ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પંક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પંક્તિ (Line)'''</span> : પદ્યની લયાત્મક સંરચનાના એકમ તરીકે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચ.ટો.}}
{{Right|ચ.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પશ્ચાદગતિનો સિદ્ધાન્ત
|next = પંચતંત્ર
}}

Latest revision as of 07:08, 28 November 2021


પંક્તિ (Line) : પદ્યની લયાત્મક સંરચનાના એકમ તરીકે પંક્તિને ઓળખી શકાય. એની લંબાઈ અને એના લયથી વાચન અને કાવ્યની ગતિ સમતુલિત થાય છે. છાંદસરચનામાં પંક્તિ વૃત્તમેળથી, અક્ષરમેળથી કે લયમેળથી નિયંત્રિત થતી હોય છે; જ્યારે અછાંદસરચનામાં અનુભવની વિશિષ્ટ અભિવ્યક્તિ પર આધારિત વાતચીત, વાક્યવિન્યાસ, ઉચ્ચાર, વાગ્મિતા, કલ્પન કે વિચારએકમો દ્વારા પંક્તિઓ બંધાતી હોય છે. ચ.ટો.