પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 780: Line 780:
</poem>
</poem>


{{Poem2Open}}
એ નીતિની ગરબી સ્ત્રીઓ હોંસે હોંસે ગાય છે.
‘રામાયણ’, ‘મહાભારત’ અને પુરાણોમાંથી પ્રાચીન સ્ત્રીપુરુષોની હકીકત એકઠી કરી કવિએ ‘કથોકોષ’માં આપી છે. એ કોષ ઘણો ઉપયોગી છે.
‘નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીત’ પણ રીતભાતની સમજુતી સાથે કવિએ એકઠાં કર્યાં છે. એ પુસ્તકને અનુસારે અમદાવાદમાં હાલ સ્વર્ગવાસ પામેલાં બાળાગૌરીએ ને નડિયાદમાં રા. નરહરિરામે પણ અચાર ને રીતરિવાજનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.
<br>
<br>
<center>'''નર્મગદ્ય'''</center>
‘નર્મગદ્ય’માં ‘નિબંધો’, ‘રામાયણ ને મહાભારતનો સાર’, ‘કવિ ને કવિતા’, ‘પ્રેમાનંદ આદિ કવિઓનાં જીવનચરિત્ર’, ‘પ્રાચીન ને અર્વાચીન જગતનો ઇતિહાસ’, ‘મહાપુરુષો, તત્ત્વવેત્તા, ને સંશોધકોનાં જીવનચારિત્રો’ અને ‘ગુજરાતની ને મેવાડની હકીકત’માં બહુ ઉપયોગી ને એમના સમયમાં વાચકને અન્યત્ર દુષ્પ્રાપ્ય બાબત જુસ્સાદાર ને સંસ્કારી ભાષામાં કવિએ આપી છે. ‘રાજ્યરંગ’નાં આદિ વાક્યો નર્મદના કીર્તિસ્તંભના મોખરાના લેખ છે.
‘એક છે, અનેક છે, નિવર્તે છે’ ઇત્યાદિ; તેમજ
‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તોપણ તે કાંઈ છે તે રંગ છે. એ રંગ હું મારી તોતલી વાણીથી વર્ણવવા ઈચ્છું છું. દે પ્રસાદ-રંગાઉં-ઉદય-ઉદય શ્રીરંગ’! ધન્ય છે કવિના વિનયને!
‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’માં કવિએ છન્દો ને અલંકારોનું વિવેચન કર્યું છે. ‘રસપ્રવેશ’માં રસ અને વ્યભિચારી ભાવોનું વિવરણ છે. ‘નાયિકાવિષયપ્રકાશ’માં નાયકનાયિકાના સ્વરૂપનું વર્ણન છે.
કવિએ ‘શ્રીકૃષ્ણાકુમારી’, ‘દ્રાપદીદર્શન’ વગેરે નાટકો પણ રચ્યાં છે; એ નાટકોમાં ગદ્યભાગ વિશેષ છે, પદ્યભાગ થોડો છે. પણ ‘રામજાનકીદર્શન’માં પદ્યો સારાં છે ને પૂરતી સંખ્યામાં છે. ‘ગુજરાતી’ પત્રના તન્ત્રીએ એ નાટકોની નવીન આવૃત્તિ પ્રસિદ્ધ કરવી જોઈએ.
જે સમયમાં હાલના જેટલો ઉચ્ચ કેળવણીનો પ્રચાર અને સુગમતા નહોતાં તે સમયે એકલે હાથે કવિએ કરેલી આ અનુકરણીય સેવાની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે.
<br>
<br>
<center>'''કવિનું શિષ્યમંડળ'''</center>
કવિના રસતરંગમાં એના શિષ્યો સદ્ગત સવિતાનારાયણ, વિજયાશંકર, વગેરે હમેશ નહાઈ અજ્ઞાનરૂપી મેલ ધોઈ ઉચ્ચ સંસ્કાર પામતા હતા. કવિ વિજયાશંકરની ‘વિજયવાણી’એ આ સમાગમનું ફળ છે. એ જ કવિનું ‘સૃષ્ટિસત્ત્વ’ સરળ ભાષામાં સંવાદરૂપે વેદાન્તના ગૂઢ તત્ત્વનું જ્ઞાન આપે છે. એમાં ગુરુશિષ્યના સંવાદના રૂપમાં ઘણું તત્ત્વજ્ઞાન છે. વાર્તાઓ, પૌરાણિક દૃષ્ટાન્તો સાથે તેમજ ‘ઉપનિષદો’, ‘ગીતા’, ‘યોગવાસિષ્ઠ’ અને શંકરાચાર્યના ગ્રન્થોમાંથી ઉતારા આપી એમણે રસિક રીતે બહુ જ્ઞાન આપ્યું છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે આવો વિદ્વત્તાભરેલો ગ્રન્થ લોકોમાં પ્રચાર પામ્યો નથી. એટલું જ નહિ પણ એનું નામ પણ કેટલાકના જાણવામાં નહિ હોય, જેમ કવિઓ ન હોય તો રાજાઓનાં ચરિત્રોની મહત્તા ન થાય એવું એક સંસ્કૃત કાવ્યમાં કહ્યું છે, તેમ વિદ્વાનોની કૃતિઓ પણ પ્રસિદ્ધિમાં આણનાર મિત્ર ન હોય તો જગતમાં અપ્રસિદ્ધ જ રહે છે. સવિતાનારાયણનાં ‘કાવ્ય’ તેમજ ‘અલંકારચન્દ્રિકા’ પણ એ ગુરુચરણ સેવાના પ્રસાદરૂપ છે.
<br>
<br>
<center>'''નવલરામભાઈ'''</center>
સુરતના ત્રણ નન્નાથી નિર્દેશાતા ત્રણ નરરત્નોમાંના બીજા સદ્ગત નવલરામભાઈ હતા. તેમનું જીવન સાહિત્યમય હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ઊંડા વિચારમાં નિમગ્ન થવાની ટેવ હતી. એ ટેવને લીધે તેમને વર્ગમાં કર્ટિસ સાહેબે વખોડ્યા હતા કે ઊંઘો છો કે શું? મૂળથી જ તેમને આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની ઉત્તમ ટેવ હતી. એક વખત પોતાના એક મિત્રને આશ્રય મળવાનો સંભવ જાણી પોતાનું મન ઇર્ષાથી કલુષિત થયું. નવલરામ લખે છે કે ‘મને લાગ્યું કે તેને જો આશ્રય ન મળે તો આ પાપી મન ખુશ થાય ખરું.’ પોતે ઈર્ષ્યાથી પ્રેરાઈ કંઈ અનિષ્ટ પગલું ભર્યું નથી; પરંતુ મનની નિર્બળતા પોતે તપાસી શક્યા, એ એમની મહત્તાનું પ્રબળ પ્રમાણ છે એમણે ‘વીરમતી’ ને ‘ભટ્ટનું ભોપાળું’ એ નાટકો, ‘અકબર ને બીલબલનાં હિંદી કાવ્યો’ અને ‘નર્મદચરિત્ર’એ સ્વતન્ત્ર ગ્રન્થો રચ્યા છે, નવા યોજેલા મેઘછન્દમાં ‘મેઘદૂત’નું ભાષાન્તર કર્યું છે, તેમજ ‘માલતીમાધવ’, ‘મૃચ્છકટિક’, ‘રત્નાવલી’ આદિ નાટકો તથા પુરાણોનો સાર આપ્યો છે. શિક્ષણશાસ્ત્રના અનેક વિષયો એમણે ચર્ચ્યા છે. શિક્ષણ રસિક કેમ થાય, ‘પરસ્પર સંભાષણપદ્ધતિ’નો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય, વચન અને અન્ય વિષયો કેવી રીતે ઉત્તમ શિખવાય – આવા અનેક શિક્ષણના વિષયોનું એમણે વિવરણ કર્યું છે. ‘વાતાવરણ’, ‘ધરતીકંપ’, ‘બરફના ડુંગર’, ‘કાવીનાં તામ્રપત્ર’ વગેરે સામાન્ય જ્ઞાનના અને વિદ્વત્તાના વિષય પર પણ એમણે પ્રકાશ પાડ્યો છે.
નવલરામભાઈ પોતાની સાધનસંપત્તિમાં હમેશ વધારો કર્યા જ કરતા. તેઓ વાચન ને વિચારણામાં જ પોતાનો સમય નિર્ગમન કરતા હતા. એ બે સંપત્તિ વિષે પોતે સંતૃપ્ત ન થાય ત્યાં સુધી લેખનના કાર્યમાં ઉદ્યુક્ત થતા નહોતા. વય જતાં એમના વિચાર વિશેષ પરિપક્વ થયા. એ પરિપક્વતા કવિ નર્મદ અને દલપતરામ વિષેના પાછલી વયે દર્શાવેલા વિચારમાં પ્રત્યક્ષ થાય છે.
નવલરામભાઈની અપૂર્વ તેજથી ઝગઝગી રહેલી કીર્તિ તેમની આટલી સાહિત્યસેવા–જે કંઈ ઓછી નથી–તેને લીધે નથી. એ તો એમની ‘પુસ્તકપરીક્ષા’ને લીધે છે. એ પરીક્ષા કરવામાં એમનું ક્ષેત્ર અત્યાર સુધી બિનહરીફ રહ્યું છે, એ એમની કીર્તિ જેવી તેવી નથી. એ ક્ષેત્રમાં એમની કીર્તિનાં કિરણો કોઈ પ્રતિદ્વન્દ્વીનાં કિરણોથી ઝંખવાયાં નથી.
<br>
<br>
<center>'''ઉત્તમ ગ્રન્થાવલોકનનું સ્વરૂપ'''</center>
ઉત્તમ વિવેચનમાં સમગ્ર ગ્રન્થ પર વિચાર જોઈએ, એકદેશ પર નહિ. વિવેચક રાગદ્વેષરહિત, ગુણદોષની યોગ્ય તુલના કરનાર, નિષ્પક્ષપાતી જોઈએ. ગમે તેવો વિદ્વાન હોય તોપણ માત્ર છિદ્રાન્વેષી ઉત્તમ વિવેચક કદી થઈ શકતો નથી. વિવેચનમાં ગુણ ને દોષ, બંનેની પરીક્ષા જોઈએ. ગુણની યોગ્ય કદર ને દોષનો નિર્દેશ તેના ભવિષ્ય માર્ગને સહાયભૂત થાય એવી સૂચના સાથે જોઈએ. તરુણ ઊગતા ગ્રન્થકારની મહેચ્છાને જોઈતું ઉત્તેજન મળવું જોઈએ. વિદ્વાનોના ગ્રન્થ પર ઘટતું, વિદ્વત્તાભરેલું, ગુણદોષશોધક, પ્રૌઢ વિવેચન જોઈએ. તેમાં પણ તેના ગુણની યોગ્ય તુલના ને દોષને માટે માર્ગસૂચક બોધ જોઈએ.
<br>
<br>
<center>'''ઉત્તમ વિવેચક'''</center>
આ બધા ગુણો નવલરામભાઈનામાં હતા. તેમના વિવેચનથી વાચકને ઘણી જાણવા જેવી હકીકતનું જ્ઞાન થાય છે ને ગ્રન્થકારને ન્યાય મળે છે. ‘કરણઘેલો’ ને ‘કાન્તા’ પરનાં તેમનાં વિવેચન ઉત્તમ છે. તેમાં રસક્ષતિ કયાં ને કેવી રીતે થાય છે તે તેમણે ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ‘કરસનદાસ મૂળજી’ના ને ‘દુર્ગારામ મહેતાજી’ના ચરિત્રમાં જીવનચરિત્રમાં કયા ગુણો આવશ્યક છે તે એમણે પ્રતિપાદિત કર્યું છે. એ જ પ્રમાણે યોગ્ય પ્રસંગે ઉત્તમ નાટક ને ઉત્તમ વાર્તાનું સ્વરૂપ પણ એમણે દર્શાવ્યું છે. એમણે સંસ્કૃતમય ભાષાની નિંદા કરી છે તે યુક્ત છે. અપરિચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગથી વાચકને ભાષા કઢંગી ને ક્લિષ્ટ લાગે છે. ‘વાચનમાળા કેવી જોઈએ’ તે વિષે એમણે વિવેચન કર્યું છે. જોડણી વિષે પણ એમણે પોતાના વિચાર દર્શાવેલા છે, ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય એવી જોડણી એમને માન્ય નથી; તેમજ પ્રાન્તિક ઝઘડો ઊભો કરે એવી જોડણી પણ એમને ઇષ્ટ નથી.
નવલરામભાઈનાં કમલ ને વિચાર અનેક દિશામાં પ્રવર્તતા હતા. ‘માસિકો’ કે અન્ય વર્તમાનપત્રોમાં, લેખોમાં કે પત્રોમાં કે પુસ્તકો રચવામાં, કંઈ ને કંઈ લખવામાં તેઓ રોકાએલા રહેતા. તેઓ જીવનપર્યન્ત અભ્યાસી હતા. ‘કાવ્યાદર્શ’, બેકનનું ‘નોવમ ઓર્ગેનમ’, ‘તર્કશાસ્ત્ર’ ને ‘સાહિત્યદર્પણ’ જેવાં પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો હતો. જે સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત જ થયલી અને સંસ્કૃત વિદ્યા શાળામાં સંપાદન કરવાનો એમને લાભ મળેલો નહિ, તે સમયમાં આ ખાનગી અભ્યાસ ઘણો ઊંચો ગણાય.
નવલરામભાઈ જેવા જ્ઞાની, ગંભીર વિચારક અને ન્યાયી વિવેચનકારની આપણા સાહિત્યમાં મોટી ખોટ છે.
<br>
<br>
<center>'''માસ્તર સાહેબ નન્દશંકરભાઈ'''</center>
સુરતના ત્રણ પ્રસિદ્ધ નન્નામાંના ત્રીજા, માસ્તર સાહેબના નામથી જાણીતા સદ્ગત નન્દશંકરભાઈ છે. એમણે ‘કરણઘેલો’ નામની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથા રચી એ નવીન માર્ગમાં સાહિત્યનો પ્રવાહ પ્રવર્તાવ્યો છે. માસ્તર સાહેબે આ એક જ નવલકથા રચી છે; પરંતુ તેમાં વસ્તુનાં ને રીતભાતનાં વર્ણન પુષ્કળ છે ને તે એવાં તો ચમત્કારી ને અસરકારક છે કે એ એક જ પુસ્તકથી તેમણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાની કીર્તિ અમર કરી છે. ‘કરણઘેલા’ની ભાષા ઘણી તેજસ્વી છે. ગ્રન્થકર્તાની વાણીનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલ્યો જાય છે તે વાચકને એટલો મોહક ને લોહચુંબકની પેઠે આકર્ષક થાય છે કે વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને હાથમાંથી પુસ્તક મૂકવું ગમતું નથી.
<br>
<br>
<center>'''સંગીન સાહિત્યસેવાકાર'''</center>
આ પ્રમાણે અંગ્રેજી કેળવણી આપણા દેશમાં દાખલ થયાના આરંભકાળમાં કવિ નર્મદ, નવલરામભાઈ, તથા નન્દશંકરભાઈએ ગુજરાતી સાહિત્યની જુદી જુદી દિશામાં અમૂલ્ય સેવા બજાવી છે. સમયપરત્વે વિચાર કરતાં કવિ નર્મદ ને નવલરામભાઈના જેવી સંગીન સાહિત્યસેવા બજાવનારની હાલના સમયમાં ખોટ છે એમ ભારે ખેદ સાથે કહેવું પડે છે.
<br>
<br>
<center>'''કવીશ્વર દલપતભાઈ'''</center>
સુરતના શૃંગારરૂપ કવીશ્વર નર્મદ અને નવલરામભાઈ જે સમયે આ ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરતા હતા તે સમયે અમદાવાદમાં મૂળ કાઠિયાવાડના વતની કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, જેમના સંક્ષિપ્ત ક. દ. ડા.થી પ્રાથમિક શાળાનાં બાળકો ઘણા પરિચિત છે. તેઓ જનસમાજનું રંજન કરે એવાં કાવ્યો પ્રાસાદિક વાણીમાં રચી ગુજરાતી કાવ્યસાહિત્યનો વિકાસ કરતા હતા. કવિશ્રીએ ફોર્બ્સ સાહેબના પ્રયત્નથી સ્થપાયેલી ને વૃદ્ધિ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સારી સેવા બજાવી હતી. તેઓ અમદાવાદ ટ્રેનીંગ કોલેજમાં કવિતાનો વિષય શિખવવા જતા હતા એ તે વખતના ભાગ્યશાળી શિષ્યને મોટો લાભ હતો. કવિએ હુન્નરની ખિલવણી, સંસારસુધારો, ધર્મ, નીતિ, કેળવણી અને અનેક પ્રાસંગિક વિષયો પર સભારંજની કવિતા રચી સરકારની તેમજ જનમંડળની પ્રીતિ સંપાદન કરી હતી. તેઓ ગુજરાતના રાજકવિની ઉચ્ચ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રભાત, સૂર્યોદય, સાયંકાલ, અને ઋતુ વિષેનાં તેમનાં કાવ્યોમાં કેટલાંકમાં કવિની કલ્પનાશક્તિ સારી ખીલેલી જણાય છેઃ
{{Poem2Close}}
<poem>
'''પરોઢિયે શીતળ વાયુ વાય, તેથી પડે ટાઢ અને ધુજાય;'''
'''કુરાજ્યમાં જેમ જનો ન જંપે, બીકે બધા લોકની કાય કંપે.'''
'''કુકૂસ્વરો કુક્કુટ તો કરે છે, સર્વત્ર જેના સ્વર સંચરે છે;'''
'''જાણે રવીરાય પધારનારો, તેના છડીદારતણા ઉચારો.'''
'''વાજે રૂડાં ચોઘડિયાં નગારાં, જે લોકને નિત્ય જગાડનારાં'''
'''જાણે નવા રાજ્યની ફોજ આવે, તેની બડી નોબત આ બજાવે.'''
'''વિદ્યારથી પાઠ ઉઠી કરે છે, જાણે રવીના જશ ઉચરે છે;'''
'''પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે, જાલે રવિના ગુણ ગાય ગીતે.’'''
</poem>





Revision as of 07:33, 25 December 2021


સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ

સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદઃ ભાવનગર
એપ્રીલ: ૧૯૨૪

સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
(ઈ.સ. ૧૮૫૭–૧૯૨૫)

‘લઘુ વ્યાકરણ’, ‘મધ્ય વ્યાકરણ’ અને ‘બૃહદ્ વ્યાકરણ’ના કર્તા તરીકે સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતને પરિચિત જ છે. આ વ્યાકરણપંડિતે ગુજરાતને બીજું પણ ઘણું આપ્યું છે. કાવ્યશાસ્ત્રનો એમનો અભ્યાસ પણ તલસ્પર્શી હતો. શિક્ષણ સાથેનો એમનો સંબંધ તો સમસ્ત જીવનકાલમાં વ્યાપેલો હતો. એટલે શિક્ષણક્રમમાં ઉપયોગી એવા અનેક વિષયોના ગ્રંથો એમણે ગુજરાતને આપેલા છે. ગુજરાતી ભાષાનું અવતરણ, જોડણીનો નિર્ણય, અર્વાચીન સાહિત્યનું મૂલ્યાંકન, અને પ્રાચીન સાહિત્યનું સંપાદન – આ સર્વ બાબતોમાં એમણે ઘણું કાર્ય કરેલું છે. એમના અનુગામીઓને અભ્યાસની અભિવૃદ્ધિ માટે ઉત્તેજે એવાં અનેક પ્રશ્નોનો એમણે આરંભ કરી વિસ્તૃત વિચારણા અને ચર્ચા કરી છે. સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ એમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં અને એમના અનુવાદોમાં – ખાસ કરીને ‘શાંકરભાષ્ય’ના અનુવાદમાં – આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. વળી નાની સરખી ભૂલને પણ તેઓ કેવી અક્ષમ્ય ગણતા તેની સાક્ષી આજે તેમના અનેક વિદ્યમાન શિષ્યો આપશે. સાતમી સાહિત્ય પરિષદ ભાવનગર મુકામે મળે છે. ગુજરાતની નજરે કમળાશંકરભાઈની મૂર્તિ આવે છે, અને ગુજરાત તેમને એ પરિષદના પ્રમુખપદે સંસ્થાપે છે. વિવિધ વિષયોના અનેક ગ્રંથો એમણે લખેલા અને સંપાદિત કરેલા આજે ગુજરાત સમક્ષ છે. એમનું પાડિત્ય, અને એમનું ભાષાપ્રભુત્વ, એમની શિક્ષણના પ્રશ્નોની ચર્ચા અને એમની રસશાસ્ત્રમીમાંસા, એમનું તત્ત્વચિન્તન અને એમનું સંપાદન આ બધું આપણને ખાતરીપૂર્વક બતાવે છે કે આ ‘વ્યાકરણી’ ‘વસ્તુને જાણનારા’ હતા. જીવનભર ગુજરાતી સાહિત્યને અને ગુજરાતના શિક્ષણને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ એમણે ચાલુ જ રાખી હતી અને પરિણામે ગુજરાત એમની એ પ્રવૃત્તિથી સમૃદ્ધ જ થયું છે.

ઉપોદ્‌ઘાત

शरणं करवाणि कामदं ते चरणं वाणि चराचरोपजीव्यम् । करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्व कृतार्थसार्थवाहम् ।। ‘જે સરસ્વતીદેવીના સત્રમાં ઉપાસનાર્થે આપણો સર્વ સાર્થવાહ એકત્રિત થયો છે, તે સાર્થવાહ કૃતાર્થ થાઓ એમ હું દેવીના ચરણકમળને શરણે જઈ સ્તવન કરું છું.’ સન્માનકારિણી સભાના પ્રમુખ સાહેબ તથા અન્ય સભ્યો અને સાહિત્યબંધુઓ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારા તરફ પ્રેમભાવથી સાહિત્યપરિષદના સાતમા અધિવેશનનું પ્રમુખપદ મને આપવા આપે કૃપા કરી છે તેને માટે હું આપનો આભારી થયો છું ને તે મેં ઉપકાર સાથે સ્વીકાર્યું છે. પરંતુ એ સંબંધમાં મારા મનની સ્થિતિ પ્રગટ કરવાની જરૂર છે. આપની પ્રથમ વરણી સર્વથા યુક્ત હતી. પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ એમના વિસ્તૃત વાચનનો, બહુદેશી અનુભવનો, તેમજ પ્રાચ્ય અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનનો આપણને સર્વને અમૂલ્ય લાભ આપત એ સર્વવિદિત અને નિર્વિવાદ છે. એમણે એ પદ સ્વીકાર્યું હોત તો સમસ્ત ગુજરાતને બેલાશક ઘણો જ આનંદ થાત. મને તો ખાસ આનંદ થાત; કારણ કે એઓ મારા પ્રિય શિષ્ય હતા અને મારી તરફ ગુરુભાવની પૂજ્ય વૃત્તિ ધરાવે છે. એમના એ પદના અસ્વીકારથી આપણે સર્વેએ એ અનન્ય લાભ ખોયો છે, એ અતિ શોચનીય છે. એમની મધુરી, આલંકારિક, અને હૃદયંગમ ભાષાનો ને પ્રૌઢ વિચારનો અદ્વિતીય લાભ પરિષદને ન મળ્યો તેથી આપણે સર્વ હતાશ થયા છીએ. એમના ના કહેવાથી આપના મંત્રીઓએ – રા. માનશંકરભાઈ અને મારા પ્રેમપાત્ર રા. રમણલાલ યાજ્ઞિકે મને તાર મૂક્યો ને તેનો ઉત્તર તારથી જ માગ્યો. ‘અમારી મુસીબત સમજીને પ્રમુખપદ સ્વીકારવાનો તાર મૂકી અમને ચિન્તામુક્ત કરો.’ એવા તારના અસરકારક શબ્દો વાંચી મારા મનની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. રાત્રિના દસનો સુમાર થયો હતો. તે સમયે મારે ત્યાં ચિ. મોહનલાલ યુનિવર્સિટીના ફેલો તરીકે ચૂંટાયા તેના આનન્દનિમિત્તે એક નાનું સ્વજનમંડળ ભેગું થયું હતું. તાર ઉઘાડતાં તો પ્રથમ મન ચિન્તાગ્રસ્ત થયું; તે ખોલ્યો ને વાંચ્યો તે સમયે સરદાર જનાર્દન વીરભદ્ર પાઠકજી મારી પાસે બેઠા હતા. તેઓ તથા તેમના ચિ. પ્રો. વ્યોમેશ પાઠકજી તથા ચિ. મોહનલાલ ને મારી પુત્રી, એ બધાં એકમત થઈ ગયાં ને બધાંએ મને આગ્રહપૂર્વક કહ્યું કે ના તો ન જ કહેવી. બધો વિચાર કરીને મેં સવારે સ્વીકારનો તાર મૂકવાનો નિશ્ચય કર્યો. હવે હું બહુધા નિવૃત્તિમય જીવન નિર્ગમન કરૂં છું. ગુ.વ. સોસાઈટી મને વ્યાખ્યાન આપવા બે વર્ષ થયાં નિમન્ત્રણ કરે છે તેની પણ એ જ કારણથી હું ના કહું છું તે તે સોસાઈટી જાણે છે. શ્રીયુત આનંદશંકરભાઈ જેવા ઉત્સાહ, બુદ્ધિ, કાર્યશક્તિ, અને સર્વદેશીય કૌશલ્યથી સંપન્ન કાર્યધુરંધરે સાહિત્યપરિષદની કાર્યધુરા બહુ જ સુગમતાથી વહન કરી હોત. તે કાર્યધુરા મારા મગજ પર પડતી જોવા હું નારાજ હતો; પરંતુ તારની ભાષા એવી હૃદયદ્રાવક હતી અને મારા પર બધા ગૃહમંડળનું ને સ્વજમંડળનું એવું દબાણ થયું કે એ તાર મૂકનારા સજ્જનોના પ્રેમપાશમાં બદ્ધ થઈ અન્તે ગુર્જરસાહિત્ય પ્રત્યે મારી ફરજ મારે અદા કરવી જોઈએ એવી બુદ્ધિથી હું આ ઉચ્ચ પદવી સ્વીકારવા અનિચ્છતો પણ આકર્ષાયો છું. મારા સમજવા પ્રમાણે આવું કામ તરુણ પુરુષોનું છે. તરુણ પુરુષો ઉત્સાહ ને કાર્યશક્તિને બળે પ્રગતિ ને વૃદ્ધિ તથા ઉત્કર્ષ સાધવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓ ગુજરાતી સાહિત્યની ખિલવણી ને અભિવૃદ્ધિના માર્ગો શોધવા ને યોગ્ય ઉપાયો યોજવા ઉદ્યુક્ત થશે તો સાહિત્યનો વિકાસ સર્વગામી થશે એ નિસંશય છે.

કાઠિયાવાડની ઐતિહાસિક ને પવિત્ર ભૂમિ

આપનો પ્રદેશ ઐતિહાસિક, પ્રાચીન, ને પવિત્ર છે. પ્રાચીન સુરાષ્ટ્રની, પાછળથી સૌરાષ્ટ્રની ખ્યાતિ પામેલા દેશની, સીમા વિસ્તીર્ણ હતી. તે છેક સિંધુ નદીથી દમણ લગણ ફેલાયલી હતી. હાલનું કાઠિયાવાડ એ વિસ્તૃત પ્રદેશમાં અન્તર્ગત હતું. સુરાષ્ટ્ર દેશનો અતિપ્રાચીન ગ્રંથોમાં ને તામ્રપત્રોમાં નિર્દેશ એની પ્રાચીનતા સ્પષ્ટ દર્શાવે છે. ઈ.સ.પૂ. ૮મા સૈકાના ભગવાન પાણિનિના ‘कार्तकौजपादयश्च।।’ ६/२/३७ એ સૂત્રને લગતા ગણપાઠમાં ‘कुन्तिसुराष्ट्राः’ એમ સુરાષ્ટ્રનો નિર્દેશ છે. ‘મહાભારત’માં વનપર્વમાં ૮૬મા અધ્યાયમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિર પાસે વિવિધ તીર્થનું વર્ણન કરે છે તેમાં સુરાષ્ટ્ર દેશનું વર્ણન છે ને તેમાંનાં પુણ્યસ્થળો, નદીઓ, તળાવો ને આશ્રમો દર્શાવ્યાં છે. એ સુરાષ્ટ્ર પ્રદેશમાં જ પ્રભાસ ને દ્વારામતી વર્ણવેલાં છે. રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારનાં ને કેટલાંક વલભીનાં તામ્રપત્રોમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ છે.

તીર્થમય પ્રદેશ

આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે ‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’ એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે ‘સંસાર સંધો વિસરી જવાએ, પાપી પ્રપંચો મનમાંથી જાએ; લીલા પિતાં હું નથિ રે ધરાતો, એવો તપસ્વી ગિરિ છે જ આ તો.’

કાઠિયાવાડમાં ભાવનગરનું સ્થાન

સામાન્ય આબાદી, વેપારરોજગાર, ને કેળવણીની બાબતમાં ભાવનગર કાઠિયાવાડમાં અગ્રસ્થાન ભોગવે છે. ભાવનગરની સંપત્તિ મહારાજા સાહેબ ભાવસિંહજી અને વખતસિંહજીના પરાક્રમ ને દૂરઅંદેશીપણાને આભારી છે. એ કામમાં સદ્ગત રૂપજી દેશાઈએ મંત્રી તરીકે તેમજ સરદાર તરીકે અગ્રેસર ભાગ લીધો છે. કલાભવન સ્થાપી ઔદ્યોગિક કેળવણીને પ્રસાર કરવાની યોજના પણ હાલ અહીં જ થઈ છે. સ્વ. સર ગૌરીશંકરભાઈ જેવા નાગરિકોએ તેની અભ્યુન્નતિને માટે જે બીજ રોપ્યું છે તે તેમની પછીના બાહોશ રાજ્યતન્ત્રીઓએ સારી રીતે પોષી વિસ્તાર્યું છે. હાલ એ રાજ્યનો કારભાર બહુશ્રુત, અનુભવસંપન્ન, કાર્યદક્ષ રાજ્યતન્ત્રી શ્રીમાન સર પટ્ટણી સાહેબના હાથમાં છે. એઓ સાહિત્યક્ષેત્રમાં વિશારદ ને સાહિત્યના પોષક છે. આવા તપસ્વી પ્રદેશમાં, બુદ્ધિની શીતલ જ્યોત્સ્ના જ્યાં સર્વત્ર પ્રસરી રહી છે એવા વાતાવરણમાં, આપણું કાર્ય સાધવા આપણે મળ્યા છીએ, તો એના ઉચ્ચ સંસ્કાર આપણી સાધનસંપત્તિ ખિલવશે અને આપણા પ્રયાસને સફળ કરશે એવી મારી આશા છે. બંધુઓ, આ રમ્ય નગરમાં હું ચોત્રીશ વર્ષ ઉપર અહીંની સામળદાસ કૉલેજમાં સંસ્કૃતના પ્રૉફેસર તરીકે એક વર્ષ રહ્યો હતો. તે સમયનાં પ્રિય સંસ્મરણના સંસ્કાર મારા મનમાં આજ જાગ્રત થાય છે અને હાલની અનેક દિશાની પ્રગતિ જોઈને હું અતિહર્ષમાં મગ્ન થાઉં છું.

સાહિત્ય સેવકોના સ્વર્ગવાસની નોંધ

પ્રથમ તો, હાલ થોડા જ વખત પર જે સાહિત્યસેવકોને આપણે ખોયા છે તેમને વિષે આપણો શોક પ્રદર્શિત કરવો એ આપણો ધર્મ છે. એમાંના મુખ્ય પુરુષ દીવાન બહાદુર રણછોડભાઈ છે. એમની સાહિત્યસેવા સુવિદિત છે. વૃદ્ધાવસ્થામાં પણ એમનામાં જુવાનીનો ઉત્સાહ ને કાર્યશક્તિ અવસાન પર્યંત જોવામાં આવ્યાં હતાં એ ખરેખરું પ્રશંસનીય છે. બીજો ખેદકારક શોક તનસુખરામભાઈના સ્વર્ગવાસનો છે. એમનું જીવન વ્યાધિગ્રસ્ત હતું, તેથી કોઈ વિષય પર એઓ મોટો ગ્રન્થ રચવા પામ્યા નથી. પરંતુ વેદાન્ત અને ન્યાયશાસ્ત્રનો એમનો ઊંડો અભ્યાસ, પ્રાચીન વિષયોની એમની સંશોધકવૃત્તિ, અને ભાષા અને સાહિત્યનું ગંભીર જ્ઞાન એમના માસિકોમાંના લેખોમાં સ્પષ્ટ જણાય છે. સાહિત્ય ને શાસ્ત્રના એવા અભ્યાસક વિરલ છે. એમના અકાલ સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્યના વિકાસને મોટી હાનિ થઈ છે. ત્રીજો સ્વર્ગવાસ શ્રી. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો થયો છે. એઓ સારા સાહિત્યસેવક ને પ્રૌઢ અભ્યાસક હતા. થોડાં વર્ષ થયાં એમનું આરોગ્ય સારું રહેતું નહોતું. લોકમાન્ય ટિળકના ‘ભગવદ્ગીતા’ના પુસ્તકનું એમનું ગુજરાતીમાં ભાષાન્તર આપણા સાહિત્યક્ષેત્રમાં એમની વિજયધ્વજા તરીકે પ્રકાશિત રહેશે. એઓની સાથે તેમજ એમના કુટુંબની સાથે મારો સંબંધ ઈ.સ. ૧૮૮૦માં મારી અમદાવાદમાં બદલી થઈ ત્યારનો હતો. અમદાવાદ હાઈસ્કૂલમાં ને એલ્ફિન્સ્ટન કૉલેજમાં એઓ મારા પ્રિય વિદ્યાર્થી હતા અને મારા તરફ એમની ઘણી પૂજ્યબુદ્ધિ હતી. ગયે વર્ષે સુરતમાં નર્મદજયન્તીના સમારંભમાં કવિશ્રી નાનાલાલભાઈના વ્યાખ્યાન સમયે સદ્ગત ઉત્તમલાલ પ્રમુખસ્થાને હતા. એઓનો નિવાસ મારે ત્યાં હતો અને પ્રાસંગિક વાતમાં એમણે મને કહ્યું હતું કે હું પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવા ઇચ્છું છું ને એની સામગ્રી એકઠી કરું છું. મારી યોજના પૂરી થયે હું એક દિવસ તમારી સાથે એ વિષે ચર્ચા કરી સંમતિ મેળવી પુસ્તક રચવા માંડીશ. પરંતુ યમરાજાના દારુણ પ્રહારના પંજામાં એઓ સપડાઈ જવાથી આપણે એમની તરફથી એ અમૂલ્ય લાભ મેળવવો ખોયો છે એ ખેદની વાત છે. શ્રી. કૃષ્ણરાવ દીવેટિયાનો સ્વર્ગવાસ પણ શોચનીય છે. એઓ રસિક ને સંસ્કારી શૈલીમાં પ્રસંગે સાહિત્યની સેવા કરતા હતા. એમના અવસાનથી ગુજરાતી સાહિત્યે એક ખેલાડી લેખક અને મેં એક પ્રિય મિત્ર ખોયો છે. વળી આપણે, સાહિત્યસેવકો પ્રો. જેકીસનદાસ કણિયા અને શ્રી. દામુભાઈને પણ એજ અરસામાં ખોયા છે. તેમજ આપણે ત્રણ ત્રણ કવિરાજ ખોયા છે – રા. કાન્ત, રા. મસ્ત, અને રા. નથુરામ. ત્રણે મોટા કવિ હતા. કાન્તની સાહિત્યસેવા વિવિધ હતી. સદ્ગત ચીમનલાલ દલાલના સ્વર્ગવાસથી જૂની ગુજરાતી ભાષાના સાહિત્ય પર સારો પ્રકાશ પાડનાર એક અમૂલ્ય રત્ન આપણે ખોયું છે. છેલ્લો સ્વર્ગવાસ જેની નોંધ લેવાની જરૂર છે તે શ્રી. મનસુખલાલ રવજીનો છે. રાજકીય બાબતની ચર્ચા સાથે એઓ જૈન સાહિત્યના વિકાસમાં પણ સારો ભાગ લેતા હતા. એ બધા જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પવી ને ઈશ્વર એમના આત્માને શાન્તિ અર્પે એવી પ્રાર્થના કરવી એ જ આપણું અવશિષ્ટ કર્તવ્ય રહે છે. બન્ધુઓ, આપની સમક્ષ પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ગુર્જર સાહિત્યવાટિકામાં જે જે રમ્ય વૃક્ષો ને લતાઓ ઉદ્ભવેલાં છે તેમાંનાં મુખ્યનો નિર્દેશ કરવા તથા તેમાંનાં કેટલાંક સુગંધી પુષ્પોનો સુવાસ પમરાવવા હું ઇચ્છું છું. વાડીમાં નીંદવા જેવું ઘાસ પણ હોય છે તેમજ ગુલાબ જેવા સુંદર છોડોમાં પણ કાંટા હોય છે. હું આપની સમક્ષ રમ્ય વૃક્ષો ને પુષ્પોનું જ દર્શન કરીશ. પછી આધુનિક સમયના આરંભના બ્રિટિશ રાજ્યની સ્થાપનાથી સર્વત્ર સલાહશાંતિના પ્રસાદથી આપણા જનસમાજમાં તેમજ સાહિત્યમાં અનેક દિશામાં પ્રગતિ થઈ જે લાભાલાભ થયા છે તે તરફ, તેમજ પ્રાચીન અને નવીન પ્રવૃત્તિઓની તુલના કરી દેશકાલાનુસારે શું યુક્ત છે તે તરફ આપનું લક્ષ ખેંચીશ. આધુનિક સમયમાં કાવ્ય, નાટક, નવલકથા, જીવનચરિત્ર, ઇતિહાસ ને વિજ્ઞાનના સાહિત્યમાં કેવી પ્રવૃત્તિ થઈ છે, કેવી થાય છે, ને કેવી ઇષ્ટ છે, તેનું દિગ્દર્શન કરાવીશ. પારસી ને મુસલમાન લેખકોએ, સ્ત્રીલેખકોએ, તેમજ દૈનિક ને માસિક પાત્રોએ કેવી સાહિત્યસેવા બજાવી છે ને બજાવે છે તે પણ આપના મોં આગળ મૂકીશ. વળી જે જે સંસ્થાઓ સાહિત્યને ખિલવે છે તેનાં કરેલાં કામોની નોંધ કરી કર્તવ્યમાર્ગ સૂચવીશ. છેવટે, સાહિત્યષરિષદના સ્થાયી મંડળની આવશ્યકતા સ્થાપિત કરીશ તેમજ એ મંડળના બંધારણ ને કર્તવ્ય વિષે મારા વિચાર દર્શાવીશ.

ગુર્જર સાહિત્યના ચાર કાળ

પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થાય છે. ગુજરાતી ભાષામાં પણ એજ સત્ય પ્રવર્ત્યું છે. સ્થૂલ દૃષ્ટિએ નિહાળતી આપણા પદ્ય સાહિત્યના ચાર કાળ થઈ શકે છેઃ ૧. પ્રાકૃત કાળ; ૨. આદિ કાળ; ૩. મધ્ય કાળ; ૪. અર્વાચીન કાળ. પ્રાકૃત કાળમાં અપભ્રંશમાંથી નીકળેલી પ્રાચીન ગુજરાતીમાં લખાયલાં કાવ્યોનો સમાવેશ થાય છે. એ વર્ગમાં પદ્યનાભ કવિકૃત ‘કાન્હડદે પ્રબન્ધ’ તથા ભાલણકૃત ‘કાદમ્બરી’ ને ભીમકવિકૃત ‘હરિલીલાસોળકળા’, શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લછંદ’ તથા કર્મણમંત્રિકૃત ‘સીતાહરણ’, ઉપાધ્યાય મેરુસુંદરનું ‘પુષ્પમાલ પ્રકરણ’, તેમજ જૈનોના રાસાઓ એટલે પદ્યબદ્ધ કથાઓ – ઈ.સ.ના ૧૨મા સૈકામાં રચાયલા ‘સપ્તક્ષેત્રી રાસ’ તથા નરસિંહ મહેતાના સમયની કંઈક પૂર્વે રચાયલો શ્રીવિજયભદ્ર મુનિનો ‘શ્રીગૌતમરાસ’ વગેરે અન્તર્ગત થાય છે. આ પ્રાચીન ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી નીકળેલી છે. અપભ્રંશના નિયમો સિદ્ધ હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં દર્શાવ્યા છે તેમજ તેનાં ઉદાહરણપદ્યો પણ આપ્યાં છે. વળી લક્ષ્મીધરના ‘षड्माषाचन्द्रिका’માં, ‘रूपावतार’માં, તેમજ માર્કણ્ડેયના ‘प्राकृतसर्वस्व’માં પણ અપભ્રંશનું વિવેચન છે. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષા, એ ભાષાના વિકાસની શાસ્ત્રીય શોધ કરનારને બહુ ઉપયોગી છે. સામાન્ય વાચકવર્ગને તે સમજવી અધરી પડે છે.

'પ્રાચીન કાળ

આ પ્રાચીન કાળથી જૈનોએ ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. ઈ.સ.ના ૧૨મા સૈકાના ‘જંબુસ્વામીરાસ’થી ઈ.સ.ના ૧૮મા સૈકાના ‘અશોકરોહિણી’, ‘હરિબાળલચ્છી’ અને ‘શત્રુંજય રાસા’ આદિ રાસાઓ તેમણે રચ્યા છે એટલું જ નહિ, પણ રા. જગજીવનદાસ મોદીએ પ્રકાશિત કરેલી ગદ્યમય ‘વૈતાલપચીસી’ તેમજ ‘ શ્રીવસ્તુપાલતીર્થયાત્રાવર્ણન’, ‘ઉજ્જયન્તમહાતીર્થકલ્પ’ આદિ ગદ્યગ્રંથો પણ રચ્યા છે. એ ગ્રંથો ‘ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળા’ના ૧૩મા ગ્રન્થ ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’ના ગદ્યસંગ્રહમાં પ્રસિદ્ધિ પામ્યા છે. એમાંના ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’માં ૮૪ ચૌટાં, ૭૨ કળા, ને ૬૪ વિજ્ઞાન વર્ણવ્યાં છે. ઈ.સ.ના ૧૫મા સૈકામાં ઉપાધ્યાય મેરુસુંદરે ‘પુષ્પમાળ પ્રકરણ’ રચ્યું છે, તેમાંથી કવિ નર્મદે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં ઉલ્લેખ આપ્યો છે, તેમાં તે સમયની ભાષાનું સ્વરૂપ જણાય છે.

રાસાની ભાષાજૈનોના રાસા છેક ઈ.સ.ના ૧૮મા સૈકા સુધીના છે. એ રાસાઓમાં જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા છેક ૧૮મા સૈકા સુધી તે સમયના લોકોમાં પ્રચલિત હતી એમ તો કહી શકાશે નહિ. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે જૈન ગ્રન્થકારોને પ્રાકૃત ભાષાનો વિશેષ અભ્યાસ હોવાથી તેમજ તેમનાં સૂત્રો – શાસ્ત્રીયગ્રન્થો માગધી કે અર્દ્ધમાગધીમાં લખેલા હોવાથી એ ભાષાની અસર તેમના પર થાય એ સ્વાભાવિક છે. બ્રાહ્મણોમાં જેમ સંસ્કૃતમાં લખનાર વિશેષ કીર્તિ પામતો તેમ જૈનોમાં પ્રાકૃતમાં લખનાર અધિક સન્માન પ્રાપ્ત કરતો. આથી જૈન લેખકોએ જનમંડળમાં ચાલતી ભાષામાં લખવાને બદલે પ્રાકૃતમિશ્ર ભાષામાં લખવાનું જારી રાખ્યું. આથી જ છેક ૧૮મા સૈકામાં રચેલા જૈનગ્રન્થોની ને બ્રાહ્મણગ્રન્થોની ભાષામાં ફેરફાર છે.



નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના બ્રાહ્મણ કવિઓમાં આદ્ય કવિ નરસિંહ મહેતા છે. એમનાં કાવ્યો, પદો, ને પરભાતિયાં ભક્તિરસથી છલકાતાં છે. શૃંગારનાં પદો પણ ભક્તિમાં જ પરિણામ પામે છે. નરસિંહ મહેતાનાં નીચેનાં જેવાં પદો તો સામાન્ય સ્ત્રીપુરુષોને મુખે પણ સાંભળવામાં આવે છેઃ

‘નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે.’

*

ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે રે,
મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.
જોગીન્દ્રપણું, શિવજી, તમારૂં મેં જાણ્યું રે,
જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.

*

‘પઢો રે પોપટ સીતા રામના, સતી સીતા પઢાવે,
પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’

*

‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,
હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’

*
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ

‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’

*

‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,
નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક તું એક તું એમ કહેવું.’

નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–Template:Poem2close

‘પ્રેમરસ પાને તું, મોરના પીંછધર, તત્ત્વનું ટુંપણું તુચ્છ લાગે.’

તોપણ મહેતા તત્ત્વજ્ઞાનની અનેક વાર સ્તુતિ કરી કહે છે કે–Template:Poem2close

‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,
માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’

*

‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.


નરસિંહ મહેતામાં શુદ્ધ ભક્તિપૂર્ણ હૃદયના સ્વાભાવિક ભાવોના તરંગો ઊછળે છે. એમાં કૃત્રિમતા નથી કે અલંકાર ઘટાવવાનો પ્રયત્ન નથી; તોપણ મીરાંબાઈના ગીતોમાં જેમTemplate:Poem2close

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા;
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે.

રાધાકૃષ્ણ.’

એ પદમાં નિદર્શના અલંકારની છાયા છે, તેમTemplate:Poem2close

‘પૂર્ણ પુરુષોત્તમ નવલરંગી તજી, અન્ય દેવે જેનું મંન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.’–


એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.

લઘુતાવાચક પ્રત્યયો

નરસિંહ મહેતાનાં કાવ્યમાં અનેક સ્થળે લઘુતાવાચક પ્રત્યયો અને ઘણે સ્થળે એવા બેવડા પ્રત્યયો નજરે પડે છે. એ પ્રત્યયો બહુધા વાત્સલ્યવાચક, લઘુતાવાચક, કે તિરસ્કારવાચક હોય છે; ને કેટલે સ્થળે નિરર્થક – માત્ર સ્વાર્થવાચક હોય છે. અન્ય કવિનાં કાવ્યોમાં જોવામાં આવે છે તેના કરતાં મહેતાનાં કાવ્યમાં એનો પ્રયોગ વાચકનું લક્ષ આકર્ષે એવો છે; જેમ કે ‘ઘણેરૂં’, ‘સેજલડી’, ‘વિનતડી’, ‘દેહડી’, ‘સરીખડાં’, ‘આંગલડી’, ‘મરકલડો’, ‘કાંઠડલે’, ‘મારગડો’, ‘એકલડો’, ‘વહાલડો’, ‘વાછલડું’, ‘નાહનડલાં’, ‘ભોજનીયાં’, ‘ઉંઘરેટો’, ‘ગોપિકાકેરડાં’ (એમાં પ્રત્યય પર પણ).



મીરાંબાઈ

એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે.
ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ


‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,
તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’

*

‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.
દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’

*

‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,
છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’

મીરાંબાઈના ચરિત્રનું વાતાવરણ અનેક અસત્ય વૃત્તાન્તોથી દૂષિત થયું છે. એ વિષયમાં સદ્ગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ ઊંડું સંશોધન કરી ઘણો સત્ય પ્રકાશ પાડ્યો છે. એનું કવિત્વ ઉચ્ચ પ્રકારનું છે ને વાચકને ભક્તિરસમાં કલ્લોલ કરાવે છે. મહાત્મા ગાંધીજી કહે છે તેમ હૃદયમાંથી પ્રસરેલાં મનોભાવનાં એ ઝરણાં છે. એ લોકવૃત્તિને તૃપ્ત કરવા પ્રસરેલાં નથી. એની ભાષા હિંદીમિશ્રિત મધુર ગુજરાતી છે. એનાં ઘણાં કાવ્યો ભક્તજનોને ને સ્ત્રીઓને મુખસ્થ છે. થોડાંક ઉત્તમ કાવ્યો નીચે દર્શાવ્યાં છેઃ

‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’

*

‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,
કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’

*

‘બંસીવાલા આજો મોરા દેશ
આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’

*

‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી મૈં તો છુપી હું,
લાજકી મારી, આવત.’

*

‘પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.’

*

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’

*

‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે

*

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.’

*

‘હાં રે ચાલો ડાકોરમાં જઇ વસિયે, મને લેહે લગાડી એ રસિએ રે; ચાલો.’

*

‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે.’

*

‘વિપત પડે ત્યારે હરિને સંભારો મારી વહારે ચડો વનમાળી રે.’

*

‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’



મધ્યકાળ: પ્રેમાનન્દ

મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને
‘સાંગોપાંગ સુરંગ વ્યંગ્ય અતિશે ધારો ગિરા ગુર્જરી, પાદે પાદ રસાળ ભૂષણવતી થાઓ સખી ઉપરી; જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી; થાયે શ્રેષ્ઠ સહૂ સખીજન થકી એ આશ પૂરો હરિ.’
એ પદ્યમાં કહ્યું છે તેવી આશા રાખીને ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ સ્થાપન કરવામાં લેશ પણ અતિશયોક્તિ ને ચાટૂક્તિ નથી.

પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ

કવિ પ્રેમાનંદે પોતાની આસપાસ એકત્રિત કરેલા મંડળને જે કામ સોંપ્યું હતું તે કેટલેક અંશે યથાશક્તિ થયું, પરંતુ જોઈએ તેવું દીપી નીકળ્યું નહિ. રત્નેશ્વર સંસ્કૃત ભાષામાં વિદ્વાન હતો, તેણે ભાષાન્તરરૂપ કેટલાક ગ્રંથ રચ્યા અને કવિપુત્ર વલ્લભે પિતાની સ્તુતિ ને સામળભટ્ટની નિંદા કરી પોતાનાં કાવ્યોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. તેણે ‘કુન્તી-પ્રસન્નાખ્યાન’, ‘દુઃશાસનરુધિરપાન’, ‘યુધિષ્ઠિરવૃકોદરસંવાદ’, ‘યક્ષપ્રશ્ન’, અદિ ગ્રન્થો રચ્યા છે. ગીર્વાણ ભાષા જેવી ભાષા વિષે તેણે એક સિદ્ધ પુરુષને પૂછ્યું ત્યારે તેમણે તેને ગુર્જર ભાષા જ બતાવી, એમ વર્ણવી વલ્લભે જે ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રતિપાદન કર્યું છે તે દરેક સાહિત્ય સેવકે હદયમાં કોતરી રાખવા જેવું છે.
‘ઉમર મૂકી અને તું, ડુંગરને પૂજે કેમ? ગોદમાંનો સૂત ભૂલે, જાણ્યું નહિ જેમણે. તારી ભાષા છે જ તેવી, જાણ્યું નવ તેં જરૂર, વિચારી જો વારંવાર, ગુણથી ઘટે ગણે. કોમળતા કમળથી, અધિક દેખાય જેમાં, મધુ સુધા મિષ્ટપણે, હારી હારી જાય છે, અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય, પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.

ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી, સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’

સામળભટ્ટ અને અખો

એજ યુગના કવિ અખાએ પ્રેમાનંદથી જુદી જ દિશાએ સબળ પ્રયત્ન કર્યો છે. ‘રામાયણમહાભારત’નાં આખ્યાનો જનસમાજને ગાઈ બતલાવવાને બદલે પોતાની કલ્પનાશક્તિને પ્રભાવે ‘મડાપચ્ચીસી’, ‘સુડાબોત્તેરી’, ‘મદનમોહના’, ‘પદ્માવતી’, ‘ભદ્રાભામિની’, ‘નંદબત્રીસી’ વગેરે વાર્તાઓ તેમજ ‘ઉદ્યમકર્મસંવાદ’, ‘અંગદવિષ્ટિ’, ‘રાવણમંદોદરીસંવાદ’, આદિ અનેક કાવ્યો કવિ સામળે રચ્યાં છે, તેમાં તેણે વસ્તુસંકલનાની અદ્ભુત શક્તિ, જનસ્વભાવ આલેખવાનું કૌશલ્ય, અને અલૌકિક જ્ઞાન તેમજ બહુશ્રુતતા ને વ્યવહારકુશળતા દર્શાવ્યાં છે. ઉપમા તો કાલિદાસની એમ એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં કાલિદાસની પ્રશંસા કરી છે તેમ છપ્પા તો સામળભટ્ટના એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી.

અખો

સંસારથી વિરક્ત થયલો, કીધેલા ઉપકારના બદલામાં નિંદા ને દોષારોપણ પામેલો, આદર્શભૂત નીતિ દર્શાવતાં કારાગ્રહમાં ગોંધાયલો અખો કવિ સંસારનો ત્યાગ કરી મનની શાંતિ પ્રાપ્ત કરવા સદ્ગુરુની શોધમાં નીકળી પડે એ સ્વાભાવિક છે. એ શોધમાં એને બેત્રણ સ્થળે સ્વાર્થી અને સંસારમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ માલમ પડે છે એટલે એવા ગુરુઓ પર પોતાની કવિતામાં એ સચોટ પ્રહાર કરે એ પણ સ્વાભાવિક છે. આખરે, કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર એને જોઈતા ગુરુ મળે છે, તેમના તરફથી એને વેદાન્તશાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન તે ‘ગુરુશિષ્યસંવાદ’, ‘અખેગીતા’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘પંચીકરણ’ આદિ ગ્રન્થોમાં દર્શાવે છે. એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહોતું, તેમજ છન્દઃશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રથી પણ એ પરિચિત નહોતો. જેવી કવિતા સૂઝી આવી તેવી કવિતામાં એણે પોતાના વિચાર દર્શાવ્યા છે. મૂળ તો વેદાન્તનો વિષય જ ગહન અને તે વળી કવિતામાં ઉતારવો એ કામ ઘણું દુષ્કર, એટલે એનાં કાવ્યો સુગમ ને લોકપ્રિય થાય નહિ એમાં નવાઈ નથી. તોપણ એનાં કાવ્યોનો કેટલોક ભાગ વ્યાવહારિક હોવાથી તેમજ તે સાદી, સરળ, ને સીધી ભાષામાં રચાયલો હોવાથી ઘણો લોકપ્રિય થયો છે. એણે લોકોને તીખી ભાષામાં ઉપદેશ આપ્યો છે. એનાં કેટલાંક પદ્યો લોકોક્તિમાં સામાન્ય પ્રચાર પામ્યાં છે; કેટલેક સ્થળે અસંસ્કારી ભાષા વાપરી પોતાનો હેતુ સાધવામાં કવિ ચૂક્યો નથી. નીચેનાં જેવાં પદ્યો ઘણાં લોકપ્રિય થયાં છેઃ
‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં, તીરથ ફરિ ફરિ થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ. કથા સુણી સુણી ફુટ્યા કાન, તોયે નાવ્યું બ્રહ્મજ્ઞાન, એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુળશી દેખી તોડે પાન. એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.’
‘ફુટકળ’ અંગમાં એવાં ઘણાં સરળ, સીધાં, ને સચોટ પદ્યો છે.
‘આવિ નગરમાં લાગિ લાય, પંખિને શ્યો ધોખો થાય; ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડયાનું જોર, અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.’

*

‘ગુરુ થઈ બેઠો સેનો સાધ, સ્વામિપણાની વળગી વ્યાધ; તે પીડાથી દુખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો. વાચક જાળમાં ગુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.’

*

‘સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ; શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર. આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.’

*

‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર; ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો; અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.’

*

આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ; અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિ વડે આદરો; ગવરાવ્યા જરા હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ.’

*

‘ધન ધન જ્ઞાની જનનું ગાત્ર, જગત ગણ્યું જેણે તૃણમાત્ર; જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંઘરે સાર; સકળ કામના સવળી કરે, વાસના વધુ ઠેકાણે ડરે; ટાળે આપને ભાલે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ.’
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું? બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’

‘શીલવતીનો રાસ’

આજ મધ્યકાળમાં જૈન કવિ નેમિવિજયે ‘શીલવતી રાસો’ નામનો ઉત્તમ રાસો રચ્યો છે અને વલ્લભે ‘બહુચરાજીનો ગરબો’ વીરરસમાં યોજ્યો છે.

ધીરો ભક્ત

આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ
‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.’

*

‘અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા.’

*

‘પ્રભુ તમ સાથે રે મારે પ્રીત ઘણી.’

*

‘વાડો વાળી બેઠો રે પોતાનો પંથ કરવાને.’

*

‘જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?’

*

‘હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે.
ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ
‘કમળ કેરૂં પુષ્પ જ રે, પ્રભાત તો થાયે જ્યારે; ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’

*


અને ‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી; વિધ વિધ રંગી દેખાયે રે, આશા વધે અવિધારી.’

લજ્જારામ

લજ્જારામે ‘અભિમન્યુ–આખ્યાન’ રચ્યું છે, તેની ભાષા પ્રાસાદિક છે ને તેમાં કવિએ કેટલેક સ્થળે રસની ઝમાવટ ઉત્તમ કરી છે. નીચેની જેવી પંક્તિઓ ઘણી લોકપ્રિય થઈ છેઃ
‘તુંજ વિના રહિશ હું કેમ ટોળા વખુટી હરણી જેમ, સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ. ખોળે બેસારીને હું બાળ, ભોજન કરાવું તતકાળ; આંખથી અળગાં થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છે તતકાળ. ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દેઉં હુંય.’

*

‘મને બાલુડો ન કહેશો, મારી માવડી રે’ –
વગેરે જેમાં વય કંઈ તેજનો હેતુ નથી એવી ભાવના ઉત્તમ રીતે ઘટાવી છે.
‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે; મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે.’
એમ કહી અભિમન્યુને યુદ્ધમાં જતો અટકાવવા પ્રયાસ કરી તેમાં નિષ્ફળ થઈ ને સ્વામી યુદ્ધમાં જશે એમ ખાત્રી થઈ, ત્યારે–
‘ઉત્તરા કુંવરી વાણી બોલી, સાંભળ મુજ ભરથાર; તમે જુદ્ધ કરવા સંચરો છો ચક્રવ્યુહ મોઝાર. મરજો કે મારજો તમે, નવ દેશો પુંઠ લગાર, સહિયર મેણા મારી કહેશે, કાયરની આ નાર. અવની પર જે અવતર્યો, તેને મરવું એક જ વાર; મોત થકી ડરિયે નહિ, તે માટે ભરથાર.’
‘વેણીસંહાર’માં પણ અશ્વત્થામા કૌરવ સૈન્યને પાછું હઠતું જોઈ એવા જ વિચાર દર્શાવે છે કે સમરાંગણનો ત્યાગ કર્યાથી મૃત્યુનું ભય જ જતું રહેતું હોય તો ત્યાંથી અન્યત્ર જવું યુક્ત છે. પરંતુ જો મરણ પ્રાણી માત્રને અનિવાર્ય છે તો હે સૈનકો, તમારો યશ નકામો શા માટે મલિન કરો છો?

પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ

પ્રીમદાસનાં જ્ઞાન ને ભક્તિનાં પદો પણ સારાં છે.
‘આનંદે આવો રે, જીવન જમવાને; બહુ પાક બનાવું રે, ગિરિધર ગમવાને.’
તેમજ ‘કાયા રે તારી કામ નહીં આવે, જો કરે કોટિ ઉપાય રે; વણશી જાતાં વાર નહીં લાગે, જો કુંદન કાપીને ખાય રે.’
અને ‘રહે રસના તું રામ ભજનમાં, હંસ દશા દિલ આણી; કહું છું કુટિલ વચન નવ કાઢિ, વૃથા વાયસવાણી. રહે.’
જેવાં પદો વાચકને ભક્તિરસમાં તરબોળ કરે છે. નિષ્કુલાનંદે ‘ધીરજાખ્યાન’માં અનેક હરિભક્તો – પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, શિબિ, રંતિદેવ, મયૂરધ્વજ, વગેરે–નાં આખ્યાન ગાયાં છે. એમાં નીચેનું પદ ઉત્તમ છેઃ
‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ, આવે અર્થ દોહલે દિન રે, સંતો ધીરજ.’ તેમજ વૈરાગ્ય વિષેનું નીચેનું પદ પણ ઘણું લોકપ્રિય થયું છેઃ ‘જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી. ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનની.’

મુક્તાનંદ


મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ
‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે; મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’

બ્રહ્માનંદ

બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ
‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી; સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’

*

‘ઓરા આવો નટવર નાનડિયા, તમે મારા જીવ સાથે જડિયા. ટેક. શોભો છો સોનેરી પટકે, છબી રંગ ચોળતણે ચટકે; લીધું મન હાથતણે લટકે. ઓરા.’

*

એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ
‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી; અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’

*

‘પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા; પાછા ન વળે રે, કોઇના તે ન રહે ઝાલ્યા.’

*

‘તેની પેરે રે, હરિજન પણ જોઈને તીખા; અંતર શત્રુને રે, લાગે અતિવજ્ર સરીખા. માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે; બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’

૧૯મા સકાનાં કાવ્ય

૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે.
‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે, તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’
ઈત્યાદિ. રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ
‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય; તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય જળ વિના જળચર કેમ જીવે, જો કરિયે કોટી ઉપાય, હું છાયા તમારા દેહતણી પ્રભુ કહો કેમ અળગી થાય. કનકકાન્તિ જેમ દીપશિખા, રવિરશ્મિ સદા રહે પુરી; તે કલ્પાન્તે વિલક્ષણ ન થાય, જે પરિમલ ને કસ્તુરી. એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય; જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’
એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ
‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’ ‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’

મનોહરસ્વામી

મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે–
‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય; શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’
કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ
‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય, વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય; કામ, ક્રોધ, મદ, મોહ, મચ્છરનું, મનમાં જોર ન માય; વિષય પામવા વલખાં વીણે, રાંક, રળાય, રાય. માયા કાળતણા બંધનમાં, લાલચથી બંધાય; મરીચિકાજળ મોહોમાં નાવે, આશા અદકી થાય; ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય, વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’
બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે?
બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય; દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય. હસે, રમે, સ્વયં ખેલે, સ્વયંમાં બોલે, ગાય; સ્વગતાદિક માયિક ઉદરમાંથી, ભેદ અશેષ વિલાય. એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય; મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’
આમાં અને અન્ય સ્થળે
‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’
અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।।
આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ
‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે, આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે; બુદ્ધિચિત્તવોણો સર્વે જાણે ને સંભારે રે, અખંડ જ્ઞાન છે જેનું કદી ન વિસારે રે; એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે, નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’
આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના
‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’-
એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ
‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર, ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર, કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’
પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ
‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ; ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ. પાપ ટાળવા ચાહે તો કામાદિકને ટાળ; સત્ય દયા સંતોષની, આડી કરની પાળ. નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ; મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.
વળી–
‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’
જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ
‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય; કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય, અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાંહે દેખાય. જે કોઈ.

*

સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય; મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’
વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ
‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક. ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ; અગણિત પ્રગટે, અગણિત મારે, કાળ પાથરી જાળ. મન તું. કાળતણો જે કાળ નરહરિ, તે સાચો રખવાળ; વેગે શરણ ગ્રહે તે હરિનું, લેશે શીઘ્ર સંભાળ. મન તું. ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ; મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’

ભોજો ભક્ત

ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ
‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’

*

‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’

*


તેમજ નીચેના જેવી ‘હોરીઓ’
‘નાથ મોરી અરજ સુણો અવિનાશી, હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’
અને ‘કાચબોકાચબી’ ‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે.

કવિ દયારામ

જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે.

કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ

‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,
વંદન, દાસત્વ, સખ્યતા, વળી આત્મનિવેદન.
આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમલક્ષણા દશમી લહિયે.
એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’


આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ


‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;
એ ત્રણ વિકારરહિત સહજ, સ્નેહ તે શ્રીકૃષ્ણને ભાવે.
ભાવે એ પ્રેમ વહાલો વશ થાએ, તેણે મૂકી ક્ષણ દૂર નવ જાએ,
તે જને માન્યું મત એહ, જેમ તેમ થાયે સુખી પ્રભુ તેહ.
પ્રેમ, આસક્તિ, વ્યસન એ, ત્રણે રૂપ સ્નેહનાં લઇયે,
તે ઉપર ચોથી તન્મયંતા, તે થકી કાંઇયે ન કહીયે.
કહીએ પ્રેમનું લક્ષણ એહ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ;
વિજોગ થાય ત્યારે તપે તન, તાંહાંનું તાંહાં વળગ્યું મન.
એક વાર પણ આખા દિવસમાં, મળ્યા વિના નવ રહેવાએ,
જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’


એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ


‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’


ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ


‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;
વેદાદિક નોતી ભણી, નોતો ઉત્તમ કર્મ અધિકાર.
અધિકાર પણ એક પ્રેમપ્રતાપ, કર્યા અધીન શ્રીકૃષ્ણ જે આપ;
ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’


દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ ૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ.


‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’


એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ


‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,
જાગજંજાળ છૂટી રે, ગયું મન સ્નેહમાં મળી;
અભિમાન મૂકીને રે, ઓધવ ગોપીપાય પડયા;
કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’


કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ


‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;
કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–


એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે.

દયારામની ગરબીઓ
ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ

‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’

*

‘સાંભળ રે તું સજની મ્હારી, રજની કયાં રમી આવીજી.’

*

‘પ્રેમની પીડા તે કોને કહિયે રે, હો મધુકર. પ્રેમની.’

*

‘શીખ સાસુજી દે છે રે, વહુજી રોહો ઢંગે.’

*

‘આઠ કુવાને નવ વાવડી રે લોલ.’

*

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

*

‘મોહોલે પધારો મહારાજ, મણીધર. મોહેલે.’

*

‘લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો.’

*

‘કાનુડો કામણગારો રે, સાહેલી આ તો કાનુડો કામણગારો રે.’

*

‘મીરાં મન મોહનશું માન્યું.’

*

‘સખિ હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં.’

*

‘ચાલ વ્હેલી અલબેલી પ્યારી રાધે.’

*



નીતિભક્તિનાં પદ્યો

નીતિભક્તિનાં પદોમાં


‘હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ ગ્રહો કર મારો.’

*

‘ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’

*

‘સર્વ તજીને ભજિ લે શ્રીગોવિંદને.’

*

‘શું જાણે વ્યાકર્ણી વસ્તુને શું જાણે વ્યાકર્ણી?’

*

‘હરિ તુંને પ્રસન્ન તે કેમ થાએ?’

*

‘ગર્ભવાસમાં રાખ્યો રે કિરપા તને બહુ કરી’ એવાં પદો ઉત્તમ છે.



હિંદી કાવ્યો

કવિએ ‘સતસૈયો’ નામનું મોટું હિંદી કાવ્ય રચ્યું છે, તેમાં કલ્પનાશક્તિનું ઊંચુ ઉડ્ડયન છે, તથા પ્રૌઢ વિચાર ને શબ્દચમત્કૃતિના સુંદર દાખલા છે.

‘રસિકવલ્લભ’

‘રસિકવલ્લભ’ એ કવિનાં જ્ઞાનકાવ્યોમાંનું મુખ્ય છે. એમાં કવિએ વેદાન્તનું સારું જ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરીને અટકવાને બદલે કવિએ શાંકર મત પર આક્ષેપ કર્યો છે અને એમ કરવામાં ન્યાય ને તર્કને બદલે યુક્તિપ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ને રાધાનું અદ્વૈત માની,


‘શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુતા જોતાં એક,
જ્યમ અગ્નિજ્વાળા, ચંદ્રકૌમુદી, સિંધુ ને વળી છોળ
કહેવાં ભિન્ન અભિન્ન બંધે, વસ્તુ એક જ ખોળ.
જે એકમેવાદ્વિતીયં બ્રહ્મ, કહ્યું શ્રુતિ જુગજાણી;
નહિ તો થયું ધ્રુવ એવ શબ્દે, અદ્વિતીય શિદ વાણી.’


એ પદ્યોમાં કવિ કહે છે કે ‘એવ’ શબ્દથી નિશ્ચયનો અર્થ વાચ્ય થાય છે તો તેના પછી ‘અદ્વિતીય’ શબ્દની નિષ્પ્રયોજક પુનરુક્તિ છે; એથી એટલું જ વ્યંગ્ય થાય છે કે દ્વિતીય; રાધા ને કૃષ્ણનું યુગ્મ જાણીને જ શ્રુતિએ એમ કહ્યું છે. આવે સ્થળે તેમજ–


‘કહિએ વળી સમવાયી કારણ વિવર, ચક્ર ને દંડ’


એમાં નિમિત્તકારણને કવિએ, સમવાયી કારણ માન્યું છે. એવે સ્થળે ન્યાય અને વેદાન્તશાસ્ત્રનાં ગૂઢ તત્ત્વનું અજ્ઞાન સ્ફુટ થાય છે.

ગદ્યસાહિત્યનો ઉદ્ભવ

આ પ્રમાણે આદ્ય, મધ્ય, અને અર્વાચીન સમયના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કર્યું, ને મુખ્ય કવિઓનાં કેટલાંક ઉત્તમ કાવ્યોનું દિગ્દર્શન પણ કર્યું. ઉપસંહારરૂપે કહેતાં આ બધા સમયમાં પદ્યસાહિત્યનો જ વિકાસ થયો હતો. ગદ્યસાહિત્યમાં શાસ્ત્રીય ગદ્ય સિવાય રૂઢ ગદ્યને હજી ઉદ્ભવ જ થયો નહોતો. પદ્યસાહિત્યમાં પણ બહુધા આખ્યાનો, વાર્તાઓ, નીતિ, ભક્તિ, જ્ઞાન, અને ઈશ્વરપ્રાર્થનાનાં જ કાવ્યો રચાયાં હતાં. બધાં પદ્યોનો પ્રવાહ આ એક જ દિશા તરફ વહ્યો હતો. આ સાહિત્યમાંનું આદિ ને મધ્ય કાળનું સાહિત્ય અંગ્રેજ અમલ થયા પહેલાં રચાયું હતું. અર્વાચીન સમયનું કેટલુંક સાહિત્ય એ અમલ થયા પછીનું હતું તો પણ તેમાં અંગ્રેજી કેળવણીના સંસ્કાર પડ્યા નથી.

બ્રિટિશ રાજ્યથી સાહિત્યને થયેલા લાભાલાભ

અંગ્રેજ સરકારનો અમલ થયાથી કેળવણીને બહુ લાભ થયા તેની સાતે કેટલાક ગેરલાભ પણ થયા. જાનમાલની સહીસલામતી થવાથી ને દેશમાં શાન્તિનાં શીતલ કિરણ પ્રસરવાથી લોકોનાં ચિત્ત સાહિત્યની ખિલવણી કરવા પ્રવૃત્ત થયાં. અંગ્રેજી ભાષાનું વિશાળ, સંસ્કારી, ને ભિન્ન ભિન્ન રંગે રંગાએલું ને ભિન્ન માર્ગમાં પ્રવૃત્તિવાળું સાહિત્ય શીખવાથી વ્યક્તિસ્વાતન્ત્ર્યનાં ને સામાજિક સુધારાનાં બીજ વાચકના મનમાં રોપાયાં. મિલ, બર્ક, મેકૉલે, કાર્લાઈલ, બેકન, હૅલમ જેવા ઉત્તમ ગ્રન્થકારોના ગ્રન્થોનું અધ્યયન ને પરિશીલન કરવાથી વાચકની બુદ્ધિ ખીલી, તેના વિચારો પ્રૌઢ થયા અને તેનું લક્ષ સ્ત્રીકેળવણી ને સામાજિક સુધારાની તરફ આકર્ષાયું. સ્ત્રીવર્ગનો અજ્ઞાનાંધકારમાંથી ઉદ્ધાર કરી તેની અધમ દશા સુધારવા તરફ તેનું લક્ષ ગયું. પરદેશગમનનો માર્ગ ઊઘડ્યો. એ વિષે લોકોના વિચાર-ફેરવાયા. ઘરકૂકડાની પેઠે ઘરમાં ભરાઈ રહેવાને બદલે વેપારરોજગારને કે જ્ઞાનસંપાદન કરવાને અર્થે લોકો પરદેશ જતા થયા. પ્રવાસથી અને સુધરેલા લોકોના સમાગમથી તેમનો દૃષ્ટિકોણ વિશાળ ને વિસ્તીર્ણ થયો; અને વિચારક્ષેત્ર ને કાર્યક્ષેત્ર ભિન્નભિન્ન માર્ગે પ્રવર્ત્યું ને ખીલ્યું. આપ્ત પુરુષનું વચનમાત્ર પ્રમાણભૂત છે એમ માની લેવાની વૃત્તિ ઓછી થતી ગઈ. દરેક લખાણને અને વચનને બુદ્ધિ અને તર્કની કસોટીએ ચઢાવી તેની સમ્યક્ પરીક્ષા કર્યા પછી જે તેને સત્ય ને પ્રમાણભૂત તરીકે સ્વીકારવાની વૃત્તિનો ઉદ્ભવ થયો. અંગ્રેજો સાથેના સહવાસથી તેમના સમાજબંધારણનું જ્ઞાન થયું. ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ અને વિજ્ઞાનનાં પુસ્તકો રચાવા માંડ્યાં. વિવેચક ને સંશોધક શક્તિનો ઉદ્ભવને વિકાસ થયો. માનસિક દૃષ્ટિની મર્યાદા ઉદાર, વિશાળ, ને વિસ્તીર્ણ થઈ.

ગેરલાભ

અંગ્રેજ જેવી કેળવાએલી પ્રજાના સમાગમ ને સંસર્ગથી અને તેની શિષ્ટ ને સંસ્કારી વાઙ્મયના અધ્યયનથી આવા ઘણા લાભ થયા. સંસ્કૃત, ફારસી ને અરબી, એ પ્રાચ્ય ભાષાઓની કેળવણી આપવી કે પાશ્ચાત્ય ભાષા અંગ્રેજીની, એ પ્રશ્નનો નિર્ણય કરવાનું કામ મેકૉલેના હાથમાં આવ્યું. તેણે અંગ્રેજી ભાષાની જ કેળવણી આપવી ને તે અંગ્રેજી ભાષા મારફતે જ એવો નિર્ણય કર્યો અને એ નિર્ણયને અનુસરીને બ્રિટીશ કેળવણીનું બંધારણ યોજાયું. તેથી દેશી ભાષાઓની કેળવણીને ભારે નુકશાન પહોંચ્યું. માતૃભાષાની ખિલવણીને મોટો પ્રતિબન્ધ નડ્યો અને એ હાનિનાં અનિષ્ટ ને કડવાં ફળ હજી પણ આપણને ભોગવવાં પડે છે.

પ્રાચીન અને નવીન

જેટલું પાશ્ચાત્ય એટલું સ્તુત્ય ને ગ્રાહ્ય અને પ્રાચ્ય એટલું ગર્હ્ય ને ત્યાજ્ય એવો કુવિચાર ઉત્પન્ન થવાથી કેટલાક લોકો ઉન્માર્ગે પ્રવૃત્ત થયા. પાશ્ચાત્ય આચારવિચાર સારા, પાશ્ચાત્ય રહેણીકરણી ઉત્તમ, પાશ્ચાત્ય સામાજિક સ્વતંત્રતા આવશ્યક, પાશ્ચાત્ય પોશાક ને પાશ્ચાત્ય ભોજન આરોગ્યને વિશેષ હિતકર, જેટલું પાશ્ચાત્ય એટલું સંસ્કારી ને ગ્રાહ્ય ને પ્રાચ્યમાત્ર તિરસ્કાર્ય, એવી વૃત્તિનો કેટલાક તરુણ ને બિનઅનુભવી પુરુષોમાં જન્મ થયો અને તેમનો સંસર્ગદોષ બીજાઓને વળગ્યો. પ્રાચ્યસાહિત્યમાં ને ધર્મમાં કંઈ સત્ત્વ નથી. એ બધું દરિદ્ર, નિઃસત્ત્વ, અને મનને કોઈ પણ પ્રકારે કેળવે નહિ એવું છે એવો અકલ્યાણકારક વિચાર ઉત્પન્ન થવાથી પ્રાચ્ય આચારવિચારથી લોકો ભ્રષ્ટ થવા માંડ્યા. પ્રાચ્ય ભાષાનો ને દેશી અભ્યાસ નષ્ટપ્રાય થયો. શાસ્ત્રીય પદ્ધતિનો વિધ્વંસ થયો ને ઉપલકિયા અભ્યાસ તરફ લોકોનું વલણ થયું. ગ્રન્થકાર, કવિ કે પત્રકાર થતાં પહેલાં તેને માટે શી સાધનસંપત્તિ આવશ્યક છે તેનો વિચાર કરવાની પણ જરૂર રહી નહિ. નિયમમાત્રનો ત્યાગ કરવા તરફ પ્રબળ વલણ થયું. પ્રાચીન નિયમબદ્ધ કાવ્યને બદલે સ્વચ્છંદી છન્દોમાં કે ગદ્યમાં પણ પદ્ય રચાવા માંડ્યાં. ગદ્યમાં કાવ્યત્વ હોય પણ પદ્યમાં ગેયત્વ આવશ્યક છે એનો પણ અસ્વીકાર થવા માંડ્યો. સાહિત્યમાં આત્મબળ તરફ અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તરજુમિયાં લખાણો તરફ મન આકર્ષાયું. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી ને વડોદરાનું ભાષાન્તરખાતું તેમજ સાહિત્યપરિષદની ભંડોભકમિટી પણ બહુધા એવાં તરજુમિયાં લખાણોને જ ઉત્તેજન આપતાં જણાય છે એ ખેદ સાથે કહેવું પડે છે. ઊંચા શાસ્ત્રીય ગ્રન્થોના દેશકાલાનુસારી રૂપાન્તર કે ભાષાંતર જરૂર અંશે છે એની ના કહેવાશે નહિ. પરંતુ સ્વતંત્ર ગ્રન્થોની ઘણી આવશ્યકતા છે એ નિઃસંશય છે.

મોહન નવીનતા

નવીનતાનો મોહ મનુષ્યમાત્રને માદક પદાર્થની પેઠે પરવશ કરે છે ને તેની વિચારશક્તિનો લોપ કરે છે. કવિકુલગુરુ કાલિદાસે કાવ્યના સંબંધમાં કહ્યું છે તેમ વસ્તુમાત્રમાં બધી નવીન કંઈ નવીનતાને લીધે જ ગર્હ્ય નથી. સાધુ પુરુષો નીરક્ષીરન્યાયે સારાસારનો વિવેક કરીને જ પ્રાચ્ય કે પ્રતીચ્ય, બેમાંથી એકનું ગ્રહણ કરે છે. સ્વતંત્ર બુદ્ધિથી વસ્તુઓની તુલના કરી સારનું ગ્રહણ કરવાને બદલે બુદ્ધિને તિલાંજલિ આપી પારકાના વિચારથી જ દોરાય છે તે મૂઢ છે, વિવેકશૂન્ય છે. દેશકાળનો ને પરિસ્થિતિનો વિચાર કરીને આચારવિચારમાં તેમજ સાહિત્યમાં ફેરફાર કરવો એ જ ઉત્તમ માર્ગ છે.

