સંચયન-૭૦: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 386: Line 386:
{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 16 Vav 0 version 2.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small></small><br><small></small> | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 16 Vav 0 version 2.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small></small><br><small></small> | capalign = center  | alt      = }}


<big><big>{{color|#DC143C|વાવ}}</big></big>
<big><big>{{color|#DC143C|વાવ}}</big></big><br>
<center>{{color|#00008B|રામ મોરી}}
{{color|#00008B|રામ મોરી}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 436: Line 436:
“જો જો બાવલી... કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હીબકાંનો અવાજ એકદમથી વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઊડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું... આ બાઈને ક્યાંક મેં તો જોઈ જ છે... એ હજુ વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું જ સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું...
“જો જો બાવલી... કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હીબકાંનો અવાજ એકદમથી વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઊડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું... આ બાઈને ક્યાંક મેં તો જોઈ જ છે... એ હજુ વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું જ સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું...
....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી,
....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી,
“સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે
એ આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...!
{{Poem2Close}}
{{Block center|<poem>“સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે

આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...!</poem>}}
{{Poem2Open}}
એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર ન રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી,
એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર ન રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી,
આ તો હું જ સવ.....
આ તો હું જ સવ.....
Line 442: Line 445:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|‘મહોતું’ વાર્તાસંગ્રહમાંથી}}
{{right|‘મહોતું’ વાર્તાસંગ્રહમાંથી}}
<br>
[[File:Sanchayan 12 - Image 17.jpg|500px|center]]
{{center|“માતા અને પુત્રની અમિટ રાહ”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<br>
[[File:Sanchayan 12 - Image 18.jpg|500px|center]]
{{center|“ગ્રામકન્યા” ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”}}
<br>
[[File:Sanchayan 12 - Image 19.jpg|500px|center]]
{{center|“વાટમાં વાતોના વંટોળે”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
== ॥ વિવેચન॥ ==
<br>{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 20 Kavi Kant.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small>કવિ કાન્ત</small><br><small>જન્મઃ ૨૦ નવેમ્બર ૧૮૬૭</small><br><small>મૃત્યુઃ ૧૬ જૂન, ૧૯૨૩ </small>| capalign = center  | alt      = }}
<br>{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 21 Bhruguray Anjariya.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small>ભૃગુરાય અંજારિયા</small><br><small>જન્મઃ ૬ ઓક્ટોબર, ૧૯૧૩</small><br><small>મૃત્યુઃ ૭ જુલાઈ, ૧૯૮૦</small> | capalign = center  | alt      = }}
<big><big>{{color|#DC143C|કાન્ત અને તેમની કવિપ્રતિભા.....}}</big></big><br>
{{color|#00008B|
ભૃગુરાય અંજારિયા}}
{{Poem2Open}}
ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રમાં આમ તો મણિશંકરે અનેક પ્રવૃત્તિ કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ, ગુજરાતના એક મહાન સ્વપ્નદૃષ્ટા ત્રિભુવનદાસ ગજ્જરના સમર્થ સાથી તરીકે, અને વડોદરાના કલાભવનની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે, શિક્ષણના ક્ષેત્રમાં તેમણે ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ દીપાવ્યું; તેને પરિણામે, એક તો ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવો ઉત્તમ ગ્રંથ રચાયો, અને બીજું, તેમણે પોતાની નીચે તાલીમ લઈ રહેલા શિક્ષકો ઉપર આજીવન અસર રહે તેવો ઘેરો પ્રભાવ પાડ્યો. સ્વ. કરુણાશંકર માસ્તર જેવા આદર્શ શિક્ષકો ગુજરાતને એ રીતે મળ્યા.
ઉપરાંત, મણિશંકરે સંવાદો લખ્યા, નાટકો લખ્યાં, ગ્યોઈટે અને સ્વીડનબૉર્ગના અનુવાદો કર્યા, નાનકડી નવલકથાઓ લખી, અને જોકે કલાપીના પત્રોની જેમ તેમના પત્રોની સામગ્રી એકત્રિત રૂપે પૂરેપૂરી છપાઈ નથી, તોપણ એ સામગ્રીમાં પણ તેમણે પોતાના હૃદયનો વૈભવ ઠાલવ્યો છે એ તો જાણીતું છે.
વળી, જે યુગમાં વકતૃત્વકળા સોળે કળાએ ખીલી હતી, અને જ્યારે એ કલાનું ધોરણ ઘણું ઊંચું હતું, ત્યારે પણ ગાંધીજીના ‘નવજીવન’ને અંજલિ આપવી પડે એવું મણિશંકરના વકતૃત્વનું વશીકરણ હતું.
આ બધી સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ આવે પ્રસંગે સહજ રીતે યાદ આવે એ સ્વાભાવિક છે, પણ જન્મશતાબ્દીના ઉત્સવનું મુખ્ય નિમિત્ત એ તો કાન્તે અર્વાચીન ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં કરેલું વિશિષ્ટ પદાર્પણ છે. તો પછી, આજે શતાબ્દીદિને, આપણે એમની કવિતા ઉપર નજર ઠેરવીએ એ ઉચિત ગણાશે.
કાન્તના કવિમિત્ર અને સહાધ્યાયી સ્વ. પ્રો. બલવંતરાય ઠાકોરે પોતાને માટે નોંધ્યું છે કે એમને કવિતાને લગતા કોઈ સંસ્કારો બચપણથી કે વાતાવરણથી મળ્યા નહોતા, આથી ઊલટું, પ્રશ્નોરા જ્ઞાતિમાં જન્મેલા કાન્તને વારસાથી અને વાતાવરણથી છંદોલીલા કરવી સહજ હતી. હાઇસ્કૂલમાં ભણતા ચૌદ વરસની ઉંમરના કિશોર કાન્ત પોતે કવિતા કરે છે ત્યારે ભાષા બરોબર નથી આવતી, કારણ કે કલ્પના પણ જોઈએ તેવી નથી આવતી-એમ મૂંઝાય છે, અને ‘ખળખળ કરતું જળશિશું રમતું’ જેવી પંક્તિઓ રચી શકે છે, એમ એમના એક સ્વજનનું તે સમયનું સ્મરણ મળે છે. એ પછી, પંદર-સોળમે વર્ષે, મૅટ્રિક થયા પહેલાં જ, કાન્ત ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ એ નામની, છંદોનું મિશ્રણ ધરાવતી વાર્તાની ચોપડી, મણિશંકર રત્નજી ચામુંડકરના નામથી છપાવવાનું સાહસ પણ કરે છે! કેવા છે એમાંના છંદો?  એક નમૂનો આ રહ્યોઃ
{{Poem2Close}}
{{Block center|<poem>અરે મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર,

જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>}}
{{Poem2Open}}
‘દલપત પ્રાસે વ્હાય’ એ આક્ષેપને યાદ આપતી આ પંક્તિ બતાવે છે કે હજી સ્વાભાવિક રીતે જ કિશોર કાન્ત દલપતયુગના પ્રભાવે નીચે છે. પણ આ ચોપડી વીગતે જોતાં એટલી ખાતરી તો થાય છે કે કાન્તનો હાથ અનેક છંદો ઉપર બેસી ગયો છે, અને એ છંદોમાં પૃથ્વી છંદ પણ મળે છે.
આ પછી આપણને કાન્તની આ ઉંમરની કવિતાની ગતિ આટલી સ્પષ્ટતાથી જોવા મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે કાન્ત ૧૮૮૪માં રાજકોટથી મૅટ્રિક પાસ કરી મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાય છે ત્યારે જ એમની કવિતાની અભિરુચિ સાચી દિશામાં કેળવાય એવા સંજોગો એમને પ્રાપ્ત થાય છે.
અનેક પ્રકારા છંદોમાં અનેક વિષયો પર જે કાંઈ લખાય તે બધું જ કાવ્ય; શબ્દના વિવિધ અર્થની રમત અને પ્રાસની ચાતુરી એટલે પણ કાવ્ય-આવી માન્યતાથી રચાતી દલપતયુગની કવિતાનો યુગ ઝડપથી અસ્ત પામતો હતો. પણ કોઈપણ કાવ્યયુગ ગમે તેટલો જીર્ણ અને મૃતપ્રાય હોય, નવાં પરિબળો વિના એ અસ્ત પામતો નથી. કાન્તને અને તેમના પહેલાંના નવોદિત કવિઓને આ નવાં પરિબળોનો લાભ યુનિવર્સિટીના અધ્યયનથી મળ્યો હતો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના પૌત્ર જ કવિતા શીખવે; પાલગ્રેવની ‘Golden Treas-ury’નાં જ કાવ્યો નહીં પણ અનેક અંગ્રેજી કવિઓના કાવ્યસંગ્રહો વંચાય અને ચર્ચાય; અંગ્રેજી વિવેચકોની કાવ્યભાવનાના સિદ્ધાંતોની ચર્ચા થાય, તે સમયના કૉલેજના ખૂબ જ નાના વર્ગોમાં વિકટોરિઅન યુગના ગંભીર અને કર્તવ્યનિષ્ઠ અંગ્રેજી પ્રોફેસરો હોશિયાર વિદ્યાર્થીઓને અંગત માર્ગદર્શન આપે- આવું વાતાવરણ યુનિવર્સિટીનું શિક્ષણ લેતા તરુણ કવિઓની અભિરુચિને દલપત-નર્મદયુગથી આગળ લઈ જવામાં ખૂબ જ ઉપકારક નિવડ્યું.
આ નવીન અભિરુચિનાં પહેલાં કિરણો આપણે નરસિંહરાવમાં જોઈએ છીએ. નરસિંહરાવ નાનપણમાં દલપતરામ પાસે, ભણેલા, પણ એમની ‘કુસુમમાળા’માં અંગ્રેજી કવિતાની અસર સ્પષ્ટ જોવા મળે છે. એટલું જ નહીં, એ સમયે તેમણે ‘એક ચિત્ર જોઈને સૂઝેલા વિચારો’ નામનો લેખ લખ્યો તેમાં ત્યાર સુધીની કવિતા ઉપર ટકોર કરી છે.
કાન્તને ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા તો જન્મથી જ મળી હતી, પણ એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રોત્સાહક વાતાવરણમાં પોતાની અત્યાર સુધીની કવિતા તરફ કડક આત્મપરીક્ષણ શરૂ થાય છે. પોતે કવિ તરીકે નામ કાઢશે એવી તમન્ના જ નહીં, આત્મ વિશ્વાસ પણ સ્ફૂરે છે. અને જ્યારે ૧૮૮૬માં કૉલેજકાળ પૂરો થવા આવે છે ત્યારે, એમના કૉલેજમિત્ર, અને એમની અત્યાર સુધીની કવિતાના સાક્ષી બની ચૂકેલા રમણભાઈ નીલકંઠ ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ સમક્ષ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિશે નવા ખ્યાલોથી ભરેલું ભાષણ કરે છે ત્યારે એમને કાન્ત
{{Poem2Close}}
{{Block center|<poem>સાંપ્રત રસમય ઋતુની કદર અરે જાણતા નથી કોઈ,

તે મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.</poem>}}
{{Poem2Open}}
એ ગતિથી વધાવી લે છે. પણ નવી કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ કહેતી આ સુંદર ગતિમાં દલપતયુગની શ્લેષચાતુરી તો છે જ.
અંગ્રેજી કવિતા, અંગ્રેજી વિવેચન અને સંસ્કૃત સાહિત્યનો રસિક આસ્વાદ થવા લાગ્યા પછી લખાયેલું અને રમણભાઈને ‘બુદ્ધિપ્રકાશ’માં છાપવા મોકલેલું કાવ્ય ‘મારી કીસ્તી’ ચંદર-બંદર-અંદર જેવા પ્રાસ મેળવે છે; જૂની લઢણનું આ છેલ્લું કાવ્ય છે અને એ કારણે જ કાન્તે ‘પૂર્વાલાપ’માં એને સાચવ્યું લાગે છે.
૧૮૮૬નું ‘મારી કીસ્તી’ લખાયા પછી કાન્તની કાવ્યસાધના બેશક ખૂબ જ ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે, પણ હરિલાલ ઝીણા ભટ્ટ, રમણભાઈ વગેરે બહુ થોડા મિત્રોને બાદ કરતાં, કોઈને જ તેમની workshopમાં, કાવ્યરચનાના તેમના કાર્યાલયમાં, ડોકિયું કરવાની તક મળતી નથી, વરસો વીતે છે, ૧૮૮૭, ૧૮૮૮,૧૮૮૯. તે સમયના કાવ્યરસિકો ગુજરાતી કવિતાને કાન્તને હાથે નવા મરોડો મળી રહ્યા છે તેથી બિલકુલ અજાણ છે.
એકાએક ૧૯૮૦ના વર્ષના પહેલે જ દિવસે ‘બુદ્ધિપ્રકાશ’નો અંક કાવ્યરસિકોના હાથમાં આવે છે. એ અંકમાં પહેલા જ પાને કાન્તનું ‘વસંતવિજય’ અને પાનાના નીચલા ભાગમાં ‘મકરંદ’ એટલે કે રમણભાઈની ટીકા છેઃ પૂરાં પંદર પાનાં બાવીસ વરસના કવિની કવિતા અને તેટલી જ ઉંમરના કવિમિત્રની ટીકાના સહચારમાં રોકાયાં છે. એને જેવી કવિની કવિતા છે, એવી જ એને જેબ આપે તેવી વિવેચકની ટીકા છે. સુજ્ઞ કાવ્યરસિકોએ તે જ ક્ષણે તરત નોંધ્યું કે ગુજરાતી કવિતા સાહિત્યની આ વિરલ, રોમાંચક અને ચમત્કૃતિપૂર્ણ સિદ્ધિ હતી, વચલાં વર્ષોના કાન્તના પ્રયોગો પોતે ન જાણતા હોવાથી નરસિંહરાવે ઘણાં વરસ પછી પણ આ પ્રમાણો નોંધ કરી છેઃ
“હવે ૧૮૯૦ની સાલમાં મણિશંકરનું, ‘વસંતવિજય’ નામના અપૂર્વ સૌન્દર્ય અને કલાવિધાનયુક્ત કાવ્યની દ્વારા, દર્શન કરું છું. ખરે! નીલકંઠનું ભાવિદર્શન સાચું; મેઘના રસમય જલ વડે સ્વાતિ નક્ષત્રમાં ગુજરાતની સીપમાં અપૂર્વ મણિ - મૌક્તિકમણિ-પાક્યો હતો. મણિશંકરનું એ પ્રથમ જ કવિત્વફળ હતું, છતાં પરિપક્વ કવિત્વનાં લક્ષણ એમાં પ્રગટ હતાં. ઝીયુસના મસ્તિષ્કમાંથી એથીના પૂર્ણ વિકાસવાળી-સંપૂર્ણ, સુસજ્જ-નીકળીને પ્રગટ થઈ, એ કલ્પિત કથાનું પ્રત્યક્ષ પ્રતિબિંબ આ કાવ્યમાં જોઈ શકાય.”
આમ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચક, અને પોતાને જ અર્વાચીન કવિતાના પિતા મનાવનાર કવિને પણ લાગ્યું.
એમનાં કાવ્યોમાં સ્નેહજીવનની કરુણતા ગાનાર કાન્ત, દામ્પત્ય સ્નેહ બધા સ્નેહોમાં સર્વોપરિ અને દિવ્ય છે, અને સ્વર્ગમાં જ એનું અનંત સુખ છે એમ કહેતા સ્વીડનબૉર્ગ તરફ વળ્યા. તે સમયે તો કાન્ત ક્રિશ્ચિયન થયા એટલું જ સમજાયું, અને કાન્ત ઉપર અનેક પ્રકાનો સીતમ વરસ્યો....
આ અસદ્ભાવને કારણે કાન્તની કવિતાના સ્વીડનબૉર્ગી અંશો આપણે સમજ્યા નથી.
{{Poem2Close}}
'''● કાન્તની અદ્ભુત સંવિધાનશક્તિ'''
{{Poem2Open}}
આજે આપણે કાન્તની પુણ્યતિથિને નિમિત્તે અહીં એકઠા થયા છીએ. કાન્તની પુણ્યતિથિ સોળમી જૂને પડે છે, પણ આપણે એક દિવસ મોડા મળ્યા તેમાં કદાચ હું કારણરૂપ છું. ગઈ કાલે મારે અન્યત્ર બોલવાનું હતું. ભાવનગર રાજ્યના શિક્ષણખાતાની, સર્જકને બહુ ફાવે નહીં એવી નોકરી ઉપરથી પેન્શન ઉપર ઉતરી, કાન્ત કાશ્મીરની મુસાફરીએ ગયા; અને તબિયત લથડતાં પાછા ફરતાં ટ્રેઈનમાં જ એમનો દેહ પડી ગયો. એ જ દડાહે - સોળમી  જૂને - એમને કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ બહાર પડ્યો. આમ ફાઈલોમાં દટાયેલાં કાવ્યો એકત્રિત સ્વરૂપે વાંચવા મળતાં વિવેચકો એ તરફ આકર્ષાયા. એ પછીની સોળમી જૂને - પહેલી પુણ્યતિથિએ - મારો ખ્યાલ સાચો હોય તો, આજના પ્રમુખે ‘વસંતવિજય’ના કરુણરસ વિશે ચર્ચા કરી; કાન્તની પુણ્યતિથિ ઊજવવાની પ્રણાલી આમ બંધાઈ. એ પ્રણાલીનો આજે એકઠા મળીને આપણે આદર કરીએ છીએ.
હું પણ શરૂઆતમાં ‘વસંતવિજય' વિશે કહેવા માગું છું. એ કાવ્યને નરસિંહરાવે, આનંદશંકરે અને પ્રો. પાઠકે સર્વાંગસુંદર ગણ્યું છે, પણ પ્રો. ઠાકરે એ કાવ્ય વિશે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ‘બે ઝીણી અમથી ટીપ’ આપી છેઃ એક તો એ કે, એનું છંદોવૈવિધ્ય, પ્રો. પાઠક કહે છે તેમ, નવું નથી. એ તો કાન્તને, પ્રશ્નોરાઓના ‘પ્રવીણસાગર’ના વાચનથી મળ્યું. આ વિશે મેં ગઈ પરિષદમાં નિબંધમાં કહ્યું છે. કાન્તે એક પછી એક દસ કાવ્યોમાં છંદોનો સભાન પ્રયોગ કરીને એમના ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં જે ભાવ અને આકારનું દ્વૈત ટાળ્યું છે, તે ગુજરાતી કવિતામાં નવીન જ છે.
હવે પ્રો. ઠાકોરની બીજી ટીપ - taken cut - લઈએ. પ્રો. ઠાકોરે એમની ૧૯૩૧ની ‘કવિતાસમૃદ્ધિ’માં શ્રી બેટાઈના ‘સુલોચનાનું લોચનદાન’ વિશે લખતાં કહેલું કે, એ કાવ્યમાં ‘વસંતવિજય’નો દોષ નથી. ‘વસંતવિજય’માં “વસ્તુનો વેગ અતિ મંદ” છે. “વસ્તુનો વેગ અતિ મંદ” એ શબ્દો બરાબર નથી; તેથી પ્રો. ઠાકોરે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં એ મતને સમારતાં કહ્યું કે ‘વસંતવિજય’માં કાર્યગતિની મંદતા છે, જોકે ખૂંચે તેટલી નહીં. આમ, પ્રો. ઠાકોરના જ આ સુધારેલા મતમાં આવતી-ઉચ્ચહણિતનો એક શબ્દ યોજું તો - નતિમાત્રા જોઈ શકાશે. હવે આપણે આ ખામીને તપાસીએ.
‘વસંતવિજય’માં કવિને કેવા ભાવો આલેખવા હતા? આ સમયના એક પત્રમાં, - જીવનમાં કોઈ ન્યાયની કે દયાળુ અધિષ્ઠાતા હોય એમ હું માનતો નથી; પ્રણયમાં જ સાચું સુખ છે, અને તે પ્રણયીને સુખી કરતાં દુઃખી વધારે કરે છે - આ મતલબનું કાન્ત લખે છે. એ વખતે કાન્તમાં ઉત્કટ નાસ્તિકતા હતી; પ્રો. પાઠક એમની પ્રસ્તાવનામાં કહે છે કે, એ સમયે કાન્ત નાસ્તિક નહીં પણ અજ્ઞેયવાદી જેવા હતા. પણ ‘મૃગતૃષ્ણા’માં ‘નથી ઈશ્વર દુઃખીનો’ એમ એ કહે છે; ‘ચક્રવાકમિથુન’માં પક્ષીયુગલને ‘તરફડે સમજી રચનારને’ એમ વર્ણવે છે. એ જોતાં કાન્ત અસ્તિપક્ષે પણ આવા કોઈ ઐશ્વર્યમાં માનતા હતા. ‘વસંતવિજય’માં કાવ્યના અંતભાગ તરફ જતાં, પ્રણયમાં સુખ, છતાં એ જ પ્રણયીને દુઃખી કરે છે એ વિરોધ સ્પષ્ટ થતો જાય છે. પાંડુની પ્રણયજીવનની ઇચ્છા અને ઋષિના ઉગ્ર શાપનું જ્ઞાન, એ બેનો વિરોધ અહીં વર્ણવાય છે. ઇચ્છા પાંડુની છે. એ એના જીવનના મર્માંકુરરૂપ છે; એમાં એને સુખ છે. પણ જે પાંડુનું જ્ઞાન છે તે જ એની ઇચ્છા પણ નથી, તે તો પારકાની - ‘ચક્રવાકમિથુન’માં છે તેવા કોઈ ઐશ્વર્યની - ઇચ્છા છે. આમ પરસ્પરવિરોધી તત્ત્વોનું દ્વૈત આ આપણને પહેલી જ વાર મળતી નાસ્તિક કવિતામાં આલેખાય છે.
વૃત્તિઓની આવી અથડામણ તો માત્ર માનસભૂમિકાથી આલેખી શકાય. કાવ્ય આમ માનસપ્રદેશ પર નિરૂપાતું નાટક છે, તેથી તેનું કાર્ય જોનારે એની ગતિ બાહ્ય પ્રસંગો આલેખનાર કૃતિમાં હોય એમ ન હોય એ યાદ રાખવું જોઈએ.
બીજું: કાન્તે ઉપર કહેલા ભાવને નિરૂપવા જે વસ્તુ પસંદ કર્યું તેની મુશ્કેલી પણ જોઈએ. ઊંચી કલાકૃતિમાં કલાકારને અશક્યને શક્ય કરી બતાવીને કવિઓ કાર્ય સાધે છે. ‘વસંતવિજય’ને અંતે આવતી પરાકાષ્ઠાને નિરૂપવાનું કાર્ય સહેલું નહોતું. કવિ લાગણી, વિચાર, ઝીણાંઝીણાં કારણો, આકસ્મિક ઘટનાઓ, ઇચ્છા અને જ્ઞાનના યુદ્ધમાં આવતા પલટાઓની એવી તો લાંબી અને ઊંચી સોપાનમાલા ગૂંથે છે કે જે ચડતાંચડતાં જ આપણું willing suspension of disbelief પૂરેપૂરું થાય છે, અને પાંડુ ‘પ્રિયે, પ્રિયે, પ્રિયે તારા હાથમાં સર્વ, હાય રે!’ એમ આર્તનાદ કરી ઊઠે છે ત્યારે વાચકને એ પરાકાષ્ઠા લૂલી અને લોલુપતાભરી નથી લાગતી. આમ, આ કાવ્યમાં, પરાકાષ્ઠાને દૂર હડસેલવી એ કલાપ્રશ્ન હતો; એ રીતે જોતાં અહીં મંદતા જ અપેક્ષિત છે.
કાન્ત બને ત્યાં સુધી, કોઈ વિગત અભિનયને રૂપે મૂકી શકાય ત્યાં લગી કથન તરીકે મૂકતા નથી; અને પહેલેથી છેલ્લે સુધી એકએક શ્લોકમાં હેતુકતા = ગુજરાતી કાવ્યસાહિત્યમાં તો બીજે જડતી નથી એવી હેતુકતા - motivation - સાધે છે. એ બે લક્ષણોને લઈને પણ જરૂરી એવી મંદતા પ્રાપ્ત થાય છે.
ત્રીજું: વરસો પહેલાં નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરતાં Edwin Muitનું ‘The Structure of the Novel’ વાંચતો હતો. તેમાં જીવનની જટિલતા જેમાં આવે, જેમાં પાત્રો, પ્રસંગો, વાર્તાનો અંશ વગેરે હોય એવી કૃતિઓમાં સ્થાન અને કાળનાં ચિત્રણોથી કેવી છાપ પડે, એ જાણવાનું મળ્યું. કાળનું લક્ષણ ગતિ છે, અને ગતિ પ્રસંગોથી નિરૂપાય છે. સ્થળનું લક્ષણ સ્થિરતા, વિસ્તાર છે. કેવળ સ્થળના વિસ્તારમાં, સમયનું વહન પણ બહુ વરતાતું ન હોય એવા વિસ્તારમાં, પાત્રને મૂક્યું હોય તો એના નિરૂપણમાં પણ માનસદશાઓ જ હશે. ‘વસંતવિજય’ને (આ અવકાશ વિસ્તારની દૃષ્ટિએ) જોઈએઃ
{{Poem2Close}}
{{Block center|<poem>વૃક્ષો અદૃશ્ય સઘળાં નઝરે પડે છેઃ

ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છેઃ

એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,

ઊંચા પ્રચંડ શિખરો નભને અડે છે.</poem>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Block center|<poem>વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,

નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,

જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.</poem>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Block center|<poem>ઉત્તુંગ નમ્ર સહકાર દિસે ઘણાય,

લાખો વળી અગરુ, ચંદન ત્યાં જણાય;

વૃક્ષો, લતા સકલ કૈંક અપૂર્વ રંગઃ

જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?</poem>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Block center|<poem>ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,

ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;

બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,

ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.</poem>}}
{{Poem2Open}}
જોઈ શકાશે, કે ‘વસંતવિજય’ નિરવધિ અવકાશનું કાવ્ય છે. અને જાણીજોઈને અહીં કેટલી મંદતા (toning down) આરોપાય છે! પાંડુના મનઃપ્રદેશની બહુ ધ્યાન ન ખેંચે પણ સ્વાભાવિક લાગે એવાં બાહ્ય કારણોથી ફરતી જતી તડકીછાંયડી આમ વર્ણવાય છે. પાંડુ સમક્ષ અવકાશ, અને ચોક્કસ ક્ષણે ચોક્કસ કાર્ય કરાવે એવો કાળ નથી. આથી વૃત્તિઓ બરાબર નિરૂપી શકાય છે. ‘ચક્રવાકમિથુન’માં કાળ પોતે જ કૃતિનું અંગ બનીને અટવાઈ જાય છે તેથી તેવી નાટ્યતા આવે છે? સૂર્યાસ્તની પળ અને તિમિરજન્ય વિયોગ ત્યાં સંકળાયેલાં છેઃ
{{Poem2Close}}
{{Block center|<poem>હાવાં રક્તદ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ;

હાવાં થંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ.</poem>}}
{{Poem2Open}}
એ લીટીઓ કે
{{Poem2Close}}
{{Block center|<poem>ઉદધિને રવિબિંબ હવે અડે,

અતિ સમુચ્છિત તેય હવે ચડે.</poem>}}
{{Poem2Open}}
એ લીટીઓમાં હાવાં - હવે કાળ સૂચવે છે. અને કાળની સાથે સંકળાયેલી એ પરાકાષ્ઠા  સામે આંગળી ચીંધીચીંધીને કવિ દિલમાં કેવો તરફડાટ કરાવે છે! એ પ્રકારની નાટ્યતા અહીં નથી. ‘વસંતવિજય’માંથી કાલતત્ત્વને કવિએ જાણે શોષી લીધું છે. સવારે સ્નાન, બપોરે ભોજન, નિદ્રા વ. કાલક્વેરની સ્થૂળ હાડકીઓ છે ખરી, પણ એ વૃત્તિઓના પલટાનું કારણ આપવા પૂરતી જ. પણ  ‘વસંતવિજય’ની પરાકાષ્ઠાને અને કાળને કાંઈ સંબંધ નથી.
આ રીતે જોતાં, ‘વસંતવિજય’ વિશે પ્રો. ઠાકોરે મૂકેલી આ ‘ઝીણીઝીણી અમથી ટીપ’માં દર્શાવાયેલી ખામીને હું જુદી રીતે જોઉં છું. આ કાવ્યમાં જે મંદતા છે તે આવશ્યક છે, અને એ કાવ્યના ભૂષણરૂપ છે.
હવે પુણ્યતિથિ અને ‘વસંતવિજય’ વિશે પ્રવચન - એ બેના સુયોગથી મર્યાદામાંથી બહાર આવી હું ‘ચક્રવાકમિથુન’ તરફ વળીશ.
‘ચક્રવાકમિથુન’ વિશે થોડું તો મેં હમણાં જ કહ્યું. ‘વસંતવિજય’માં કવિ આછા time-sequence - કાલાનુક્રમ - નો આશરો લઈને વર્ણન કરે છે. ‘ચક્રવાકમિથુન’માં એ, સાંજ પડવા આવી છે ત્યાંથી જ, પરાકાષ્ઠાની નિકટ જ લાવી મૂકીને શરૂ કરે છે. અને અહીં, જાણે કે આપણને ઓરડામાં બેસાડીને પહેલાં ચક્રવાકયુગલના પ્રણયસુખનાં ચિત્રોની એક રંગીન બારી, અને પછી, સામેની, રાત્રિના, વિરહના ઘોર અનુભવોની બારી ખુલ્લી મૂકે છે. આવું કલાવિધાન તે પહેલાંની ગુજરાતી કવિતામાં શોધ્યું જડશે નહીં. સૈકાઓથી અનેક પ્રયોગોથી સમૃદ્ધ બનેલી અંગ્રેજી કાવ્યપ્રણાલીના અભ્યાસનું આ ફળ છે.
'ચક્રવાકમિથુન'નું વસ્તુ કાન્તે ક્યાંથી લીધું? કાન્તનાં ખંડકાવ્યોમાં કાન્ત, હજારો વરસોથી લોકોના લોહીમાં ભળી ગયેલું હોય એવા પરિચિત વસ્તુની પસંદગી કરતા. આથી એનું મંડન સહેલું થઈ પડે છે. નવાં પાત્રોને નિરૂપતાં આવી કરકસર શક્ય ન બને. ‘વસંતવિજય' વાંચતાં કાન્તના મહાભારતના વાચનની છાપ પડે છે; છતાં મને લાગે છે કે, કાન્તે એ વસ્તુની પંસદગી કરવાનું ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ વાંચતા સૂઝ્યું. અલકકિશોરીની પાસે બેઠેલો સરસ્વતીચંદ્ર નિદ્રાની અસરમાં જ મોહવશ બને છે અને પછી ઊગરતાં પશ્ચાત્તાપ કરે છે. પશ્ચાતાપ કરતાંકરતાં, પાંડુ જ્ઞાન છતાં મૃત્યુને શરણ થયો હતો, એ યાદ કરે છે. ગોવર્ધનગિરિની છાયા જેમના પર ન પડી હોય એવા લેખકો તે સમયે ઓછા જ હશે, અને પ્રાર્થનાસમાજી (સુધારાનો) કાર્યક્રમ સ્વીકારતા કાન્ત પણ, સામા પક્ષમાં હોવા છતાં, મુક્ત નહોતા.
અહીં એક બીજી વાત કહી લઉં. એ સમયે બધા જ શિક્ષિતો સુધારાના કાર્યક્રમને ગંભીરતાથી વિચારતા. અંગ્રેજોના સ્નેહના આદર્શની અસરને લઈને. આ સુધારાનું પ્રેરકબળ, પાયો સુખદ સ્નેહજીવન જ હોઈ શકે, એવી પણ એમની માન્યતા હતી. ‘સરસ્વતીચંદ્ર’ પહેલો ભાગ, એ સમયના સ્નેહજીવનમાં શક્ય નહીં એવા સરસ્વતીચંદ્ર-કુમુદના મિલન, પત્રલેખન વ. વર્ણનોથી પણ ખૂબ લોકપ્રિય થયો હશે. ગોવર્ધનરામની તે પહેલાં લખાયેલી કાવ્યમાલા ‘સ્નેહમુદ્રા’ ૧૮૮૯માં પ્રસિદ્ધ થઈ. એમાં જીવનમાં સ્નેહ માયારૂપ છે, એ ભાવના સ્પષ્ટ છે - કાન્તના (૧૮૯૦ની શરૂઆતમાં લખાઈ રહેલા) ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ એમને અહીંથી લાધ્યું. પ્રો. પાઠકે કાવ્યમીમાંસાના એક શ્લોકનો અને બાવાઓના એક દુહાનો ઉલ્લેખ આ પરત્વે કર્યો છે. પણ ‘સ્નેહમુદ્રા’નાં ૧૧૦ કાવ્યોમાં પથરાયેલાં વસ્તુ, પ્રતિરૂપો, સ્નેહચિત્રો વ. ને ઝીણવટથી વાંચતાં એટલું સ્પષ્ટ થાય છે કે કાન્તના ‘ચક્રવાકમિથુન’ની શરૂઆત ‘સ્નેહમુદ્રા’ના વાંચન પછી થઈ. ‘સ્નેહમુદ્રા’માં દસ-બાર સ્થાનો એવાં છે કે જ્યાં મહાન કવિની નિશાની આપતો પ્રેરણાનો વાયુ જોસભેર વાતો લાગે છે. પણ તે સિવાય એ લગભગ કાટમાળ જેવું છે. તેમાંથી કાન્તે એક અતિ સૂક્ષ્મ મનોહર કાવ્યરત્નનું નિર્માણ કર્યું.
ગોવર્ધનરામ અને કાન્ત બંને સ્નેહ ઉપર ભાર મૂકવામાં માને છે; પણ ગોવર્ધનરામ જીવનમાં મંગલ જુએ છે; પત્નીમૃત્યુથી લખાવા માંડેલી કાવ્યમાલાના અંત તરફ લખવા માંડેલી કાવ્યમાલા અંત તરફ વેદાન્તની છાયાવાળું સ્નેહસાયુજ્ય વર્ણવે છે; અને છેક અંતે, રાત્રે વિયોગ સહતી, પણ પ્રભાતે મિલન અનુભવતી ચક્રવાકીમાં ‘ઉત્સાહક પ્રેરણા’નું દૃષ્ટાંત જોઈને હરખના હેલારા લેતું એક અત્યંત સુભગ કાવ્ય રચે છે. આવા છેલ્લા કાવ્યની અસર થોડી ન હોય. કાન્તે અહીંથી પોતાનું વસ્તુ પસંદ કર્યું એવી મારી દૃઢ માન્યતા છે. ગોવર્ધનરામ જ્યાં પ્રભાતના મિલન ઉપર ભાર મૂકે છે, ત્યાં કાન્ત રાત્રિના સંરક્ષક સુધારક અને ઉત્કટ સુધારકનો દૃષ્ટિભેદ અહીં સભાનતાથી નિરૂપાયો છે. ‘ચક્રવાકમિથુન’નો પૂર્ણ અનુભવ આમ ‘સ્નેહમુદ્રા’ને પડછે વાંચતાં જ થઈ શકે. ‘વસંતવિજય’નું વસ્તુ લેતાં પણ કાન્તે ગોવર્ધનરામની એ વિશેની દૃષ્ટિ ત્યજી દઈને સ્નેહીની કરુણતા વર્ણવી. કાન્તે આમ જ કર્યા કર્યું છે. મહાભારતમાં દેવયાનીના પ્રસંગમાં નૈતિક ધોરણ સ્થાપવામાં આવ્યું છે ત્યાં કાન્તે કરુણતા જોઈ, અને એને ટાળી, એક જ વાર સ્નેહના ઉલ્લાસનું કાવ્ય રચ્યું.
‘ચક્રવાકમિથુન’નાં પક્ષીયુગલ, ભૂમિકા, પ્રણયચિત્રો, ઉત્તરધ્રુવનો માર્મિક ઉલ્લેખ અને દુઃખ આપનાર ઐશ્વર્ય એ બધાંનું મૂળ ‘સ્નેહમુદ્રા’ની વેરવિખેર વીગતોમાં અને પ્રતિરૂપોમાં છે. કાન્તની કરકસર અને સંવિધાનશક્તિ આશ્ચર્ય ઉપજાવે એવાં છે.
{{Poem2Close}}
{{right|કાન્ત વિશે (૧૯૮૩)-ભૃગુરાય અંજારિયા, <br>
સં. જયંત કોઠારી, સુધા અંજારિયા}}
== ॥ સમીક્ષા - આસ્વાદ  ॥ ==
<br>{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 22 Vijay Soni.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small>વિજય સોની</small><br><small>મૃત્યુઃ ૧૬ જૂન, ૧૯૨૩ </small>| capalign = center  | alt      = }}
<br>{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 23 Naresh shukl - 1972.jpg| class    =  | width    = 300px | align    = left | polygon  =  | cap      = <small>નરેશ શુક્લ</small><br><small>જન્મઃ ૧૨ ઓક્ટો બર, ૧૯૭૨</small> | capalign = center  | alt      = }}

Revision as of 03:29, 2 July 2026

સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


સંચયન - ૭૦

॥ પ્રારંભિક ॥


એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (anantrathod@ekatrafoundation.org)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૨ : જૂન ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬





એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા




(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૬



જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



“ગણેશપૂજન”, ચિત્ર: અન. એસ. બેન્દ્રે

॥ અનુક્રમ ॥


સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૨ : જૂન, ૨૦૨૬

સમ્પાદકીય
ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ ~ કિશોર વ્યાસ

કવિતા
મને જો પૃથ્વીની હકૂમત મળે ~ ઉમાશંકર જોશી
નજરુંના કાંટાની ભૂલ ~ સુરેશ દલાલ
અનુભૂતિ ~ સુરેશ દલાલ
રાધાનું નામ તમે ~ સુરેશ દલાલ
લગ્નોત્સુક યુવતીનું ગીત ~ નિરંજન યાજ્ઞિક
લોગઈન: ~ રતિલાલ સોલંકી
ચૂમે છે વ્હાલથી પાની ~ અનિલ ચાવડા
મને છેતરીને કૂવામાં ઊતાર્યા ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલ ~ હેમંત પુણેકર

વાર્તા
વાવ ~ રામ મોરી

વિવેચન
કાન્ત અને તેમની કવિપ્રતિભા..... ~ ભૃગુરાય અંજારિયા

સમીક્ષા - આસ્વાદ
માણેકચોકની મહામૂલી વાર્તાઓ ~ નરેશ શુક્લ
સ્વરૂપસિદ્ધિના આટાપાટા રચતું રસાળ ગીત ~ સંજુ વાળા
રમેશ પારેખઃ ગુજરાતી ભાષા અને કવિતાને લયબદ્ધ લાડ ~ આર.પી. જોષી

કલાજગત
કલામંદિર અધ્યાય - ૧૧ ~ કનુ પટેલ (કલાબત્રીસી પુસ્તકમાંથી એક અધ્યાય)
એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક ~ કનુ પટેલ

(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)


॥ સમ્પાદકીય ॥

ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ


જન્મ ૩-૧૧-૧૯૬૬

આપણા કોઈપણ સાહિત્યકારોના ઈન્ટરવ્યૂઝ કે સંવાદમાં એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ‘આપને ઈનામ મળવાથી કે ના મળવાથી કેવી લાગણી થઈ આવે છે ?’ સ્વાભાવિક છે કે સર્જકો મોટાભાગે એનો જવાબ હીરે મઢીને આપતા હોય છે. મનુષ્ય મન સતત અન્યના સ્વીકારને ઝંખતું રહેવાનું એથી ક્યારેક તો કોઈ વાર્તા-નવલકથાકારના લેખમાં એકાદ બે સર્જકના નામ પણ ભૂલેચૂકે જો રહી જવા પામ્યા હોય તો રહી જવા પામેલા સર્જકને પક્ષપાત થયાની લાગણી અનુભવાતી હોય કે દ્વૈષભાવનું ગાણું ગવાતું હોય તો ઈનામ-અકરામ જેવી ચીજ તરફ સૌનું ધ્યાન ચોંટી રહે એમાં કશું અસ્વાભાવિક નથી. સોનું દેખીને મુનિવર જો ચળી જતાં હોય તો મનુષ્યનો શો વાંક ભલા ! પારિતોષિકો લેખન માટેનો ઉત્સાહ વધારે છે. સર્જકને સાહિત્યવિશ્વમાં પ્રતિષ્ઠિત કરી આપે છે. સર્જકની નામનાને કારણે એની ખાસ ઓળખ બને છે. પ્રકાશકો એમના ગ્રંથોને પ્રગટ કરવા હોડ ભણે છે, છાપાઓ કૉલમ લખવાની ઓફર મૂકે છે તેમ વ્યાખ્યાનો કરવા માટેના આમંત્રણો આવા ઈનામોની દેણગી છે. જેમ મોટું સન્માન એમ આગળ વધવાની તક વિશેષ એમ માનનારો વર્ગ પણ હોવાનો જ. કોઈ સર્જકે તો કહેલું કે, ‘આવી બાબતો ઉત્સાહ વધારવાને બદલે તે લેખકોને કાવાદાવાવાળા બનાવે છે.’ ક્ષુલ્લક સન્માન લેવા માટે આવા પ્રપંચો કરવા પડે એ કેવું? સામા પક્ષે ઈનામ-અકરામ કે પુરસ્કાર જેવી બાબતોથી તદ્દન નિસ્પૃહ રહીને જાહેરમાં આવા કોઈ સન્માન ન લેવાનો નિર્ણય આપણા કેટલાક ગણમાન્ય સર્જકો કરી ચૂક્યા છે એથી એવું લાગે કે પુરસ્કારનું પણ એક અટપટું મનોવિજ્ઞાન છે. ‘માણસાઈના દીવા’ માટે ઝવેરચંદ મેઘાણીને ‘મહીડા પારિતોષિક’ આપવાની જાહેરાત થઈ ત્યારે નિર્ણાયક કમિટીએ મેઘાણી સાથે રવિશંકર મહારાજને પણ આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી! મેઘાણીએ નમ્રતાથી આ બાબતે વિરોધ કરેલો અને મહારાજે પણ એ વાતમાં સૂર પૂરાવેલો. એ જમાનાના ૩૦૦ રૂપિયાનો પુરસ્કાર મેઘાણીએ મહારાજને ધરી દીધો હતો જે મહારાજે પણ સ્વીકાર્યો નહીં! આમ પુરસ્કારો અને વિવાદને ઘણી લેણાદેવી છે. આજે અનેક સ્વરૂપોમાં એટલા પુરસ્કારો અને સન્માનો આપણે ત્યાં મળતા થયા છે કે એની લાંબી યાદી જોઈએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી કે ‘ઓહો! આપણે ત્યાં આટલા બધા? આટલા કેમ?’ આપણા પ્રતિષ્ઠિત સામયિકોની ખોટનો આંકડો લાખોમાં હોય એ સમાચાર વાંચીને ચોંકી જવાયું હતું બીજી બાજુએ એ જ સામયિકોમાં દર માસે પ્રગટ થતી ઉત્તમ રચનાઓને અપાતા પુરસ્કારની સંખ્યા જુઓ તો નવાઈ લાગે. આ પુરસ્કાર સામયિકને-સંસ્થાને સ્થિર કરવામાં વપરાતા હોય તો? આપણી દરેક સાહિત્ય સંસ્થાઓના પુરસ્કારો ઉપરાંત આજે અનેક સાહિત્ય સંસ્થાઓ સર્જકોને પુરસ્કૃત કરી રહી છે. સર્જકના શબ્દને માન મળે અને લોકસમુદાય સુધી સર્જક પહોંચે એથી રૂડું શું હોઈ શકે? પણ ક્યારેક તો બેચાર સર્જકોને માનસન્માનો મળ્યા જ કરે અને વૃકોદરની પેઠે એ સન્માનો ઝીલ્યા જ કરે એવું બને છે તેઓ પાછા સન્માન માટે એટલા નમ્ર હોય કે ક્યારેય એમ ન કહે કે હવે કેટલાક સન્માનો યુવાઓ માટે, નવા નિશાન તાકનારાઓ માટે રહેવા દો...એ વાત શોકકારક છે. સન્માન કરનાર કોણ છે? કર્તા નહી, કૃતિ કેટલી યોગ્ય છે? સર્જકનો વિકાસ કે સાહિત્યિક પ્રદાન શું છે? નિર્ણાયકો કોણ છે? જેવી બાબતોને નિરપેક્ષભાવે તેમ ઘણી ઝીણવટથી જોવી-તપાસવી ઘટે, નહીં તો ખોટા ધોરણો ઊભા થશે. સન્માનો, પારિતોષિકોના ભવ્ય સમારોહને બદલે સર્જકની ઉત્તમ રચનાઓના સંચયો, એમની પ્રકાશિત-અપ્રકાશિત રચનાઓના સંકલનો શાળા-કોલેજો સુધી ને સાહિત્યરસિકો સુધી સસ્તા દરે પહોંચાડવા જોઈએ. સર્જકને મળેલું સન્માન એ શબ્દનું, આપણી ભાષાનું ગૌરવ છે પણ તમામ સંસ્થાઓએ ઈનામ આપવાની દોડમાં વિચારવાનું એ રહે છે કે આપણે વિદ્યાજગતનો- સર્જનાત્મક સાહિત્યનો કેટલો પુરસ્કાર કર્યો? આપણી વિદ્યાવૃત્તિને -સર્જનને સંકોરવાનો આપણે કેટલો પ્રયત્ન કર્યો? આપણે દુર્લભ થઈ ગયેલા ગ્રંથોને પ્રકાશમાં લાવવાની કેટલી મથામણ કરી? બાકી રહી ગયેલા કામ તરફ આપણે નજર કરી છે ખરી?

- કિશોર વ્યાસ

“બારીની સામે બેઠલી છોકરી”, ૧૯૮૨, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ કવિતા ॥


જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૧
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮

મને જો પૃથ્વીની હકૂમત મળે
ઉમાશંકર જોશી


મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો

પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી

પ્રજા મારી પંખી-મનુજ-પશુ ને કીટક
ગણો
બધાને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.

દ્રુમોની ડાળીને નીડ, નગર-આવાસ ભીડમાં

વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિભીતરે

જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો

પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.

હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહ - શું વિગ્રહ નહિ

કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો,

પ્રીતિનું જેમાં ના જીતવું પણ જિતાઈ જ જવું,

સ્વ-તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.

પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે,

પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!
‘સમગ્ર કવિતા’માંથી


જન્મ : ૧૧ ઓક્ટોબર ૧૯૩૨
મૃત્યુ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૨

નજરુંના કાંટાની ભૂલ
સુરેશ દલાલ


નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,

તારો તે સંગઃ ઊને પ્હોર જાણે પીપળો;

વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,

તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;

તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

અનુભૂતિ
સુરેશ દલાલ


લીલ લપાઈ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;

કિરણ તો ઝૂક્યું થઈ કપોત.

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી આ ભોમ.

લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
‘ચૂંટેલાં કાવ્યો’માંથી

રાધાનું નામ તમે
સુરેશ દલાલ


રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે 

ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી 

કે ખાલી બેડાની કરે વાત,

લોકો કરે છે શાને દિવસ ને રાત


મારા મોહનની પંચાત?

વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે:


કેમ અલી ? ક્યાં ગઈ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 

વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું ‘લિ તારે અંબોડે ફૂલ?

એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ 

જો કે હોઠોની પાંખડીઓ બંધ;

મારે મોઢેથી ચહે સાંભળવા સાહેલી
માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર
મહીં 
વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી
‘ચૂંટેલાં કાવ્યો’ અને ‘ગુગલ’માંથી


જન્મ : ૧૯૪૮


લગ્નોત્સુક યુવતીનું ગીત
નિરંજન યાજ્ઞિક


મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
ઘરની વચાળ અમે પાથર્યા ઉજાગરા ને આંગણિયે શમણાંઓ છૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

ફળિયામાં ઘેરઘેર અવસર ડોકાતા ને ગામલોક સરનામાં પૂછતાં,

કોરાડિબાંગ અમે કાગળિયાં-વણદેખ્યા અક્ષરનાં આંસુડાં લૂછતાં;
દાદાના મોરલાને પાંખો તો ઠીક સખી, પીંછાંયે કેમ નથી ફૂટતાં?
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.

મુરઝાતા હાથોને સૂરજ તો ઠીક, કોઈ મેંદીનું નામ નથી દેતું,

મોભારે કાગડાનું પગલું અડકે ને મારી છાતી ફાડીને કશું વે’તું;

દોમદોમ ચોમાસા એક પછી એક વગર હથિયારે સાવ મને લૂટતાં!
મારા ફળિયામાં તડકાઓ તૂટતા.
FB



લોગઈન:
રતિલાલ સોલંકી


તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!

એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,

એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,

એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,

એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકસાનનો હિસાબ શાનો,

તારું બસ હોવાપણું સરભર હતું, મા!
FB



જન્મ : ૧૯૮૫

ચૂમે છે વ્હાલથી પાની
અનિલ ચાવડા


ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,

સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?

અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,

કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?

કહો છો દોડવાનું એય તે બાંધેલ પગ સાથે?

ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,

પધાર્યાં’તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો

હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?

અલગ રીતે સ્વયંનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાખઘોડી પર,

ઘરેથી નીકળ્યો’તો હું ઘણા કાબેલ પગ સાથે.
FB


જન્મ : ૧૯૭૪

મને છેતરીને કૂવામાં ઊતાર્યા
બાબુલાલ ચાવડા ‘આતુર’


મને છેતરીને કૂવામાં ઊતાર્યા પછી રાશ કાપીને ચાલ્યાં ગયાં છે,

ઠગારા સ્મરણ કંઈ ખબર ના પડે એ રીતે થાપ આપીને ચાલ્યાં ગયાં છે.

પૂરાશે એ ક્યારે અને કઈ રીતે એ વિશે એક પણ શબ્દ બોલ્યાં નથી ને,

અચાનક એ આવીને ચૂપચાપ મારો આ ખાલીપો માપીને ચાલ્યાં ગયાં છે.

કરું એકઠાં ચોતરફથી વીણીને હું સૂક્કાં તણખલાં વીતેલી ક્ષણોનાં,

અને આગ ચાંપી જતા-આવતા સૌ ઘણીવાર તાપીને ચાલ્યા ગયા છે.

હો એક એ પણ સમય કે ઝીલાતા હતા એમનાથી પડ્યા બોલ મારા,

હવે એક આ પણ સમય છે કે એ વેણ મારા ઉથાપીને ચાલ્યાં ગયાં છે.

હજી ચીંથરેહાલ મારું કથાનક ફરે છે જુઓ સાવ રસ્તે રઝળતું,

અને છાપનારા તો આખ્ખોય મારો આ ઇતિહાસ છાપીને ચાલ્યા ગયા છે.
FB


જન્મ : ૧૯૭૮

ગઝલ
હેમંત પુણેકર


દરિયો સમેટી ટીપું બેઠું

પાંપણ ધારે આંસુ બેઠું

બારેમાસ રહ્યું છે કાયમ

આંખે જે ચોમાસું બેઠું

એણે આંખ કરી એમ ઊંચી

જોઈ મારું હૈયું બેઠું

જનરલ ક્લાસનો ડબ્બો દુનિયા

અહીંયા તો જે બેઠું, બેઠું!

બેઠો નિરાંતે, મનને નિરખતો

એ પળભર ક્યાં સખણું બેઠું!

કોઈ આંધળી દોટ મૂકે છે

કોઈ નિહાળે બેઠું બેઠું
નવનીત સમર્પણ.. મે ૨૦૨૬

“નારી અને પિંજરાનું પક્ષી”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે


“કાલિ દાસ શ્રેણીના નાયકો - ૧૯૭૪”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે

॥ વાર્તા ॥




વાવ
રામ મોરી

“ધૂબાંગ્ગ્... કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત.... દર વખતની જેમ જ. કોણ ગયું? કણબીના ફળિયામાંથી.... પરમારોની પછીતેથી... ભરવાડોના નેસમાંથી... દરબારોની ડેલીએથી... વાણિયાની મેડીએથી... રબારીઓની ખડકીએથી એક હીબકું, ધ્રાસકો ને પરબારી દોટ સીધી વાવમાં. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પ્રાગડવાહે ઈ ધૂબકો આખા ગામમાં સંભળાય. એ પછી વાશીદા ટાણે આખો ધૂબકો બકડિયામાં ભરાઈ જાય અને ઉકરડે ઠલવાઈ જાય, તપેલીમાં તળિયે બળીને ચોંટી ગયેલી ચાની ભૂકીની જેમ કાંકરા ભેગો ઘસાઈને આખો ધૂબકો કદડામાં નીકળી જાય, નદીયે શીપર ઉપર ધબાધબ ધોકાથી ધોકાવાતા લૂગડાના ડોળ ભેગો નીતરી જાય ધૂબકો, ધૂડખાણ્યે તગારામાં ભરેલી ધૂડ્યના ફોતરાં ભેગો ઊડી જાય ધૂબકો. પણ તોય ઈ ધૂબકો કેટલાય દિવસ સુધી ગામની બાયુંના મૂંગાપણામાં સંભળાતો રહે. વાવમાં આવી પડેલા ધૂબકાથી પાણી ઉપર વળેલ ફીણ દિવસો સુધી ગામની બાયુના મોઢા પર વળતા રહે. વાવમાં ધૂબકા પછીના બુડબુડિયાનો મૂંઝારો ગામની બાયુની આંખ્યુંમાં ગોરંભાયા કરે. ધૂબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. પણ હવે ધીરે ધીરે આખી આ વાત નયણ્યા કોઠે ચા પીતા હોય એમ કોઠે પડી ગઈ હતી. હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય અને ચપ્પલ ફેંકી દેવી પડે એટલી સામાન્ય. ચા કરતાં કરતાં મોરસ વધુ પડી જાય એટલી સામાન્ય. મમરી તળતી વખતે ગમ્મે એટલું ધારો તોય મમરીનો અમુક તમુક ભાગ દાઝી જાય એટલી સામાન્ય. કઢી કરતાં કરતાં મીઠા લીમડાના પાન નાંખવાનું ભૂલી જવાય એટલી સામાન્ય. જમતાં જમતાં જીભે બચકું ભરાઈ જાય એટલી હદે સામાન્ય. ધુબકામાં જોકે ગામને મન ખાસ નવાઈ નોતી રહી. પણ તોય ડંકીએ પાણી ભરવા આવેલા બે બેડાં અંદરોઅંદર મૂંગા મૂંગા ઓઈલીંગ કર્યા વિનાની ડંકીના ધન્ગધબ્બ્બ્ ધન્ગ્ ધન્ગધબ્બ્ ધન્ગ્ અવાજની વચ્ચેય ધુબકાની વાત કરીને કાંઠેથી થોડા છલકાઈ જાય. વાડીયે કપાસમાં ચાલતી દાતરડિયોય પોરો ખાઈને પરસેવા હારે ધૂબકાના નામનું નાહી નાખે. નદીએ એકબીજાના લૂગડા ધોવાનો સાબુ માગવા લાંબા થયેલા હાથમાંથી સાબુની ગોટી ભેગો લપસી જતો ધૂબકો. ચાર રસ્તે ભેગા થઈ ગયેલા બે લેરિયામાંય થોડો ભીનો થઈ જતો ધૂબકો. ધુબાંગ.... પાણીમાં સ્હેજ ઉઠેલા વમળ... બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતાં પરપોટા અને પછી બધ્ધું શાંત... દર વખતની જેમ જ. મંજુને સમજાતું નહોતું કે વાવમાં એવું તો શું દાટ્યું છે કે બધ્યું ધોડી ધોડીને ન્યાં જ પોગે છે? એણે જોયેલું કે બા હારે વાડીયેથી રજકાનો ભારો લઈ ઘરે આવતી હોય ત્યારે જે જે બાયું રસ્તે મળતી ઈ બાયુંને બા વાતવાતમાં એમ પૂછે કે, “બીજું તો બધું ઠીક મારી બેન, પણ છે તો તું મજામાને? અને જવાબમાં નર્યા હીબકાં ને દિવસો પછી ઈ હીબકાંનો વાવમાં ધૂબકો. એક દિવસ બપોરે ટાણે બાબરની બાવલી હારે ડેલીએ બેઠી બેઠી સાસુ-થેલીમાં ભરત ભરતાં ભરતાં મંજુએ પૂછેલું કે, “હેં બાવલી, આ વાવમાં હું હશે? “સાવ ગાંડુ ખાતું છે મંજુ તારું તો. વાવમાં તો પાણી જ હોય ને. બાવલીએ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ અક્ષરનો છેલ્લો દોરો દાંતથી તોડ્યો અને ઓશીકાનું ભરત સંકેલતા જવાબ દીધો. “હા, હવે ગિલિન્ડર, ઈ તો ખબર જ છે પણ બીજું શું હશે એમ?” મંજુ સોયમાં દોરો પોરવતાં બોલેલી. બે ઘડી બાવલી મૂંઝાણી પણ જવાબ ન સૂઝ્યો એટલે કે, “તું તો બાપા આવી જ સાવ ધડમાથા વગર્યની વાત્યું કરતી હોય છે. આ નિશાળે ભણતર પૂરું થયું ઈ કેડ્યે તો તારું સહકી ગ્યું. મંજુથી દોરો સોયમાં પરોવાતો નહોતો એટલે એ ધૂંધવાણી, “માય જા નીસમારીની. કવ છું કાંક હોવું તો જોવે જ, નકર બધ્યું ધોડી ધોડીને ન્યાં હું લેવા પોગી જાત્યું હશે? બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલીપાથી જ મળે? મૂળે તો આ વાવ ગામની ભાગોળે આવેલી. આમ તો વર્ષોથી બંધ, એમાં પાણી છે કે કેમ એ પણ જોવા કોઈ જતું નથી. સહુને લાગ્યું કે આમ તો વાવનો કોઈ ઉપયોગ છે નહીં એટલે હવે એને પૂરી દ્યો. પણ પછી કોઈકે ના પાડી કે માલીપા જે જે જીવ હશે ઈ બધાને મૂંઝારો થશે તો પાછું ગામનું આવી બનશે. મંજુને થતું કે જો મુઝારો જ થાય છે તો બાયું શું કામ વાવમાં પડતી હશે? છેવટે ગામે એવું નક્કી કર્યું કે વાવને પૂરીએ નહીં તો કાંઈ નહીં પણ ફરતી ફરતી છાતી સમાણી ભીંત ચણી લઈએ. પછી તોય ગામમાં સત્યનારાયણની કથા કરી ગૌ મૂત્ર છાંટીને વાવ ફરતે ભીંત ચણી લીધી. પણ તોય જાનારાના બાવડા કોઈ કેટણીઘણી ઝાલી રાખે? નસીબને તો કાંઈ નાડા બાંધીને ખેંચી શકાય નહીં. ગામની વહુવારુ વાવ ફરતે છાતી સમાણી બનાવેલી ભીંત પર ચડીનેય ધુબકો લગાવી આવે. પછી તો ગામમાં એવી વાતું થઈ કે વાવ ભોગ માગે છે. વાવની આજુબાજુ આવળ, બાવળ, બોરડી, દેશી બાવળ અને ડાંડલા થોર ઊગેલા. ગામનું વેંત જેવડું છોકરુંય વાવ બાજુ ફરકે નહીં. નદીના આ કાંઠે વાવ અને સામાકાંઠે વડસાવિત્રીનો વડલો. વડલો પૂજવા આવે ઈ બધ્ધી છોકરીઓ વડલાને સૂતરના દોરાથી વીંટોળે ત્યારે વાવ સામે જોઈ રહે. મંજુને દિવસે દિવસે વાવમાં ડોકાવાની તલપ વધતી હાલી. તે એ દિવસોમાં કુટુંબની દીકરી સેજલ પગફેરો કરવા પિયર આવેલી. સેજલને બા નહોતી તો મંજુની બાને જ નાનપણથી બા જેવી ગણેલી. સેજલ ફળિયે બેહવા આવી ત્યારે મંજુ હરખાઈ ગયેલી. બા રસોડામાં ઘી ઉનું કરતી હતી. સેજલ સીધી ન્યાં જ બેસવા ગઈ. મંજુ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ પછી ટી.વી.માંથી જોઈ જોઈને શીખી હોય એવા નખરા કરતી કરતી સેજુદીદી, જીજા કેમ છે? જીજા શું કરે? અમી તમારા લગનમાં એની હારે બોવ મસ્તી કરી’તી એવું બોલ્યા કરતી હતી. મંજુનું ધ્યાન ન ગયું પણ ગરમ થયેલા ઘી પર બાઝેલા કીટુંને સાંઠીકડાથી આઘું કરી ફૂંક મારતી બા સેજલની ડબડબ થતી આખ્યું દેખી ગયા. બાએ રસોડાની ગાર્યની પોપડી ખોતરતી સેજલને કીધું, “સેજલી, તને સરખાઈ તો છે ને? રસોડામાં ચૂલાના તાપથી કાળી પડી ગયેલી ભીંતના ઉખડી ગયેલા પોપડાને સેજલ ઘડીક એકીટશે જોઈ રહી અને પછી હેઠું જોઈ ગઈ. બાએ બળતું લાકડું આઘાપાછું કરીને ચૂલાનું અજવાળું થોડું ઓછું કર્યું. રસોડામાં ગલોપની ફરતે કાળી મેશ બાઝી ગઈ હતી એટલે બળી ગયેલો પ્રકાશ રસોડામાં ખૂણે ને ખાંચરે બધ્ધે ઢોળાઈ ગયો હતો. ગલોપની ફરતે જીવડાં ગોળ ગોળ ફરતા હતા અને એક ગરોળી ગલોપની પાછળ લપાઈને બેઠી બેઠી આંખો પટપટાવતી હતી. મંજુને ઘડીક તો એવું લાગ્યું જાણે એને એકલીને જ આ બધું દેખાય છે. અચાનક એણે હીબકાં જેવું કાંઈક સાંભળ્યું. મંજુએ જોયું તો સેજલ હીબકે ચડી હતી. બા સેજલની સામું એકધારુ જોઈ રહ્યા. સેજલે આસું લૂછીને પોતાની ઘાઘરી ઊંચી કરીને બાને સાથળ સુધીના પગ બતાવ્યા. મંજુએ જોયું કે સેજલની પિંડીઓમાં અને સાથળમાં ખૂબ સોજા ચડેલા હતા. બાએ ત્યાં હળવેથી હાથ મૂક્યો. મંજુ આ બધું સમજવા મથતી રહી. “ના નથી પાડી હકતી? મંજુને બાનો અવાજ બોદો લાગ્યો. “જનાવર જેવો છે કાકી એ તો.... હું તો એને કાંઈ કે’તા કાંઈ.... સેજલ એટલું માંડ બોલી શકી અને એનો અવાજ ચૂલાના લાકડામાંથી ફટ્ટ અવાજ આવે એમ ફાટી ગયો. તરત બાએ ચૂલામાં એક લાકડું વધારે નાખી તાપ વધાર્યો. બાજુમાં વાસણોમાંથી નાની વાટકી કાઢી એમાં ઘી ભર્યું અને હીંગના થોડા દાણા નાખી વાટકી ગરમ કરી. તાપમાં બાનું લાલચોળ મોઢું મંજુ જોતી રહી. મંજુને લાગ્યું કે ગરોળીએ ઝપટ મારીને જીવડું મોઢામાં લઈ લીધું, જીવડું ફફડાટ કરતું રહે છે અને ગલોપનું બળેલું અજવાળું સહેજ સહેજ હાલકડોલક થયા કરે છે. સેજલે સાડીના છેડાથી નાક લૂછ્યું અને બા સામે જોતા બોલી, “કાકી, તમી માર કાકાને ક્યને માર સાસરિયે.... સેજલની વાત અડધેથી કાપતાં બા બોલી, “આ ઘીમાં હીંગ ફૂટે પછી ઉતારી લેવાનું ને હળવા હાથે માલીશ કરીશ તો સોજો ઊતરી જાશે. પછી બાએ તરત ફુંક મારીને ચૂલાનું છેલ્લે વધેલું ઘટેલું અજવાળુંય ઓલવી નાખ્યું. મંજુ જેટલું પણ સમજી હતી એટલી વાતે પણ એનો જીવ ચૂંથાતો હોવાનું એને લાગ્યું, એને થયું કે વાવમાં પડ્યા પછીય આવો જ જીવ ચૂંથાતો હશે? તરત એ રસોડાની બહાર નીકળી ગઈ અને બાવલીના ઘર બાજુ ચાલતી થઈ. શેરીમાં નાકે પુરીમા બેઠા બેઠા માળા ફેરવતાં હતાં એણે નેઝવું કર્યું અને સાદ પાડ્યો, “કોણ મંજુડી કે? લેને બટા, નળ આયવા છે..... મા પાણિયારું ભરી દેને માર પેટ.... આજ કેડ્ય બવ દુખેસ, નકર તો વાંકાં વાંકાય હું ભરી જ લવ.” પુરીમા વર્ષોથી એકલા રહે. મંજુએ મોઢું બગાડ્યું, “હા માડી હા.... પણ આખ્ખું નહીં ભરું હોં? મારી સિરિયલ ચાલું થઈ જાહે બાવલીના ઘરે. મંજુએ ફટાફટ પાણિયારું ધોઈને ગોળો ભરી દીધો. પુરીમા બહાર ઓટલેથી આવીને ઓશરીની કોરે બેઠા પછી તૂટી ગયેલા ચપ્પલની પટ્ટીને લીરાથી બાંધવા લાગ્યા. મંજુએ ઓશરીની લાઈટ ચાલુ કરી અને એની પાંહે બેઠી પછી ધીરેથી બોલી, “હેં પુરીમા, આ ગામની વાવમાં તો હું હશે? ડોશીએ હળવા દાંત કાઢ્યા અને પછી બોખા મોઢામાંથી પડતી લાળને બજરિયા સાડલાના છેડાથી લૂંછી. “વાવમાં તો હું હોય... એટલું બોલીને પુરીમાએ અંધારા સામે મોઢું ઊંચું કર્યું. મંજુએ જોયું કે પુરીમા નાકને આગળ પાછળ ડાબે જમણે મરોડી રહ્યા છે, ઘડીક તો એવું લાગ્યું કે પુરીમા વાવની લીલવાળી ભીંતો સૂંઘી રહ્યા છે. “....વાવમાં તો હું હોય.. ગંધાતુ પાણી... લીલ.... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા.... એટલું બોલ્યાં ત્યાં પુરીમાનો શ્વાસ ચડી ગયો. ઓશરીમાં લાગેલા બલ્બના અજવાશમાં મંજુએ ધ્યાનથી પુરીમાનું મોઢું જોયું. એને લાગ્યું કે પુરીમાની આખ્યું જ વાવ જેટલી ઊંડી ઊતરી ગઈ છે, ઈ આખ્યુંમાં ગંધાતા પાણી તગતગતા દેખાણા, આખ્યુંના બેય છેડે લીલ જેવા શીપડા બાઝ્યા હતા અને ફિક્કાશ ભરેલી કીકીઓના ડાળખામાંથી અંધારું ઉલેચાયને આખ્યુંની બહાર નીતરી રહ્યું છે. એ સીધી ભાગી. પુરીમાની ખડકીની બહાર અંધારામાં સૂતેલી કૂતરીની પુંછડી પર ભૂલથી પગ દઈને એ બાવલીના ઘર તરફ ભાગી. કૂતરીના કાવ્વ... કાવ્વ.... કાવ્વમાં મંજુને પુરીમાના વાક્યો સંભળાતા રહ્યા. “.... વાવમાં તો હું હોય... ગંધાતું પાણી... લીલ... કદડો... કાંટાળા ડાંળખા ને અનગળ અંધારા... બાવલીના ઘેર બેસીને સિરિયલ જોવામાંય જીવ ન ચોંટ્યો અને એ રાત્રે લૂસલૂસ ખાઈને બા સાથે ખાટલે આડી પડી. રાત્રે એ બા સાથે જ સૂવે અને બા પણ મંજુ એની સાથે જ સૂવે એવો વધારે પડતો આગ્રહ રાખતી એવું મંજુને લાગ્યા કરતું. આકાશમાં કાળા વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો એટલે ક્યાંય તારોડિયાનો અજવાસ કળાતો નહોતો. રાત્રે નવેક વાગ્યાના સુમારે લાઈટ જતી રહી હતી. બાએ ઓશરીમાં બત્તી ચાલુ કરી પાણિયારે ટિંગાડી. સવારે બત્તી ચાર્જ કરવાનું બા ભૂલી ગઈ હશે એટલે બત્તીમાંથી ખૂબ ઓછું અજવાળું નીકળતું હતું. એ બત્તીના આછા અજવાળાનો ગોળ ચંદો પાણિયારે ઉખડી ગયેલી ચૂનાની પોપડીઓ પર પડતો હતો. મંજુ એકીટશે પાણિયારે બત્તીના આછા અજવાસના ચંદાને જોતી હતી. એને થયું કે આ અજવાસના ચંદામાં ઓગળતું અંધારું ય છે તો વાવ જેવું જ. બા વાસણ ધોઈને મંજુની બાજુમાં સુતી. ધીમો ધીમો વરસાદ શરૂ થયો. વચ્ચે વચ્ચે વીજળીનો ચમકારો થતો, મંજુ બાપુના મોબાઈલમાં ફોટા પાડતી વખતે ક્લીક કરે અને ઝબૂક લાઈટ થઈ ઓલવાઈ જાય એમ. પવન ફૂંકાતો હતો અને બત્તી પાણિયારે જ્યાં ટિંગાડી હતી ત્યાંથી હલ્યા કરતી હતી. બત્તી હલતી હતી એટલે આછું અજવાસ ભર્યું માંદલ ચાંદરણુંય હલ્યા કરતું હતું. મંજુને લાગ્યું કે જાણે વાવમાં બધું હિલોળે ચડ્યું છે. થોડીવાર મંજુએ આંખો બંધ રાખી અને બત્તીની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો. મંજુએ આંખ્યું ખોલી. અંધારામાં સરખું કશું દેખાતું નહોતું. અંધારામાં એક ઓળો બા પાસે આવ્યો. મંજુએ આંખ્યુંને થોડી ખોલી અને ઓળાને ઓળખવા મથતી રહી. ઓળામાંથી અવાજ આવ્યો “અય.... કવ છું ઊભી થા હાલ્ય. “હાશ.... સૂવા દ્યોને... આજ બવ થાકી ગઈ સવ. “ઊભી થાને... કીધુંને તને એકવાર... મંજુને થયું કે વીજળીની ઝબૂક લાઈટ નો થાય તો પાડ માતાજીનો. “ધીરેલી બોલો.. મંજુડી જાગી જાહે કવ સુ. “હાલ્યને સાનીમાની. “શરમ કરો હવે ઉંમરની કાંઈક મરજાદ.. છોકરાવય તે હવે તો મોટા... અંધારામાં એક ઝાપટ બાના ગાલ પર પડી. “ઓયમાં મારી આંખ્ય... હાશ... “મોડું નો કરતી. મંજુએ જોયું તો એ ઓળો અંદર ઓરડામાં જતો રહ્યો. થોડીવાર સુધી બા ખાટલામાં બેઠી રહી પછી મંજુ સામે ધારી ધારીને જોઈ રહી. મંજુએ જોશથી આંખો મીંચી રાખી. બાએ અંધારામાં આંસુ લૂછ્યા. સાડીનો છેડો ખૂલો કરી વાળ છોડીને અંધારામાં અંદર ઓરડામાં ઓળા પાછળ ઓગળી ગઈ. મંજુની બંને હથેળીઓમાં પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું કે શ્વાસ લેવામાં એને તકલીફ પડી રહી છે. વરસાદ વધ્યો, વીજળીના અવાજો વધ્યા. ગોદડાને કસકસાવી મંજુ નેવેથી નીતરતા પાણીને વીજળીના અજવાસમાં જોતી રહી. થોડીવારે અંધારામાંથી એ ઓળો બહાર આવ્યો ડેલી બાજુના ઢોલિયે જતો રહ્યો. મંજુ બધું ઉકેલવા મથતી રહી. બત્તીની સ્વીચ ચાલુ થવાનો અવાજ આવ્યો એટલે મંજુ સમજી ગઈ કે બા આવી ગઈ. બા સીધી મંજુના ખાટલે બેસી ગઈ. એ આખી હાંફતી હતી, પરસેવે રેબઝેબ. બાએ સાડલાથી પરસેવો લૂછ્યો. બાના હીબકા મંજુની છાતીમાં ઉગ્યા. ઘડીક તો મંજુને લાગ્યું કે બા પેલી ભમ્મર અંધારી વાવમાંથી નીતરીને બાર્ય આવી છે. રાતે મંજુને સપનુંય એવું આવ્યું કે વાવમાંથી કોઈ લાંબા ઢાળે ગીત ગાઈ રહ્યું છે અને ઝાંઝરનો અવાજ તાળીઓના ટપાકા સાથે આખા ગામમાં સંભળાય છે. એ ઝબકીને જાગી ગઈ અને જુવે તો સવાર પડી ગઈ હતી. સવારમાં જાગીને વડસાવિત્રીના વ્રતની પૂજાથાળી તૈયાર કરવા લાગી. સવાર પડી ગઈ તોય વાતાવરણ સાંજ જેવું હતું. વાદળાઓએ આકાશ ઢાંકી રાખ્યું હતું. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. રાણી કલરના ચણિયાચોળી પહેરીને પૂજાની થાળી અને તાંબાનો લોટો લઈ એ બાવલી, આશલી, ગવરી અને હરસુડી સાથે વડલો પૂજવા ગઈ. આખી પૂજામાં મંજુ નદીના સામા કાંઠાની વાવને ધારી ધારીને જોયા કરતી હતી. પ્રવીણ મહારાજ છોકરીઓને વડપૂજા કરાવતા કરાવતા કહેતા હતા હવે અબીલ-ગુલાલ-કંકુથી વડદેવતાને વધાવો... બે હાથ જોડીને કૂળદેવીનું નામ બોલો... પછી વડદેવતાને પ્રાર્થના કરો કે હે વડદેવતા, અમે તનમનધનથી વ્રત કર્યા છે... જેમ તમે સાવિત્રીને ફળ્યા એમ અમનેય..... બાવલીને વહેમ પડ્યો કે મંજુનું ધ્યાન નથી. એણે જોયું તો મંજુ વાવ સામે જોયા કરતી હતી. બાવલીએ હડદોલો માર્યો, “એય મંજુડી, આંય પૂજામાં ધ્યાન દેને બાપા... ન્યાં હું દાટી સે કે ટગર ટગર જોયા કરે સ. મંજુ જવાબ દીધા વિના થાળીમાં કમળકાકડી રમાડતી રહી. પૂજા પૂરી થઈ એટલે પ્રવીણ મહારાજ બોલ્યા, “સોડિયું, બેટા હટ ઘરે પોગજો.... મે અંધાર્યો છે. બધ્યું કલબલ કલબલ કરતી ઘર ભણી હાલતી થઈ. મંજુએ બાવલીને થાળી પકડાવી અને બોલી, “બાવલી, તું ઘરે પોગ્ય, હું આવું હમણે મંજુને વાવ બાજુ જતા જોઈને આશલી બોલી, “એલી અય મંજુ, આંય વાવ બાજુ નો બેસતી... થોડી આઘે જઈને બેસજે અને થૂંકીને બેસજે મંજુએ તો જાણે કશું સાંભળ્યું જ નથી, એ વાવ બાજુ ચાલતી રહી. બાવલીનો જીવ મૂંઝાણો, “મંજુડી... બવ આઘી જા મા. ન્યાં હનુમાનદાદાનું નામ લઈન બેહી જા. થોડીવારે બાવલીને સમજાઈ ગયું કે મંજુ હળવીભારે થવા તો નથી જ જાતી. એની છાતીના ધબકારા વધી ગયા. મંજુ બાવળિયાના ડાળખા અને કાંટાને ઠેકતી આગળ વાવ બાજુ ચાલવા લાગી. “મંજુડી પાછી વળ્ય.... તાર બાપુને કઈ દશ હો.... આમ જો મેહ ખરેખરનો અંધાર્યો છે. બાવલી પોતાની ચણિયાચોળી કાંટામાં ન ભરાઈ જાય એવું ધ્યાન રાખતી પોતાની અને મંજુની થાળી સંભાળતી ડરતી ડરતી મંજુ પાછળ આવી. ધીમે ધીમે છાંટા પડવાના ચાલુ થઈ ગયા. વાતાવરણમાં વરસાદનો ગડગડાટ વધ્યો. બાવલીએ મંજુ પાછળ દોડવાની ઝડપ વધારી “મંજુ... મારી મા.... પાછી વળ્ય... મને બોવ બીક લાગે છે. એણે જોયું કે મંજુ વાવ પાસે પહોંચી ગઈ. મંજુ વાવ પાસે પહોંચી ગઈ હતી. એણે જોયું તો છાતી સમાણી ભીંતમાં જ્યાં જ્યાં ટેકો લઈ બાયું વાવમાં પડી હશે ઈ બધા ટોસાઈ ગયેલા ભાગમાં પીપળા ઊગ્યા હતા. મંજુએ એ ટોસાયેલા ભાગ પર અંગુઠો ગોઠવ્યો અને ભીંત પર ચડી. બાવલીનો જીવ ઊંચો થઈ ગયો. મંજુએ ભીંતનો આધાર લીધો અને વાવ તરફ નમી. બાવલીએ રાડારોળ્ય મચાવી, “એય મંજુડી.... ઊભી રે મારી મા... એય તું માલીપા પડી જાશ... તાર બાપુને કહી દઈશ... ધોડો... ધોડો... મંજુ વાવમાં જાય છે... મંજુનું અડધા ભાગ ઉપરનું શરીર વાવમાં નમેલું હતું. એ ધારી ધારીને વાવના અંધારાને જોવા લાગી. ઘડીક તો કાંઈ સરખું દેખાયું જ નહી. અચાનક મંજુને લાગ્યું કે કોઈ બાઈ વાવ બાજુ ધોડતી આવે છે... એ બાઈના ઝાંઝરનો અવાજ અને હીબકા મંજુના કાનમાં ઉભરાઈ ગયા. મંજુએ પાછળ ફરીને જોયું. મંજુને રાડો પાડતી બાવલી ન દેખાણી પણ સાચ્ચે જ ખૂબ ઝડપથી દોડી આવતી બાઈ દેખાણી. મંજુ ફાટી આંખે એ બાઈને ઓળખવા મથતી રહી. એ બાઈ કાંટામાં દોડતી હતી, એ હીબકાં ભરતી હતી, એનું મોઢું રાણી કલરના લેરિયાના ઘુમટામાં ઢંકાયેલું હતું. બંને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ હતી, એ બાઈના પગના જાડ્ડા ઝાંઝરનો અને એકબીજા સાથે અથડાતી બંગડીઓનો અવાજ વાદળાઓની ગડગડાટીમાંય મંજુને સંભળાતો હતો. એના લાંબા વાળ ઘૂમટામાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. એ હાંફતી હાંફતી વાવ બાજુ દોડી આવતી હતી. વરસાદ એકદમથી વધી ગયો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. એ બાઈ પોતાની તરફ દોડી આવતી હતી એ જોઈ મંજુએ વરસાદે ઊભા કરેલા અંધારામાં બાવલીને શોધી. ચહેરા પર વરસાદથી ભીંજાઈને ચોંટી ગયેલી લટને ખસેડી એણે બૂમ પણ પાડી, “બાવલી, આમ જો કોઈ બાઈ ધોડી આવે છે.... આ બાજુ.. વાવ પાંહે જો... બાવલી બેબાકળી બનીને મંજુ જે દિશામાં હાથ ચીંધતી હતી એ દિશામાં જોવા લાગી પણ ત્યાં કશું દેખાતું નહોતું. વરસાદ એકદમથી ખૂબ વધી ગયો.. પવન ફૂંકાવા લાગ્યો. બાવલીના ચણિયાચોળી બોરડીના ઝાળામાં ફસાઈ ગયા. એ ધૂંવાપૂંવા થઈ ગઈ. “મંજુડી, હવે બોવ થ્યું હો.. વાવમાં જોઈ લીધું હોય તો આંય પાછી ગુડા... કભારજા, તું મારો જીવ લઈ લેવાની આજ તો.... હેઠી ઊતર કવ સવ.... બાવલીએ ફરી મંજુ જે દિશામાં આંગળી ચીંધતી હતી એ દિશામાં જોયું પણ કશું દેખાતું નહોતું, પણ તોય મંજુ ફરી ફરીને બાવલીને કહેતી હતી, “જો જો બાવલી... કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાઈ નહીં. પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હીબકાંનો અવાજ એકદમથી વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો, વીજળીના ઝબકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઊડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું... આ બાઈને ક્યાંક મેં તો જોઈ જ છે... એ હજુ વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નીકળી ગઈ. મંજુનો ચહેરો ફિક્કો પડી ગયો. ગળું રંધાઈ ગયું. એને કશું જ સંભળાતું નહોતું. બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ... વીજળીના કડાકા.... વાદળાઓનો ગડગડાટ... બાવલીની ચીસો... બધું શાંત... એને માત્ર પોતાના ધબકાર સંભળાતા હતા.. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ... મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું... ....વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું, તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી,

“સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનરાધાર રે

એ આખી પલળી તોય કોરી ઓઢણાની કોર રે...!

એણે આંખ્યું ખોલી તો કેટલી બધી બાયું તળિયે બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉભડક બેસીને પગના નખ રંગતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખોસતી હતી, કોઈ કોડિયે ને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેશ આંજતી હતી, કોઈ નિરાંતે કપાળે ચાંદલો લગાવીને ધારી ધારીને ચાંદલો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી. અજવાસમાં બાંધણી, લેરિયા, કાપડા, ઓઢણા, દુપટ્ટાનો રંગ બાયુંના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યું. તળિયે અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુંને જોઈ... એના અચંબાનો કોઈ પાર ન રહ્યો... એને બા દેખાણી, સેજલ દેખાણી, પુરીમા દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી, ગવરી, હરસુડી, આશલી બદ્યું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી... આંબલિયા ખાતી હતી... ભરત ભરતી હતી... ઠીકરીથી રમતી હતી.. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાઈ. બધી બાયું એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલીએ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયું જોરજોરથી હસવા લાગી. એકબીજાને તાળિયો આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.. એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી, આ તો હું જ સવ..... એના ધબકારા એકદમથી વધી ગયા. વીજળીનો પ્રચંડ કડાકો થયો. વાવમાંથી હસવાના અવાજો બહાર નીકળી ગયા એવું મંજુને લાગ્યું. એણે બાવલીને શોધવા આજુબાજુ નજર કરી પણ વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં. એણે ઉપર નજર કરી તો કાળા ડિબાંગ વાદળાઓ નીચે ઝૂકી રહ્યા હોય એવું એને લાગ્યું, એણે ફરી વાવમાંથી આવતા અજવાસમાં તરફ જોયું. મંજુને થયું કે હેઠ્યે તો નર્યું અજવાળું જ છે... અંધારું તો મારી ઉપર તોળાઈ રહ્યું છે!

‘મહોતું’ વાર્તાસંગ્રહમાંથી



“માતા અને પુત્રની અમિટ રાહ”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે


“ગ્રામકન્યા” ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”


“વાટમાં વાતોના વંટોળે”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે”

॥ વિવેચન॥



કવિ કાન્ત
જન્મઃ ૨૦ નવેમ્બર ૧૮૬૭
મૃત્યુઃ ૧૬ જૂન, ૧૯૨૩



ભૃગુરાય અંજારિયા
જન્મઃ ૬ ઓક્ટોબર, ૧૯૧૩
મૃત્યુઃ ૭ જુલાઈ, ૧૯૮૦


કાન્ત અને તેમની કવિપ્રતિભા.....
ભૃગુરાય અંજારિયા

ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રમાં આમ તો મણિશંકરે અનેક પ્રવૃત્તિ કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ, ગુજરાતના એક મહાન સ્વપ્નદૃષ્ટા ત્રિભુવનદાસ ગજ્જરના સમર્થ સાથી તરીકે, અને વડોદરાના કલાભવનની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે, શિક્ષણના ક્ષેત્રમાં તેમણે ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ દીપાવ્યું; તેને પરિણામે, એક તો ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવો ઉત્તમ ગ્રંથ રચાયો, અને બીજું, તેમણે પોતાની નીચે તાલીમ લઈ રહેલા શિક્ષકો ઉપર આજીવન અસર રહે તેવો ઘેરો પ્રભાવ પાડ્યો. સ્વ. કરુણાશંકર માસ્તર જેવા આદર્શ શિક્ષકો ગુજરાતને એ રીતે મળ્યા. ઉપરાંત, મણિશંકરે સંવાદો લખ્યા, નાટકો લખ્યાં, ગ્યોઈટે અને સ્વીડનબૉર્ગના અનુવાદો કર્યા, નાનકડી નવલકથાઓ લખી, અને જોકે કલાપીના પત્રોની જેમ તેમના પત્રોની સામગ્રી એકત્રિત રૂપે પૂરેપૂરી છપાઈ નથી, તોપણ એ સામગ્રીમાં પણ તેમણે પોતાના હૃદયનો વૈભવ ઠાલવ્યો છે એ તો જાણીતું છે. વળી, જે યુગમાં વકતૃત્વકળા સોળે કળાએ ખીલી હતી, અને જ્યારે એ કલાનું ધોરણ ઘણું ઊંચું હતું, ત્યારે પણ ગાંધીજીના ‘નવજીવન’ને અંજલિ આપવી પડે એવું મણિશંકરના વકતૃત્વનું વશીકરણ હતું. આ બધી સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ આવે પ્રસંગે સહજ રીતે યાદ આવે એ સ્વાભાવિક છે, પણ જન્મશતાબ્દીના ઉત્સવનું મુખ્ય નિમિત્ત એ તો કાન્તે અર્વાચીન ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં કરેલું વિશિષ્ટ પદાર્પણ છે. તો પછી, આજે શતાબ્દીદિને, આપણે એમની કવિતા ઉપર નજર ઠેરવીએ એ ઉચિત ગણાશે. કાન્તના કવિમિત્ર અને સહાધ્યાયી સ્વ. પ્રો. બલવંતરાય ઠાકોરે પોતાને માટે નોંધ્યું છે કે એમને કવિતાને લગતા કોઈ સંસ્કારો બચપણથી કે વાતાવરણથી મળ્યા નહોતા, આથી ઊલટું, પ્રશ્નોરા જ્ઞાતિમાં જન્મેલા કાન્તને વારસાથી અને વાતાવરણથી છંદોલીલા કરવી સહજ હતી. હાઇસ્કૂલમાં ભણતા ચૌદ વરસની ઉંમરના કિશોર કાન્ત પોતે કવિતા કરે છે ત્યારે ભાષા બરોબર નથી આવતી, કારણ કે કલ્પના પણ જોઈએ તેવી નથી આવતી-એમ મૂંઝાય છે, અને ‘ખળખળ કરતું જળશિશું રમતું’ જેવી પંક્તિઓ રચી શકે છે, એમ એમના એક સ્વજનનું તે સમયનું સ્મરણ મળે છે. એ પછી, પંદર-સોળમે વર્ષે, મૅટ્રિક થયા પહેલાં જ, કાન્ત ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ એ નામની, છંદોનું મિશ્રણ ધરાવતી વાર્તાની ચોપડી, મણિશંકર રત્નજી ચામુંડકરના નામથી છપાવવાનું સાહસ પણ કરે છે! કેવા છે એમાંના છંદો? એક નમૂનો આ રહ્યોઃ

અરે મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર,

જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?

‘દલપત પ્રાસે વ્હાય’ એ આક્ષેપને યાદ આપતી આ પંક્તિ બતાવે છે કે હજી સ્વાભાવિક રીતે જ કિશોર કાન્ત દલપતયુગના પ્રભાવે નીચે છે. પણ આ ચોપડી વીગતે જોતાં એટલી ખાતરી તો થાય છે કે કાન્તનો હાથ અનેક છંદો ઉપર બેસી ગયો છે, અને એ છંદોમાં પૃથ્વી છંદ પણ મળે છે. આ પછી આપણને કાન્તની આ ઉંમરની કવિતાની ગતિ આટલી સ્પષ્ટતાથી જોવા મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે કાન્ત ૧૮૮૪માં રાજકોટથી મૅટ્રિક પાસ કરી મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાય છે ત્યારે જ એમની કવિતાની અભિરુચિ સાચી દિશામાં કેળવાય એવા સંજોગો એમને પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારા છંદોમાં અનેક વિષયો પર જે કાંઈ લખાય તે બધું જ કાવ્ય; શબ્દના વિવિધ અર્થની રમત અને પ્રાસની ચાતુરી એટલે પણ કાવ્ય-આવી માન્યતાથી રચાતી દલપતયુગની કવિતાનો યુગ ઝડપથી અસ્ત પામતો હતો. પણ કોઈપણ કાવ્યયુગ ગમે તેટલો જીર્ણ અને મૃતપ્રાય હોય, નવાં પરિબળો વિના એ અસ્ત પામતો નથી. કાન્તને અને તેમના પહેલાંના નવોદિત કવિઓને આ નવાં પરિબળોનો લાભ યુનિવર્સિટીના અધ્યયનથી મળ્યો હતો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના પૌત્ર જ કવિતા શીખવે; પાલગ્રેવની ‘Golden Treas-ury’નાં જ કાવ્યો નહીં પણ અનેક અંગ્રેજી કવિઓના કાવ્યસંગ્રહો વંચાય અને ચર્ચાય; અંગ્રેજી વિવેચકોની કાવ્યભાવનાના સિદ્ધાંતોની ચર્ચા થાય, તે સમયના કૉલેજના ખૂબ જ નાના વર્ગોમાં વિકટોરિઅન યુગના ગંભીર અને કર્તવ્યનિષ્ઠ અંગ્રેજી પ્રોફેસરો હોશિયાર વિદ્યાર્થીઓને અંગત માર્ગદર્શન આપે- આવું વાતાવરણ યુનિવર્સિટીનું શિક્ષણ લેતા તરુણ કવિઓની અભિરુચિને દલપત-નર્મદયુગથી આગળ લઈ જવામાં ખૂબ જ ઉપકારક નિવડ્યું. આ નવીન અભિરુચિનાં પહેલાં કિરણો આપણે નરસિંહરાવમાં જોઈએ છીએ. નરસિંહરાવ નાનપણમાં દલપતરામ પાસે, ભણેલા, પણ એમની ‘કુસુમમાળા’માં અંગ્રેજી કવિતાની અસર સ્પષ્ટ જોવા મળે છે. એટલું જ નહીં, એ સમયે તેમણે ‘એક ચિત્ર જોઈને સૂઝેલા વિચારો’ નામનો લેખ લખ્યો તેમાં ત્યાર સુધીની કવિતા ઉપર ટકોર કરી છે. કાન્તને ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા તો જન્મથી જ મળી હતી, પણ એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રોત્સાહક વાતાવરણમાં પોતાની અત્યાર સુધીની કવિતા તરફ કડક આત્મપરીક્ષણ શરૂ થાય છે. પોતે કવિ તરીકે નામ કાઢશે એવી તમન્ના જ નહીં, આત્મ વિશ્વાસ પણ સ્ફૂરે છે. અને જ્યારે ૧૮૮૬માં કૉલેજકાળ પૂરો થવા આવે છે ત્યારે, એમના કૉલેજમિત્ર, અને એમની અત્યાર સુધીની કવિતાના સાક્ષી બની ચૂકેલા રમણભાઈ નીલકંઠ ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ સમક્ષ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિશે નવા ખ્યાલોથી ભરેલું ભાષણ કરે છે ત્યારે એમને કાન્ત

સાંપ્રત રસમય ઋતુની કદર અરે જાણતા નથી કોઈ,

તે મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.

એ ગતિથી વધાવી લે છે. પણ નવી કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ કહેતી આ સુંદર ગતિમાં દલપતયુગની શ્લેષચાતુરી તો છે જ. અંગ્રેજી કવિતા, અંગ્રેજી વિવેચન અને સંસ્કૃત સાહિત્યનો રસિક આસ્વાદ થવા લાગ્યા પછી લખાયેલું અને રમણભાઈને ‘બુદ્ધિપ્રકાશ’માં છાપવા મોકલેલું કાવ્ય ‘મારી કીસ્તી’ ચંદર-બંદર-અંદર જેવા પ્રાસ મેળવે છે; જૂની લઢણનું આ છેલ્લું કાવ્ય છે અને એ કારણે જ કાન્તે ‘પૂર્વાલાપ’માં એને સાચવ્યું લાગે છે. ૧૮૮૬નું ‘મારી કીસ્તી’ લખાયા પછી કાન્તની કાવ્યસાધના બેશક ખૂબ જ ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે, પણ હરિલાલ ઝીણા ભટ્ટ, રમણભાઈ વગેરે બહુ થોડા મિત્રોને બાદ કરતાં, કોઈને જ તેમની workshopમાં, કાવ્યરચનાના તેમના કાર્યાલયમાં, ડોકિયું કરવાની તક મળતી નથી, વરસો વીતે છે, ૧૮૮૭, ૧૮૮૮,૧૮૮૯. તે સમયના કાવ્યરસિકો ગુજરાતી કવિતાને કાન્તને હાથે નવા મરોડો મળી રહ્યા છે તેથી બિલકુલ અજાણ છે. એકાએક ૧૯૮૦ના વર્ષના પહેલે જ દિવસે ‘બુદ્ધિપ્રકાશ’નો અંક કાવ્યરસિકોના હાથમાં આવે છે. એ અંકમાં પહેલા જ પાને કાન્તનું ‘વસંતવિજય’ અને પાનાના નીચલા ભાગમાં ‘મકરંદ’ એટલે કે રમણભાઈની ટીકા છેઃ પૂરાં પંદર પાનાં બાવીસ વરસના કવિની કવિતા અને તેટલી જ ઉંમરના કવિમિત્રની ટીકાના સહચારમાં રોકાયાં છે. એને જેવી કવિની કવિતા છે, એવી જ એને જેબ આપે તેવી વિવેચકની ટીકા છે. સુજ્ઞ કાવ્યરસિકોએ તે જ ક્ષણે તરત નોંધ્યું કે ગુજરાતી કવિતા સાહિત્યની આ વિરલ, રોમાંચક અને ચમત્કૃતિપૂર્ણ સિદ્ધિ હતી, વચલાં વર્ષોના કાન્તના પ્રયોગો પોતે ન જાણતા હોવાથી નરસિંહરાવે ઘણાં વરસ પછી પણ આ પ્રમાણો નોંધ કરી છેઃ “હવે ૧૮૯૦ની સાલમાં મણિશંકરનું, ‘વસંતવિજય’ નામના અપૂર્વ સૌન્દર્ય અને કલાવિધાનયુક્ત કાવ્યની દ્વારા, દર્શન કરું છું. ખરે! નીલકંઠનું ભાવિદર્શન સાચું; મેઘના રસમય જલ વડે સ્વાતિ નક્ષત્રમાં ગુજરાતની સીપમાં અપૂર્વ મણિ - મૌક્તિકમણિ-પાક્યો હતો. મણિશંકરનું એ પ્રથમ જ કવિત્વફળ હતું, છતાં પરિપક્વ કવિત્વનાં લક્ષણ એમાં પ્રગટ હતાં. ઝીયુસના મસ્તિષ્કમાંથી એથીના પૂર્ણ વિકાસવાળી-સંપૂર્ણ, સુસજ્જ-નીકળીને પ્રગટ થઈ, એ કલ્પિત કથાનું પ્રત્યક્ષ પ્રતિબિંબ આ કાવ્યમાં જોઈ શકાય.” આમ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચક, અને પોતાને જ અર્વાચીન કવિતાના પિતા મનાવનાર કવિને પણ લાગ્યું. એમનાં કાવ્યોમાં સ્નેહજીવનની કરુણતા ગાનાર કાન્ત, દામ્પત્ય સ્નેહ બધા સ્નેહોમાં સર્વોપરિ અને દિવ્ય છે, અને સ્વર્ગમાં જ એનું અનંત સુખ છે એમ કહેતા સ્વીડનબૉર્ગ તરફ વળ્યા. તે સમયે તો કાન્ત ક્રિશ્ચિયન થયા એટલું જ સમજાયું, અને કાન્ત ઉપર અનેક પ્રકાનો સીતમ વરસ્યો.... આ અસદ્ભાવને કારણે કાન્તની કવિતાના સ્વીડનબૉર્ગી અંશો આપણે સમજ્યા નથી.

● કાન્તની અદ્ભુત સંવિધાનશક્તિ

આજે આપણે કાન્તની પુણ્યતિથિને નિમિત્તે અહીં એકઠા થયા છીએ. કાન્તની પુણ્યતિથિ સોળમી જૂને પડે છે, પણ આપણે એક દિવસ મોડા મળ્યા તેમાં કદાચ હું કારણરૂપ છું. ગઈ કાલે મારે અન્યત્ર બોલવાનું હતું. ભાવનગર રાજ્યના શિક્ષણખાતાની, સર્જકને બહુ ફાવે નહીં એવી નોકરી ઉપરથી પેન્શન ઉપર ઉતરી, કાન્ત કાશ્મીરની મુસાફરીએ ગયા; અને તબિયત લથડતાં પાછા ફરતાં ટ્રેઈનમાં જ એમનો દેહ પડી ગયો. એ જ દડાહે - સોળમી જૂને - એમને કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ બહાર પડ્યો. આમ ફાઈલોમાં દટાયેલાં કાવ્યો એકત્રિત સ્વરૂપે વાંચવા મળતાં વિવેચકો એ તરફ આકર્ષાયા. એ પછીની સોળમી જૂને - પહેલી પુણ્યતિથિએ - મારો ખ્યાલ સાચો હોય તો, આજના પ્રમુખે ‘વસંતવિજય’ના કરુણરસ વિશે ચર્ચા કરી; કાન્તની પુણ્યતિથિ ઊજવવાની પ્રણાલી આમ બંધાઈ. એ પ્રણાલીનો આજે એકઠા મળીને આપણે આદર કરીએ છીએ. હું પણ શરૂઆતમાં ‘વસંતવિજય’ વિશે કહેવા માગું છું. એ કાવ્યને નરસિંહરાવે, આનંદશંકરે અને પ્રો. પાઠકે સર્વાંગસુંદર ગણ્યું છે, પણ પ્રો. ઠાકરે એ કાવ્ય વિશે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ‘બે ઝીણી અમથી ટીપ’ આપી છેઃ એક તો એ કે, એનું છંદોવૈવિધ્ય, પ્રો. પાઠક કહે છે તેમ, નવું નથી. એ તો કાન્તને, પ્રશ્નોરાઓના ‘પ્રવીણસાગર’ના વાચનથી મળ્યું. આ વિશે મેં ગઈ પરિષદમાં નિબંધમાં કહ્યું છે. કાન્તે એક પછી એક દસ કાવ્યોમાં છંદોનો સભાન પ્રયોગ કરીને એમના ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં જે ભાવ અને આકારનું દ્વૈત ટાળ્યું છે, તે ગુજરાતી કવિતામાં નવીન જ છે. હવે પ્રો. ઠાકોરની બીજી ટીપ - taken cut - લઈએ. પ્રો. ઠાકોરે એમની ૧૯૩૧ની ‘કવિતાસમૃદ્ધિ’માં શ્રી બેટાઈના ‘સુલોચનાનું લોચનદાન’ વિશે લખતાં કહેલું કે, એ કાવ્યમાં ‘વસંતવિજય’નો દોષ નથી. ‘વસંતવિજય’માં “વસ્તુનો વેગ અતિ મંદ” છે. “વસ્તુનો વેગ અતિ મંદ” એ શબ્દો બરાબર નથી; તેથી પ્રો. ઠાકોરે એમના ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં એ મતને સમારતાં કહ્યું કે ‘વસંતવિજય’માં કાર્યગતિની મંદતા છે, જોકે ખૂંચે તેટલી નહીં. આમ, પ્રો. ઠાકોરના જ આ સુધારેલા મતમાં આવતી-ઉચ્ચહણિતનો એક શબ્દ યોજું તો - નતિમાત્રા જોઈ શકાશે. હવે આપણે આ ખામીને તપાસીએ. ‘વસંતવિજય’માં કવિને કેવા ભાવો આલેખવા હતા? આ સમયના એક પત્રમાં, - જીવનમાં કોઈ ન્યાયની કે દયાળુ અધિષ્ઠાતા હોય એમ હું માનતો નથી; પ્રણયમાં જ સાચું સુખ છે, અને તે પ્રણયીને સુખી કરતાં દુઃખી વધારે કરે છે - આ મતલબનું કાન્ત લખે છે. એ વખતે કાન્તમાં ઉત્કટ નાસ્તિકતા હતી; પ્રો. પાઠક એમની પ્રસ્તાવનામાં કહે છે કે, એ સમયે કાન્ત નાસ્તિક નહીં પણ અજ્ઞેયવાદી જેવા હતા. પણ ‘મૃગતૃષ્ણા’માં ‘નથી ઈશ્વર દુઃખીનો’ એમ એ કહે છે; ‘ચક્રવાકમિથુન’માં પક્ષીયુગલને ‘તરફડે સમજી રચનારને’ એમ વર્ણવે છે. એ જોતાં કાન્ત અસ્તિપક્ષે પણ આવા કોઈ ઐશ્વર્યમાં માનતા હતા. ‘વસંતવિજય’માં કાવ્યના અંતભાગ તરફ જતાં, પ્રણયમાં સુખ, છતાં એ જ પ્રણયીને દુઃખી કરે છે એ વિરોધ સ્પષ્ટ થતો જાય છે. પાંડુની પ્રણયજીવનની ઇચ્છા અને ઋષિના ઉગ્ર શાપનું જ્ઞાન, એ બેનો વિરોધ અહીં વર્ણવાય છે. ઇચ્છા પાંડુની છે. એ એના જીવનના મર્માંકુરરૂપ છે; એમાં એને સુખ છે. પણ જે પાંડુનું જ્ઞાન છે તે જ એની ઇચ્છા પણ નથી, તે તો પારકાની - ‘ચક્રવાકમિથુન’માં છે તેવા કોઈ ઐશ્વર્યની - ઇચ્છા છે. આમ પરસ્પરવિરોધી તત્ત્વોનું દ્વૈત આ આપણને પહેલી જ વાર મળતી નાસ્તિક કવિતામાં આલેખાય છે. વૃત્તિઓની આવી અથડામણ તો માત્ર માનસભૂમિકાથી આલેખી શકાય. કાવ્ય આમ માનસપ્રદેશ પર નિરૂપાતું નાટક છે, તેથી તેનું કાર્ય જોનારે એની ગતિ બાહ્ય પ્રસંગો આલેખનાર કૃતિમાં હોય એમ ન હોય એ યાદ રાખવું જોઈએ. બીજું: કાન્તે ઉપર કહેલા ભાવને નિરૂપવા જે વસ્તુ પસંદ કર્યું તેની મુશ્કેલી પણ જોઈએ. ઊંચી કલાકૃતિમાં કલાકારને અશક્યને શક્ય કરી બતાવીને કવિઓ કાર્ય સાધે છે. ‘વસંતવિજય’ને અંતે આવતી પરાકાષ્ઠાને નિરૂપવાનું કાર્ય સહેલું નહોતું. કવિ લાગણી, વિચાર, ઝીણાંઝીણાં કારણો, આકસ્મિક ઘટનાઓ, ઇચ્છા અને જ્ઞાનના યુદ્ધમાં આવતા પલટાઓની એવી તો લાંબી અને ઊંચી સોપાનમાલા ગૂંથે છે કે જે ચડતાંચડતાં જ આપણું willing suspension of disbelief પૂરેપૂરું થાય છે, અને પાંડુ ‘પ્રિયે, પ્રિયે, પ્રિયે તારા હાથમાં સર્વ, હાય રે!’ એમ આર્તનાદ કરી ઊઠે છે ત્યારે વાચકને એ પરાકાષ્ઠા લૂલી અને લોલુપતાભરી નથી લાગતી. આમ, આ કાવ્યમાં, પરાકાષ્ઠાને દૂર હડસેલવી એ કલાપ્રશ્ન હતો; એ રીતે જોતાં અહીં મંદતા જ અપેક્ષિત છે. કાન્ત બને ત્યાં સુધી, કોઈ વિગત અભિનયને રૂપે મૂકી શકાય ત્યાં લગી કથન તરીકે મૂકતા નથી; અને પહેલેથી છેલ્લે સુધી એકએક શ્લોકમાં હેતુકતા = ગુજરાતી કાવ્યસાહિત્યમાં તો બીજે જડતી નથી એવી હેતુકતા - motivation - સાધે છે. એ બે લક્ષણોને લઈને પણ જરૂરી એવી મંદતા પ્રાપ્ત થાય છે. ત્રીજું: વરસો પહેલાં નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરતાં Edwin Muitનું ‘The Structure of the Novel’ વાંચતો હતો. તેમાં જીવનની જટિલતા જેમાં આવે, જેમાં પાત્રો, પ્રસંગો, વાર્તાનો અંશ વગેરે હોય એવી કૃતિઓમાં સ્થાન અને કાળનાં ચિત્રણોથી કેવી છાપ પડે, એ જાણવાનું મળ્યું. કાળનું લક્ષણ ગતિ છે, અને ગતિ પ્રસંગોથી નિરૂપાય છે. સ્થળનું લક્ષણ સ્થિરતા, વિસ્તાર છે. કેવળ સ્થળના વિસ્તારમાં, સમયનું વહન પણ બહુ વરતાતું ન હોય એવા વિસ્તારમાં, પાત્રને મૂક્યું હોય તો એના નિરૂપણમાં પણ માનસદશાઓ જ હશે. ‘વસંતવિજય’ને (આ અવકાશ વિસ્તારની દૃષ્ટિએ) જોઈએઃ

