ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 2,541: Line 2,541:
}}
}}


{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story


|story = <poem>ગુરુદેવ,
તમે જાણો છો કે તમે એ દિવસે ગાયેલા ભજનથી
એ ભજન ગવાતું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, આ થોડા દિવસોમાં
અશક્યને શક્ય થતું જોઈને
આપણી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
તમારા પ્રાણની રક્ષાથી
એક મોટી નિરાંતની લાગણી સર્વત્ર ફેલાયેલી છે.
તમારા તરફથી આદેશની આ એક સવેળાની તક છે.
હિંદુ સમાજને મુસલમાનોને પોતાના પક્ષમાં લેવા માટે
અથાગ પ્રયત્ન કરવાનું કહો
જેથી આપણા સહિયારા ઉદ્દેશમાં મદદ થાય.
તમારી અસ્પૃશ્યતાની લડત કરતાં
આ લડત જીતવી વધારે મુશ્કેલ છે
કારણ કે આપણી પ્રજાના મનમાં
મુસ્લિમો પ્રત્યે તીવ્ર અણગમો ઊંડી જડ ઘાલીને બેઠો છે
અને તેમને પણ આપણા માટે ખાસ પ્રેમભાવ નથી.
પણ તમને દુરાગ્રહી અને જિદ્દી હૃદયોને જીતી લેતાં આવડે છે અને તમારો ધૈર્યપૂર્ણ પ્રેમ
સદીઓથી એકત્ર થયેલા દ્વેશને મહાત કરી શકશે.
તમને સલાહ આપવાનું કામ મારું નથી
અને શું માર્ગ લેવો તે અંગેના તમારા નિર્ણય ઉપર
મને સંપૂર્ણ વિશ્વાસ છે.
સન્માનીય પ્રેમ સાથે, સદા તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો સુંદર પત્ર મળ્યો છે.
હું રોજ પ્રકાશને ખોળી રહ્યો છું.
હિંદુ મુસ્લિમ એકતા એ પણ મારા જીવનનું ધ્યેય છે.
પણ મને પણ અવરોધો નડે છે.
હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે
ત્યારે તે અવરોધોને વીંધીને આવશે.
ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું, હજી ઉપવાસ પર ઊતર્યો નથી.
સપ્રેમ, તમારો,
કવિના પ્રેમની વર્ષાથી
હું એટલો આનંદવિભોર થઈ ગયો હતો કે
મેં ચાર્લીને લખ્યું,
ગુરુદેવ તો હજીય તેમ જ છે.
આ નાનકડા ઉપવાસથી મને ઘણા ખજાના મળ્યા છે
પણ તેમાં ગુરુદેવ સર્વશ્રેષ્ઠ રત્ન છે.
કોઈએ કહ્યું હોત કે ગુરુદેવને મેળવવા ઉપવાસ કરો
તો મેં વગર વિચારે તેમ કર્યું હોત.
તેમના હૃદયમાં સ્થાન મેળવવા હું અત્યંત ઉત્સુક હતો.
ઈશ્વરનો આભાર કે ઉપવાસ દ્વારા હું તે મેળવી શક્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું.
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem>