સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિમલા ઠકાર/તરણોપાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} માણસમાંમૂળભૂતસારપછે, સદ્ગુણપ્રત્યેનિષ્ઠાછે, તેસદ્વૃત્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
માણસમાંમૂળભૂતસારપછે, સદ્ગુણપ્રત્યેનિષ્ઠાછે, તેસદ્વૃત્તિનાપાયાપરસમાજરચનાકરવાનીછે.
 
માનવ-માનસહજુએવુંનેએવુંજભૂતકાળનાબંધનથીજકડાયેલુંછે. માનસિકપરિવર્તનએઆજનીસૌથીમોટીપાયાનીજરૂરિયાતછે. સમાજમાનવતાનિષ્ઠબનેએવુંપરિવર્તનલાવવાનીજરૂરછે. જીવનનાંસઘળાંક્ષેત્રોમાંજનશિક્ષણ, જનજાગરણદ્વારાશુભસંસ્કારનાસંચિનનુંઆંદોલનચલાવવુંએજતરણોપાયછે.
માણસમાં મૂળભૂત સારપ છે, સદ્ગુણ પ્રત્યે નિષ્ઠા છે, તે સદ્વૃત્તિના પાયા પર સમાજરચના કરવાની છે.
નધામિર્કવાદ, નસંપ્રદાયવાદ, નવૈચારિકવાદ, નઆધ્યાત્મિકવાદ-એવાઅનાગ્રહીચિત્તવાળામાનવતાનાઉપાસકોનીઆજેજરૂરછે. જેનેનેતાબનવુંનથી, પણજીવનસાધકબનીનેદેશનેકાજેજીવનખરચીનાખવુંછે, એવીજમાતઆપણેખડીકરવીછે.
માનવ-માનસ હજુ એવું ને એવું જ ભૂતકાળના બંધનથી જકડાયેલું છે. માનસિક પરિવર્તન એ આજની સૌથી મોટી પાયાની જરૂરિયાત છે. સમાજ માનવતાનિષ્ઠ બને એવું પરિવર્તન લાવવાની જરૂર છે. જીવનનાં સઘળાં ક્ષેત્રોમાં જનશિક્ષણ, જનજાગરણ દ્વારા શુભ સંસ્કારના સંચિનનું આંદોલન ચલાવવું એ જ તરણોપાય છે.
હજારોલોકનેપ્રવચનોમાંજતાંહુંજોઉંછું, મંદિર-મસ્જિદોમાંજતાંજોઉંછું, તોહુંભીતરનેભીતરકંપીઊઠુંછું. મોટાંમોટાંઆધ્યાત્મિકપ્રવચનોમાં, સત્સંગોઅનેશિબિરોમાંજઈનેહજારોલોકોબેસેછે. આધ્યાત્મિકજિજ્ઞાસાપણજોજમાનાનીએકફૅશનબનીરહે, અસંસ્કારીનેધંધાદારીપ્રવૃત્તિબનીરહે, તોપછીદુખનોકોઈઅંતનહીંરહે. સારીવ્યક્તિનેજોવી, એનાસારાસારાવિચારોસાંભળવા, ત્યાંજજોઅટકીજવાનુંહોયતોતોસમાજમાંએકનવાપ્રકારનોદંભફેલાયછે.
ન ધામિર્કવાદ, ન સંપ્રદાયવાદ, ન વૈચારિકવાદ, ન આધ્યાત્મિકવાદ-એવા અનાગ્રહી ચિત્તવાળા માનવતાના ઉપાસકોની આજે જરૂર છે. જેને નેતા બનવું નથી, પણ જીવનસાધક બનીને દેશને કાજે જીવન ખરચી નાખવું છે, એવી જમાત આપણે ખડી કરવી છે.
{{Right|[‘અધ્યાત્મનીઅગ્નિશિખા’ પુસ્તક]
હજારો લોકને પ્રવચનોમાં જતાં હું જોઉં છું, મંદિર-મસ્જિદોમાં જતાં જોઉં છું, તો હું ભીતર ને ભીતર કંપી ઊઠું છું. મોટાંમોટાં આધ્યાત્મિક પ્રવચનોમાં, સત્સંગો અને શિબિરોમાં જઈને હજારો લોકો બેસે છે. આધ્યાત્મિક જિજ્ઞાસા પણ જો જમાનાની એક ફૅશન બની રહે, અસંસ્કારી ને ધંધાદારી પ્રવૃત્તિ બની રહે, તો પછી દુખનો કોઈ અંત નહીં રહે. સારી વ્યક્તિને જોવી, એના સારા સારા વિચારો સાંભળવા, ત્યાં જ જો અટકી જવાનું હોય તો તો સમાજમાં એક નવા પ્રકારનો દંભ ફેલાય છે.
}}
{{Right|[‘અધ્યાત્મની અગ્નિશિખા’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:18, 29 September 2022


માણસમાં મૂળભૂત સારપ છે, સદ્ગુણ પ્રત્યે નિષ્ઠા છે, તે સદ્વૃત્તિના પાયા પર સમાજરચના કરવાની છે. માનવ-માનસ હજુ એવું ને એવું જ ભૂતકાળના બંધનથી જકડાયેલું છે. માનસિક પરિવર્તન એ આજની સૌથી મોટી પાયાની જરૂરિયાત છે. સમાજ માનવતાનિષ્ઠ બને એવું પરિવર્તન લાવવાની જરૂર છે. જીવનનાં સઘળાં ક્ષેત્રોમાં જનશિક્ષણ, જનજાગરણ દ્વારા શુભ સંસ્કારના સંચિનનું આંદોલન ચલાવવું એ જ તરણોપાય છે. ન ધામિર્કવાદ, ન સંપ્રદાયવાદ, ન વૈચારિકવાદ, ન આધ્યાત્મિકવાદ-એવા અનાગ્રહી ચિત્તવાળા માનવતાના ઉપાસકોની આજે જરૂર છે. જેને નેતા બનવું નથી, પણ જીવનસાધક બનીને દેશને કાજે જીવન ખરચી નાખવું છે, એવી જમાત આપણે ખડી કરવી છે. હજારો લોકને પ્રવચનોમાં જતાં હું જોઉં છું, મંદિર-મસ્જિદોમાં જતાં જોઉં છું, તો હું ભીતર ને ભીતર કંપી ઊઠું છું. મોટાંમોટાં આધ્યાત્મિક પ્રવચનોમાં, સત્સંગો અને શિબિરોમાં જઈને હજારો લોકો બેસે છે. આધ્યાત્મિક જિજ્ઞાસા પણ જો જમાનાની એક ફૅશન બની રહે, અસંસ્કારી ને ધંધાદારી પ્રવૃત્તિ બની રહે, તો પછી દુખનો કોઈ અંત નહીં રહે. સારી વ્યક્તિને જોવી, એના સારા સારા વિચારો સાંભળવા, ત્યાં જ જો અટકી જવાનું હોય તો તો સમાજમાં એક નવા પ્રકારનો દંભ ફેલાય છે. [‘અધ્યાત્મની અગ્નિશિખા’ પુસ્તક]