ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૮૫૧-૨૦૦૧): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 02:18, 25 May 2026

૨ ચ. સર્જક મૂલ્યાંકન-વિવેચન

અંતાણી વીનેશ
પટેલ, રાજેન્દ્રકુમાર હરગોવનદાસ
શીર્ષક : વીનેશ અંતાણીનું સાહિત્ય : એક વિવેચનાત્મક અભ્યાસ ગુજરાત, ૧૯૯૮.
માર્ગદર્શક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ-૧ વીનેશ અંતાણીનું જીવન-સાહિત્યિક વ્યક્તિત્વ ઘડતર પરિબળો. ૨ નવલકથાકાર વીનેશ અંતાણી- ‘નગ૨વાસી’ (૭૪)થી ‘અહીં સુધી આકાશ’ (૧૯૯૭) સુધીની નવલકથાઓની તપાસ. ૩. વાર્તાકાર વીનેશ–બે વાર્તાસંગ્રહોને આધાર. ૪. નિબંધકાર વીનેશ. એક સંગ્રહને આધારે. ૫. ઉપસંહારમાં સમગ્રલક્ષી મૂલ્યાંકન. પરિશિષ્ટમાં વીનેશની મુલાકાત આપી છે.

ઇસરદાસ
ચારણ, શિવદાનભાઈ માકરણભાઈ, ૧૯૪૨-
શીર્ષક : ભક્તકવિ ચારણ ઇસરદાનની ભક્તિભાવના (૧૯૭૮)
માર્ગદર્શક : સ્વ. ડૉ. જશભાઈ કા. પટેલ અને. આચાર્ય ડૉ. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ, ૧૯૭૮
આ મહાનિબંધમાં ભક્ત કવિ ઇસરદાસનાં બહુવિધ પાસાંમાંથી ભક્તિભાવના વિષયક પાસાને કેન્દ્રમાં રાખીને સર્વાંગી અન્વેષણ કરવામાં આવ્યું છે. ચારણી સાહિત્યના આદિભક્ત તરીકે ઈસરદાસજીને આલેખી તેમના જીવન અને કવનમાંથી સ્ફૂટ થતી પ્રભુ પ્રીતિને નવધા ભક્તિના ભેદો પ્રમાણે કસોટીની એરણે ચઢાવીને તારતમ્યોની તારવણી કરવામાં આવી છે. ઉપરાંત ભક્તિવિષયક કાવ્યકૃતિઓના કલાપ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ મહાનિબંધને પાંચ પ્રકરણોમાં વિભાજિત કર્યો છે.

ઉશનસ્
સોની, રમણભાઈ કાન્તિલાલ, ૧૯૪૬–
શીર્ષક : ઉશનસ્, સર્જન અને વિવેચન.
(સમકાલીન સાહિત્યના સંદર્ભમાં)
માર્ગદર્શક : ડૉ. ચિમનલાલ ત્રિવેદી
ગુજરાત, ૧૯૮૦, પૃ. ૪૪૬, પ્રકાશન. ૧૯૮૪, પૃ. ૩૬૧
ગાંધીયુગની કાવ્યપરંપરાના અને સંસ્કૃત કાવ્યશૈલીના વ્યાપક સંસ્કારો સાથે કાવ્યસર્જન આરંભનાર ઉશનસ્ ઊંચી કલ્પનાશીલતાથી પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં સ્થાન પામ્યા છે. ઉસનસના સર્જક વ્યક્તિત્વને પોષક-પ્રેરક પરિબળો, ઉશનસ્ પૂર્વેની ગુજરાતી કવિતા, ઉશનસની સર્જનયાત્રામાં પાંચમાં, છઠ્ઠા સાતમા અને આઠમા દાયકાની કવિતા, ઉશનસના કાવ્યવિશેષો, સ્વરૂપોનું અધ્યયન સાથે ગુજરાતી કવિમાં ઉશનસનું સ્થાન, કવિ પ્રતિભા, વિવેચન કાર્યની ભૂમિકા; વિવેચન, પરિમાણો, સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન અધ્યયન, અવલોકન, વિવેચક તરીકે ઉશનસનો તલસ્પર્શી અભ્યાસ થયો છે.

કલાપી
દવે, ઇન્દ્રવદન કાશીરામ, ૧૯૨૨-
શીર્ષક : કલાપી : એક અધ્યયન
માર્ગદર્શક : અનંતરાય રાવળ, ગુજરાત, ૧૯૫૮
પ્રકા, ૧૯૬૯, પૃ. ૪૮૪
પ્રકરણ-૧. કવિ થયા પહેલાં (ઈ. ૧૮૭૪થી ૧૮૯૦), ૨. પ્રારંભિક પદ્યરચના અને ગદ્ય (ઈ. ૧૮૯૦થી ૯૨), ૩. રાજપદ અને કવિપદની તૈયારી, ૪. રાગ ને ત્યાગની વચ્ચે, ૫. પ્રણય-મંથન, ૬. હંસગાન : ગાનવિરામ, ૭. વ્યક્તિ કલાપી, ૮. ગદ્યકાર કલાપી, ૯. કવિ કલાપી.

શુકલ, રમેશચંદ્ર મહાશંકર, ૧૯૨૯–
શીર્ષક : કવિ સંચિત અને કવિ કલાપી
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૭૮. પ્રકા. ‘કલાપી અને સંચિત્’ ૧૯૮૧. પૃ. ૬૭૨ પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ ઋષિનું કુળ અને નદીનું મૂળ નામના પ્રકરણમાં બન્ને કવિની વાત વિગતે આલેખી છે. ત્યારબાદ સંશોધકશ્રીએ હૃદયં દ્વિતીયમનું આલેખન કર્યું છે. તે પછી સંશોધકે સ્વાધ્યાયની પ્રમદિતમનું વિગતે વર્ણન કર્યું છે. પ્રકરણ-પમાં સંશોધકે સાહિત્ય દ્વારની પગદંડીનું સુપેરે આલેખન કર્યું છે અને તમારા રાજદ્વારોનાં ખૂની ભભકા આલેખ્યા છે. પ્રકરણ ૬માં સહપ્રવાસની કથા આલેખી છે અને પ્રકરણ ૭માં મધુકર અને માળીનું આલેખન કર્યું છે.
પુસ્તક-૨માં સંશોધકે હૃદયના રક્તનાં અશ્રુ, વ્યાસના ગણેશથી વિશેષ અને ક્ષરઅક્ષર પુંડરિકના કપિંજલનું આલેખન કર્યું છે.

કવિ, ગોવિંદ ગિલાભાઈ
ચતુર્વેદી, માણિકલાલ ગોવિંદદત્ત
શીર્ષક : ગુજરાત કી હિંદી કાવ્ય પરંપરા તથા આચાર્ય કવિ ગોવિંદ ગિલાભાઈ, ઈ.સ. ૧૮૪૯-૧૯૨૬
(હિંદી), એમ. એસ. યુનિ., ૧૯૬૪

કવિ, દલપતરામ ડાહ્યાભાઈ
જુઓ દલપતરામ

કવિ, ન્હાનાલાલ દલપતરામ
ગાડીત, જયંત ગોકળદાસ, ૧૯૩૮-
શીર્ષક : નાનાલાલની અપદ્યાગદ્ય રચનાઓની ભાષાનું સાહિત્યિક અધ્યયન.
માર્ગદર્શક : ડૉ. હરિવલ્લભ જી. ભાયાણી
ગુજરાત, ૧૯૭૫, પૃ. ૩૧૮, પ્રકા. ૧૯૭૬, પૃ. ૧૯૪
અપદ્યાગદ્ય સ્વરૂપગત તપાસ અને અપદ્યાગદ્ય અભિવ્યક્તિ ક્ષમતા એમ બે વિભાગમાં આ નિબંધના વિષયને તપાસ્યો છે. પ્રથમ વિભાગમાં અપદ્યાગદ્યની સ્વરૂપગત તપાસ આ મુદ્દાને સામે રાખી કરી છે. પોતાના સમકાલીન બીજા સર્જકોથી ફંટાઈ નાનાલાલે આ વિશિષ્ટ શૈલી પ્રયોજી અને નાટકો, ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો અને મહાકાવ્ય એ બધાં કાવ્યરૂપોમાં પ્રયોજી તો આ બધા કાવ્યરૂપોના માધ્યમ બનવાની એની ક્ષમતા કેટલી એનો વિચાર બીજા વિભાગમાં કર્યો છે.

દવે, ઈશ્વરલાલ રતિલાલ, ૧૯૨૧–૧૯૯૮
શીર્ષક : ‘કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો : એક અધ્યયન
ગુજરાત, ૧૯૬૨, પ્રકા. ૧૯૬૩, પૃ. ૨૪+૪૯૪
આ મહાનિબંધમાં કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકોનો સવિસ્તાર, સર્વાંગી, વિવેચનાત્મક અને સમગ્રદર્શી અભ્યાસ થયો છે. પ્રથમ પ્રકરણમાં ભાવપ્રધાન નાટકના સ્વરૂપનો વિચાર કર્યો છે. કવિની નાટ્યકૃતિઓનું ચતુર્વિધ વર્ગીકરણ કરી કલ્પિત વસ્તુયુક્ત કૃતિઓના પ્રથમ ગુચ્છની સાંગોપાંગ આલોચના બીજા પ્રકરણમાં આપવામાં આવી છે. પૌરાણિક કૃતિઓના દ્વિતીય ગુચ્છની આલોચના ત્રીજા પ્રકરણમાં કરવામાં આવી છે. તૃતીય ગુચ્છની સમીક્ષા ચોથા પ્રકરણમાં, ચતુર્થ ગુચ્છની સમીક્ષા સાથે ‘શકુંતલાનું સંભારણું’ને અનુવાદ તરીકે મૂલવાયું છે. સમગ્રતયા આ નાટ્યકૃતિઓની સિદ્ધિઓ અને મર્યાદાઓનું દર્શન છઠ્ઠા પ્રકરણમાં આપ્યું છે. સાતમા પ્રકરણમાં પ્રસ્તુત નાટકોને લક્ષમાં લઈ ‘પ્રેમભક્તિ’નાં દર્શન અને ચિંતનનો વિવેચનાત્મક પરિચય આપ્યો છે. આઠમાં છેલ્લા પ્રકરણમાં નાટ્ય કૃતિઓનું સ્થાન, કવિના જીવન, અને વ્યક્તિત્ત્વનો સાહિત્ય સર્જન સાથે સંબંધ, ગુજરાતી નાટકના વિકાસમાં કવિની કૃતિનું સ્થાન વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

પુરોહિત, ગજાનન શિવનાથ
શીર્ષક : પ્રસાદ ઔર ન્હાનાલાલ કે કાવ્યોં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), એમ. એસ. યુનિ., ૧૯૭૩

ભટ્ટ, દુર્ગેશ નથુશંકર
શીર્ષક : ન્હાનાલાલની ઊર્મિકવિતા
માર્ગદર્શક : ઈશ્વરલાલ ૨. દવે, ભાવનગર, ૧૯૮૮,
પ્રકા. મહાનિબંધનો એક ખંડ (પ્રકરણ ૬ અને ૭)નું પ્રકાશન ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (અભિવ્યક્તિ અને મૂલ્યાંકન), ૧૯૯૦, પૃ. ૨૦૦
પ્રકરણ-૧. ઊર્મિકાવ્યનું સ્વરૂ૫, ૨. ઊર્મિકાવ્યની પૂર્વપરંપરા, ૩, પ્રેરક-પ્રભાવક પરિબળો, ૪. કવિની કાવ્યભાષા, ૫. કવિનું અનુભવવિશ્વ, ૬. અભિવ્યક્તિ, ૭. મૂલ્યાંકન-ઉપસંહાર

શાહ, ધનવંતરાય તિલકરાય, ૧૯૩૯
શીર્ષક : કવિ નાનાલાલના કાવ્યોમાં રજૂ થતું જીવનદર્શન
મુંબઈ, ૧૯૬૯
પ્રકા. ૧૯૭૭, પૃ. ૧૫+૪૫૪+૧૬

કંથારિયા, બાલાશંકર ઉલ્લાસરામ
મહેતા, સ્નેહલતા શશિકાન્ત, ૧૯૧૨
શીર્ષક : બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા : એક અધ્યયન
મુંબઈ, ૧૯૭૯, પ્રકા. ૧૯૭૧, પૃ. ૨૦+૨૧૬

કાન્ત
ભટ્ટ, પલ્લવી શે.
શીર્ષક : કાન્તનું ગદ્ય
માર્ગદર્શક : ડૉ. શ્રી ધર્મેન્દ્રભાઈ મ. માસ્તર
ગુજરાત, ૧૯૮૩, પૃ. ૯૩૯
‘કાન્ત’ના જીવન અંગેની નવી સંશોધિત સામગ્રીની પાર્શ્વભૂમિકામાં એમના ગદ્ય સાહિત્યનો સળંગ સૂત્ર વિચાર અહીં રજૂ કરવામાં આવ્યો છે. ‘કાન્ત’ના સર્જનમાં વિપુલતા સામે પ્રયોગશીલતા જોવા મળે છે. એવા આ કવિની ગદ્યકાર તરીકેની સમાલોચના કરવાનો ઉપક્રમ અહીં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમનાં અપ્રગટ સાહિત્યનો સમાવેશ પણ થયો છે.

કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ
ગોરડીયા, શારદા વૃંદાવનદાસ
શીર્ષક : કાકા કાલેલકર : એક અધ્યયન, મુંબઈ, ૧૯૬૪

પટેલ, જયંતકુમાર પુરુષોત્તમદાસ, ૧૯૩૬–
શીર્ષક : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર : એક અધ્યયન
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાત, ૧૯૬૫, પૃ. ૭૦૫, પ્રકા. ‘કાકા કાલેલકર : જીવન અને સાહિત્ય’, ૧૯૭૪, પૃ. ૫૩૮
ગાંધીજીના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં રહીને રાષ્ટ્ર સેવાના ભાગ રૂપે સાહિત્ય સેવા કરનારા જીવન નિષ્ઠ લેખકોમાં કાકાસાહેબ કાલેલકરનું સ્થાન નિશ્ચલ છે. આ મહાનિબંધમાં કાકા સાહેબ કાલેલકરનો જીવન પરિચય આપી સ્વરાજ્યસેવક અને કેળવણીકાર તરીકેનું તેમનું સ્થાન, ભાષા, સાહિત્ય પ્રવાસ અને સમાજસુધારણા જેવા અનેક ક્ષેત્રો ખેડ્યાં પણ કેળવણી એ એમની નિષ્ઠાનો પ્રધાન વિષય રહ્યો છે. ત્યારબાદ તેમના પ્રવાસ સાહિત્ય વિશે વર્ણન કરી તેમના પ્રવાસ વિશેનું આલેખન કર્યું છે. ચરિત્ર અને પત્ર વાઙ્મયના પ્રકરણમાં કાકાસાહેબની કલાવિચારણાના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. સાહિત્યપરામર્શમાં નીતિ અને સદાચારના મુદ્રાઓ પ્રતીત થાય છે. પ્રકૃતિનિરૂપણ દ્વારા તેઓ પ્રકૃતિ-નિબંધકારોમાંના એક છે એવું પ્રતીત થાય છે. ધર્મવિચાર અને સંસ્કૃતિચિંતનમાં તેમના જીવનચિંતન, જીવનપ્રદીપ, લોકજીવન વગેરેની ધર્મભાવનાનો ખ્યાલ આવે છે.

ખત્રી, જયંત
પટેલ, મગનભાઈ ઈશ્વરભાઈ
શીર્ષક : જયંત ખત્રી : એક અધ્યયન
સરદાર પટેલ, ૧૯૮૯

મારવણિયા, મણિલાલ લાધાભાઈ
શીર્ષક : જયંત ખત્રીની ટૂંકીવાર્તાઓ, ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યમાં તેનું સ્થાન અને પ્રભાવ.
માર્ગદર્શક : રમેશ મ. શુકલ
સૌરાષ્ટ્ર, ૧૯૮૭. પૃષ્ઠ સંખ્યા : ૫૪૧
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ ડૉ. જયંત ખત્રીના વ્યક્તિત્વ અને વિકાસ આલેખી ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશેની વિચારણા રજૂ કરી છે. ત્યારબાદ ગુજરાતી ટૂંકીવાર્તાનો વિકાસ (ખત્રીના સમય સુધી) રજૂ કર્યો છે. જેમાં જયંત ખત્રીની પહેલાની ટૂંકીવાર્તાઓ, જયંતખત્રીના ગોત્રની ટૂંકી વાર્તાઓ અને જયંત ખત્રીના સમયની ટૂંકીવાર્તાઓ રજૂ કરી છે. જયંત ખત્રીના વાર્તાસંગ્રહો જેમાં ‘ફોરાં’, ‘વહેતાં ઝરણાં’, ‘ખરાબપોર’ ઉપરાંત વાર્તાસંગ્રહ સિવાયની અગ્રંથસ્થ અને અપ્રસિદ્ધ વાર્તાઓ રજૂ કરી છે. ત્યારબાદ સંશોધકશ્રીએ જયંતખત્રીની વાર્તાકલા નિરૂપી છે. જેમાં વાર્તાનું વિષયવસ્તુ પાત્રાલેખન ભાષાશૈલી, કાવ્યમયતા નિરૂપણ પદ્ધતિ, પ્રતીકાત્મકતા, પ્રકૃતિ નિરૂપણ, વિનિયોગ, મર્યાદાઓ વગેરે લક્ષણો આલેખ્યા છે. મહાનિબંધનાં અંતમાં ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યમાં ખત્રીનું સ્થાન અને પ્રભાવ આલેખીને સંશોધકે મહાનિબંધની પૂર્ણાહુતિ કરી છે.

ખબરદાર, અરદેશર ફરામજી
માસ્તર, ધર્મેન્દ્ર મદનલાલ, ૧૯૨૬
શીર્ષક : અરદેશર ફરામજી ખબરદાર : એક અધ્યયન
માર્ગદર્શક : જશભાઈ પટેલ, સરદાર પટેલ, ૧૯૬૪.
પ્રકા. ૧૯૮૧, પૃ. ૨૯૦+૬૦.
ખંડ ૧માં કવિની વિસ્તૃત જીવન કથા. ખંડ રના પ્રથમ પ્રકરણમાં ખબરદારની ગુજરાતી કવિતાની વિસ્તૃત સમીક્ષા. પ્રકરણ રમાં કવિની અંગ્રેજી કવિતાની તપાસ. પ્રકરણ ૩માં ખબરદારનું ગાથાપાંડિત્ય તથા અંતિમ પ્રકરણમાં અપ્રગટ સાહિત્ય તપાસ્યું છે.

ગાંધી, મોહનદાસ કરમચંદ
જોશી, દીપકકુમાર
શીર્ષક : આત્મકથનાત્મક સાહિત્ય : મહાત્મા ગાંધી
મુંબઈ, ૧૯૮૮

પટ્ટણી, દક્ષા વિજયશંકર, ૧૯૩૮
શીર્ષક : ગાંધીજીનું ચિંતન
માર્ગદર્શક : ઈશ્વરલાલ ૨. દવે
પૃ. ૯૨૨, ગુજરાત, ૧૯૭૫. પ્રકા. ૧૯૮૦, પૃ. ૧૨૨
પ્રસ્તુત નિબંધમાં ગાંધીજીએ જીવનનાં જે દૃષ્ટિકોણથી આ જગતના અને ક્યારેક જગતનીયે પેલી પારના પ્રશ્નોને જોયા, વિચાર્યા તે દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન છે. ગાંધીજીના એ દૃષ્ટિકોણને પામવા માટે એમના ચિંતનકાલના બીજ રૂપ સ્વભાવથી શરૂ કરી વ્યક્તિત્વનું ઘડતર, વિકાસ, વિસ્તાર દર્શન, તેની પૂર્ણતા, તેમના ચિંતનમાંથી વ્યક્ત થતી વિચારની ગતિ જેવી પ્રત્યેક ભૂમિકાનું ક્રમશઃ નિરૂપણ થયું છે. ગાંધીજીનું ચિંતન વિષય હોવાથી તેમના જીવન કરતાં તેમનાં સાહિત્યમાંથી પ્રગટતા ચિંતન સ્વરૂપનું છે. જો કે તેની ઉત્પત્તિ જીવતા જીવનમાંની જ છે. એટલે ચિંતનના આધારરૂપ જીવન પ્રવાહોનો ઉલ્લેખ બતાવાયો છે. સત્ય, સત્યાગ્રહ અને સ્વરાજ્યના રૂપમાં પ્રગટ થતી ગાંધીજીની વિચારણા અને ગાંધીજી રચિત પ્રગટ સાહિત્યનો અને ગાંધીજી વિષયક પ્રાપ્ય અને ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ અહીં થયો છે.

શીલ, ગંગારામ પી.
શીર્ષક : હિંદી ભાષા ઔર સાહિત્ય કો ગાંધીજી કા યોગદાન
(હિંદી) ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૧

ચાવડા કિસનસિંહ
પરમાર, મહેન્દ્રસિંહ
વિષય : કિસનસિંહ ચાવડાની વાઙ્મયપ્રતિભા
ભાવનગર, ૧૯૯૮, માર્ગદર્શક : વિનોદ જોશી

ચૌધરી, રઘુવીર
પચાણી, રમણીકલાલ બી.
શીર્ષક : રઘુવીર ચૌધરીની નવલકથાઓ (પૂર્વરાગથી ગોકુળ)
માર્ગદર્શક : શ્રી હસમુખ દોશી
સૌરાષ્ટ્ર, ૧૯૮૯. પૃષ્ઠ સંખ્યા : ૨૩૧
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ નવલકથા એક વિકાસશીલ સાહિત્ય સ્વરૂપ છે તે જણાવીને સમકાલીન નવલકથાકારોમાં ચૌધરીનું સ્થાન અને નવલકથા સાહિત્યમાં ચૌધરીનું પ્રદાન આલેખ્યું છે. ત્યારબાદ ચૌધરીની નવલત્રયીનું મૂલ્યાંકન કરીને ચૌધરીની વિષયવસ્તુ અને નિરૂપણરીતિમાં વિવિધતા ધરાવતી નવલકથાઓનું મૂલ્યાંકન કર્યું છે. ચૌધરીની વિવિધ વાતાવરણમાં આલેખાયેલી નવલકથાઓની ચર્ચા સંશોધકે આ રીતે કરી છે. (૧) ગ્રામ્ય પરિવેશમાં વિકસતી નવલકથાઓ, (૨) નગરજીવનનાં સ્પર્શવાળી નવલકથા, (૩) નગરજીવનની નવલકથા. આ ઉપરાંત અન્ય સાહિત્ય સ્વરૂપોમાં ચૌધરીનું પ્રદાન આલેખ્યું છે.

પંડ્યા, મુનિકુમાર ચંદ્રકાંત
શીર્ષક : રઘુવીર ચૌધરીનું ૧૯૮૩ સુધીનું ગ્રંથસ્થ વાઙ્મય
માર્ગદર્શક : રમેશ શુક્લ
સૌરાષ્ટ્ર, ૧૯૮૮-’૮૯. પૃષ્ઠ સંખ્યા : ૪૩૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે રઘુવીર ચૌધરીનું જીવન, તેને ઘડનારાં પરિબળો અને જીવન અને સાહિત્યની વિભાવના રજૂ કરી છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ ત્યારબાદ રઘુવીર ચૌધરીનું વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન આલેખ્યું છે. જેમાં નવલકથાકાર ચૌધરી, નવલિકાકાર ચૌધરી, નાટ્યકાર ચૌધરી, કવિ ચૌધરી, ચરિત્ર નિબંધકાર ચૌધરી, વિવેચક ચૌધરી વગેરેમાં તેમનું પ્રદાન મૂલવ્યું છે. મહાનિબંધના અંતમાં રઘુવીર ચૌધરીનું એક સાહિત્યકાર તરીકે સમગ્રદર્શી મૂલ્યાંકન આંક્યું છે.

છોટમ (છોટાલાલ કાળિદાસ ત્રવાડી)
દવે, શિરીષકુમાર રમણલાલ, ૧૯૪૦–
શીર્ષક : સંત કવિ છોટમ (૧૮૧૨-૧૮૮૫) જીવન અને કવન એક અધ્યયન
માર્ગદર્શક : પ્રો. બી. જે. સાંડેસરા, એમ. એસ. યુનિ. ૧૯૭૨
આ મહાનિબંધમાં કવિશ્રી છોટમનો મૌલિક અભ્યાસ અને સંશોધન તેમનું કવિજીવન તેમનાં જ્ઞાનકાવ્યો, આખ્યાનો, પદરચનાઓ, હિંદી રચનાઓ અને તત્ત્વદર્શનનું મૂલ્યાંકન કરેલ છે.

જયભિખ્ખુ
ઠક્કર, નટુભાઈ રણછોડભાઈ
શીર્ષક : જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્મય
માર્ગદર્શક : ચંપૂ વ્યાસ, ગુજરાત, ૧૯૮૯-’૯૦.
પ્રકા. ૧૯૯૧, પૃ. ૪૪૮
મહાનિબંધના નવ પ્રકરણોમાં સંશોધકે જયભિખ્ખુના વૈવિધ્યવંતા માતબર સાહિત્યસર્જનમાં રહેલી સર્જનશક્તિનો વિગતે પરિચય કરાવ્યો છે. પહેલા પ્રકરણમાં જયભિખ્ખુના જીવન અને જીવન-દર્શનને, બીજામાં નવલકથા ક્ષેત્રે, ત્રીજામાં વાર્તાક્ષેત્રે, ચોથામાં નાટ્ય, પાંચમામાં ચરિત્ર, છઠ્ઠામાં બાળકિશોર અને પ્રૌઢ સાહિત્યક્ષેત્રની પ્રતિભા, સાતમામાં પત્રકાર જયભિખ્ખુ, આઠમા પ્રકરણમાં ગદ્યકાર અને નવમાં પ્રકરણમાં ઉપસંહાર રૂપે તારણો કાઢી સમગ્ર મૂલ્યાંકન પ્રસ્તુત કર્યું છે.

જોશી, ઉમાશંકર
જૈન, કમલેશ
શીર્ષક : દિનકર ઓર ઉમાશંકર જોશી કે કાવ્ય મેં રાષ્ટ્રીય ચેતના કા તુલનાત્મક અધ્યયન (હિંદી)
દિલ્હી, ૧૯૭૬

શેઠ, ચંદ્રકાંત ત્રિકમલાલ, ૧૯૩૮–
શીર્ષક : ઉમાશંકર : સર્જક અને વિવેચક
માર્ગદર્શક : મોહનભાઈ શં, પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૯
આ મહાનિબંધમાં કુલ નવ પ્રકરણો છે. ઉમાશંકરના જન્મથી માંડી તેમની છેલ્લામાં છેલ્લી સાહિત્યકૃતિ સુધીનો તલસ્પર્શી અભ્યાસ અહીં થયો છે. કુલ ૧૫૭૦ પાનામાં કવિતા, વિવેચન, વાર્તા, નિબંધ, નવલકથા, નાટક, સંશોધન વગેરે સાહિત્ય ક્ષેત્રમાં ઉમાશંકરની વિશેષતા-મર્યાદાનો અહીં અભ્યાસ થયો છે. સાલવારી પ્રમાણે ઉમાશંકરના જીવનના પ્રત્યેક તબક્કાને મુકવાનો અને સત્ય હકીકતો બહાર લાવવાની આ જહેમત પ્રસંશનીય છે.

જોશી, શિવકુમાર
પ્રજાપતિ કાલિદાસ ડી.
શીર્ષક : શિવકુમાર જોશીનું નવલકથા સાહિત્ય,
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ
ગુજરાત, ૧૯૯૩. પૃ. ૨૯૭
આ મહાનિબંધ દ્વારા શિવકુમાર જોશીના સમગ્ર નવલકથા સાહિત્યને મૂલવવાનો પ્રયાસ થયો છે અને એને ચાર પ્રકરણમાં આવરી લેવાયો છે. શિવકુમાર જોશીનો જન્મ, સ્વજનો, મિત્રો અને અભ્યાસ તેમજ વ્યક્તિત્વનું આલેખન કરી બીજા પ્રકરણમાં શિવકુમાર જોશીની નવલકથા સૃષ્ટિ વિશેની માહિતી આપી છે. જેમાં પ્રકાશનક્રમ મુજબ નવલકથાવાર વિગતપૂર્ણ વર્ણન છે. ત્રીજા પ્રકરણમાં શિવકુમાર જોશીની નવલકથાકાર તરીકેની વિશેષતાઓ અને મર્યાદાઓમાં નોંધપાત્ર મુદ્દાઓનો સમાવેશ કર્યો છે અને છેલ્લે ઉપસંહારમાં એમની નવલકથાઓને મૂલવવાનો પ્રયાસ થયો છે.

રામદતી, જયંત એસ.
શીર્ષક : શ્રી શિવકુમાર જોશીનાં નાટકો : એક અધ્યયન
માર્ગદર્શક : નીતિન વડગામા
પૃષ્ઠ સંખ્યા : ૩૨૬, સૌરાષ્ટ્ર, ૧૯૯૫-’૯૬
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે ગુજરાતી નાટકનો ઉદ્ભવ અને વિકાસ આલેખી અને શિવકુમારનાં જીવન અને કવનની વાત કરી છે. અને શિવકુમાર જોશીના સર્જક વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોનું આલેખન કર્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે શિવકુમાર જોશીનાં નાટકોનું વિભાગીય મૂલ્યાંકન કર્યું છે જેમાં શિવકુમાર જોશીના પંચઅંકી નાટકો, શિવકુમાર જોશીના ચતુરંકી નાટકો, શિવકુમાર જોશીના ત્રિઅંકી નાટકો, શિવકુમાર જોશીના દ્વિઅંકી નાટકો અને શિવકુમાર જોશીના એકાંકી નાટકોનું મૂલ્યાંકન કર્યું છે. અંતમાં સંશોધકે શિવકુમાર જોશીના નાટકો વિષેના તારતમ્ય અને તારણોને અલગ તારવ્યા છે.

દવે, સોહન
શીર્ષક : શિવકુમાર જોશીનાં નાટકો : એક અભ્યાસ
માર્ગદર્શક : સતીશ વ્યાસ,
ગુજરાત, ૧૯૯૯

જોશી, સુરેશ
કાપડિયા, માલા
શીર્ષક : સુરેશ જોશીનો આલોચનાત્મક અભ્યાસ : નિબંધકાર અને કવિ તરીકે.
એસ. એન. ડી. ટી., ૧૯૮૬

મિશ્રા, રેખા બી.
શીર્ષક : નિર્મલ વર્મા ઔર સુરેશ જોશી કે કથાસાહિત્ય કા તુલનાત્મક અધ્યયન.
(હિંદી). ગુજરાત, ૧૯૮૪-૮૫

શાહ, સુમનચંદ્ર ગોવિંદલાલ, ૧૯૩૯–
શીર્ષક : સુરેશ જોશી : સર્જક અને વિવેચક
માર્ગદર્શક : શ્રી મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૮
પ્રકા. ‘સુરેશ જોશીથી સુરેશ જોશી’, ૧૯૭૮, પૃ. ૬૮૨
કવિ-વિવેચક શ્રી સુરેશ જોષીના સાહિત્યનો તલસ્પર્શી અને વિવેચનાત્મક અભ્યાસ આ મહાનિબંધમાં થયો છે. કવિ-વાર્તાકાર, નિબંધકાર, લઘુનવલકથાકાર અને વિવેચક સુરેશ જોશીને આ મહાનિબંધમાં સંશોધનાત્મક ભૂમિકાએ મૂકી સુમન શાહ અભ્યાસ કરે છે.

ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
ઠાકર, ભરતકુમાર ધીરુભાઈ, ૧૯૪૧
શીર્ષક : ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી નાટ્યલેખક તરીકે, સમકાલીન રંગમંચ અને નાટકોના વિશેષ સંદર્ભમાં
એમ. એસ. યુનિ. ૧૯૭૧.
પ્રકા. ‘ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન’, ૧૯૭૮, પૃ. ૨૩૮

લાભશંકર ઠાકર
વ્યાસ, ઋચા સતીશભાઈ
શીર્ષક : લાભશંકર ઠાકરનાં કાવ્યો અને નાટકો
માર્ગદર્શક : ચિનુ મોદી
ગુજરાત, ૧૯૯૮, પ્રકા. ૨૦૦૦

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય
ત્રિવેદી, હર્ષદરાય મણિશંકર, ૧૯૩૩–
શીર્ષક : બ. ક. ઠાકોર : એમનું જીવન અને સાહિત્ય
માર્ગદર્શક : ભોગીલાલ જે. સાંડેસરા
એમ. એસ. યુનિ. ૧૯૬૫, પૃ. ૧૧૧૫
પ્રકા. (૧) પ્રો. બ. ક. ઠાકોર : વ્યક્તિ પરિચય, ૧૯૭૮, પૃ. ૨૧૦
(૨) પ્રો. બલવંતરાય ઠાકોરની કવિતા, ૧૯૮૨, પૃ. ૨૭૨
(૩) વિવેચક પ્રો. બળવંતરાય ઠાકોર, ૧૯૭૯, પૃ. ૨૯૪
આ મહાનિબંધમાં કવિશ્રી બ. ક. ઠાકોરનો વ્યક્તિ પરિચય, તેમનો જન્મ, શિક્ષણ, જીવન, વિવેચન, કવિતા, તેમની અન્ય મૌલિક રચનાઓ, સંપાદનો, અનુવાદો અને અનુકૃતિઓનો સમાવેશ કર્યો છે.

