એકાંકી નાટકો /કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય : રમણ સોની|}} {{Poem2Open}} એકાંકી નાટકો : બાળ નાટકો સિવાય...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
એકાંકી નાટકો : બાળ નાટકો સિવાયનાં શ્રીધરાણીનાં 10  એક-અંકી નાટકોમાં 9 ટૂંકી કૃતિઓ  રંગદર્શી ભાવનાશીલતાને પાત્રો વચ્ચેના સંવાદોથી આલેખે છે ને એ વિશેષે રેડીઓ નાટકની શ્રાવ્યતાનો ગુણ ધરાવે છે, અને એક દીર્ઘ એકાંકી પિયો ગોરી વાસ્તવના રસપ્રદ કથાનકથી ને તિર્યક આલેખનથી રંગભૂમિ-ક્ષમતા ધરાવે છે.
{{Color|Blue|'''એકાંકી નાટકો'''}} : બાળ નાટકો સિવાયનાં શ્રીધરાણીનાં 10  એક-અંકી નાટકોમાં 9 ટૂંકી કૃતિઓ  રંગદર્શી ભાવનાશીલતાને પાત્રો વચ્ચેના સંવાદોથી આલેખે છે ને એ વિશેષે રેડીઓ નાટકની શ્રાવ્યતાનો ગુણ ધરાવે છે, અને એક દીર્ઘ એકાંકી પિયો ગોરી વાસ્તવના રસપ્રદ કથાનકથી ને તિર્યક આલેખનથી રંગભૂમિ-ક્ષમતા ધરાવે છે.
‘કેતકી’, ‘ડુંગળીનો દડો’, ‘ડૂસકું’ — એ કૃતિઓમાં જે  પ્રેમ-કથન  બલકે પ્રેમ-સંવેદન છે એ ન્હાનાલાલીય ભાવ-સંવેદનની લચકવાળું છે. અને એમાં જે રસપ્રદ કલ્પનાશીલતા છે એ વિશેષે કાવ્યાત્મક છે. ‘વૃષલ’, ‘બહારનો અવાજ’, તથા ‘પ્રાંગણ અને પછીત’ — એ 3 નાટકોમાં લેખકે અસ્પૃશ્યતાની સમસ્યાનાં જુદાંજુદાં પાસાંને નિરૂપ્યાં છે. એમાં ગાંધીયુગીન વિચાર-ભાવનાનો સૂર પણ સંભળાય છે. રંગભૂમિક્ષમ બનેલા ને એ કારણે ત્યારે વખણાયલા એકાંકી ‘ઝબક જ્યોત’માં બાળવયના રાષ્ટ્રપ્રેમી દીકરાની શહીદીને કારણે સરકારી અમલદાર પિતાનું હૃદય-પરિવર્તન નિરૂપાયું છે એ ગાંધીયુગી વિચાર-ભાવનાનો જ પ્રભાવ બતાવે છે.
‘કેતકી’, ‘ડુંગળીનો દડો’, ‘ડૂસકું’ — એ કૃતિઓમાં જે  પ્રેમ-કથન  બલકે પ્રેમ-સંવેદન છે એ ન્હાનાલાલીય ભાવ-સંવેદનની લચકવાળું છે. અને એમાં જે રસપ્રદ કલ્પનાશીલતા છે એ વિશેષે કાવ્યાત્મક છે. ‘વૃષલ’, ‘બહારનો અવાજ’, તથા ‘પ્રાંગણ અને પછીત’ — એ 3 નાટકોમાં લેખકે અસ્પૃશ્યતાની સમસ્યાનાં જુદાંજુદાં પાસાંને નિરૂપ્યાં છે. એમાં ગાંધીયુગીન વિચાર-ભાવનાનો સૂર પણ સંભળાય છે. રંગભૂમિક્ષમ બનેલા ને એ કારણે ત્યારે વખણાયલા એકાંકી ‘ઝબક જ્યોત’માં બાળવયના રાષ્ટ્રપ્રેમી દીકરાની શહીદીને કારણે સરકારી અમલદાર પિતાનું હૃદય-પરિવર્તન નિરૂપાયું છે એ ગાંધીયુગી વિચાર-ભાવનાનો જ પ્રભાવ બતાવે છે.
‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં).  એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.
‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં).  એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.
શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}}
શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}}

Revision as of 10:43, 20 August 2021

કૃતિ-પરિચય : રમણ સોની

એકાંકી નાટકો : બાળ નાટકો સિવાયનાં શ્રીધરાણીનાં 10 એક-અંકી નાટકોમાં 9 ટૂંકી કૃતિઓ રંગદર્શી ભાવનાશીલતાને પાત્રો વચ્ચેના સંવાદોથી આલેખે છે ને એ વિશેષે રેડીઓ નાટકની શ્રાવ્યતાનો ગુણ ધરાવે છે, અને એક દીર્ઘ એકાંકી પિયો ગોરી વાસ્તવના રસપ્રદ કથાનકથી ને તિર્યક આલેખનથી રંગભૂમિ-ક્ષમતા ધરાવે છે. ‘કેતકી’, ‘ડુંગળીનો દડો’, ‘ડૂસકું’ — એ કૃતિઓમાં જે પ્રેમ-કથન બલકે પ્રેમ-સંવેદન છે એ ન્હાનાલાલીય ભાવ-સંવેદનની લચકવાળું છે. અને એમાં જે રસપ્રદ કલ્પનાશીલતા છે એ વિશેષે કાવ્યાત્મક છે. ‘વૃષલ’, ‘બહારનો અવાજ’, તથા ‘પ્રાંગણ અને પછીત’ — એ 3 નાટકોમાં લેખકે અસ્પૃશ્યતાની સમસ્યાનાં જુદાંજુદાં પાસાંને નિરૂપ્યાં છે. એમાં ગાંધીયુગીન વિચાર-ભાવનાનો સૂર પણ સંભળાય છે. રંગભૂમિક્ષમ બનેલા ને એ કારણે ત્યારે વખણાયલા એકાંકી ‘ઝબક જ્યોત’માં બાળવયના રાષ્ટ્રપ્રેમી દીકરાની શહીદીને કારણે સરકારી અમલદાર પિતાનું હૃદય-પરિવર્તન નિરૂપાયું છે એ ગાંધીયુગી વિચાર-ભાવનાનો જ પ્રભાવ બતાવે છે. ‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં). એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.

શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને?

— રમણ સોની