ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 23: Line 23:
<br>
<br>


‘ભક્તિપોષણ’ : ૧૦૧ ચંદ્રાવળાની દયારામની આ કૃતિ(મુ.) ભક્તિભાવના પોષણ માટે રચાયેલી છે. નવધા ભક્તિનો નિર્દેશ કરી, દશમી પ્રેમલક્ષણાભક્તિને ‘સાધનરાજ’ તરીકે નિરૂપી દયારામે શ્રી કૃષ્ણભક્તિનો એકાંતિક મહિમા કર્યો છે-જેમ અંક વિના શૂન્યની કિંમત નથી તેમ શ્રીકૃષ્ણભક્તિ વિનાનાં અન્ય સાધનોની કોઈ કિંમત નથી; અને દુસ્તર ત્રિગુણાત્મક માયાને તરી જવા માટે શરણાગતિ એ જ ઉત્તમ ઉપાય છે એમ દૃઢતાપૂર્વક ઉદ્બોધ્યું છે. કૃતિમાં દૃષ્ટાંતોની પ્રચુરતા અને લોકભોગ્યતા ધ્યાન ખેંચે એવી છે. જેમ કે, ઘંટી-ખીલડાનું દૃષ્ટાંત લઈ દયારામ સમજાવે છે કે ઘંટીમાં ઓરેલા અન્ન પૈકીનો જે કણ ખીલડાનો આશ્રય મેળવી લે છે તે ઘંટીના પડમાં પિસાતો નથી તેમ શ્રીહરિનો આશ્રય જે જીવ મેળવી લે છે તે માયાના ચક્કરમાં ફસાતો નથી ને સંસાર તરી જાય છે. [સુ.દ.]
<span style="color:#0000ff">'''‘ભક્તિપોષણ’'''</span> : ૧૦૧ ચંદ્રાવળાની દયારામની આ કૃતિ(મુ.) ભક્તિભાવના પોષણ માટે રચાયેલી છે. નવધા ભક્તિનો નિર્દેશ કરી, દશમી પ્રેમલક્ષણાભક્તિને ‘સાધનરાજ’ તરીકે નિરૂપી દયારામે શ્રી કૃષ્ણભક્તિનો એકાંતિક મહિમા કર્યો છે-જેમ અંક વિના શૂન્યની કિંમત નથી તેમ શ્રીકૃષ્ણભક્તિ વિનાનાં અન્ય સાધનોની કોઈ કિંમત નથી; અને દુસ્તર ત્રિગુણાત્મક માયાને તરી જવા માટે શરણાગતિ એ જ ઉત્તમ ઉપાય છે એમ દૃઢતાપૂર્વક ઉદ્બોધ્યું છે. કૃતિમાં દૃષ્ટાંતોની પ્રચુરતા અને લોકભોગ્યતા ધ્યાન ખેંચે એવી છે. જેમ કે, ઘંટી-ખીલડાનું દૃષ્ટાંત લઈ દયારામ સમજાવે છે કે ઘંટીમાં ઓરેલા અન્ન પૈકીનો જે કણ ખીલડાનો આશ્રય મેળવી લે છે તે ઘંટીના પડમાં પિસાતો નથી તેમ શ્રીહરિનો આશ્રય જે જીવ મેળવી લે છે તે માયાના ચક્કરમાં ફસાતો નથી ને સંસાર તરી જાય છે.{{Right|[સુ.દ.]}}
<br>


ભક્તિલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે.  
ભક્તિલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે.