મોક્ષનગરી કાશીમાં લઈ જશે, જાણે કે ખજુરાહોના દર્શનથી ચંચળ બનેલા ચિત્તને ઉપરામ આપતા ન હોય તેવું જણાય છે.
તેમની દૃષ્ટિ ખીલી તો છે ‘ખજુરાહો’માં. વાત્સ્યાયનને અનુસરતી, આ શિલ્પનગરીનું લેખકે જે મુગ્ધ-સ્વસ્થ દૃષ્ટિથી દર્શન કર્યું-કરાવ્યું છે તે અનન્ય છે. ખજુરાહોના મંદિરમાં જે નૃત્ય-મુદ્રાઓ ઝીલાઈ છે તેને વર્ણવતાં લેખક નોંધે છે : ‘અહીં ગતિ છે પણ ગમન નથી. અહીં સ્થિતિ અને ગમન વચ્ચેની ગતિ છે. શિલ્પીએ જાણે કશીક ક્રિયા પૂર્વની ક્ષણને ઝડપી લીધી છે – ન યયૌ, ન તસ્થૌની ક્ષણ! અહીં તો મનુષ્યદેહ એ જ દેવમંદિર છે.’ આ સૌંદર્ય માણ્યા પછી લેખક જાણે કે તેને એકલા માણી શકતા નથી તેથી જ મંદિરમાંના એક અપૂજ દેવતાને વિનવે છે : ‘આંખમાં સૌંદર્યનું નૈવેદ્ય લઈને આવ્યા છીએ. સ્વીકારો ચતુર્ભુજ દેવતા અમારું આ નૈવેધ.’ આ રાગનગરીના દર્શન પછી લેખક અચાનક ભાવકના ચિત્તને મોક્ષનગરી કાશીમાં લઈ જશે, જાણે કે ખજુરાહોના દર્શનથી ચંચળ બનેલા ચિત્તને ઉપરામ આપતા ન હોય તેવું જણાય છે.


{{Right|– દર્શના ધોળકિયા}}
{{Right|– દર્શના ધોળકિયા}}


<center>ભટકવાનું મન થઈ ગયું</center>
<center>ભટકવાનું મન થઈ ગયું</center>
Line 52: Line 58:


<center>‘વિદિશા’ વાંચતાં વાંચતાં</center>
<center>‘વિદિશા’ વાંચતાં વાંચતાં</center>
પ્રિય ભોળાભાઈ
પ્રિય ભોળાભાઈ


Line 61: Line 68:


{{Right|– મહેન્દ્ર મેઘાણી, ૨૦-૮-૮૦ ભાવનગર}}
{{Right|– મહેન્દ્ર મેઘાણી, ૨૦-૮-૮૦ ભાવનગર}}


ભોળાભાઈ ઊઘડે, મહોરે અને વિકસે છે એમના સૌન્દર્યધર્મી લેખોમાં. આ લેખોમાં પણ એક વ્યવસ્થા જડી આવે. જે-તે સ્થળ-વિશેષની વાત કરતાં લેખક ત્યાંની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, માનવસ્વભાવ આદિને ત્યાંની કેટલીક લોકકથાઓ અને પૌરાણિક કથાસન્દર્ભો સાથે પ્રત્યક્ષ કરી આપે. કાલિદાસ, ટાગોર, રિલ્કે, બોદલેર, જીવનાનન્દ દાસ, ઉમાશંકર, પ્રહ્લાદ, પ્રિયકાન્ત જેવાની કાવ્યરચનાઓ પણ ગૂંથાતી આવે. યૌવનાઓના સૌન્દર્યની વાત કર્યા વિના તો ભોળાભાઈ રહે જ શાના? આ ભેળવણીની માત્રાઓ અને તરેહ ભિન્ન ભિન્ન હોઈ બહુધા ચિત્તાકર્ષક બને.
ભોળાભાઈ ઊઘડે, મહોરે અને વિકસે છે એમના સૌન્દર્યધર્મી લેખોમાં. આ લેખોમાં પણ એક વ્યવસ્થા જડી આવે. જે-તે સ્થળ-વિશેષની વાત કરતાં લેખક ત્યાંની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, માનવસ્વભાવ આદિને ત્યાંની કેટલીક લોકકથાઓ અને પૌરાણિક કથાસન્દર્ભો સાથે પ્રત્યક્ષ કરી આપે. કાલિદાસ, ટાગોર, રિલ્કે, બોદલેર, જીવનાનન્દ દાસ, ઉમાશંકર, પ્રહ્લાદ, પ્રિયકાન્ત જેવાની કાવ્યરચનાઓ પણ ગૂંથાતી આવે. યૌવનાઓના સૌન્દર્યની વાત કર્યા વિના તો ભોળાભાઈ રહે જ શાના? આ ભેળવણીની માત્રાઓ અને તરેહ ભિન્ન ભિન્ન હોઈ બહુધા ચિત્તાકર્ષક બને.


{{Right|—સતીષ વ્યાસ}}
{{Right|—સતીષ વ્યાસ}}


પ્રિય શ્રી ભોળાભાઈ,
પ્રિય શ્રી ભોળાભાઈ,