પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 270: Line 270:
<center>'''ધીરો ભક્ત'''</center>
<center>'''ધીરો ભક્ત'''</center>
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ
'''‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.’'''
<center>*</center>
'''‘અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા.’'''
<center>*</center>
'''‘પ્રભુ તમ સાથે રે મારે પ્રીત ઘણી.’'''
<center>*</center>
'''‘વાડો વાળી બેઠો રે પોતાનો પંથ કરવાને.’'''
<center>*</center>
'''‘જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?’'''
<center>*</center>
'''‘હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે.'''’
ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