ડોસા, પ્રાગજી
ભાવસાર, કોકિલા એસ. (શ્રીમતી કલાવતીબહેન એસ. ભાવસાર)
શીર્ષક : ગુજરાતી રંગભૂમિ અને નાટક સાહિત્યમાં પ્રાગજી ડોસાનું પ્રદાન
માર્ગદર્શક : ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર
ગુજરાત, ૧૯૮૬, પૃ. ૩૮૧
રંગભૂમિના અભ્યાસીઓને સચોટ માર્ગદર્શન મળી રહે એ હેતુને ધ્યાનમાં રાખી રંગભૂમિક્ષેત્રે જેમનું ગણનાપાત્ર આગવું પ્રદાન છે તે પ્રાગજી ડોસાના રંગભૂમિ પર ભજવાયેલાં દૃશ્ય કાવ્ય નાટકો તથા રેડિયો નાટકો અને ગીતોનો તલસ્પર્શી અભ્યાસ થયો છે. પ્રાગજી ડોસાના જન્મ સમયની સમકાલીન સ્થિતિ, અભ્યાસ, જીવન પરિચય, બાળ નાટકો, એકાંકી, નાટકો તેમજ ગુજરાતી નાટ્ય સાહિત્યમાં પ્રાગજી ડોસાનું અર્પણ અને તેમનું સ્થાન—નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રાપજકર, પરમાનંદ
દવે, કપિલાબહેન કે.
શીર્ષક : શ્રી પરમાનંદ ત્રાપજકરનું ગુજરાતી ધંધાદારી રંગભૂમિના સાહિત્યમાં પ્રદાન.
માર્ગદર્શક : ધર્મેન્દ્ર મ. માસ્તર
ગુજરાત, ૧૯૮૨-’૮૩. પૃ. ૬૧૨
આ મહાનિબંધ બે ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં ચાર અને બીજા ખંડમાં નવ પ્રકરણ છે. પ્રથમ ખંડમાં ગુજરાતી રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસની ગાથા, ત્રાપજકરના જન્મકાળની સમકાલીન પરિસ્થિતિ અને યુગપરિબળો, જન્મસમયથી માંડી ૧૯૮૧ સુધીના આઠ દાયકાના જીવન પ્રસંગો, સાહિત્ય સર્જનના પ્રેરકબળોનો સમાવેશ થયો છે. બીજા ખંડમાં - ત્રાપજકરનાં નાટકોનો કથાવસ્તુ સંકલના, તેમનાં નાટકોની પાત્રસૃષ્ટિ, સંવાદ કળા, ત્રાપજકરનું રંગભૂમિક્ષેત્રે ગીતપ્રદાન, તેમનાં નાટકોની ભજવણી, નાટકોમાં રસ, નિષ્પત્તિ, ત્રાપજકરનાં રેડિયો નાટકો અને એમનાં પ્રકીર્ણ સાહિત્યદર્શનનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ
જોશી, રમણલાલ જેઠાલાલ
શીર્ષક : ગોવર્ધનરામ : એક અધ્યયન
માર્ગદર્શક : યુ. જે. જોશી (ઉમાશંકર જોશી)
ગુજરાત, ૧૯૬૦. પ્રકા. ૧૯૬૩, બી. સં. આ. ૧૯૭૮, પૃ. ૨૯૪
ગોવર્ધનરામનો જન્મ, ઉછે૨, શિક્ષણ, સ્નેહજીવન, જીવનકથા, સાક્ષર જીવનનો પરિચય આપ્યા બાદ તેમની કૃતિઓ ‘હૃદયરુદિત શતકમ્ અને સ્નેહમુદ્રા, ‘સરસ્વતીચંદ્ર’નો અભ્યાસ, જીવનકથા, એમના જીવનચરિત્ર વિષયક ગ્રંથો, સર્જક કૃતિઓ લેખો વ્યાખ્યાન નિબંધો નાટકો, વાર્તાઓનો સમાવેશ કર્યો છે.

પટેલ, કાન્તા જેકિશન, ૧૯૪૦
શીર્ષક : ગોવર્ધનરામના પુસ્તકોમાં નિરૂપિત સ્ત્રીજાતિ.
મુંબઈ, ૧૯૭૯
ત્રિપાઠી, જગન્નાથ દામોદર ‘સાગર’
ત્રિપાઠી, અનિલકુમાર યોગેન્દ્ર, ૧૯૩૭–
શીર્ષક : કવિ, તત્ત્વચિંતક અને ગદ્ય લેખક તરીકે ‘સાગર’
માર્ગદર્શક : ભોગીલાલ જે. સાંડેસરા, એમ. એસ. યુનિ. ૧૯૬૭.
આ મહાનિબંધ ચાર વિભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ વિભાગમાં જીવનરેખા વિશે એટલે એમનો સંસ્કાર વારસો, પિતાશ્રીના રાગ-વિરાગની વચ્ચે સાગર, તેમના નિયમો, ‘સાગર’એ વાંચેલા પુસ્તકોની આત્મસાધના અને તે પછીના જીવન તેમજ સાહિત્યિક જીવનનો સમાવેશ થયો છે. બીજા વિભાગમાં સાગરની પ્રારંભકાળની કવિતા, હૃદયમંથન, આત્માનુભાવ, તેમની કવિતાઓનું મૂલ્યાંકન અને અપ્રસિદ્ધ કાવ્યોનું આલેખન છે. ત્રીજા વિભાગમાં તત્ત્વચિંતક તરીકે મૂલવીને તેમની સૈદ્ધાંતિક સમાલોચના સૂફી વિચારધારા, તેમનું તાત્ત્વિક દર્શન વર્ણવ્યું છે. અને ચોથા વિભાગમાં ગદ્યલેખક તરીકે સાગરના યોગદાનનું મૂલ્યાંકન કર્યું છે.

દલપતરામ
ભટ્ટ, તનસુખ પ્રાણશંકર, ૧૯૧૧
શીર્ષક : દલપતરામ : કાવ્યાભિગમ
મુંબઈ, ૧૯૫૭

દલાલ, જયંતિ
જોશી, ચંદ્રકાંત પુરુષોત્તમદાસ
શીર્ષક : જયંતિ દલાલનું સર્જનાત્મક વાઙ્મય-સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : રમેશ મ. શુકલ
સૌરાષ્ટ્ર, ૧૯૯૦-૯૧. પૃષ્ઠ સંખ્યા : ૬૯૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે જયંતિ દલાલનું જીવન અને જીવનને ઘડનારાં પરિબળોની વાત આલેખી છે અને જયંતિ દલાલનું વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન મૂલવ્યું છે. જેમાં સમાવિષ્ટ છે નાટ્યકાર, એકાંકીકાર દલાલ, નવલકથાકાર દલાલ, નવલિકાકાર દલાલ, નિબંધકાર દલાલ. મહાનિબંધનાં અંતમાં સંશોધકે જયંતિ દલાલની સર્જક પ્રતિભા આલેખીને મહાનિબંધની પૂર્ણાહુતિ કરી છે.

દવે, જ્યોતીન્દ્ર
ભાવસાર, રસિકલાલ કેશવલાલ
શીર્ષક : જ્યોતીન્દ્ર દવે : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા. સૌરાષ્ટ્ર, ૧૯૮૮, પૃ. ૩૨૫
પ્રસ્તુત મહાનિબંધમાં આરંભમાં સંશોધકે જ્યોતીન્દ્ર દવેનું વ્યક્તિત્વ રજૂ કર્યું છે, જેમાં માંદગીનું સહઅસ્તિત્વ છતાં પ્રસન્ન આદમ્ય, જીવનરસ ભોક્તા જ્યોતીન્દ્ર, શાળાજીવનનો ઘડતરકાળ, કવિ વ્યક્તિત્વ, જીવન-સંઘર્ષ અને પ્રસન્ન દાંપત્ય, વાત્સલ્ય સભર પિતા; મોટું મિત્રમંડળ, કેળવણી, રમતગમતનો શોખ વગેરેનું આલેખન કર્યું છે. જ્યોતીન્દ્ર દવેનાં નિબંધસાહિત્યમાં સંશોધકે વિચાર નિબંધ, અંગત નિબંધ, નિબંધિકા, કટાર લેખક, બાટલીનું ઉદ્ઘાટન શિખામણ, નર્મ મર્મ મિશ્રિત હાસ્ય પ્રગટાવ્યું છે. ત્યારબાદ સાહિત્ય લેખક જ્યોતીન્દ્ર દવેને રસમીમાંસા, નાટ્ય વિચારણા, કાવ્ય વિચારણા, ‘પ્રતિકાવ્યો’ અને મીમાંસા, અનુવાદક, સંપાદક રૂપે રજૂ કર્યા છે. નવલકથાકાર જ્યોતીન્દ્ર, જ્યોતીન્દ્રની હાસ્યરસ-તાત્ત્વિક ચર્ચા, નાટ્યકાર જ્યોતીન્દ્ર આત્મચરિત્રકાર જ્યોતીન્દ્ર, કવિ જ્યોતીન્દ્ર એમ વિવિધ સ્વરૂપે જ્યોતીન્દ્ર પ્રગટાવ્યા છે.

દવે, રણછોડલાલ ઉદયરામ
પટેલ, સત્યદેવ ઈ.
શીર્ષક : રણછોડભાઈ ઉદયરામ દવે : એક નાટ્યકાર તરીકે.
ગુજરાત, ૧૯૫૭

દવે, હરીન્દ્ર
ગોસ્વામી, જશુપુરી બી.
શીર્ષક : કવિ અને નવલકથાકાર : હરીન્દ્ર દવે
માર્ગદર્શક : ડૉ. નીતિન આર. વડગામા
સૌરાષ્ટ્ર, ૨૦૦૦, પૃ. ૭૨૮
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ હરીન્દ્ર દવેનું જીવન આલેખી હરીન્દ્ર દવેના સર્જનકાર્યમાં મહત્ત્વના એવા પ્રેરક-પોષક પરિબળો આલેખ્યાં છે. ત્યારબાદ સંશોધકે હરીન્દ્ર દવેની કવિતાનું ભાવવિશ્વ રજૂ કર્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ હરીન્દ્ર દવેની કવિતામાં પ્રયુક્ત કાવ્ય સ્વરૂપોનું સુંદર આલેખન કરી હરીન્દ્ર દવેનું કવિકર્મ આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકશ્રીએ હરીન્દ્ર દવેની નવલકથાઓને આધારે હરીન્દ્ર દવેની સર્જકતા અને સીમાઓ વર્ણવી છે. મહાનિબંધના અંતમાં પરિશિષ્ટ રૂપે સંશોધકે હરીન્દ્ર દવેની ત્વારીખ રજૂ કરી હરીન્દ્ર દવેના પુસ્તકોની યાદી આપી છે અને મહાનિબંધની સમાપ્તિ કરી છે.

દવે, કલ્પના જિતેન્દ્ર
શીર્ષક : નવલકથાકાર હરીન્દ્ર દવે
માર્ગદર્શક : વિજય શાસ્ત્રી
દક્ષિણ ગુજરાત, ૧૯૯૮

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
મ્હેડ, સુસ્મિતા પરાશર, ૧૯૧૯
શીર્ષક : નરસિંહરાવ દિવેટિયા : એક અધ્યયન
મુંબઈ, ૧૯૫૦. પ્રકા. ૧૯૫૧, પૃ. ૩૮૦

દેસાઈ, મણિલાલ
ત્રિવેદી, ધૃતિ
શીર્ષક : મણિલાલ દેસાઈની કાવ્યસૃષ્ટિ
માર્ગદર્શક : ડૉ. સુમન શાહ
એમ. એસ. યુનિ. ૧૯૮૩, પૃ. ૧૪૦
આ મહાનિબંધમાં મણિલાલ દેસાઈનું જીવન, કવન તેમનાં પ્રકૃતિ કાવ્યો, પ્રણય કાવ્યો, સંસ્કૃતિ સંદર્ભિત કાવ્યો, અંગત અનુભૂતિનાં કાવ્યો, નવી કવિતા અને ‘રાનેરી’નો સમાવેશ કરેલ છે.

દેસાઈ, રમણલાલ વસંતલાલ
દોશી, હસમુખ મૂળચંદભાઈ, ૧૯૨૮
શીર્ષક : ૨. વ. દેસાઈ : વ્યક્તિત્વ અને વાઙ્મય.
મુંબઈ, ૧૯૫૮.
પ્રકા. : ૧૯૬૩, ભાગ. ૧. પૃ. ૩૨૬, ભા. ૨. પૃ. ૩૬૬.

પાઠક, ગંગા
શીર્ષક : પ્રેમચંદ ઔર રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી). આગ્રા, ૧૯૬૦

દ્વિવેદી, પ્રભુલાલ
ભોજક, દિનકર જયશંકર, ૧૯૩૩–
શીર્ષક : પ્રભુલાલ દ્વિવેદીનું સમકાલીન ગુજરાતી રંગભૂમિને વિશિષ્ટ પ્રદાન
માર્ગદર્શક : ધીરુભાઈ પી. ઠાકર
ગુજરાત, ૧૯૭૮, પૃ. ૪૨૬
ગુજરાતી નાટક અને રંગભૂમિનો ઉત્કર્ષ સાધનાર લેખકોમાં પ્રભુલાલ દ્વિવેદીનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. ગુજરાતી રંગભૂમિના ઉત્તરરંગના વધુ લોકપ્રિય નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી હતા. આ મહાનિબંધમાં ગુજરાતી રંગભૂમિનો વિકાસ, પ્રભુલાલ દ્વિવેદીની જીવનરેખા, તેમનાં નાટકોના વસ્તુનાં મૂળ અને સંકલના, પૌરાણિક અને ઐતિહાસિક નાટકોનું સમગ્રદર્શી અવલોકન, સામાજિક ત્રિઅંકી નાટકો અને દ્વિઅંકી નાટિકાઓનું સમગ્રદર્શી અવલોકન, રંગભૂમિ પર ગવાયેલાં ગીતો અને પ્રભુલાલનું ગુજરાતી રંગભૂમિને વિશિષ્ટ અર્પણ વગેરેનો અભ્યાસ થયો છે.

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ
ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર, ૧૯૧૮
શીર્ષક : મણિલાલ નભુભાઈ : સાહિત્ય સાધના,
મુંબઈ, ૧૯૫૩, પ્રકા. ૧૯૫૬

ધૂમકેતુ
દવે, અનંતરાય વજેશંકર, ૧૯૩૭–
શીર્ષક : ધૂમકેતુની ટૂંકીવાર્તાઓ : સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : રમેશ શુકલ
સૌરાષ્ટ્ર, ૧૯૮૭-૮૮. પૃષ્ઠ સંખ્યા : ૪૭૪
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ પ્રારંભમાં સર્જકની ઘડતર કથા આલેખી છે, જેમાં ધૂમકેતુને ઘડનારાં પરિબળોની વાત કરી છે. ત્યારબાદ ગુજરાતી ટૂંકીવાર્તા વિકાસને પંથે અને ધૂમકેતુની વાર્તાવિભાવના રજૂ કરી છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ ત્યારબાદ ધૂમકેતુની વાર્તા સમીક્ષા કરી છે અને વાર્તાની વિશેષતા બતાવી છે. ત્યારબાદ ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યમાં ધૂમકેતુનું પ્રદાન આલેખ્યું છે. જેમાં ધૂમકેતુના વાર્તાસંગ્રહોમાંની સફળ વાર્તાનું મૂલ્યાંકન આંકી બતાવ્યું છે અને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં ધૂમકેતુનું પ્રદાન અને અસર દર્શાવ્યાં છે.

પટેલ, મીનાક્ષી કનુભાઈ, ૧૯૪૪–
શીર્ષક : ધૂમકેતુ અને દ્વિરેફની ટૂંકીવાર્તાઓનો અભ્યાસ
માર્ગદર્શક : ચિમનલાલ શિ. ત્રિવેદી
ગુજરાત, ૧૯૭૭, પૃ. ૪૮૮
ટૂંકીવાર્તાનું સાહિત્યસ્વરૂપ પશ્ચિમના સાહિત્યમાંથી આદાન થયેલું એક સ્વતંત્ર કલા સ્વરૂપ છે. તેનો અભ્યાસ કરી ધૂમકેતુની પૂર્વે ટૂંકીવાર્તા, ધૂમકેતુની ટૂંકીવાર્તા, વિષયવસ્તુ, વિષયનિરૂપણ રીતિ, પાત્રસૃષ્ટિ, કરુણતા, વાર્તાનાં શીર્ષકો અને વાર્તામાં ચમત્કારનિરૂપણ, વર્ણન, અલંકાર અને ગદ્ય, ધૂમકેતુનું જીવનદર્શન, વાર્તાકાર તરીકે ધૂમકેતુ, એવી જ રીતે દ્વિરેફની ટૂંકીવાર્તા, વિષયવસ્તુ, વિષયનિરૂપણરીતિ, પાત્રસૃષ્ટિ, હાસ્ય, કટાક્ષ, કરુણતા, વાર્તાના શીર્ષક, વાર્તામાં ચમત્કાર નિરૂપણ, વર્ણન, અલંકાર અને ગદ્ય, દ્વિરેફનું જીવનદર્શન અને વાર્તાકાર તરીકે અભ્યાસ કરી ધૂમકેતુ અને દ્વિરેફની તુલના અને તેઓના અનુગામી વાર્તાકારો પરના પ્રભાવનો સમાવેશ કર્યો છે.

મહેતા, ભાવના મ.
શીર્ષક : ચતુરસેન શાસ્ત્રી અને ધૂમકેતુના કથાસાહિત્યનું તુલનાત્મક અધ્યયન
એસ. એન. ડી. ટી., ૧૯૭૫

ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ
દવે, અરવિંદાબેન મનસુખલાલ
શીર્ષક : આનંદશંકર ધ્રુવ : એક અધ્યયન
માર્ગદર્શક : દિનેશભાઈ એમ, જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૨. પૃ. સંખ્યા : ૨૯૨
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૧૦ પ્રકરણોમાં વિભાજીત કર્યો છે. પ્રથમ પ્રકરણમાં સંશોધકે આનંદશંકર ધ્રુવનો જીવન પરિચય આપ્યો છે. પ્રકરણ : ૨માં સંશોધકે આનંદશંકરને સાહિત્યકાર તરીકે મૂલવ્યા છે. પ્રકરણ ૩માં આનંદશંકરની ધર્મભાવના-૧, ધર્મભાવના-૨ અને ધર્મભાવના-૩ની વાત આલેખી છે. પ્રસ્તુત મહાનિબંધનાં પ્રકરણ-૬માં સંશોધકે આનંદશંકરનાં તત્ત્વજ્ઞાન વિષયક વિચારો આલેખ્યા છે. પ્રકરણ-૭માં કેળવણી વિષયક વિચારો રજૂ કર્યા છે. પ્રકરણ-૮માં સંશોધકે આનંદશંકરનાં ઇતિહાસ વિષયક વિચારો રજૂ કર્યા છે. પ્રકરણ-૯માં આનંદશંકર ધ્રુવનું પત્રકારત્વ આલેખ્યું છે. પ્રકરણ-૧૦માં સંશોધકે આનંદશંકરનું સમગ્રદર્શી મૂલ્યાંકન કર્યું છે.

પંડ્યા, જનાર્દન ચંદુલાલ, ૧૯૧૮
શીર્ષક : આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પોતાનાં લખાણોમાં.
મુંબઈ, ૧૯૫૪

ભટ્ટ, રમેશ મહાસુખલાલ, ૧૯૩૫–
શીર્ષક : આનંદશંકર ધ્રુવની ધર્મભાવના
માર્ગદર્શક : મધુસૂદન પારેખ
ગુજરાત, ૧૯૮૧-’૮૨. ૧૯૮૩, પૃ. ૨૦૪
આનંદશંકરના મહાગ્રંથ ‘આપણો ધર્મ’ને લક્ષ્યમાં રાખી તેમના ધર્મવિચારનું સાફલ્યથી નિરૂપણ, વિવરણ અને વિવેચન કરવાનો, તેને ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુખ્ય પ્રશ્નોના સંદર્ભમાં મૂકી, સળંગ, વ્યવસ્થિત અનુબદ્ધ ઘાટમાં મૂકી આપવાનો સંશોધકનો પ્રયાસ. આ નિમિત્તે આનંદશંકરની સમીક્ષાપદ્ધતિનાં તત્ત્વો તેમણે તારવ્યાં છે તથા તેની ક્ષમતા, યુક્તતા અને સંગતિનો વિચાર કર્યો છે.

નરસિંહરાવ ભોળાનાથ
જુઓ દિવેટિયા, નરસિંહરાવ

નર્મદ
દેસાઈ અરવિંદકુમાર
શીર્ષક : ભારતેન્દુ ઔર નર્મદ : એક તુલનાત્મક અધ્યયન
(હિંદી), આગ્રા., ૧૯૬૨

માંગુકિયા ઘનશ્યામભાઈ ત્રિકમલાલ
શીર્ષક : નર્મકવિતાની પાદટીપો
માર્ગદર્શક : રમેશ શુકલ
સૌરાષ્ટ્ર, ૧૯૮૯. પૃ. ૫૩૬
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ કવિતાનું સ્વમૂલ્યાંકન, કવિતાનો રચનાસમય દર્શાવી કવિતાની ભૂમિકા બાંધી છે. તે ઉપરાંત નર્મદે કયા નિમિત્તે કાવ્ય રચના કરી કવિતા રચવાની પ્રેરણા ક્યાંથી મળી તે સંશોધકે આલેખ્યું છે. નર્મકવિતાની આસ્વાદમૂલક ટિપ્પણો કરી તેનો અર્થવિસ્તાર રજૂ કર્યો છે અને નર્મકવિતાની પાદટીપોની અર્થચર્ચા, શબ્દચર્ચા, છંદચર્ચા, અલંકાર ચર્ચા, વ્યક્તિ વિશેષો અને પરિસ્થિતિ વિશેષ અંગેની ચર્ચા સંશોધકે સુંદર રીતે પ્રગટાવી છે.

શાહ, સુલોચના મોતીચંદ, ૧૯૩૭–
શીર્ષક : નર્મદ : એક અધ્યયન
માર્ગદર્શક : જયંત પાઠક
ગુજરાત, ૧૯૭૧, પૃ. ૪૧૯, પ્રકા. ૧૯૮૩, પૃ. ૧૯૨
નર્મદનો જન્મસમય એટલે ભારતનો નવજાગૃતિ અને નવોત્થાનનો સમય, અંગ્રેજી હકૂમતના જમાનાના ગુજરાતના યુગપુરુષ નર્મદે ગુજરાતી સાહિત્ય ને સમાજની અનન્ય સેવા કરી છે. નર્મદની જીવનરેખામાં નર્મદના સમગ્ર વ્યક્તિત્વનો અને એના જમાનાને ઘડનારાં વિવિધ પરિબળોનો અભ્યાસ કર્યા બાદ રાજકીય, સામાજિક, ધાર્મિક કેળવણી ને સાહિત્યવિષયક પરિસ્થિતિની રજૂઆત કરી નર્મદના જીવનને મૂલવ્યું છે. પછી નર્મદનો કવિ તરીકેનો પરિચય આપ્યો છે. કવિતા વિશેના એના વિચારો, કાવ્યનાં અંગ-ઉપાંગો અંગેની સમજ, દર્શાવી છે. નર્મદ પૂર્વના ગુજરાતી ગદ્યની મર્યાદાઓ અને એના ક્રમિક નમૂનાઓનું આલેખન થયું છે. નર્મદના સમકાલીનો અને અનુગામીઓના સંદર્ભમાં નર્મદની સાહિત્યિક અને સુધારક પ્રવૃત્તિને તપાસવામાં આવી છે અને છેલ્લે નર્મદે સાહિત્ય અને સમાજસુધારાના ક્ષેત્રમાં કરેલી પ્રવૃત્તિઓનું સમગ્ર દર્શન આપવામાં આવ્યું છે.

નીલકંઠ, રમણભાઈ
ઝવેરી બિપિનચંદ્ર જીવણલાલ, ૧૯૧૭-૧૯૮૧
શીર્ષક : રમણભાઈ : એક અધ્યયન.
મુંબઈ, ૧૯૪૯. પ્રકા. ૧૯૫૩, પૃ. ૨૪+૫૨૪

નૃસિંહાચાર્યજી
દેસાઈ લવકુમાર મહેન્દ્ર, ૧૯૪૦–
શીર્ષક : ગુજરાતના સાહિત્ય અને સંસ્કારમાં ‘શ્રી શ્રેય : સાધક અધિકારી વર્ગ’નો ફાળો
માર્ગદર્શક : ડૉ. રણજિત પટેલ, અનામી
એમ. એસ. યુનિ. ૧૯૬૮, પૃ. ૧૦૭૪, પ્રકા. ૧૯૯૨, પૃ. ૫૦૭
આ મહાનિબંધમાં મૌલિક અભ્યાસ અને સંશોધનનું આવેદન, ગુજરાતના સાહિત્યની પશ્ચાદ્ ભૂમિકા, શ્રીમન્નૃસિંહાચાર્યજીનું સાહિત્ય, શ્રીશ્રેયસાધક, શ્રીમાન વિશ્વવંદ્યનો વાઙ્મય વિહાર, શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યની રસસૃષ્ટિ, તેજસ્વી તારકવૃંદ, ગુજરાત સાહિત્ય અને સંસ્કારમાં-ઉત્સવો અને સામયિકોનું વર્ણન તેનો ફાળો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેતા, નિરંજના અંગીરસ
શીર્ષક : શ્રીમન્ નૃસિંહાચાર્યજી અને શ્રેયસાધક અધિકારી વર્ગે ગુજરાતના સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રમાં કરેલું પ્રદાન.
એસ. એન. ડી. ટી., ૧૯૭૨

પટેલ, પન્નાલાલ
ત્રિવેદી, રમેશ મંગળભાઈ, ૧૯૩૪–
શીર્ષક : પન્નાલાલ પટેલના કથાસાહિત્યમાં લોકજીવનનું નિરૂપણ સરદાર પટેલ, ૧૯૮૨
માર્ગદર્શક : ડૉ. દિલાવરસિંહ જાડેજા
આ મહાનિબંધમાં પન્નાલાલ પટેલની જાનપદી ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓમાં લોકજીવન કેવી રીતે ઊપસી આવે છે તે તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. પન્નાલાલની કથાસૃષ્ટિમાં લોકજીવનનું વિષયવસ્તુ તરીકે નિરૂપણ, પાત્રસૃષ્ટિમાં લોકજીવનનો સંસ્પર્શ, વાતાવરણમાં લોકજીવનનાં તત્ત્વો, ગદ્યશૈલી પર લોકજીવનનો પ્રભાવ કેવો છે તે જણાવી પન્નાલાલના કથાસાહિત્યમાં ભદ્રજીવન અને લોકજીવનના પ્રવાહોની ગતિવિધિ આ મહાનિબંધનાં સાત પ્રકરણોમાં ચર્ચવામાં આવી છે.

પટેલ, લલ્લુભાઈ ભાણાભાઈ, ૧૯૩૨-
શીર્ષક : જાનપદી નવલકથાકાર પન્નાલાલ પટેલ.
માર્ગદર્શક : નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’, દક્ષિણ ગુજરાત, ૧૯૮૮.
પ્રકા. ૧૯૯૧, પૃ. ૨૬૦
આઠ પ્રકરણમાં વિભાજિત આ મહાનિબંધમાં જાનપદી નવલકથા સ્વરૂપનો કલાવિશેષ તથા ગુજરાતી સાહિત્યમાં તેના ઉદ્ભવ-વિકાસનો ચિતાર આપી પન્નાલાલના જાનપદી નવલકથાક્ષેત્રે પ્રદાનને મૂલવવામાં આવ્યું છે. મહાનિબંધમાં પન્નાલાલની જાનપદી નવલકથાઓની સર્વાંગી વિવેચના સાથે સર્વગ્રાહી પરિચય આપ્યો છે.

પટેલ, વિષ્ણુભાઈ ખોડાભાઈ
શીર્ષક : પન્નાલાલ પટેલ : એક અધ્યયન
માર્ગદર્શક : સ્વ. પ્રો. જશભાઈ કા. પટેલ
પ્રો. જશવંત શેખડીવાળા, સરદાર પટેલ, ૧૯૮૨
આ મહાનિબંધમાં પન્નાલાલ પટેલનો એક સાહિત્યકાર તરીકે અભ્યાસ કરવાનું વલણ છે. પન્નાલાલ પટેલની ૧૯૮૦ સુધીમાં પ્રકાશિત થયેલી કૃતિઓનું આ મહાનિબંધમાં વિવેચન થયું છે. તેમના સમગ્ર સાહિત્યનો - વાર્તા, નવલકથા, નાટક, આત્મચરિત્ર, કિશોરસાહિત્યનો-વિગતવાર અભ્યાસ થયો છે. સાહિત્યકાર તરીકે પન્નાલાલનાં જીવન અને કવનને આવરી લીધાં છે. પ્રકરણ-૧. પન્નાલાલ પટેલ : વ્યક્તિ અને લેખક (ઘડનારાં પરિબળો), પ્રકરણ-૨ : પન્નાલાલ નવલિકાકાર, પ્રકરણ-૩ : પન્નાલાલ નવલકથાકાર, પ્રકરણ-૪ : પન્નાલાલ નાટ્યકાર, પ્રકરણ-૫ : પન્નાલાલ આત્મચરિત્રકાર, પ્રકરણ-૬ : પન્નાલાલ બાલકિશોર સાહિત્યકાર, પ્રકરણ-૭ : પન્નાલાલ કાવ્યમય ગદ્ય અને ગદ્યશૈલીના સર્જક, પ્રકરણ-૮ : પન્નાલાલ ગુજરાતી સાહિત્યસૃષ્ટિના ચિરંજીવ લેખક. પરિશિષ્ટ.

પંડ્યા, ધીરજલાલ એમ.
શીર્ષક : પન્નાલાલ પટેલની ટૂંકીવાર્તાઓ-સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : હેમંત દેસાઈ
સૌરાષ્ટ્ર, ૧૯૯૨. પૃષ્ઠ સંખ્યા : ૩૦૪
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ વિષય પ્રવેશ કરી પન્નાલાલ પટેલનો જીવન પરિચય તથા તેને ઘડનારાં પરિબળો આલેખ્યાં છે. ત્યારબાદ સંશોધકે પન્નાલાલ પટેલની વાર્તામાં જોવા મળતી ભાવપરિસ્થિતિ આલેખી છે. તે ઉપરાંત સંશોધકે પન્નાલાલ પટેલની વાર્તામાં જોવા મળતી સંવિધાનકલા, માનવ્યનું નિરૂપણ, ભાષાકર્મ, પ્રભાવક તત્ત્વો વગેરે આલેખ્યા છે. ત્યારબાદ સંશોધકે પન્નાલાલ પટેલની વાર્તામાંથી અલગ-અલગ નિરીક્ષણો કરી તારણો તારવ્યા છે. અંતમાં સંશોધકશ્રીએ પન્નાલાલ પટેલની સંદર્ભગ્રંથ સૂચિ દર્શાવી છે અને પન્નાલાલ પટેલના વાર્તાસંગ્રહો, પન્નાલાલ પટેલની નવલકથાઓ, પૌરાણિક કથાઓ પર આધારિત કૃતિઓ - સામાયિક સૂચિ અને પન્નાલાલ પટેલની સાથેની સંશોધકની રૂબરૂ મુલાકાતમાં થયેલી પ્રશ્નોત્તરી આલેખી છે.

વ્યાસ, સુધા યોગેશ
શીર્ષક : પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ; એક અધ્યયન
મુંબઈ, ૧૯૯૭

સુથાર, કનુભાઈ ભીખાભાઈ
શીર્ષક : પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ અને નવલિકાઓ
માર્ગદર્શક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
ગુજરાત, ૧૯૯૩
સંશોધકે જાનપદી નવલકથાની વિભાવના સ્પષ્ટ કરી, પન્નાલાલના જીવન અને સર્જનનો ખ્યાલ આપી તેમની જાનપદી નવલકથાઓ અને નવલિકાઓ અલગ તારવી તેની તપાસ કરી છે, અને તેને આધારે જાનપદી સર્જક તરીકે પન્નાલાલનું મૂલ્યાંકન કર્યું છે.

ભટ્ટ, વિમલ (લગ્ન પછી વિમલ વિનોદ જોશી)
શીર્ષક : પન્નાલાલ પટેલની સામાજિક નવલકથાઓમાં નારીનિરૂપણ (૧૯૯૩), સરદાર પટેલ
માર્ગદર્શક : મણિલાલ હ. પટેલ
આ મહાનિબંધમાં પન્નાલાલની સામાજિક નવલકથાઓમાં આલેખાયેલાં નારીપાત્રોને એમના મહત્ત્વના વિવિધ સંદર્ભઓમાં તપાસવાનું વલણ છે. પન્નાલાલની સામાજિક નવલકથાઓમાં આલેખાયેલાં નારીપાત્રોની એકાધિક વૈયક્તિક મુદ્રાઓ તારવીને ગ્રામનારીઓ અને શહેરીનારીઓના ચરિત્રોને ભિન્ન-ભિન્ન ભૂમિકાએ અલગ તારવ્યાં છે. તેમજ બદલાતી સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે આ પાત્રોના વિકાસના મહત્ત્વના સ્થિત્યંતરો તપાસ્યા છે. પ્રકરણ-૧ : ભૂમિકા અને પરિપ્રેક્ષ્ય, પ્રકરણ-૨ : ગ્રામજીવનની નવલકથાઓમાં નારીનિરૂપણ, પ્રકરણ-૩ : શહેરજીવનની નવલકથાઓમાં નારીનિરૂપણ, પ્રકરણ-૪ : પન્નાલાલનાં નારીપાત્રો : સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં, પ્રકરણ-૫ : નિષ્કર્ષ અને ઉપસંહાર

સારસ્વત, રામબાબુ
શીર્ષક : કહાનીકાર પ્રેમચંદ તથા પન્નાલાલ પટેલ કા તુલનાત્મક અધ્યયન

પટેલ, રણજિત ‘અનામી’
કાછિયા, ગોવિંદભાઈ સી.
શીર્ષક : અનામી : વ્યક્તિ અને વાઙ્મય
માર્ગદર્શક : સુભાષ મ. દવે
એમ. એસ. યુનિ. ૧૯૯૫, પ્રકા. ૧૯૯૮, પૃ. ૩૭૩
ચાર પ્રકરણોમાં વિભાજિત મહાનિબંધનું પ્રથમ પ્રકરણ ‘અનામી : વ્યક્તિ વિશેષ’ એમના જીવનમાંથી કવન કેવી રીતે સ્ફૂર્યું એની વિચારણા કરે છે. બીજા પ્રકરણમાં અનામીના સર્જનાત્મક સાહિત્યની સમીક્ષા કરવામાં આવી છે. ત્રીજા પ્રકરણમાં અનામીના સર્જનેતર વાઙ્મયની આલોચના થઈ છે. અંતિમ ઉપસંહારના પ્રકરણમાં અનામીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

પટેલ, રાવજી
પટેલ, જયેન્દ્ર મણિભાઈ (જયેન્દ્ર શેખડીવાળા)
શીર્ષક : રાવજી પટેલ : એક અધ્યયન
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ, સરદાર પટેલ, ૧૯૯૧
આ મહાનિબંધમાં રાવજી પટેલનો સર્જકલક્ષી અભ્યાસ થયો છે. રાવજીના જીવન અને કવનના વિસ્તૃત અભ્યાસને સાત પ્રકરણોમાં વહેંચ્યો છે. પ્રકરણ-૧ : વસ્તુપ્રવેશ, પ્રકરણ-૨ : રાવજી : જીવન અને સર્જન સંદર્ભ, પ્રકરણ-૩ : રાવજીની કાવ્યસૃષ્ટિ, પ્રકરણ-૪ : રાવજીની નવલકથાસૃષ્ટિ, પ્રકરણ-૫ : રાવજીની વાર્તાસૃષ્ટિ, પ્રકરણ-૬ : રાવજીની પ્રકીર્ણસૃષ્ટિ, પ્રકરણ-૭ : ઉપસંહાર. સંદર્ભસૂચિ, પરિશિષ્ટ. આ મહાનિબંધ દ્વારા રાવજીના સૂક્ષ્મતમ સંવેદનવિશ્વો, તેની કાવ્યરચના પ્રક્રિયાના ગૂઢ પ્રદેશો અને રાવજી પટેલના સાહિત્યસર્જન નિમિત્તે સમગ્ર મનુષ્યજીવનનાં સૂક્ષ્મતમ સ્તરો પ્રગટ કરવાનો આશય આ સંશોધનમાં છે.