અંગ્રેજી કેળવણીનો આરંભ

ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો દીપ પ્રથમ સુરતમાં પ્રગટ્યો અને ત્યાંથી તેનો પ્રકાશ ગુજરાતના બીજા ભાગમાં તથા કાઠિયાવાડમાં ને કચ્છમાં પ્રસર્યો. એક સમય એવો પણ હતો કે ત્યારે સુરતના વતનીઓ ગુજરાત કોલેજના પ્રિન્સિપાલો અને ઘણાખરા ડેપ્યુટિ ઈન્સ્પેક્ટરો સુરતી હતા. આધુનિક ગુજરાતી સાહિત્યનો આરંભ પણ સુરતમાંજ થયો. ત્યાં સાહિત્યક્ષેત્રમાં ત્રણ રત્નો એકી વખત ઝળહળી નીકળ્યાં. એ રત્નોએ સાહિત્યનો વિકાસ જુદા જુદા માર્ગમાં કર્યો. એ રત્નોમાં સાહિત્યની અનન્ય સેવા કરી વિવિધ માર્ગે ખિલવનાર. ‘રૂઢ, રમતી, ને મર્માળી’ ભાષામાં ગુજરાતી ગદ્યના ઉત્પન્ન કરનાર, ગુજરાતી કોશના આદ્ય પ્રણેતા, સંસારના સુધારાનો ઝુંડો ઉઠાવનાર, વહેમદુર્ગનો વાગ્બાણના વજ્રપ્રહારથી નાશ કરનાર, ‘આંખમાં ઝળઝળીઆં સાથે’ કલમને ખોળે બેસનાર, કલમને ખોળે જ ૨૪ વર્ષ લાડ લાડનાર, એ ટેક જવાનો સમય આવતે દિલગીરીથી તે છોડવો પડ્યો ત્યારે અવશિષ્ટ જીવન ખેદથી નિર્ગમન કરનાર, સાહિત્યસેવામાં જીવન અર્પણ કરવાની આદર્શભૂત પ્રતિજ્ઞા અવસાનપર્યન્ત પાળનાર, જુવાનીના ઉચ્છેદક વિચારોના ત્યાગપૂર્વક સંરક્ષણ દર્શાવનાર ‘ધર્મગ્રન્થ’ પ્રસિદ્ધ કરવાની અડગ હિંમત ધરાવનાર, ધીટ નરવીર, ‘ ગરવી ગુજરાત’ને સાહિત્યમાં ઉચ્ચતમ સ્થાને પહોંચાડનાર, ‘પ્રેમશૌર્ય’ અને સ્વદેશાભિમાનની ઉચ્ચ વૃત્તિ જનસમૂહમાં જગવનાર ને ઉત્તેજનાર, સ્વાનુભવરસિક કવિ નર્મદે અદ્વિતીય સાહિત્યસેવા બજાવી છે; ને દ્રવ્યની આપત્તિમાં એકલે હાથે, સરકાર કે રાજ્યના આશ્રય વિના ગુજરાતી સાહિત્યની જે ભિન્ન ભિન્ન દિશામાં ખિલવણી કીધી છે તે હાલના, પ્રગતિની વાતોમાં જ કાર્યની પરિસમાપ્તિ માનનાર વાચાળ જમાનામાં એક આદર્શભૂત ને સર્વથા અનુકરણીય દૃષ્ટાન્ત છે. તરુણ લેખકોએ આની નકલ યથાશક્તિ કરવા પ્રવૃત્ત થવું જોઈએ તેઓ સાહિત્યની સંગીન સેવા બજાવવા તત્પર થશે તો સાહિત્યવૃક્ષ શાખાપ્રશાખાથી ચારે તરફ ફાલી સમૃદ્ધ થશે.

સાહિત્યસેવા માટે અધિકાર પ્રાપ્ત કરવાની આવશ્યકતા

પરંતુ તરુણ સાહિત્યસેવકોએ એક વાત લક્ષમાં લેવા જેવી છે. પ્રાચીનકાળથી આપણા વિદ્વાનો અધિકાર પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ કાર્ય માથે લેતા નહિ. ગુરુચરણની નમ્રભાવે સેવા કરી તેમની પાસેથી અધિકાર પ્રાપ્ત કર્યા પછી જ ગુરુપ્રસાદીથી મેળવેલી વિદ્યાનો તેઓ ઉપયોગ કરતા, પ્રાચીન શ્રુતિમાં આખ્યાનરૂપે કહ્યું છે તેમ ગુરુને પણ એવી આજ્ઞા હતી કે શ્રદ્ધાળુ, નિંદા ન કરનાર, પવિત્ર ને ઋજુ પુરુષને જ વિદ્યાદાન આપવું, એથી હું વીર્યવતી થઈશ એમ વિદ્યાએ કામરૂપિણી થઈ બ્રાહ્મણ પાસે જઈ તેને કહ્યું છે. કાવ્ય લખતાં પહેલાં કવિ નર્મદે જયદેવના અલંકારગ્રન્થ ‘ચંદ્રાલોક’નો અને વૃત્તરત્નાકર, શ્રુતબોધ,’ આદિ પિંગળગ્રન્થોનો અભ્યાસ કર્યો અને એક કડિયાના ઘરમાં દાદુપંથી સાધુકવિ લાલદાસનાં સંગ્રહમાંથી ‘છંદરત્નાવળી’ નામનું પુસ્તક શોધી તેને ઘેર દરરોજ જઈ તેની નકલ કરી; અને તે સમયે ગુજરાતીમાં પિંગળ છપાયું નહોતું તેથી એ રીતે છન્દઃશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. વળી ભાષાના સંસ્કારી જ્ઞાન માટે કવિ ‘સારસ્વત’, ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ ને ‘રઘુવંશ’ આદિ સંસ્કૃત કાવ્યો શાસ્ત્રી પાસે શીખ્યા. આટલો અધિકાર પ્રાપ્ત કર્યા પછી પોતે લેખક થયા અને પોતાના બુદ્ધિપ્રભાવે ને ઉત્સાહે સાહિત્યક્ષેત્રમાં પોતાનો અમર કીર્તિસ્તંભ સ્થાપ્યો. હાલમાં તો નવલરામભાઈ કહે છે તેમ જે ને તે કવિ થવા ઇચ્છે છે અને પોતાના નામની પૂર્વે ‘કવિ’ (તેમાં ‘વિ’ હ્રસ્વને બદલે દીર્ઘ હોય તો ફિકર નહિ) એવું ઉચ્ચપદ મૂકવા અભિલાષા રાખે છે. પ્રતિભા, શાસ્ત્રજ્ઞો પાસે કરેલો અભ્યાસ, બહુશ્રુતપણું, કાવ્યશાસ્ત્રનું ને ઉત્તમ કાવ્યોનું પરિશીલન, એ બધાં અત્યાવશ્યક સાધનો પ્રાપ્ત કર્યા વિના કાવ્ય રચવાં એ ઉપહસનીય જ થાય છે. સૉક્રેટીસના વિચાર પ્રમાણે દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત કરવાની વસ્તુ જ્ઞાન છે, અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આપણા પોતાના વિશેનું છે. આપણું પ્રમાણ આપણે પોતે માપવું જોઈએ. જેમ આપણે આપણી શક્તિને વધારે ઓળખીશું તેમ આપણું જ્ઞાન કેવું સ્વલ્પ છે તે આપણને સમજાશે. વળી આપણી સ્વલ્પ જ્ઞાનમર્યાદામાં જે ઘણું સત્ય ભાસતું હતું તે મર્યાદા વિસ્તીર્ણ થયે અસત્ય છે એમ ખાતરી થશે.

કવિ નર્મદ
કવિ નર્મદના સમયથી કાવ્યસાહિત્યનો માર્ગ બદલાયો. અગાઉ માત્ર જ્ઞાન, નીતિ, ને ભક્તિના જ ક્ષેત્રમાં કાવ્યસાહિત્ય વિચરતું હતું. તેને બદલે હવે તેનું ક્ષેત્ર વિસ્તૃત થયું. સામાજિક બંધનો, વહેમો, વાંધાભરેલી રૂઢિ, વ્યસનો કેફ, વિધવાનું દુઃખ, પુનર્વિવાહ, સ્વતંત્રતા, સ્વદેશાભિમાન, દેશદાઝ, અને કુદરત, એ બધા વિષયો પર કાવ્યો રચી કવિએ તેના પ્રવાહની દિશા બદલી. ‘વનવર્ણન’, ‘કબીરવડ’, અને ‘પ્રવાસવર્ણન’માં કવિએ કુદરતના સ્વરૂપનું ઉત્તમ ચિત્ર આપ્યું છે. શૂરવીરનાં લક્ષણનાં પદોમાં કવિએ દાસત્વને નિંદી, સાહસ કરવાની વૃત્તિ ઉત્તેજી, સ્વતંત્રતાની રૂડી ભાવના વાચકના હૃદયમાં જાગ્રત કરી છે. એમાંનાં નીચેનાં પદો ઉત્તમ છેઃ

‘રડ્યાં કરે શૂં વળશે, ભાઈ, રડ્યાં કરે શૂં વળશે?’

*

‘દાસપણું ક્યાંસૂધી, કરવું દાસપણું ક્યાંસૂધી?’

*

‘પગલાં ભરવાં માંડો રે, હવે નવ વાર લગાડો.’

*

‘ડગલું ભર્યૂં કે ના ડરવૂં, ના હઠવૂં,’

*

‘રણ તો ધીરાનૂં ધીરાનૂં, નહિ ઉતાવળા કાયરનું.’

*

‘સહૂ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’

એ પદ તો જનસમાજમાં અત્યન્ત પ્રચાર પામ્યું છે. વાદળ ફાટવા માંડ્યું હવે છે, ધ્રુવાદિ કંઈ કંઈ નજરે પડે છે – એ પદ બાળાઓ પ્રેમથી લલકારે છે. ‘હિંદુઓની પડતી’, ‘પ્રેમશૌર્ય’ – જેમાં દેશપ્રેમ, પ્રાચીન ઐતિહાસિક સ્થળોની મહત્તા, ને રજવાડા, તથા ગુજરાત ને દક્ષિણના શૂરવીરોનું ચરિત્ર નિરૂપ્યું છે, એ બધાં કાવ્યો રોલાવૃત્તમાં છે.

‘આ તે શા તુજ હાલ, સુરત, સૂનાની મૂરત?’

ને

‘સ્નેહશૌર્ય તો નથી, દેશમાં સ્નેહશૌર્ય તો નથી’–

એવાં કવિનાં રોલાવૃત્ત ઘણાં સુંદર છે. પ્રાર્થનાની ગરબીઓમાં

‘સુણ સાહેલી, ઈશ્વરકેરી માયા અપરંપાર જો!’

*

‘પીની પીની પ્રેમાનંદ પ્યાલો, મટી જશે કળંતો ભાલો રે. પાની.’

*

‘ઘટ ઘટમાં તૂં રામ
રામ ઉપજાવે, રામ બચાવે, મારે તે પણ રામ રામ રે, ઘટઘટમાં.’

*

‘દુનિયાં જૂઠાની, એ અનુભવવાત પ્રમાણી.’

*

‘કોની કોની છે ગુજરાત’ –

એ ગરબીઓ ઉત્તમ છે. ‘જય જય ગરવી ગુજરાત’ એ તો ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામી છે એ યુક્ત જ છે.

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક’

એ પદમાં કવિએ આત્મપરીક્ષા કરી ખરું જ કહ્યું છે કે–

‘ધીર, સત્ય, ને રસિક ટેકિપણું અરિ પણ ગાશે દિલથી.’

*

‘પ્હેરની પ્હેરની પ્હેરની રે, બ્હેની, નીતિની સાડી પ્હેરની’ –

એ નીતિની ગરબી સ્ત્રીઓ હોંસે હોંસે ગાય છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને પુરાણોમાંથી પ્રાચીન સ્ત્રીપુરુષોની હકીકત એકઠી કરી કવિએ ‘કથોકોષ’માં આપી છે. એ કોષ ઘણો ઉપયોગી છે. ‘નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીત’ પણ રીતભાતની સમજુતી સાથે કવિએ એકઠાં કર્યાં છે. એ પુસ્તકને અનુસારે અમદાવાદમાં હાલ સ્વર્ગવાસ પામેલાં બાળાગૌરીએ ને નડિયાદમાં રા. નરહરિરામે પણ અચાર ને રીતરિવાજનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.

નર્મગદ્ય

‘નર્મગદ્ય’માં ‘નિબંધો’, ‘રામાયણ ને મહાભારતનો સાર’, ‘કવિ ને કવિતા’, ‘પ્રેમાનંદ આદિ કવિઓનાં જીવનચરિત્ર’, ‘પ્રાચીન ને અર્વાચીન જગતનો ઇતિહાસ’, ‘મહાપુરુષો, તત્ત્વવેત્તા, ને સંશોધકોનાં જીવનચારિત્રો’ અને ‘ગુજરાતની ને મેવાડની હકીકત’માં બહુ ઉપયોગી ને એમના સમયમાં વાચકને અન્યત્ર દુષ્પ્રાપ્ય બાબત જુસ્સાદાર ને સંસ્કારી ભાષામાં કવિએ આપી છે. ‘રાજ્યરંગ’નાં આદિ વાક્યો નર્મદના કીર્તિસ્તંભના મોખરાના લેખ છે. ‘એક છે, અનેક છે, નિવર્તે છે’ ઇત્યાદિ; તેમજ ‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તોપણ તે કાંઈ છે તે રંગ છે. એ રંગ હું મારી તોતલી વાણીથી વર્ણવવા ઈચ્છું છું. દે પ્રસાદ-રંગાઉં-ઉદય-ઉદય શ્રીરંગ’! ધન્ય છે કવિના વિનયને! ‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’માં કવિએ છન્દો ને અલંકારોનું વિવેચન કર્યું છે. ‘રસપ્રવેશ’માં રસ અને વ્યભિચારી ભાવોનું વિવરણ છે. ‘નાયિકાવિષયપ્રકાશ’માં નાયકનાયિકાના સ્વરૂપનું વર્ણન છે. કવિએ ‘શ્રીકૃષ્ણાકુમારી’, ‘દ્રાપદીદર્શન’ વગેરે નાટકો પણ રચ્યાં છે; એ નાટકોમાં ગદ્યભાગ વિશેષ છે, પદ્યભાગ થોડો છે. પણ ‘રામજાનકીદર્શન’માં પદ્યો સારાં છે ને પૂરતી સંખ્યામાં છે. ‘ગુજરાતી’ પત્રના તન્ત્રીએ એ નાટકોની નવીન આવૃત્તિ પ્રસિદ્ધ કરવી જોઈએ. જે સમયમાં હાલના જેટલો ઉચ્ચ કેળવણીનો પ્રચાર અને સુગમતા નહોતાં તે સમયે એકલે હાથે કવિએ કરેલી આ અનુકરણીય સેવાની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે.