વૃક્ષો અદૃશ્ય સઘળાં નઝરે પડે છેઃ

ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છેઃ

એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,

ઊંચા પ્રચંડ શિખરો નભને અડે છે.

* * *

વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,

નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,

જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.

* * *

ઉત્તુંગ નમ્ર સહકાર દિસે ઘણાય,

લાખો વળી અગરુ, ચંદન ત્યાં જણાય;

વૃક્ષો, લતા સકલ કૈંક અપૂર્વ રંગઃ

જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?

* * *

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,

ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;

બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,

ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.

જોઈ શકાશે, કે ‘વસંતવિજય’ નિરવધિ અવકાશનું કાવ્ય છે. અને જાણીજોઈને અહીં કેટલી મંદતા (toning down) આરોપાય છે! પાંડુના મનઃપ્રદેશની બહુ ધ્યાન ન ખેંચે પણ સ્વાભાવિક લાગે એવાં બાહ્ય કારણોથી ફરતી જતી તડકીછાંયડી આમ વર્ણવાય છે. પાંડુ સમક્ષ અવકાશ, અને ચોક્કસ ક્ષણે ચોક્કસ કાર્ય કરાવે એવો કાળ નથી. આથી વૃત્તિઓ બરાબર નિરૂપી શકાય છે. ‘ચક્રવાકમિથુન’માં કાળ પોતે જ કૃતિનું અંગ બનીને અટવાઈ જાય છે તેથી તેવી નાટ્યતા આવે છે? સૂર્યાસ્તની પળ અને તિમિરજન્ય વિયોગ ત્યાં સંકળાયેલાં છેઃ

હાવાં રક્તદ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ;

હાવાં થંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ.

એ લીટીઓ કે

ઉદધિને રવિબિંબ હવે અડે,

અતિ સમુચ્છિત તેય હવે ચડે.

એ લીટીઓમાં હાવાં - હવે કાળ સૂચવે છે. અને કાળની સાથે સંકળાયેલી એ પરાકાષ્ઠા સામે આંગળી ચીંધીચીંધીને કવિ દિલમાં કેવો તરફડાટ કરાવે છે! એ પ્રકારની નાટ્યતા અહીં નથી. ‘વસંતવિજય’માંથી કાલતત્ત્વને કવિએ જાણે શોષી લીધું છે. સવારે સ્નાન, બપોરે ભોજન, નિદ્રા વ. કાલક્વેરની સ્થૂળ હાડકીઓ છે ખરી, પણ એ વૃત્તિઓના પલટાનું કારણ આપવા પૂરતી જ. પણ ‘વસંતવિજય’ની પરાકાષ્ઠાને અને કાળને કાંઈ સંબંધ નથી. આ રીતે જોતાં, ‘વસંતવિજય’ વિશે પ્રો. ઠાકોરે મૂકેલી આ ‘ઝીણીઝીણી અમથી ટીપ’માં દર્શાવાયેલી ખામીને હું જુદી રીતે જોઉં છું. આ કાવ્યમાં જે મંદતા છે તે આવશ્યક છે, અને એ કાવ્યના ભૂષણરૂપ છે. હવે પુણ્યતિથિ અને ‘વસંતવિજય’ વિશે પ્રવચન - એ બેના સુયોગથી મર્યાદામાંથી બહાર આવી હું ‘ચક્રવાકમિથુન’ તરફ વળીશ. ‘ચક્રવાકમિથુન’ વિશે થોડું તો મેં હમણાં જ કહ્યું. ‘વસંતવિજય’માં કવિ આછા time-sequence - કાલાનુક્રમ - નો આશરો લઈને વર્ણન કરે છે. ‘ચક્રવાકમિથુન’માં એ, સાંજ પડવા આવી છે ત્યાંથી જ, પરાકાષ્ઠાની નિકટ જ લાવી મૂકીને શરૂ કરે છે. અને અહીં, જાણે કે આપણને ઓરડામાં બેસાડીને પહેલાં ચક્રવાકયુગલના પ્રણયસુખનાં ચિત્રોની એક રંગીન બારી, અને પછી, સામેની, રાત્રિના, વિરહના ઘોર અનુભવોની બારી ખુલ્લી મૂકે છે. આવું કલાવિધાન તે પહેલાંની ગુજરાતી કવિતામાં શોધ્યું જડશે નહીં. સૈકાઓથી અનેક પ્રયોગોથી સમૃદ્ધ બનેલી અંગ્રેજી કાવ્યપ્રણાલીના અભ્યાસનું આ ફળ છે. ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ કાન્તે ક્યાંથી લીધું? કાન્તનાં ખંડકાવ્યોમાં કાન્ત, હજારો વરસોથી લોકોના લોહીમાં ભળી ગયેલું હોય એવા પરિચિત વસ્તુની પસંદગી કરતા. આથી એનું મંડન સહેલું થઈ પડે છે. નવાં પાત્રોને નિરૂપતાં આવી કરકસર શક્ય ન બને. ‘વસંતવિજય’ વાંચતાં કાન્તના મહાભારતના વાચનની છાપ પડે છે; છતાં મને લાગે છે કે, કાન્તે એ વસ્તુની પંસદગી કરવાનું ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ વાંચતા સૂઝ્યું. અલકકિશોરીની પાસે બેઠેલો સરસ્વતીચંદ્ર નિદ્રાની અસરમાં જ મોહવશ બને છે અને પછી ઊગરતાં પશ્ચાત્તાપ કરે છે. પશ્ચાતાપ કરતાંકરતાં, પાંડુ જ્ઞાન છતાં મૃત્યુને શરણ થયો હતો, એ યાદ કરે છે. ગોવર્ધનગિરિની છાયા જેમના પર ન પડી હોય એવા લેખકો તે સમયે ઓછા જ હશે, અને પ્રાર્થનાસમાજી (સુધારાનો) કાર્યક્રમ સ્વીકારતા કાન્ત પણ, સામા પક્ષમાં હોવા છતાં, મુક્ત નહોતા. અહીં એક બીજી વાત કહી લઉં. એ સમયે બધા જ શિક્ષિતો સુધારાના કાર્યક્રમને ગંભીરતાથી વિચારતા. અંગ્રેજોના સ્નેહના આદર્શની અસરને લઈને. આ સુધારાનું પ્રેરકબળ, પાયો સુખદ સ્નેહજીવન જ હોઈ શકે, એવી પણ એમની માન્યતા હતી. ‘સરસ્વતીચંદ્ર’ પહેલો ભાગ, એ સમયના સ્નેહજીવનમાં શક્ય નહીં એવા સરસ્વતીચંદ્ર-કુમુદના મિલન, પત્રલેખન વ. વર્ણનોથી પણ ખૂબ લોકપ્રિય થયો હશે. ગોવર્ધનરામની તે પહેલાં લખાયેલી કાવ્યમાલા ‘સ્નેહમુદ્રા’ ૧૮૮૯માં પ્રસિદ્ધ થઈ. એમાં જીવનમાં સ્નેહ માયારૂપ છે, એ ભાવના સ્પષ્ટ છે - કાન્તના (૧૮૯૦ની શરૂઆતમાં લખાઈ રહેલા) ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ એમને અહીંથી લાધ્યું. પ્રો. પાઠકે કાવ્યમીમાંસાના એક શ્લોકનો અને બાવાઓના એક દુહાનો ઉલ્લેખ આ પરત્વે કર્યો છે. પણ ‘સ્નેહમુદ્રા’નાં ૧૧૦ કાવ્યોમાં પથરાયેલાં વસ્તુ, પ્રતિરૂપો, સ્નેહચિત્રો વ. ને ઝીણવટથી વાંચતાં એટલું સ્પષ્ટ થાય છે કે કાન્તના ‘ચક્રવાકમિથુન’ની શરૂઆત ‘સ્નેહમુદ્રા’ના વાંચન પછી થઈ. ‘સ્નેહમુદ્રા’માં દસ-બાર સ્થાનો એવાં છે કે જ્યાં મહાન કવિની નિશાની આપતો પ્રેરણાનો વાયુ જોસભેર વાતો લાગે છે. પણ તે સિવાય એ લગભગ કાટમાળ જેવું છે. તેમાંથી કાન્તે એક અતિ સૂક્ષ્મ મનોહર કાવ્યરત્નનું નિર્માણ કર્યું. ગોવર્ધનરામ અને કાન્ત બંને સ્નેહ ઉપર ભાર મૂકવામાં માને છે; પણ ગોવર્ધનરામ જીવનમાં મંગલ જુએ છે; પત્નીમૃત્યુથી લખાવા માંડેલી કાવ્યમાલાના અંત તરફ લખવા માંડેલી કાવ્યમાલા અંત તરફ વેદાન્તની છાયાવાળું સ્નેહસાયુજ્ય વર્ણવે છે; અને છેક અંતે, રાત્રે વિયોગ સહતી, પણ પ્રભાતે મિલન અનુભવતી ચક્રવાકીમાં ‘ઉત્સાહક પ્રેરણા’નું દૃષ્ટાંત જોઈને હરખના હેલારા લેતું એક અત્યંત સુભગ કાવ્ય રચે છે. આવા છેલ્લા કાવ્યની અસર થોડી ન હોય. કાન્તે અહીંથી પોતાનું વસ્તુ પસંદ કર્યું એવી મારી દૃઢ માન્યતા છે. ગોવર્ધનરામ જ્યાં પ્રભાતના મિલન ઉપર ભાર મૂકે છે, ત્યાં કાન્ત રાત્રિના સંરક્ષક સુધારક અને ઉત્કટ સુધારકનો દૃષ્ટિભેદ અહીં સભાનતાથી નિરૂપાયો છે. ‘ચક્રવાકમિથુન’નો પૂર્ણ અનુભવ આમ ‘સ્નેહમુદ્રા’ને પડછે વાંચતાં જ થઈ શકે. ‘વસંતવિજય’નું વસ્તુ લેતાં પણ કાન્તે ગોવર્ધનરામની એ વિશેની દૃષ્ટિ ત્યજી દઈને સ્નેહીની કરુણતા વર્ણવી. કાન્તે આમ જ કર્યા કર્યું છે. મહાભારતમાં દેવયાનીના પ્રસંગમાં નૈતિક ધોરણ સ્થાપવામાં આવ્યું છે ત્યાં કાન્તે કરુણતા જોઈ, અને એને ટાળી, એક જ વાર સ્નેહના ઉલ્લાસનું કાવ્ય રચ્યું. ‘ચક્રવાકમિથુન’નાં પક્ષીયુગલ, ભૂમિકા, પ્રણયચિત્રો, ઉત્તરધ્રુવનો માર્મિક ઉલ્લેખ અને દુઃખ આપનાર ઐશ્વર્ય એ બધાંનું મૂળ ‘સ્નેહમુદ્રા’ની વેરવિખેર વીગતોમાં અને પ્રતિરૂપોમાં છે. કાન્તની કરકસર અને સંવિધાનશક્તિ આશ્ચર્ય ઉપજાવે એવાં છે.

કાન્ત વિશે (૧૯૮૩)-ભૃગુરાય અંજારિયા,

સં. જયંત કોઠારી, સુધા અંજારિયા


॥ સમીક્ષા - આસ્વાદ ॥



વિજય સોની
મૃત્યુઃ ૧૬ જૂન, ૧૯૨૩



નરેશ શુક્લ
જન્મઃ ૧૨ ઓક્ટો બર, ૧૯૭૨