શેખ, મોહંમદ ઇસ્હાક અબ્દુલ કરીમ
શીર્ષક : રાવજી પટેલ : જીવન અને સર્જન
માર્ગદર્શક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
ઉ. ગુ. યુનિ. ૧૯૯૪, પ્રકા. ૧૯૯૭, પૃ. ૧૧૮
આરંભમાં સંશોધકે સૈદ્ધાંતિક માંડણી કરી પ્રથમ પ્રકરણમાં સર્જક, જીવન અને સર્જન સંજ્ઞા અને વિભાવના સ્પષ્ટ કરી છે. બીજું પ્રકરણ સર્જકના જીવન અને વ્યક્તિત્વ પાછળ ખર્ચી ત્રીજા પ્રકરણમાં રાવજીને સર્જક તરીકે ઘડનારાં પરિબળો અને તેનો જીવન સંદર્ભ તપાસ્યો છે. પછીના બે મહત્ત્વનાં પ્રકરણોમાં રાવજીની કવિતા અને કથાસાહિત્યની સમીક્ષા કરી અંતે ફલશ્રુતિ તારવી છે.

પંચોળી, મનુભાઈ ‘દર્શક’
છત્રારા, મહેન્દ્ર પ્રા.
શીર્ષક : નવલકથાકાર દર્શક - સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : એ. એમ. રાણિંગા
સૌરાષ્ટ્ર, ૧૯૯૩-’૯૪. પૃષ્ઠ સંખ્યા : ૪૬૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે દર્શકની નવલકથાની વિભાવના આલેખી છે. ત્યારબાદ દર્શકની નવલકથાઓને અલગ-અલગ દૃષ્ટિએ મૂલવી છે જે આપણે ક્રમશઃ જોઈએ તો દર્શકની સામાજિક નવલકથાઓ જેમાં બંદીઘર, કલ્યાણયાત્રા, પ્રેમ અને પૂજા -૧-૨, અને ઝેર તો પીધાં છે જાણી જાણીનું સામાજિક દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. અંતમાં સંશોધક શ્રીએ બંધન અને મુક્તિ અને દીપનિર્વાણનું મૂલ્યાંકન કરીને મહાનિબંધની સમાપ્તિ કરી છે.

પાઠક, અરુણકુમાર લજ્જાશંકર
શીર્ષક : શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’– એક અભ્યાસ
માર્ગદર્શક : પ્રવીણ દરજી
ગુજરાત, ૧૯૮૦, પૃષ્ઠ સંખ્યા : ૩૮૪
‘દર્શક’ ગાંધીયુગના મહત્ત્વના સર્જક-વિચારક છે. આ મહાનિબંધમાં શ્રી મનુભાઈ પંચોળીના કૌટુંબિક, સાંસ્કારિક, સામાજિક, રાજકીય પાસાંને ધ્યાનમાં રાખી તેમના વ્યક્તિત્વનું ઘડતર કેવી રીતે થયું તે બતાવ્યું છે. નવલકથાકાર તરીકે દર્શકને બતાવાયા છે. તેમના નાટકોનો ઉલ્લેખ પણ છે. આ સાથે દર્શકનું વિવેચનકાર્ય, ચિંતક, વિચારક, દર્શક : કેળવણીકાર અને પત્રકાર તરીકે દર્શકે જે પ્રદાન કર્યું છે તેનો સવિસ્તર અભ્યાસ અહીં રજૂ થયો છે.

પારેખ, આણંદજી જમનાદાસ
શીર્ષક : શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ : સર્જક અને ચિંતક (ઈ.સ. ૧૯૭૩ સુધીના એમના પ્રકાશનોને અનુલક્ષીને)
માર્ગદર્શક : હસમુખ દોશી
સૌરાષ્ટ્ર, ૧૯૮૦. પૃષ્ઠ સંખ્યા : ૩૫૨
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ મનુભાઈના જીવન અને વ્યક્તિત્વ ઘડતરની સચોટ માહિતી આપી છે. ત્યારબાદ મનુભાઈ દ્વારા થયેલું વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન આલેખ્યું છે. જે આપણે ક્રમબદ્ધ જોઈએ. મનુભાઈ પંચોળીની નવલકથાઓ જેમાં- બંદીઘર, કલ્યાણયાત્રા, પ્રેમ અને પૂજા, બંધન અને મુક્તિ, દીપનિર્વાણ, ઝેર તો પીધાં છે જાણી જાણી વગેરે નવલકથાની વાત કરી છે અને એક સફળ નવલકથાકાર તરીકેનું સમગ્રદૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. એ જ રીતે મનુભાઈ પંચોળીનાં નાટકો જેમાં - ‘૧૮૫૭’, ‘જલિયાવાલા’, પરિત્રાણ, નાટકોની સમજૂતી આપી છે અને એક સફળ નાટ્યકાર તરીકે તેમનું મૂલ્યાંકન કર્યું છે એજ રીતે ચિંતક દર્શક જેમાં, સમાજ ચિંતન, ધર્મચિંતન, કેળવણી ચિંતન અને ચિંતક દર્શક સમગ્રદૃષ્ટિએ સંશોધકશ્રીએ મનુભાઈ પંચોળીના કેળવણી વિષયક વિચારો નઇતાલીમ અને નવવિધાન, સર્વોદય અને શિક્ષણ વિશેના વિચારો વર્ણવ્યા છે.

વાઘેલા, કે. જી.
શીર્ષક :
શ્રી દર્શકનું સાહિત્યસર્જન અને ચિંતન વિવેચન (૧૯૯૭)
માર્ગદર્શક : પ્રમોદકુમાર પટેલ, સરદાર પટેલ, ૧૯૯૭
આ મહાનિબંધમાં ‘દર્શક’નો સર્જકલક્ષી અભ્યાસ કરવામાં આવ્યો છે. આ મહાનિબંધને નવ પ્રકરણમાં વિભાજિત કરીને દર્શકના જીવન સાહિત્ય વિશે વીગતે છણાવટ કરવામાં આવી છે. નવલકથાકાર તરીકે, નાટ્યકાર તરીકે, પત્રસાહિત્ય, ચરિત્ર સાહિત્ય, પ્રવાસગ્રંથ, વિવેચક દર્શક, તેમનું ઇતિહાસ, ધર્મ, રાજ્યશાસ્ત્ર, કેળવણી વિશેનું ચિંતન એમ દર્શકનાં બધાં પાસાને આવરી લેવાયાં છે. અંતે પરિશિષ્ટ અને સંદર્ભસૂચિ આપી છે.

પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ
શાહ, પૂર્ણિમા મણિલાલ, ૧૯૩૯– (ચંદ્રશંકર પુ. ભટ્ટનાં પત્ની)
શીર્ષક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનું વાઙ્મય : વ્યક્તિત્વ – યુગસંદર્ભમાં
માર્ગદર્શક : ડૉ. રમણલાલ જોશી
ગુજરાત, ૧૯૮૩-૮૪. પૃષ્ઠ સંખ્યા : ૫૬૨
આ મહાનિબંધ સાત પ્રકરણમાં વહેંચાયેલ છે. ગુજરાતી સાહિત્યના અરુણોદયકાળના કવિ નર્મદના મિત્ર અને સમકાલીન નવલરામ, ઊંડી સૂઝવાળા, વિચારક અને ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક હતા. પ્રથમ પ્રકરણમાં યુગસંદર્ભ અને નવલરામ (૨) અપૂજિત રહેલા શિવલિંગનું પૂજન – નવલરામના જન્મ, બાળપણ, કારકીર્દિ, કર્તવ્યભૂમિ અને ઉત્તરાવસ્થા (૩) નાટ્યકાર તરીકે નવલરામ (૪) વિવેચક નવલરામ - સૈદ્ધાંતિક વિવેચન, કવિતા વિચાર, રસવિચાર, નાટ્યવિચાર, કથાસાહિત્ય વિચાર, જીવનચરિત્ર વિચાર, અનુવાદ વિશે નવલરામ, ભાષાશૈલી વિશે અને વિવેચન વિશેના તેમના વિચારો. નવલરામના ગ્રંથાવલોકનોની આલોચના, (૫) કવિ નવલરામ (૬) નવલરામના વાઙ્મય વ્યક્તિત્ત્વનાં વિવિધ પાસાંને આવરી લઈ અભ્યાસ કર્યો છે અને છેલ્લે (૭) ઉપસંહારમાં સંદર્ભસૂચિ આપી છે.

શુકલ, રવિકાન્ત દિનમણિશંકર, ૧૯૩૯–
શીર્ષક : નવલરામ પંડ્યા : એક અધ્યયન
માર્ગદર્શક : જયંત પાઠક, દક્ષિણ ગુજરાત, ૧૯૮૧.
મહાનિબંધમાં નવલરામ જીવન-કવનનાં વિવિધ પાસાં પ્રગટ થયાં છે. પ્રથમ પ્રકરણમાં નવલરામની જીવનરેખા આપી બીજા પ્રકરણમાં એમનાં વિવેચનકાર્યનું આકલન થયું છે. ત્રીજા પ્રકરણમાં કાવ્ય, નાટક, ભાષાંતર આદિ સર્જનોની સમીક્ષા કરી ચોથા પ્રકરણમાં નવલરામની પ્રતિભાના અન્ય ઉન્મેષો - ભાષાશાસ્ત્ર, સંપાદન, ચરિત્ર, નિબંધ, પત્રકારત્વ-ઉપસાવી આપ્યાં છે. પાંચમાં પ્રકરણમાં ઉપસંહારરૂપે નવલરામના સર્જક-વિવેચક તરીકેના કાર્યની સમગ્રદર્શી મૂલવણી નિષ્કર્ષરૂપે રજૂ થઈ છે.

પંડ્યા, યશવંત
ઉપાધ્યાય, ગિરીશ બી.
શીર્ષક : યશવંત પંડ્યા : અર્ચના અને આલોચના
માર્ગદર્શક : સતીશ વ્યાસ
ગુજરાત, ૧૯૯૩
પ્રકા. ૧૯૯૪, પૃ. ૨૦૦
યશવંત પંડ્યાના એકાંકીઓ, બાળનાટકો, પદ્યરચનાઓ, હળવા નિબંધાદિ પ્રકીર્ણ સાહિત્યની તપાસ થઈ છે. મુખ્યત્વે પંડ્યાનું ગુજરાતી એકાંકી ક્ષેત્રે પ્રદાન ઉપસાવાયું છે.

પાઠક, જયંત
ત્રિવેદી, મનવંતરાય દલપતરામ
શીર્ષક : જયંત પાઠકની કવિતા અને એમનું સર્જનાત્મક ગદ્ય : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૯૦. પૃષ્ઠ સંખ્યા : ૩૭૫
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકશ્રીએ જયન્ત પાઠકના જીવનની વાત કરી છે અને તેમનાં સર્જક વ્યક્તિત્વને ઘડનારાં પરિબળો વર્ણવ્યાં છે. ત્યારબાદ સંશોધકે જયન્ત પાઠકની કવિતાઓને તબક્કાવાર આલેખી છે. જેમાં કવિતાયાત્રાનો પ્રથમ તબક્કો, કવિતા યાત્રાનો બીજો તબક્કો, ત્યારબાદ જયન્ત પાઠકની કવિતાને રૂપવિધાયક તત્ત્વોમાં એક અગવાહન તરીકે વર્ણવી છે અને મહાનિબંધનાં અંતમાં સંશોધકશ્રીએ જયન્ત પાઠકના સર્જનાત્મક ગદ્યની રૂપરેખા આલેખી છે.

પંડ્યા, દિનેશચંદ્ર રણછોડલાલ, ૧૯૩૯–
શીર્ષક : જયંત પાઠક : વ્યક્તિત્વ અને વાઙ્મય
માર્ગદર્શક : પ્રિ. ડૉ. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ, ૧૯૮૮, પ્રકા. ૧૯૮૯, પૃ. ૨૮૦.
આ મહાનિબંધમાં જયંત પાઠકના જીવન અને કવનનું વિસ્તૃત અધ્યયન થયું છે. પ્રકરણ-૧માં વ્યક્તિત્વ, પ્રકરણ-૨માં ‘વ્યક્તિ અને સંસ્કૃતિ’ લેખકની આત્મકથા વિશે ચર્ચા કરી છે. પ્રકરણ-૩માં કવિતા : સાહિત્ય અને સંવર્ધનમાં–સક્ષમ કવિની સક્ષમકૃતિઓ વિશે છણાવટ થઈ છે. પ્રકરણ-૪માં વિવેચન-સંશોધન સંપાદન વિશે પ્રકરણ-૫માં ‘આનંદપ્રવૃત્તિના વિશેષ અભિગમો’માં અનુવાદ અને પ્રકીર્ણ સર્જન વિશે પ્રકરણ-૬માં ‘પ્રતિભાવ અને પ્રભાવ’ અંતર્ગત જયંત પાઠકની સાહિત્યપ્રવૃત્તિના અનુસંધાનમાં પ્રાપ્ત થયેલ વિવેચકીય અને અન્ય પ્રકારના પ્રતિભાવોની સમીક્ષા તેમજ સર્જકનો પ્રભાવ કેવો પડયો તેની ચર્ચા છે. ઉપરાંત જયંત પાઠકના સાહિત્યસર્જનની વિશેષ રીતે નીપજી આવેલી લાક્ષણિકતાઓ અંગે વિચારણા કરી છે.

પાઠક, રામનારાયણ વિશ્વનાથ
કાલાણી, કાંતિલાલ લવજીભાઈ, ૧૯૩૦
શીર્ષક : રામનારાયણ વિ. પાઠકની સાહિત્યસિદ્ધિ
માર્ગદર્શક : અનંતરાય રાવળ
ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ‘રામનારાયણ વિ. પાઠક : વાઙ્મય પ્રતિભા’, ૧૯૮૧, પૃ. ૩૦+૪૦૦

પટેલ, મીનાક્ષી કનુભાઈ, ૧૯૪૪
શીર્ષક : ધૂમકેતુ અને દ્વિરેફની ટૂંકીવાર્તાઓ.
ગુજરાત, ૧૯૭૬

પાઠક, સરોજ
ધોલેરિયા, સલમા જાફરહુસેન
શીર્ષક : સરોજ પાઠકનું કથાસાહિત્ય
માર્ગદર્શક : સતીશ વ્યાસ, ગુજરાત, ૧૯૯૪
ગુજરાતી કથાસાહિત્યક્ષેત્રે મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં સરોજ પાઠકનું યોગદાન આલેખવાનો પ્રયાસ. સામાન્ય જીવન જીવનારાં પાત્રોનાં સમાજનું ચિત્ર રજૂ કરી માનવજીવનમાં બનતી ઝીણી ઝીણી ઘટનાઓ માનવજીવન પર કેવી ઘેરી અસર નીપજાવી શકે એ કૃતિઓમાંથી શોધવાનો સંશોધકનો પ્રયાસ છે.

પારેખ, રમેશ
પારેખ, મીતા ઠાકોરલાલ
શીર્ષક : કવિ રમેશ પારેખ
માર્ગદર્શક : દક્ષા વ્યાસ
દક્ષિણ ગુજરાત, ૧૯૯૬
રમેશ પારેખની કવિતામાં પ્રગટતાં તાજપ, ભાવનિર્વહણની માવજત, લયનો હિલ્લોળ, અભિવ્યક્તિનું નાવીન્ય, ચિત્રનિર્માણ શક્તિ, કલ્પના વૈભવ, પ્રયોગશીલતા વગેરેની વિગતે છણાવટ થઈ છે. તેમનાં ગીતોની પણ તપાસ કરી તેમની કવિતાનું મૂલ્યાંકન પ્રસ્તુત કર્યું છે.

પેટલીકર, ઈશ્વર
વડાદરા, શારદા બાબુભાઈ
શીર્ષક : શ્રી ઈશ્વર પેટલીકર – એક અધ્યયન
માર્ગદર્શક : મધુસૂદન પારેખ
ગુજરાત, ૧૯૮૪-’૮૫. પૃષ્ઠ સંખ્યા : ૩૫૪
આપણા ગુજરાતી સાહિત્યમાં શ્રી ઈશ્વર પેટલીકરે એક સમર્થ નવલકથાકાર અને ટૂંકીવાર્તાકાર તરીકે કીર્તિ સંપાદિત કરી છે. આ મહાનિબંધમાં પેટલીકરના જીવનની આછી રૂપરેખાનું આલેખન કરી તેમનાં ગ્રામચિત્રોનું વર્ણન કર્યું છે. પેટલીકરની પાંચ નીવડેલી નવલકથાઓ અને નવલકથાઓનો નિર્દેશ છે. સાથે નવલકથાકાર તરીકે અને ટૂંકી વાર્તાકાર તરીકે પેટલીકર. પેટલીકરનું ટૂંકીવાર્તા સાહિત્ય પણ સમાવાયું છે. આ ઉપરાંત નિબંધકાર, સમાજસુધારક અને પત્રકાર તરીકે પેટલીકરને બતાવાયા છે. પેટલીકરનું જીવનચરિત્રાત્મક અને પ્રકીર્ણ સાહિત્યનો પણ સમાવેશ થયો છે.