કવિનું શિષ્યમંડળ

કવિના રસતરંગમાં એના શિષ્યો સદ્ગત સવિતાનારાયણ, વિજયાશંકર, વગેરે હમેશ નહાઈ અજ્ઞાનરૂપી મેલ ધોઈ ઉચ્ચ સંસ્કાર પામતા હતા. કવિ વિજયાશંકરની ‘વિજયવાણી’એ આ સમાગમનું ફળ છે. એ જ કવિનું ‘સૃષ્ટિસત્ત્વ’ સરળ ભાષામાં સંવાદરૂપે વેદાન્તના ગૂઢ તત્ત્વનું જ્ઞાન આપે છે. એમાં ગુરુશિષ્યના સંવાદના રૂપમાં ઘણું તત્ત્વજ્ઞાન છે. વાર્તાઓ, પૌરાણિક દૃષ્ટાન્તો સાથે તેમજ ‘ઉપનિષદો’, ‘ગીતા’, ‘યોગવાસિષ્ઠ’ અને શંકરાચાર્યના ગ્રન્થોમાંથી ઉતારા આપી એમણે રસિક રીતે બહુ જ્ઞાન આપ્યું છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે આવો વિદ્વત્તાભરેલો ગ્રન્થ લોકોમાં પ્રચાર પામ્યો નથી. એટલું જ નહિ પણ એનું નામ પણ કેટલાકના જાણવામાં નહિ હોય, જેમ કવિઓ ન હોય તો રાજાઓનાં ચરિત્રોની મહત્તા ન થાય એવું એક સંસ્કૃત કાવ્યમાં કહ્યું છે, તેમ વિદ્વાનોની કૃતિઓ પણ પ્રસિદ્ધિમાં આણનાર મિત્ર ન હોય તો જગતમાં અપ્રસિદ્ધ જ રહે છે. સવિતાનારાયણનાં ‘કાવ્ય’ તેમજ ‘અલંકારચન્દ્રિકા’ પણ એ ગુરુચરણ સેવાના પ્રસાદરૂપ છે.

નવલરામભાઈ

સુરતના ત્રણ નન્નાથી નિર્દેશાતા ત્રણ નરરત્નોમાંના બીજા સદ્ગત નવલરામભાઈ હતા. તેમનું જીવન સાહિત્યમય હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ઊંડા વિચારમાં નિમગ્ન થવાની ટેવ હતી. એ ટેવને લીધે તેમને વર્ગમાં કર્ટિસ સાહેબે વખોડ્યા હતા કે ઊંઘો છો કે શું? મૂળથી જ તેમને આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની ઉત્તમ ટેવ હતી. એક વખત પોતાના એક મિત્રને આશ્રય મળવાનો સંભવ જાણી પોતાનું મન ઇર્ષાથી કલુષિત થયું. નવલરામ લખે છે કે ‘મને લાગ્યું કે તેને જો આશ્રય ન મળે તો આ પાપી મન ખુશ થાય ખરું.’ પોતે ઈર્ષ્યાથી પ્રેરાઈ કંઈ અનિષ્ટ પગલું ભર્યું નથી; પરંતુ મનની નિર્બળતા પોતે તપાસી શક્યા, એ એમની મહત્તાનું પ્રબળ પ્રમાણ છે એમણે ‘વીરમતી’ ને ‘ભટ્ટનું ભોપાળું’ એ નાટકો, ‘અકબર ને બીલબલનાં હિંદી કાવ્યો’ અને ‘નર્મદચરિત્ર’એ સ્વતન્ત્ર ગ્રન્થો રચ્યા છે, નવા યોજેલા મેઘછન્દમાં ‘મેઘદૂત’નું ભાષાન્તર કર્યું છે, તેમજ ‘માલતીમાધવ’, ‘મૃચ્છકટિક’, ‘રત્નાવલી’ આદિ નાટકો તથા પુરાણોનો સાર આપ્યો છે. શિક્ષણશાસ્ત્રના અનેક વિષયો એમણે ચર્ચ્યા છે. શિક્ષણ રસિક કેમ થાય, ‘પરસ્પર સંભાષણપદ્ધતિ’નો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય, વચન અને અન્ય વિષયો કેવી રીતે ઉત્તમ શિખવાય – આવા અનેક શિક્ષણના વિષયોનું એમણે વિવરણ કર્યું છે. ‘વાતાવરણ’, ‘ધરતીકંપ’, ‘બરફના ડુંગર’, ‘કાવીનાં તામ્રપત્ર’ વગેરે સામાન્ય જ્ઞાનના અને વિદ્વત્તાના વિષય પર પણ એમણે પ્રકાશ પાડ્યો છે. નવલરામભાઈ પોતાની સાધનસંપત્તિમાં હમેશ વધારો કર્યા જ કરતા. તેઓ વાચન ને વિચારણામાં જ પોતાનો સમય નિર્ગમન કરતા હતા. એ બે સંપત્તિ વિષે પોતે સંતૃપ્ત ન થાય ત્યાં સુધી લેખનના કાર્યમાં ઉદ્યુક્ત થતા નહોતા. વય જતાં એમના વિચાર વિશેષ પરિપક્વ થયા. એ પરિપક્વતા કવિ નર્મદ અને દલપતરામ વિષેના પાછલી વયે દર્શાવેલા વિચારમાં પ્રત્યક્ષ થાય છે. નવલરામભાઈની અપૂર્વ તેજથી ઝગઝગી રહેલી કીર્તિ તેમની આટલી સાહિત્યસેવા–જે કંઈ ઓછી નથી–તેને લીધે નથી. એ તો એમની ‘પુસ્તકપરીક્ષા’ને લીધે છે. એ પરીક્ષા કરવામાં એમનું ક્ષેત્ર અત્યાર સુધી બિનહરીફ રહ્યું છે, એ એમની કીર્તિ જેવી તેવી નથી. એ ક્ષેત્રમાં એમની કીર્તિનાં કિરણો કોઈ પ્રતિદ્વન્દ્વીનાં કિરણોથી ઝંખવાયાં નથી.

ઉત્તમ ગ્રન્થાવલોકનનું સ્વરૂપ

ઉત્તમ વિવેચનમાં સમગ્ર ગ્રન્થ પર વિચાર જોઈએ, એકદેશ પર નહિ. વિવેચક રાગદ્વેષરહિત, ગુણદોષની યોગ્ય તુલના કરનાર, નિષ્પક્ષપાતી જોઈએ. ગમે તેવો વિદ્વાન હોય તોપણ માત્ર છિદ્રાન્વેષી ઉત્તમ વિવેચક કદી થઈ શકતો નથી. વિવેચનમાં ગુણ ને દોષ, બંનેની પરીક્ષા જોઈએ. ગુણની યોગ્ય કદર ને દોષનો નિર્દેશ તેના ભવિષ્ય માર્ગને સહાયભૂત થાય એવી સૂચના સાથે જોઈએ. તરુણ ઊગતા ગ્રન્થકારની મહેચ્છાને જોઈતું ઉત્તેજન મળવું જોઈએ. વિદ્વાનોના ગ્રન્થ પર ઘટતું, વિદ્વત્તાભરેલું, ગુણદોષશોધક, પ્રૌઢ વિવેચન જોઈએ. તેમાં પણ તેના ગુણની યોગ્ય તુલના ને દોષને માટે માર્ગસૂચક બોધ જોઈએ.

ઉત્તમ વિવેચક

આ બધા ગુણો નવલરામભાઈનામાં હતા. તેમના વિવેચનથી વાચકને ઘણી જાણવા જેવી હકીકતનું જ્ઞાન થાય છે ને ગ્રન્થકારને ન્યાય મળે છે. ‘કરણઘેલો’ ને ‘કાન્તા’ પરનાં તેમનાં વિવેચન ઉત્તમ છે. તેમાં રસક્ષતિ કયાં ને કેવી રીતે થાય છે તે તેમણે ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ‘કરસનદાસ મૂળજી’ના ને ‘દુર્ગારામ મહેતાજી’ના ચરિત્રમાં જીવનચરિત્રમાં કયા ગુણો આવશ્યક છે તે એમણે પ્રતિપાદિત કર્યું છે. એ જ પ્રમાણે યોગ્ય પ્રસંગે ઉત્તમ નાટક ને ઉત્તમ વાર્તાનું સ્વરૂપ પણ એમણે દર્શાવ્યું છે. એમણે સંસ્કૃતમય ભાષાની નિંદા કરી છે તે યુક્ત છે. અપરિચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગથી વાચકને ભાષા કઢંગી ને ક્લિષ્ટ લાગે છે. ‘વાચનમાળા કેવી જોઈએ’ તે વિષે એમણે વિવેચન કર્યું છે. જોડણી વિષે પણ એમણે પોતાના વિચાર દર્શાવેલા છે, ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય એવી જોડણી એમને માન્ય નથી; તેમજ પ્રાન્તિક ઝઘડો ઊભો કરે એવી જોડણી પણ એમને ઇષ્ટ નથી. નવલરામભાઈનાં કમલ ને વિચાર અનેક દિશામાં પ્રવર્તતા હતા. ‘માસિકો’ કે અન્ય વર્તમાનપત્રોમાં, લેખોમાં કે પત્રોમાં કે પુસ્તકો રચવામાં, કંઈ ને કંઈ લખવામાં તેઓ રોકાએલા રહેતા. તેઓ જીવનપર્યન્ત અભ્યાસી હતા. ‘કાવ્યાદર્શ’, બેકનનું ‘નોવમ ઓર્ગેનમ’, ‘તર્કશાસ્ત્ર’ ને ‘સાહિત્યદર્પણ’ જેવાં પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો હતો. જે સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત જ થયલી અને સંસ્કૃત વિદ્યા શાળામાં સંપાદન કરવાનો એમને લાભ મળેલો નહિ, તે સમયમાં આ ખાનગી અભ્યાસ ઘણો ઊંચો ગણાય. નવલરામભાઈ જેવા જ્ઞાની, ગંભીર વિચારક અને ન્યાયી વિવેચનકારની આપણા સાહિત્યમાં મોટી ખોટ છે.

માસ્તર સાહેબ નન્દશંકરભાઈ

સુરતના ત્રણ પ્રસિદ્ધ નન્નામાંના ત્રીજા, માસ્તર સાહેબના નામથી જાણીતા સદ્ગત નન્દશંકરભાઈ છે. એમણે ‘કરણઘેલો’ નામની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથા રચી એ નવીન માર્ગમાં સાહિત્યનો પ્રવાહ પ્રવર્તાવ્યો છે. માસ્તર સાહેબે આ એક જ નવલકથા રચી છે; પરંતુ તેમાં વસ્તુનાં ને રીતભાતનાં વર્ણન પુષ્કળ છે ને તે એવાં તો ચમત્કારી ને અસરકારક છે કે એ એક જ પુસ્તકથી તેમણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાની કીર્તિ અમર કરી છે. ‘કરણઘેલા’ની ભાષા ઘણી તેજસ્વી છે. ગ્રન્થકર્તાની વાણીનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલ્યો જાય છે તે વાચકને એટલો મોહક ને લોહચુંબકની પેઠે આકર્ષક થાય છે કે વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને હાથમાંથી પુસ્તક મૂકવું ગમતું નથી.

સંગીન સાહિત્યસેવાકાર

આ પ્રમાણે અંગ્રેજી કેળવણી આપણા દેશમાં દાખલ થયાના આરંભકાળમાં કવિ નર્મદ, નવલરામભાઈ, તથા નન્દશંકરભાઈએ ગુજરાતી સાહિત્યની જુદી જુદી દિશામાં અમૂલ્ય સેવા બજાવી છે. સમયપરત્વે વિચાર કરતાં કવિ નર્મદ ને નવલરામભાઈના જેવી સંગીન સાહિત્યસેવા બજાવનારની હાલના સમયમાં ખોટ છે એમ ભારે ખેદ સાથે કહેવું પડે છે.

કવીશ્વર દલપતભાઈ

સુરતના શૃંગારરૂપ કવીશ્વર નર્મદ અને નવલરામભાઈ જે સમયે આ ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરતા હતા તે સમયે અમદાવાદમાં મૂળ કાઠિયાવાડના વતની કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, જેમના સંક્ષિપ્ત ક. દ. ડા.થી પ્રાથમિક શાળાનાં બાળકો ઘણા પરિચિત છે. તેઓ જનસમાજનું રંજન કરે એવાં કાવ્યો પ્રાસાદિક વાણીમાં રચી ગુજરાતી કાવ્યસાહિત્યનો વિકાસ કરતા હતા. કવિશ્રીએ ફોર્બ્સ સાહેબના પ્રયત્નથી સ્થપાયેલી ને વૃદ્ધિ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સારી સેવા બજાવી હતી. તેઓ અમદાવાદ ટ્રેનીંગ કોલેજમાં કવિતાનો વિષય શિખવવા જતા હતા એ તે વખતના ભાગ્યશાળી શિષ્યને મોટો લાભ હતો. કવિએ હુન્નરની ખિલવણી, સંસારસુધારો, ધર્મ, નીતિ, કેળવણી અને અનેક પ્રાસંગિક વિષયો પર સભારંજની કવિતા રચી સરકારની તેમજ જનમંડળની પ્રીતિ સંપાદન કરી હતી. તેઓ ગુજરાતના રાજકવિની ઉચ્ચ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રભાત, સૂર્યોદય, સાયંકાલ, અને ઋતુ વિષેનાં તેમનાં કાવ્યોમાં કેટલાંકમાં કવિની કલ્પનાશક્તિ સારી ખીલેલી જણાય છેઃ

પરોઢિયે શીતળ વાયુ વાય, તેથી પડે ટાઢ અને ધુજાય;
કુરાજ્યમાં જેમ જનો ન જંપે, બીકે બધા લોકની કાય કંપે.
કુકૂસ્વરો કુક્કુટ તો કરે છે, સર્વત્ર જેના સ્વર સંચરે છે;
જાણે રવીરાય પધારનારો, તેના છડીદારતણા ઉચારો.
વાજે રૂડાં ચોઘડિયાં નગારાં, જે લોકને નિત્ય જગાડનારાં
જાણે નવા રાજ્યની ફોજ આવે, તેની બડી નોબત આ બજાવે.
વિદ્યારથી પાઠ ઉઠી કરે છે, જાણે રવીના જશ ઉચરે છે;
પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે, જાલે રવિના ગુણ ગાય ગીતે.’







</poem>