ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતાન્તરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંહિતા
|next = સાક્ષરજયંતી
}}

Latest revision as of 16:19, 8 December 2021


સંહિતાન્તરણ(Transcodage) : રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામણીમાં કાવ્યકૃતિમાં કલ્પનથી કલ્પન પ્રતિનો, પરિચ્છેદથી પરિચ્છેદ પ્રતિનો વિકાસ પુનરાવર્તનશીલ હોય છે. કૃતિ વિન્યાસગત રીતે અને શબ્દગત રીતે આગળ વધે છે અને અર્થોને ઉમેરતી આવે છે; પણ એનું પ્રત્યેક પગલું ખરેખર તો કોઈ અર્થનું પુનરાવર્તન હોય છે. આ પ્રત્યેક પગલું સંહિતાન્તરણ છે. ચં.ટો.