બક્ષી, ચંદ્રકાંત
બારોટ, કનૈયાલાલ મ.
શીર્ષક : નવલકથાકાર ચંદ્રકાંત બક્ષી : આધુનિક ગુજરાતી નવલકથાના સંદર્ભમાં
માર્ગદર્શક : રમણ સોની
ગુજરાત, ૧૯૯૩
૧૯૯૦ સુધીમાં પ્રગટ થયેલી બક્ષીની ૨૨ નવલકથાઓને આધારે નવલકથાકાર બક્ષીનું મૂલ્યાંકન કરતો આ શોધનિબંધ ૧૯૫૫ પછીની ગુજરાતી નવલકથાની ગતિવિધિ અને એનાં સિદ્ધિ-સીમાઓને આધાર તરીકે લઈને ચાલે છે, ને પછી બક્ષીના નવલકથા લેખનને ત્રણ તબક્કામાં વહેંચી તપાસે છે, એમાં સઘન કૃતિલક્ષી તપાસ કરતાં, બક્ષી વિશે થયેલી વિવેચનાને તેમ જ બક્ષીએ વ્યક્ત કરેલા નવલ વિશેના વિચારોને તપાસ્યાં છે ને અંતે બક્ષીના પ્રદાન અંગેના નિષ્કર્ષો મૂક્યા છે.

લાડાણી, ઉષાબેન પી.
શીર્ષક : ચંદ્રકાંત બક્ષીની ટૂંકીવાર્તાઓ,
માર્ગદર્શક ; એમ. આઈ. પટેલ, સૌરાષ્ટ્ર, ૨૦૦૨

બોટાદકર, દામોદર ખુ.
ઉલ્વા સી. જી.
શીર્ષક : દા. ખુ. બોટાદકરની વાઙ્મયપ્રતિભા
માર્ગદર્શક : વિનોદ જોશી
ભાવનગર, ૧૯૯૩

બ્રહ્મભટ્ટ, રઘુનાથ
મોદી, ચંપકલાલ રમણલાલ, ૧૯૩૪–
શીર્ષક : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ - એમનું ગુજરાતી રંગભૂમિના સાહિત્યમાં પ્રદાન
માર્ગદર્શક : ધર્મેન્દ્ર માસ્તર
ગુજરાત, ૧૯૭૭, પૃ. ૧૧૧૪
સામાન્ય જનસમાજમાં રઘુનાથ બ્રહ્મભટ્ટ ગુજરાતી રંગભૂમિના કવિ તરીકે પ્રસિદ્ધ છે. આ મહાનિબંધમાં ગુજરાતી રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસ સાથે સમકાલીન પરિસ્થિતિ અને યુગ પરિબળો બતાવાયા છે. રઘુનાથ બ્રહ્મભટ્ટના જીવન વિષે જણાવી વ્યક્તિત્ત્વ ઘડતરનાં પ્રેરકબળો નાટ્ય સાહિત્ય સર્જનનાં પ્રેરકબળો સમગ્રતયા એમનો પરિચય નાટ્યસાહિત્યમાં એમનું પ્રદાન અને એમનું સર્જન - પૌરાણિક નાટકો -સ્વતંત્ર્ય રચનાઓ ચરિત્ર સાહિત્ય, કથા સાહિત્ય, રઘુનાથની નાટ્યકલા, કાવ્યકલા, તત્કાલીન ગીત સાહિત્યની પરિસ્થિતિ અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનાં સાહિત્યની સમગ્રતયા વ્યાવર્તક વિશિષ્ટતાઓનો અભ્યાસ થયો છે.

બ્રોકર, ગુલાબદાસ
રોહિત, રતિલાલ ઈશ્વરભાઈ
શીર્ષક : ગુલાબદાસ બ્રોકરનું કથા સાહિત્ય : એક અભ્યાસ
માર્ગદર્શક : ડૉ. વિજય શાસ્ત્રી
દક્ષિણ ગુજરાત, ૧૯૯૯

માંકડ, અસ્મા મોહમ્મદ
શીર્ષક: શ્રી ગુલાબદાસ બ્રોકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
માર્ગદર્શક : ડૉ. રમણલાલ જોશી.
ગુજરાત, ૧૯૮૨, પૃ. ૩૬૨
આ મહાનિબંધ ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલ છે. (૧) ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગનો ઉજાસ, (૨) ગુલાબદાસ બ્રોકર : વ્યક્તિ અને વાઙ્મય, (૩) ગુલાબદાસ બ્રોકર : નવલિકાકાર તરીકે, (૪) ગુલાબદાસ બ્રોકરના નાટકો, એકાંકીઓ, (૫) ગુલાબદાસ બ્રોકરનું વિવેચન કાર્ય, (૬) ‘વસંતે’ની કવિતા, (૭) નવા ગગનની નીચે, (૮) બ્રોકરના અનુવાદો : એક નોંધ, (૯) ઉપસંહાર, (૧૦) પરિશિષ્ટ : સાહિત્યસૂચિ ઉપરાંત લેખક અને એમની સાહિત્યકૃતિઓ પર લખાયેલા મહત્ત્વના લેખો.

ભટ્ટ, નાનાભાઈ કાળીદાસ
જોશી, જયકર છોટાલાલ
શીર્ષક : નાનાલાલ ભટ્ટ : એક અધ્યયન
માર્ગદર્શક : સતીશ વ્યાસ : ગુજરાત, ૧૯૯૨
પ્રકાશન બે ભાગમાં થયું છે. ૧. સાહિત્યકાર નાનાભાઈ, પૃ. ૨૭૬, ૨. કેળવણીકાર નાનાભાઈ, પૃ. ૧૦૨. કેળવણીકાર અને કિશોર સાહિત્યના સર્જક નાનાભાઈના જીવન તથા સર્જનનો આમૂલ સ્વાધ્યાય કરવાનો ઉપક્રમ છે. નાનાભાઈની કેળવણીકાર, સાહિત્યકાર અને માનવતાવાદી તરીકેની છબી ઉપસાવવાનો સંશોધકનો પ્રયત્ન.

ભટ્ટ, હરિશ્ચંદ્ર
વેગડા, આર. એમ.
શીર્ષક : હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતા
માર્ગદર્શક : સતીશ વ્યાસ
ગુજરાત, ૧૯૯૨, પ્રકા. ૧૯૯૫

મડિયા, ચુનીલાલ
ત્રિવેદી, નવીનચંદ્ર નરહરિશંકર, ૧૯૪૩–
શીર્ષક : ચુનીલાલ મડિયા : એક અનુશીલન
માર્ગદર્શક : દિલાવરસિંહ જાડેજા. સરદાર પટેલ, ૧૯૭૬.
પ્રકા, ‘મડિયાનું અક્ષર કાર્ય’ ૧૯૭૮, પૃ. ૩૨૮
મહાનિબંધમાં મડિયાના સમગ્ર સાહિત્યિક કાર્યનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ થયો છે. પ્રારંભે સર્જકનો જીવનપરિચય, સર્જકવ્યક્તિત્વ ઘડતરનાં પરિબળો, પછી તેમની નવલિકાઓ, નવલકથાઓ, નાટ્ય, વિવેચન, હાસ્યસાહિત્ય, ચરિત્ર, પ્રવાસ સાહિત્ય, પત્રકારત્વ, અનુવાદ, સંપાદન વગેરેનો સુદીર્ઘ અભ્યાસ રજૂ થયો છે. અંતે પરિશિષ્ટમાં મડિયાનાં પુસ્તકોની યાદી, સંદર્ભ સામગ્રી વગેરે આપી છે. આ રીતે મડિયાના સમગ્ર અક્ષરકાર્યને સર્વાંગી પરિપ્રેક્ષ્યમાં અવલોકવામાં આવ્યું છે.

પાઠક, જનાર્દન ચીમનલાલ, ૧૯૩૭–
શીર્ષક : ચુનીલાલ મડિયાનું નવલિકા સાહિત્ય
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૭૮, પૃષ્ઠ સંખ્યા : ૨૫૩
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે મડિયાની સર્જકતા આલેખી મડિયાની વાર્તાકલાને બે વિભાગમાં વહેંચી છે. જેમાં આપણે જોઈએ તો વિભાગ-અ માં મડિયાની પરંપરિત વાર્તાઓ આલેખી છે. જેમાં ‘ઘૂઘવતાં પૂર’થી ‘જેકબ સર્કલ સાત રસ્તા’ સુધીનાં વાર્તાસંગ્રહોની વાર્તાઓ આવરી છે. અને વિભાગ-બમાં સંશોધકે મડિયાની પ્રયોગલક્ષી વાર્તાઓ આલેખી છે. જેમાં ‘ક્ષણાર્ધ’થી ‘ક્ષત-વિક્ષત’ સુધીનાં વાર્તાસંગ્રહોની વાર્તાઓ આવરી છે. તે ઉપરાંત સંશોધકે મડિયાની અનુદિત વાર્તા સાહિત્યનું આલેખન પણ કર્યું છે. મડિયાની વાર્તા અન્તર્ગત વિશેષતાઓ આલેખી સંશોધકે મડિયાને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવ્યા છે અને મહાનિબંધનાં અંતમાં મડિયાના નવલિકા સાહિત્ય સર્જનનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરી મહાનિબંધની પૂર્ણાહુતિ કરી છે.

રાણિંગા, અમૃતલાલ મકનજી, ૧૯૩૨-
શીર્ષક : નવલકથાકાર ચુનીલાલ મડિયા : એક વિવેચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : રમેશ મ. શુક્લ, સૌરાષ્ટ્ર, ૧૯૮૬.
પ્રકા. ‘નવલકથાકાર મડિયા’, ૧૯૯૦, પૃ. ૨૫૬
મહાનિબંધમાં મડિયાની નવલકથાકાર તરીકેની વિશેષતાઓ અને મર્યાદાઓની વિસ્તૃત ચર્ચા મળે છે. આજ સુધી થયેલ મડિયા વિષયક વિવેચનને લક્ષમાં લઈને છ પ્રકરણમાં મડિયાની પ્રાદેશિક નવલકથાઓ, શહેરી જીવનની નવલકથાઓ, હાસ્યકટાક્ષપ્રધાન અને ઐતિહાસિક નવલકથાની અહીં સર્વાંગી આલોચના કરવામાં આવી છે.

રાવલ, ભગવાનભાઈ ચેલારામ, ૧૯૪૨-
શીર્ષક : ચુનીલાલ મડિયાની સાહિત્યસિદ્ધિ
માર્ગદર્શક : ધર્મેન્દ્ર મ. માસ્તર
ગુજરાત, ૧૯૭૬, પૃ. ૭૫૨
ચુનીલાલ સાંપ્રત સમયના ગુજરાતી સાહિત્યમાં એક સિદ્ધહસ્ત સાહિત્યકાર તરીકે જાણીતા છે. બે ખંડમાં વહેંચાયેલ આ મહાનિબંધમાં પ્રથમ ખંડ ‘જીવન અને જમાના’માં મડિયાના સમયની તત્કાલીન સમાજ સ્થિતિ અને એમના જીવનની સંક્ષિપ્ત કથા તેમજ તેમના વ્યક્તિત્વ ઘડતરનાં પરિબળોની ચર્ચા કરે છે. બીજા ખંડ ‘સાહિત્ય સર્જન’માં સાહિત્ય સર્જનનો સમગ્રતયા પરિચય આપી કાળાનુક્રમે કૃતિ પરિચય, પ્રકાર લક્ષી પરિચય ને વિવેચન કર્યું છે. ચુનીલાલ મડિયા નવલકથાકાર તરીકે, નવલિકાકાર તરીકે અને ચુનીલાલ મડિયા સૉનેટ - કવિ, નાટ્યકાર, પ્રવાસ લેખક, અનુવાદક, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, સંપાદક, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, સંપાદક તરીકેનો પરિચય કરાવ્યો છે. તેમના સાહિત્યની વિશિષ્ટતાઓ, સાહિત્યકાર તરીકેની તેમની સિદ્ધિમર્યાદાઓ તેમજ ગુજરાતી સાહિત્યમાં તેમનું અર્પણ અને તેનું સમગ્રતયા મૂલ્યાંકનનો અભ્યાસ થયો છે.

મણિયાર, પ્રિયકાંત
વ્યાસ, જગદીશ છેલશંકર, ૧૯૫૯–
શીર્ષક : કવિશ્રી પ્રિયકાંત મણિયાર - એક અધ્યયન
માર્ગદર્શક : ચંદ્રકાંત શેઠ
ગુજરાત, ૧૯૯૦, પૃ. ૫૧૧
આ મહાનિબંધમાં પ્રિયકાંતની કવિતામાં પ્રગટતી તેમની સર્જકતાની તપાસને કેન્દ્રમાં રાખી શરૂઆતમાં તેમના જીવનસંદર્ભ, તેમના આગમન પહેલાની અર્વાચીન ગુજરાતી કવિતાનો પરિચય આપ્યો છે. ‘પ્રતીક’થી ‘લીલેરો ઢાળ’ સુધીનાં કાવ્યોની તપાસ કરી કવિના સર્જનાત્મક વિકાસની ચર્ચા કરી છે. પ્રિયકાન્તની કવિ તરીકેની વિશેષતાઓ અને મર્યાદાઓ ઉપરાંત પ્રણય, પ્રકૃતિ જીવનનું વાસ્તવ આદિ વિષયના સંદર્ભમાં-ગીત, ગઝલ, સૌનેટ આદિ, સ્વરૂપ પ્રકારોના સંદર્ભમાં અને અલંકાર, કલ્પન, પ્રતીક, છંદોલય આદિ અભિવ્યક્તિસાધક તત્ત્વો અને કાવ્યભાષાના સંદર્ભમાં કવિની વિશેષતાઓ અને મર્યાદાઓનો સમાવેશ કર્યો છે.

મશરૂવાળા, કિશોરલાલ
બલસારી, કેતકી બકુલ, ૧૯૨૬
શીર્ષક : કિશોરલાલ મશરૂવાળા - એક અધ્યયન
મુંબઈ, ૧૯૬૧. પ્રકા. ૧૯૭૦, પૃ. ૩૮૮

ભાવસાર, સુરેશચંદ્ર વિનુભાઈ
શીર્ષક : ‘કિશોરલાલ મશરૂવાળા’
માર્ગદર્શક : બિપીન જે. ઝવેરી
ગુજરાત, ૧૯૭૫, પૃ. ૪૬૦
કિશોરલાલ મશરૂવાળા માત્ર ગુજરાતી સાહિત્યકાર નહોતા, પણ વિચારક બલ્કે ફિલસૂફ હતા. તેઓ મિતભાષી અને સંયત લેખક હતા. અહીં શ્રી મશરૂવાળાના પૂર્વજ, વારસો, તેમની જીવનરેખા, સ્વભાવ અને ટેવો, ચારિત્ર્ય, કેળવણી વિશેનો સઘન અભ્યાસ થયો છે. સાથે તેઓ નીતિશાસ્ત્ર, અનુવાદક, ગાંધીવિચાર ધરાવતા હતા અને તત્ત્વચિંતક પણ હતા. તેમની અપ્રકટ કૃતિઓનો પણ આ મહાનિબંધમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેતા, ચંદ્રવદન ચીમનલાલ
શાહ, નીલા લાલભાઈ, ૧૯૫૫
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ચંદ્રવદન મહેતાનું પ્રદાન
માર્ગદર્શક : મધુસૂદન પારેખ
ગુજરાત, ૧૯૭૯-૮૦

માંકડ, મોહંમદ
ભટ્ટ, રેખાબેન લાભશંકર
શીર્ષક : મોહંમદ માંકડની ટૂંકીવાર્તાઓ : એક અભ્યાસ
માર્ગદર્શક : વિજય શાસ્ત્રી
દક્ષિણ ગુજરાત, ૧૯૯૬
મુખ્યત્વે નવલકથાકાર અને વાર્તાકાર માંકડે લખેલી ટૂંકીવાર્તાઓનો વિષયવસ્તુ સંવિધાન, ટેકનિક, ભાષાશૈલી વગેરે દૃષ્ટિએ સઘન અભ્યાસ કરી સર્જકે સ્વીકારેલા સિદ્ધાંતોને માપદંડરૂપે સ્વીકારી તેની સાથે જ તેમના સર્જનનું નિરપેક્ષ અને તટસ્થ મૂલ્યાંકન કર્યું છે.

મુનશી, કનૈયાલાલ માણેકલાલ
ઠાકોર, રવીન્દ્ર સાકરલાલ, ૧૯૨૮
શીર્ષક : મુનશી - એક નાટ્યકાર
માર્ગદર્શક : રમણલાલ જોશી
ગુજરાત, ૧૯૮૧
આ મહાનિબંધમાં પ્રારંભે મુનશીનો સર્જક તરીકે પરિચય આપી મુનશી પૂર્વેના ગુજરાતી નાટ્યસાહિત્યની ચર્ચા કરી છે. આ પૂર્વભૂમિકા પછી મુનશીનાં સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકોની, તેમની સિદ્ધિ મર્યાદાઓ સાથેની મીમાંસા કરી નાટ્યકાર તરીકે મુનશીનું મૂલ્યાંકન પ્રસ્તુત કર્યું છે.

તોમર, શંકરસિંહ
શીર્ષક : આચાર્ય ચતુરસેન શાસ્ત્રી ઔર કનૈયાલાલ મુનશી કે ઔપન્યાસિક કૃતિત્વ કા તુલનાત્મક અધ્યયન
(હિંદી). આગ્રા, ૧૯૬૮

પટેલ, બાબુભાઈ અંબાલાલ (બાબુ દાવલપુરા) ૧૯૩૦–
શીર્ષક : કનૈયાલાલ મુનશીનાં નાટકો
માર્ગદર્શક : પ્રો. જશવંત શેખડીવાળા, સરદાર પટેલ, ૧૯૮૦
આ મહાનિબંધમાં મુનશીનાં નાટકોનો સમગ્રદર્શી, સાંગોપાંગ અને સવિસ્તર સંશોધનાત્મક અભ્યાસ કરવાનો પ્રયત્ન છે. પ્રકરણ-૧ : ભૂમિકા : મુનશીની મનોભૂમિ અને નાટ્યાભિમુખતા, પ્રકરણ-૨, પૂર્વરંગ : મુનશીની પૂર્વકાલીન અને સમકાલીન નાટ્યપરિસ્થિતિ, પ્રકરણ-૩ : મુનશીના પૌરાણિક અને ઐતિહાસિક નાટકો, પ્રકરણ-૪ નાટ્યકાર મુનશીની સિદ્ધિઓ - સીમાઓ અને ગુજરાતી નાટ્યસાહિત્યમાં તેમનું પ્રદાન. દરેક પ્રકરણને અંતે પાદટીપ આપી છે. અંતિમ પ્રકરણમાં જે તારણો કાઢ્યાં છે તેમાં મુનશીનાં નાટકોને નાટ્યસ્વરૂપનાં લક્ષણોને આધારે મૂલવ્યાં છે. તેમજ મુનશી નાટ્યકાર તરીકે કેટલા સફળ-નિષ્ફળ રહ્યા અને ગુજરાતી નાટ્યસાહિત્યમાં તેમનું પ્રદાન—સ્થાન શું રહ્યું તેની પણ સવિસ્તર ચર્ચા થઈ છે.

વ્યાસ, જયંત અંબાશંકર, ૧૯૪૨-
શીર્ષક : મુનશીની ઐતિહાસિક નવલકથાઓ - સમાલોચના
ગુજરાત, ૧૯૭૨, પ્રકા. ૧૯૭૮, પૃ. ૩૦૬
આ મહાનિબંધમાં ગુજરાતી ઐતિહાસિક નવલકથાની (૧) ભૂમિકા, વ્યાખ્યા, સ્વરૂ૫ (૨) ઐતિહાસિક નવલકથા અને તથ્યો, (૩) ઐતિહાસિક નવલકથામાં વિકૃતિ ને વિપર્યાસ, (૪) મુનશીએ કરેલા ફેરફારો અને મૂળ ઇતિહાસ, (૫) મુનશી ઉપર એલેકઝાન્ડર ડુમા આદિનો પ્રભાવ (૬) મુનશીની કલાના સિદ્ધાંતો (૭) મુનશીની કલાનું પૃથક્કરણ અને મૂલ્યાંકન (૮) નવલકથાઓની સમીક્ષા (૯) મુનશીના સર્જનનું હાર્દ કે રહસ્યનો સમાવેશ થયો છે.

મૂળદાસ
વેગડા, નાથાલાલ એમ.
શીર્ષક : ભક્તકવિ મૂળદાસ : એક અધ્યયન
માર્ગદર્શક : બળવંત એસ. જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૬. પૃષ્ઠ સંખ્યા : ૭૨૫
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ સૌરાષ્ટ્રની સંત પરંપરા જણાવી એમાં મૂળદાસનું સ્થાન આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે મૂળદાસનું જીવનકાર્ય વર્ણવી મૂળદાસની વાણી પાઠભેદ સહિત આલેખી છે. સંશોધકે મૂળદાસનાં પદોને અલગ-અલગ તારવ્યાં છે. જેમાં ગુરુ-સંતના મહિમાનાં પદો, ભક્તિ માર્ગના પદો, જ્ઞાનમાર્ગના પદો, ચેતવણીના પદો, માર્ગી સંપ્રદાય / મહારપંથને લગતાં પદો, અવતાર ચરિત્રનાં પદો, વગેરે પદોનું સુંદર આલેખન કર્યું છે. મહાનિબંધના અંતમાં સંશોધકે મૂળદાસની અભિવ્યક્તિનું સ્વરૂપ આલેખી મહાનિબંધની સમાપ્તિ કરી છે.

મૂલાણી, મૂલશંકર
ભટ્ટ, દિનેશ હરિલાલ
શીર્ષક : મૂળશંકર મણિલાલ મૂલાણીના નાટકો અને ગુજરાતી થિયેટરના વિકાસમાં તેનો ફાળો.
મુંબઈ, ૧૯૬૬

મેકવાન જોસેફ
ચુડાસમા દિનુભાઈ સામતભાઈ
શીર્ષક : જોસેફ મેકવાન : વ્યક્તિત્વ અને વાઙ્મય
માર્ગદર્શક : એન. યુ. ગોહિલ,
સૌરાષ્ટ્ર, ૨૦૦૨

પટેલ, કિરીટ આર.
શીર્ષક : જોસેફ મેકવાનના સાહિત્યમાં સમાજ નિરૂપણ
માર્ગદર્શક : મણિલાલ હ. પટેલ
સરદાર પટેલ, ૧૯૯૯
જોસેફ મેકવાનનો સમાજ, દલિત સાહિત્ય, દલિત સમાજ તથા અન્ય વર્ણોવર્ગોના સંબંધો વગેરેનો વિગતે અભ્યાસ. મેકવાનની તમામ કૃતિઓનો ઝીણવટભર્યો અભ્યાસ આ મહાનિબંધનો વિશેષ છે.

મેઘાણી, ઝવેરચંદ
ઠક્કર, હરિલાલ દયાળજીભાઈ
શીર્ષક : ઝવેરચંદ મેઘાણીનું ગદ્યસાહિત્ય
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ, ગુજરાત, ૧૯૮૭-’૮૮
અગિયાર પ્રકરણો અને ત્રણ પરિશિષ્ટોમાં મેઘાણીના સમગ્ર ગદ્યસાહિત્યની સમીક્ષા આ મહાનિબંધમાં કરવાનો પ્રયાસ. પ્રારંભમાં જીવન અને સર્જનપ્રતિભાનાં ઘડનારાં પરિબળોની ચર્ચા કરી સંશોધકે મેઘાણીની નવલકથાઓ, નવલિકાઓ, જીવનકથાઓ વગેરેની તથા તેમના વિવેચન અને લોકસાહિત્યના સંશોધન-સંપાદનની સમીક્ષા કરી છે. અંતે મેઘાણીની ગદ્યશૈલી તથા અગ્રંથસ્થ ગદ્યસાહિત્યને પણ બે પ્રકરણો ફાળવવામાં આવ્યાં છે.

દેસાઈ, નલિન ધીરજલાલ, ૧૯૪૪–
શીર્ષક : મેઘાણી : લોક-સાહિત્યના સંશોધક અને સંપાદક
માર્ગદર્શક : ભોગીલાલ સાંડેસરા
એમ. એસ. યુનિ. ૧૯૮૪, પૃ. ૩૭૧
આ મહાનિબંધમાં કવિશ્રી મેઘાણીનો મૌલિક-અભ્યાસ અને સંશોધનો તથા તેના સારાંશો, મેઘાણી જીવનરેખા- લૌકસાહિત્યના અનુસંધાનમાં તથા તેમની વિભાવના, સંપાદક લોકકથાના, લોકગીતોના સંપાદકનું વર્ણન કર્યું છે. લોકસાહિત્ય વિશે મેઘાણીની વિવેચના, તેમના અપ્રગટ રાસડાઓ તથા જીવનયાત્રા અને તેમના ગ્રંથોની સૂચિનો સમાવેશ કર્યો છે.

પટેલ, ઊર્મિલાબહેન એચ.
શીર્ષક : મેઘાણીની નવલકથાઓ
માર્ગદર્શક : હસમુખ દોશી
સૌરાષ્ટ્ર, ૧૯૮૭-’૮૮. પૃષ્ઠ સંખ્યા : ૫૦૬
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકશ્રીએ ત્રણ ખંડોમાં વિભાજીત કર્યો છે. જેમાં પ્રથમખંડમાં ગાંધીયુગની ગુજરાતી નવલકથા અને મેઘાણીના જીવનની ટૂંકી રૂપરેખા આલેખી છે. ખંડ-૨માં સંશોધકે નવલકથાકાર મેઘાણીની વાત કરી છે જેમાં મેઘાણીની સામાજિક નવલકથા, સમયલક્ષી અને પ્રાદેશિક નવલકથા, લોકકથા આધારિત અને ઐતિહાસિક નવલકથા અને છેલ્લે રૂપાંતરીત નવલકથા આમ વિવિધ પ્રકારની નવલકથાઓની વાત કરી છે. ખંડ-૩માં સંશોધકે નવલકથાકાર મેઘાણીને સમગ્રદૃષ્ટિએ મૂલવ્યા છે અને ગુજરાતી નવલકથા સાહિત્યમાં મેઘાણીનું સ્થાન વર્ણવ્યું છે. મહાનિબંધના અંતમાં સંશોધકે પરિશિષ્ટ વિભાગમાં મેઘાણીની વિવિધ પ્રકારની નવલકથાઓ આલેખી છે.

સરડવા, બાલુભાઈ ચકુભાઈ
શીર્ષક : ઝવેરચંદ મેઘાણીના કથાસાહિત્યમાં થયેલું તળપદ સૌરાષ્ટ્રી સંસ્કારીતા અને પરિવેશનું નિરૂપણ - એક સાહિત્યિક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૯૪-’૯૫. પૃષ્ઠ સંખ્યા : ૪૦૨
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ અને સાહિત્ય વચ્ચેનો આંતર સંબંધ જણાવી કથાસાહિત્યમાં સંસ્કૃતિ સંદર્ભ અને તેની કલાત્મકતા આલેખી છે. ત્યારબાદ સંશોધકે મેઘાણીનું વાઙ્મય વ્યક્તિત્વ અને મેઘાણીના અનુભૂતિ વિશ્વનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે સૌરાષ્ટ્રીય સંસ્કાર પરિવેશના સંદર્ભમાં મેઘાણીની ટૂંકીવાર્તા અને નવલકથાનું આલેખન કર્યું છે. અને સાહિત્યિકતાની દૃષ્ટિએ મેઘાણીના કથાસાહિત્યમાં જોવા મળતું સંસ્કાર પરિવેશનું આલેખન કર્યું છે. અંતમાં સંશોધકે મેઘાણીનાં પરિવાર સહિતની તસ્વીરો તથા મેઘાણીના હસ્તાક્ષર આલેખ્યા છે.

મહેતા, રસિકલાલ લાલચંદ
શીર્ષક : સર્જક ઝવેરચંદ મેઘાણી - સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : ૨મેશ શુક્લ
સોરાષ્ટ્ર, ૧૯૮૭-’૮૭. પૃષ્ઠ સંખ્યા : ૩૫૮
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે મેઘાણીનાં સાહિત્ય સર્જનનાં પ્રેરક બળો એટલે કે મેઘાણીના સાહિત્યમાં કુટુંબ, શાળા, ગુરુજી, પર્યટન, અખબાર વગેરેનો ફાળો રજૂ કર્યો છે. સંશોધકે મેઘાણીનાં સમગ્ર સાહિત્યનો ક્રમાનુસાર વિકાસ આલેખ્યો છે. જેમાં - કવિ મેઘાણી, નવલકથાકાર મેઘાણી, ચરિત્રકાર મેઘાણી, નાટ્યકાર મેઘાણી વગેરેનું આલેખન કર્યું છે. કવિ મેઘાણીમાં મેઘાણીની કવિતાનું મૂલ્યાંકન કર્યું છે. નવલકથાકાર મેઘાણીમાં મેઘાણીની સફળ નવલકથાઓ આલેખી છે. નવલિકાકાર મેઘાણીમાં મેઘાણીની નવલિકાઓનું સુંદર આલેખન કર્યું છે. અને નાટ્યકાર મેઘાણીમાં મેઘાણીના નાટકો રજૂ કર્યા છે. મહાનિબંધનાં અંતે મેઘાણીનું ગુજરાતી સાહિત્યને પ્રદાન આલેખી ઉપસંહાર રજૂ કરી મહાનિબંધની સમાપ્તિ કરી છે.

મોરાર સાહેબ
ગોધાવિયા, મનહરબેન એન.
શીર્ષક : મોરાર સાહેબ : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : હિમાંશુ દામોદર ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૧૯૯૬. પૃષ્ઠ : ૩૨૩
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકશ્રીએ મોરાર સાહેબનું વ્યક્તિત્વ આલેખ્યું છે અને મોરાર સાહેબનું દીર્ઘરચનાઓ સહિતનું કવન આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે મોરાર સાહેબનાં પદોમાં જોવા મળતું સ્વરૂપ વૈવિધ્ય અને પ્રકાર વૈવિધ્યનું સુંદર આલેખન કર્યું છે. પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે મોરારસાહેબના કવનનો કલાપક્ષ આલેખીને કવનમાં જોવા મળતી ભક્તિધારાને આલેખી છે. ત્યારબાદ સંશોધકે જ્ઞાનમાર્ગી કવિતાની ભૂમિકા બાંધી સંતવરનો પત્રાચાર આલેખ્યો છે. મહાનિબંધના અંતે સંશોધકે મોરારસાહેબના શિષ્યમંડળનો ટૂંકમાં પરિચય આપી મહાનિબંધની સમાપ્તિ કરી છે.

યોગીબાપા
કક્કડ, રેખાબહેન એસ.
શીર્ષક : યોગીબાપા (સ્વામી જ્ઞાનજીવન દાસજી)નું વ્યક્તિત્વ અને વાઙ્મય તથા તેમના વિશે રચાયેલું સ્વામીનારાયણ સંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૯૩-’૯૪, પૃષ્ઠ સંખ્યા : ૪૪૬
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ સ્વામીનારાયણ સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાયનું સાહિત્ય અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં યોગીબાપાનું વ્યક્તિત્વ અને યોગીબાપાનો વાઙ્મય વિચાર રજૂ કર્યો છે, ત્યારબાદ સંશોધકે યોગીજી મહારાજ લિખિત સાહિત્ય આલેખી અને સાહિત્યમાં પ્રગટતો ધર્મતત્ત્વવિચાર આલેખ્યો છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે યોગીબાપા વિશેનું સાહિત્ય આલેખ્યું છે જેમાં પદ્ય-ગદ્યની વાત આલેખી છે.

રવિસાહેબ
માકડીયા, હંસાબેન એન.
શીર્ષક : રવિસાહેબ : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : પ્રભાશંકર તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૨-’૯૩. પૃષ્ઠ સંખ્યા : ૫૧૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે રવિસાહેબની સમકાલીન પરિસ્થિતિ વર્ણવી છે. અને રવિભાણ સંપ્રદાયની ઉત્પત્તિ ક્યારથી થઈ અને તેનો પ્રસાર કેવી રીતે થયો તેની વાત સંશોધકે આલેખી છે. ત્યારબાદ સંશોધકે રવિસાહેબનું જીવનવૃત્તાંત આલેખ્યું છે. સંશોધકે રવિસાહેબનાં સંતસમાગમ તથા શિષ્યમંડળને વિગતે વર્ણવી રવિસાહેબને મધ્યકાલીન સંતો તથા અર્વાચીન વિદ્વાનોની દૃષ્ટિએ મૂલવ્યા છે. ત્યારબાદ સંશોધકે રવિસાહેબના કવનનું ત્રણ ભાગોમાં વિભાજન કર્યું છે. જેમાં પ્રથમ ભાગમાં રવિ સાહેબનું ગ્રંથ સ્વરૂપ અને દીર્ઘરચનાઓ આલેખી છે. ભાગ-૨માં રવિસાહેબના પદો આલેખ્યાં છે. ભાગ-૩માં રવિસાહેબના વિશિષ્ટ મુદ્દાઓ જેમાં જ્ઞાનાશ્રયી ભક્તિ અને આશ્રયી કવનની વાત આલેખી છે.

રાજચંદ્ર, શ્રીમદ્
શેઠ, સરયુ ભોગીલાલ
શીર્ષક : શ્રીમદ્ રાજચંદ્ર : એક અધ્યયન
માર્ગદર્શક : રમણલાલ ચી. શાહ
મુંબઈ, ૧૯૬૫. પ્રકા : ‘શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ’ ૧૯૭૦.
(નોંધ : લગ્ન પછીનું નામ એસ. આર. મહેતા.)

ઝવેરી, રાકેશ
શીર્ષક : શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ : એક અધ્યયન,
મુંબઈ, ૧૯૯૭

સ્વામી, તરુલતાબાઈ
શીર્ષક : સંત કબીર, બનારસીદાસ, આનંદઘન ઔર શ્રીમદ્ રાજચંદ્ર કા તુલનાત્મક અધ્યયન
(હિંદી). મુંબઈ, ૧૯૭૭

શર્મા ભગવતીકુમાર
કાલાવાડિયા મહેન્દ્રકુમાર જી.
શીર્ષક : નવલકથાકાર ભગવતીકુમાર શર્મા : સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : મનોજ. બી. રાવલ
સૌરાષ્ટ્ર, ૨૦૦૧

ગાંધી, ઋજુતા ચંપકલાલ
શીર્ષક : ભગવતીકુમાર શર્માની સાહિત્ય સૃષ્ટિ
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ,
સરદાર પટેલ, ૧૯૯૬, પ્રકા. ૧૯૯૯
આઠ પ્રકરણો અને ચાર પરિશિષ્ટો ધરાવતા આ પુસ્તકની કિંમત છે ૧૨૦ રૂપિયા. પ્રકાશક છે પોપ્યુલર પ્રકાશન, સૂરત. ભગવતીકુમારની સર્જકતાનો પરિચય કરાવતો ગ્રંથ

પટેલ, વ્રજેશ આઈ.
શીર્ષક : ભગવતીકુમાર શર્મા : વાઙ્મય અને વ્યક્તિત્વ
ગુજરાત, ૧૯૯૮
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ

પટેલ બબાભાઈ એસ.
શીર્ષક : ભગવતીકુમાર શર્માના કથાસાહિત્યમાં આધુનિક યુગચેતના
ઉ.ગુ.યુનિ. ૨૦૦૨,
માર્ગદર્શક : હાસ્યદા પંડ્યા

શિવદાસ
શાહ, પ્રવીણ અમૃતલાલ, ૧૯૩૨-
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં કામાવતીની કથાનો વિકાસ અને શિવદાસની ‘કામાવતીની વાર્તા’ની અધિકૃત વાચના,
માર્ગદર્શક : ડૉ. શિવલાલ જેસલપુરા
ગુજરાત, ૧૯૭૪, પૃ. ૨૭૯+૨૮૪ પ્રકા. ‘કામાવતીની કથાનો વિકાસ’ ખં-૧ અને કવિ શિવદાસકૃત ‘કામાવતીની વાતો’ ખં-૨, ૧૯૭૬, પૃ. ૩૭૬
કવિ શિવદાસની કામાવતીની કથા તત્કાલીન જમાનાની અતિ લોકપ્રિય કથા છે. ગુજરાતી સાહિત્યમાં કામાવતીની કથાના વિકાસની પ્રસ્તાવના રજૂ કરી કામાવતીની કથાનો–એના નાયક-નાયિકાના ત્રણ અવતારોનો ટૂંકો સાર રજૂ કર્યો છે. કામાવતીની કથાના ઘટકો અને તેને લગતી કથાકૃતિઓ કામાવતીની કથાનો વિકાસ અને વિચારણા પ્રથમ વિભાગમાં રજૂ કરી છે. બીજા વિભાગમાં કવિ શિવદાસ — તેમનું જીવન અને કવન, શિવદાસની કામાવતીની વાર્તાની અધિકૃતવાચના - હસ્તપ્રત પરિચય અને સંપાદન પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

શાસ્ત્રી, વ્રજલાલ કાલિદાસ
પંડ્યા, વિનોદભાઈ અંબાલાલ, ૧૯૩૮-
શીર્ષક : વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી (ઈ. સ. ૧૮૨૫-૧૮૮૨)
માર્ગદર્શક : ડૉ. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ, ૧૯૮૭
ભારતમાં અંગ્રેજ અમલ દરમિયાન આવેલા સંક્રાંતિકાળમાં ગુજરાતી ભાષા, ઐતિહાસિક સંશોધન, કેળવણી, સંસારસુધારો, સર્જનાત્મક સાહિત્ય, દર્શન શાસ્ત્ર, સાહિત્ય વિવેચન, પત્રકારત્વ, શબ્દકોશ વગેરે વિષયમાં મહત્ત્વનું પ્રદાન કરનાર વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીના જીવન અને કાર્યનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન આ મહાનિબંધમાં કરવામાં આવ્યો છે.

શાહ, ફૂલચંદ ઝવેરચંદ
પટેલ, રાવજીભાઈ હિરાભાઈ
શીર્ષક : કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ ઝ. શાહ: એમનું ગુજરાતી રંગભૂમિના સાહિત્યમાં પ્રદાન
માર્ગદર્શક : ધર્મેન્દ્ર મ. માસ્તર
ગુજરાત, ૧૯૮૫, પૃ. ૪૯૫
આ મહાનિબંધ બે ખંડમાં વહેંચાયેલ છે. પ્રથમ ખંડમાં ગુજરાતી રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા, કવિચિત્રકારની સમકાલીન પરિસ્થિતિ અને યુગ પરિબળો, કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ મુ. શાહનો જીવન પરિચય અને તેમના જીવન અને સાહિત્યઘડતરનાં પ્રેરકબળોનો અભ્યાસ થયો છે. બીજા ખંડમાં કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ શાહનાં સાહિત્ય સર્જનનો સમયક્રમાનુસાર સમગ્રતયા પરિચય, તેમનું પ્રકારલક્ષી સાહિત્ય સર્જન, નાટ્ય કલા, કાવ્ય કલા, આખ્યાનકલા, પ્રકીર્ણ સર્જન અને તેનું વિવેચન, કવિ ચિત્રકારનું અપ્રગટ સાહિત્ય અને તેની સમગ્રતયા વ્યાવર્તક વિશિષ્ટતાઓ તેમજ કવિચિત્રકાર ફૂલચંદ શાહનું ગુજરાતી રંગભૂમિના સાહિત્યમાં પ્રદાનના અભ્યાસને આવરી લેવાયો છે.

શાહ, વાડીલાલ મોતીલાલ
પંડ્યા, સુધા નિરંજન, ૧૯૪૬–
શીર્ષક : વાડીલાલ મોતીલાલ શાહનું જીવન અને સાહિત્ય : અભ્યાસ
માર્ગદર્શક : રણજિતભાઈ એમ. પટેલ ‘અનામી’
એમ. એસ. યુનિ. ૧૯૭૮. પૃ. ૬૯૧
આ મહાનિબંધમાં વાડીલાલના જીવનની પૂર્વભૂમિકા : જીવન તથા પત્રકારત્વ, સંસાર-સુધારક તરીકેનું તેમનું યોગદાન, ગદ્યકાર, વિવેચક અને તત્ત્વજ્ઞ તરીકે વાડીલાલનો અભ્યાસ કરી તેમનું મૂલ્યાંકન કર્યું છે.

સાધક પૂ. પ્રભુશ્રી
શેઠ ગુલાબબહેન એન.
શીર્ષક : સાધક શ્રી પ્રભુશ્રીનું જીવન અને કવન (એક સંશોધનાત્મક અભ્યાસ)
માર્ગદર્શન : હિમાંશુ ભટ્ટ, સૌરાષ્ટ્ર, ૨૦૦૧

શ્રીધરાણી, કૃષ્ણલાલ
પારેખ, રમેશચંદ્ર રમણલાલ (તૃષિત પારેખ), ૧૯૪૫–
શીર્ષક : શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો
માર્ગદર્શક : જયંત ગાડીત
સરદાર પટેલ, ૧૯૮૫, પૃ. ૩૨૬
શ્રીધરાણીની સાહિત્યસેવાના ત્રણ મુખ્ય ક્ષેત્રો-કવિતા, નાટક અને પત્રકારત્વ પૈકી પ્રથમ બેને આધારે શ્રીધરાણીના સર્જનની સમીક્ષા કરવાનો ઉપક્રમ. શ્રીધરાણીની કવિતાના બે તબક્કાઓની વિસ્તૃત તપાસને અંતે અને નાટકોની છણાવટ પછી સંશોધકે શ્રીધરાણીના કવિતા-નાટક ક્ષેત્રના પ્રદાનને મૂલવવાનો પ્રયાસ કર્યો છે.

સાગર
જુઓ. ત્રિપાઠી, જગન્નાથ દામોદર

સુન્દરમ્
જોશી, રજનીકાંત પી., ૧૯૩૮
શીર્ષક : પન્ત ઔર સુંદરમ્ : તુલનાત્મક અધ્યયન. ગુજરાત, ૧૯૭૬

ત્રિવેદી, નયના હરિપ્રસાદ
શીર્ષક : સુંદરમ્ની ટૂંકીવાર્તાઓ : એક અભ્યાસ,
માર્ગદર્શક : જયંત વ્યાસ
ભાવનગર, ૧૯૮૮

પાણ્ડેય, પુષ્પા
શીર્ષક : પંત ઔર સુંદરમ્ કે કાવ્ય પર અરવિંદ દર્શન કે પ્રભાવ કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), ગુજરાત, ૧૯૮૪-૮૫

વ્યાસ, કુમનલાલ
શીર્ષક : શ્રી અરવિંદ દર્શન ઔર ઉસકા પન્ત એવં સુન્દરમ્ પર પ્રભાવ.
(હિંદી) ઓસ્માનિયા, ૧૯૮૬

સ્નેહરશ્મિ
દવે, છાયા પ્રહલાદરાય
શીર્ષક : કવિ સ્નેહરશ્મિ : એક અધ્યયન
માર્ગદર્શક : જયંત વ્યાસ, ભાવનગર, ૧૯૯૦-૯૧
મહાનિબંધના ચાર પ્રકરણમાંથી પ્રકરણ ‘હાઈકુરશ્મિ’નાં ‘વરેણ્યભર્ગ’ પ્રકાશિત કર્યું છે અને શીર્ષક રાખ્યું છે - કવિ સ્નેહરશ્મિ : એક અધ્યયન, ઈ. ૧૯૯૮, પૃ. ૧૫૪

પંડ્યા, અનુપમા કાંતિલાલ
શીર્ષક : સ્નેહરશ્મિનું સાહિત્ય સર્જન-એક અધ્યયન
માર્ગદર્શક : હેમંત દેસાઈ
સૌરાષ્ટ્ર, ૧૯૯૬. પૃષ્ઠ સંખ્યા : ૪૦૯
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે સાત પ્રકરણોમાં વિભાજીત કર્યો છે. પ્રથમ પ્રકરણમાં સંશોધકે સ્નેહરશ્મિને ગાંધીયુગના સર્જક તરીકે આલેખી સ્નેહરશ્મિનું જીવન અને સાહિત્ય સર્જન આલેખ્યું છે. પ્રકરણ-૨માં સર્જકનું કવિતા સાહિત્ય આલેખ્યું છે. જેમાં કાવ્યસંગ્રહ - ‘અર્ધ્ય’, ‘પનઘટ’ ઉપરાંત નવતર પ્રયોગો રૂપી ‘નિજલીલા’ નવતર પ્રયોગો આપ્યા છે અને બાળકાવ્યોના બે સંગ્રહો આલેખી સ્નેહરશ્મિના કાવ્યનો સમગ્રદર્શી મૂલ્યાંકન કર્યું છે. પ્રકરણ-૩માં સંશોધકે સ્નેહરશ્મિનું નવલિકા સાહિત્ય આલેખ્યું છે. જેમાં પ્રારંભના બે વાર્તા સંગ્રહો ઉપરાંત પરંપરાગત બીજી થોડીક વાર્તાના રૂપમાં ‘સ્વર્ગ અને પૃથ્વી’ અને નવતર પ્રયોગશીલ વાર્તામાં ‘હીરાના લટકણીયા’નું આલેખન કર્યું છે અને સ્નેહરશ્મિની વાર્તાનું સમગ્રદર્શી મૂલ્યાંકન કર્યું છે. પ્રકરણ-૪માં સંશોધકે સ્નેહરશ્મિની નવલકથા ‘અંતરપટ’નું મૂલ્યાંકન કર્યું છે. જેમાં નવલકથાનું કથાવસ્તુ, વિશિષ્ટ પ્રણય ત્રિકોણ અને નવલકથાની સિદ્ધિ-મર્યાદાનું સરસ આલેખન કર્યું છે.

પટેલ, જગદીશ ચતુરભાઈ
શીર્ષક : સ્નેહરશ્મિ : એક અધ્યયન
માર્ગદર્શક : હસમુખ પટેલ “શૂન્યમ્”
દક્ષિણ ગુજરાત, ૧૯૯૬

સ્વામી, આનંદ
કાપડિયા, પ્રવિણચંદ્ર ધનજીભાઈ
શીર્ષક : સ્વામી આનંદ : એક અધ્યયન
માર્ગદર્શક : હરીશ એ. વ્યાસ
ગુજરાત, ૧૯૮૯, પૃષ્ઠ સંખ્યા - ૨૩૭
સ્વામી આનંદ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સૌરમંડળનું નક્ષત્ર અને અદ્વિતીય વિભૂતિ હતા. તેઓ પરિવારપ્રેમી, પ્રવાસપ્રેમી અને પ્રવૃત્તિના ઉપાસક હતા. તેમના શિક્ષણકાળમાં તેજસ્વી વિદ્યાર્થી, ગૃહસ્થી તેમજ સંન્યાસી હતા. લિપ્ત છતાં અલિપ્ત - નિવાસી છતાં યુક્ત, કુટુંબભક્ત અને દેશભક્ત તરીકેનો પરિચય આપી તેના વિશાળ વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. તદ્ઉપરાંત સ્વામી આનંદનું જીવન કાર્ય, પ્રેરણાઓ સર્જન તેમજ તેમની રચનાત્મક પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોશી, બકુલાબેન લાભશંકર
શીર્ષક : સ્વામી આનંદ : વ્યક્તિત્વ અને વાઙ્મય એક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર. ૧૯૮૬. પૃષ્ટ સંખ્યા : ૪૧૪
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ સ્વામી આનંદના વ્યક્તિત્વ એટલે ઓજસ્વી આદમિયતની આભાને રજૂ કરી સ્વામી આનંદમાં જોવા મળતા ગાંધીવિચાર દર્શન રજૂ કર્યા છે. સ્વામી આનંદની ધર્મતત્ત્વ વિચારણા આલેખીને સ્વામી આનંદને માનવતાવાદી, પરિવ્રાજક રૂપે આલેખ્યા છે. ત્યારબાદ સ્વામી આનંદનું સાહિત્ય સર્જન જેમાં - ચરિત્ર નિબંધકાર સ્વામી આનંદ, તેમનું વિવિધ સાહિત્ય પ્રકારોમાં પ્રદાન, સ્વામી આનંદનું સર્જનાત્મક ગદ્ય, સમર્થ ગદ્યશૈલીકાર સ્વામી આનંદ, સ્વામી આનંદની પ્રકીર્ણ વિચારણા વગેરે રજૂ કરી છે. મહાનિબંધના અંતે પરિશિષ્ટમાં સ્વામી આનંદની હસ્તાક્ષરવાળી તસ્વીરો આલેખી છે.

પટેલિયા, સિલાસ યાકુબ, ૧૯૫૬–
શીર્ષક : સ્વામી આનંદનું જીવન અને સાહિત્ય : એક અધ્યયન
સરદાર પટેલ, ૧૯૯૦
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ
આ મહાનિબંધમાં સ્વામી આનંદના જીવન અને સાહિત્યનો અભ્યાસ થયો છે. પ્રથમ પ્રકરણમાં સ્વામીના જીવન અંગે પરિચય કરાવ્યો છે. બીજા પ્રકરણમાં સ્વામી આનંદના સમસ્ત જીવનરંગને ઘડનારાં પરિબળો - મિત્રો - સંસ્થાઓ - સાધુઓની ચર્ચા કરી છે. ત્રીજા પ્રકરણમાં સ્વામી આનંદની સમગ્ર વિચારસૃષ્ટિને મૂલવવાનો પ્રયાસ કર્યો છે. ચોથા પ્રકરણમાં સ્વામી આનંદના રેખાચિત્રોની આસ્વાદલક્ષી ચર્ચા છે. પાંચમા પ્રકરણમાં સ્વામીની આત્મકથાનું મૂલ્યાંકન કરીને ગુજરાતી આત્મકથા વિકાસની દૃષ્ટિએ તેનું સ્થાન તપાસ્યું છે. છઠ્ઠા પ્રકરણમાં સ્વામીના બે પ્રવાસગ્રંથો મૂલવીને ગુજરાતી પ્રવાસસાહિત્યમાં તેનું મૂલ્ય શું તેની વાત કરી છે. સાતમા પ્રકરણમાં સ્વામી આનંદના ગદ્યની સર્વગ્રાહી તપાસ છે. આઠમા પ્રકરણમાં સ્વામીની અનુવાદક તરીકેની વિશિષ્ટતા ચર્ચી છે. તેમણે કરેલા ભાવાનુવાદના ઉદાહરણો લઈને પ્રકરણ-૯માં સ્વામીના સાહિત્યમાંથી પ્રગટતા કટાક્ષ વિશે અને તેમની એક અનોખી કવિતા વિશે ચર્ચા કરી છે. દસમા પ્રકરણ ઉપસંહારમાં તેમના સમગ્ર સાહિત્યમાંથી તારણો કાઢી ગુજરાતી સાહિત્યમાં સ્વામી આનંદના સ્થાનનું મૂલ્યાંકન કર્યું છે.

હરદાસ મિસણ
રોહડિયા, અંબાદાન ખીમરાજભાઈ
શીર્ષક : હરદાસ મિસણ : એક અધ્યયન
માર્ગદર્શક : બળવંત એસ. જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧. પૃષ્ઠ સંખ્યા : ૪૬૫
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકશ્રીએ ચાર ખંડમાં વિભાજીત કર્યો છે. તેના પ્રથમખંડમાં કવિશ્રી હરદાસ મિસણની જ્ઞાતિ વિશે પુરાવા સહિત આલેખન કરી કવિશ્રી હરદાસનું જીવન આલેખ્યું છે અને કવિશ્રીનું મિસણની વંશાવળી આલેખી તેના સમય અંગેની વાત કરી છે. ત્યારબાદ કવિશ્રી સાહિત્યિક પ્રદાન આલેખ્યું છે. જેમાં ‘જાલંધર પુરાણનું સમગ્રદક્ષી મુલ્યાંકન’, ‘ભૃંગી પુરાણ’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન ‘સભાપર્વ’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરી કવિશ્રીની કવિપ્રતિમા આલેખી છે. ખંડ-૩માં સંશોધકે કવિશ્રીની ભક્તિમૂલક અને ઇતિહાસમૂલક લઘુકાવ્યકૃતિનું અધ્યયન આલેખ્યું છે અને કવિશ્રીની ભક્તિમૂલક અને ઇતિહાસ વિષયક લઘુકાવ્યકૃતિમાંથી પ્રગટતી કવિપ્રતિભા આલેખી છે. ખંડ ૪માં કવિશ્રીનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કર્યું છે.