પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૭: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭|}}
{{Heading|૧૭ શ્રી હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮મું અધિવેશનઃ નવસારી
<center>'''૧૮મું અધિવેશનઃ નવસારી'''</center>


નવસારી, ૧૯૫૨
નવસારી, ૧૯૫૨
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના પ્રતિનિધિઓ, સાહિત્યરસિક સન્નારીઓ તથા સદ્‌ગૃહસ્થો,
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના પ્રતિનિધિઓ, સાહિત્યરસિક સન્નારીઓ તથા સદ્‌ગૃહસ્થો,
ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનનું પ્રમુખસ્થાન તે કોઈ પણ વ્યક્તિ માટે ગૌરવભર્યા માનનું પદ છે. તે પ્રતિષ્ઠિત પદ ઉપર મારી પસંદગી કરી આપે જે સદ્‌ભાવ બતાવ્યો છે તે માટે હું આપનો સહૃદયતાથી આભાર માનું છું. મને લાગે છે કે મારી યોગ્યતા ગમે તેટલી ઓછી હોય તેમ છતાં મારામાં વિશ્વાસની ભાવનાથી મને એ પદ આપે આપ્યું તે કારણથી મારે માટે તો તે માન કરતાં આપના વિશ્વાસને અદા કરવાની જવાબદારીનું હું વધારે સમજું છું. તે જવાબદારી બજાવવા માટે પરિષદના કાર્યમાં રસ લેતા સર્વ બંધુઓનો સહકાર મળી રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધાથી મેં આ સ્થાન સ્વીકાર્યું છે. આશા છે કે તમારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા એ બંનેને સરખી સફળતા મળે.
ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનનું પ્રમુખસ્થાન તે કોઈ પણ વ્યક્તિ માટે ગૌરવભર્યા માનનું પદ છે. તે પ્રતિષ્ઠિત પદ ઉપર મારી પસંદગી કરી આપે જે સદ્‌ભાવ બતાવ્યો છે તે માટે હું આપનો સહૃદયતાથી આભાર માનું છું. મને લાગે છે કે મારી યોગ્યતા ગમે તેટલી ઓછી હોય તેમ છતાં મારામાં વિશ્વાસની ભાવનાથી મને એ પદ આપે આપ્યું તે કારણથી મારે માટે તો તે માન કરતાં આપના વિશ્વાસને અદા કરવાની જવાબદારીનું હું વધારે સમજું છું. તે જવાબદારી બજાવવા માટે પરિષદના કાર્યમાં રસ લેતા સર્વ બંધુઓનો સહકાર મળી રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધાથી મેં આ સ્થાન સ્વીકાર્યું છે. આશા છે કે તમારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા એ બંનેને સરખી સફળતા મળે.
અવસાનોની નોંધઃ
'''અવસાનોની નોંધઃ'''
પ્રથમ તો આજે લગભગ ચાર વર્ષ પછી પરિષદનું સંમેલન મળે છે તે દરમિયાન જે ગુજરાતી સાક્ષરો તથા સાહિત્યરસિક નામાંકિત વ્યક્તિઓનાં અવસાન થયાં છે તેની સખેદ નોંધ લેવી ઘટે છે.
પ્રથમ તો આજે લગભગ ચાર વર્ષ પછી પરિષદનું સંમેલન મળે છે તે દરમિયાન જે ગુજરાતી સાક્ષરો તથા સાહિત્યરસિક નામાંકિત વ્યક્તિઓનાં અવસાન થયાં છે તેની સખેદ નોંધ લેવી ઘટે છે.
સદ્‌ગત સરદાર વલ્લભભાઈ પટેલ લેખક તો નહોતા, પણ જનસમૂહના હૃદયમાં સોંસરી પેસે એવી સચોટ અને તળપદી, કાંઈક કટાક્ષ અને કાંઈક તીવ્ર વેધક વાણી વડે પ્રજાને સંગઠિત કરી લોકનું નવજીવન ઉત્પન્ન કરે તે જો સાહિત્યકારનું લક્ષણ ગણાય તો તેમને આ ગાંધીયુગના આમજનતાના અને ખાસ કરીને નિરક્ષર જનતાના સાક્ષર કેમ ન કહી શકાય? સ્વાધીનતા મેળવવાથી સાહિત્યજીવન પણ જો સમૃદ્ધ થઈ શકે તો તે મેળવી આપનાર વીરપુરુષને અંજલિ આપવાનો પણ સાહિત્યકારોનો ધર્મ છે.
સદ્‌ગત સરદાર વલ્લભભાઈ પટેલ લેખક તો નહોતા, પણ જનસમૂહના હૃદયમાં સોંસરી પેસે એવી સચોટ અને તળપદી, કાંઈક કટાક્ષ અને કાંઈક તીવ્ર વેધક વાણી વડે પ્રજાને સંગઠિત કરી લોકનું નવજીવન ઉત્પન્ન કરે તે જો સાહિત્યકારનું લક્ષણ ગણાય તો તેમને આ ગાંધીયુગના આમજનતાના અને ખાસ કરીને નિરક્ષર જનતાના સાક્ષર કેમ ન કહી શકાય? સ્વાધીનતા મેળવવાથી સાહિત્યજીવન પણ જો સમૃદ્ધ થઈ શકે તો તે મેળવી આપનાર વીરપુરુષને અંજલિ આપવાનો પણ સાહિત્યકારોનો ધર્મ છે.
Line 20: Line 20:
સદ્‌ગત બટુભાઈ ઉમરવાડીઆએ ગુજરાતી સાહિત્યની એકાંકી નાટકો આલેખીને સુંદર સેવા કરી હતી. વ્યવસાયી જીવનને લીધે તે સાહિત્ય-જીવનમાં લાંબો વખત રહી શક્યા નહીં, પરંતુ એમણે જેટલું આપ્યું તેનાથી એમનું સ્થાન સાહિત્યક્ષેત્રમાં રહ્યું છે.
સદ્‌ગત બટુભાઈ ઉમરવાડીઆએ ગુજરાતી સાહિત્યની એકાંકી નાટકો આલેખીને સુંદર સેવા કરી હતી. વ્યવસાયી જીવનને લીધે તે સાહિત્ય-જીવનમાં લાંબો વખત રહી શક્યા નહીં, પરંતુ એમણે જેટલું આપ્યું તેનાથી એમનું સ્થાન સાહિત્યક્ષેત્રમાં રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યરસિકો અને વિદ્વાનો – ઠક્કરબાપા, ગલીઆરા, મોતીચંદ કાપડીઆ, મગનલાલ ખખ્ખર, શંકરરાય અમૃતરાય, વીરમિત્ર દિવેટિયા, હીરાલાલ કાઝી, વામન મુકાદમ, અનંત પંડ્યા વગેરેના અવસાનોની નોંધ લેવી ઘટે છે.
આ ઉપરાંત ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યરસિકો અને વિદ્વાનો – ઠક્કરબાપા, ગલીઆરા, મોતીચંદ કાપડીઆ, મગનલાલ ખખ્ખર, શંકરરાય અમૃતરાય, વીરમિત્ર દિવેટિયા, હીરાલાલ કાઝી, વામન મુકાદમ, અનંત પંડ્યા વગેરેના અવસાનોની નોંધ લેવી ઘટે છે.
સાહિત્ય અને જીવનઃ
'''સાહિત્ય અને જીવનઃ'''
સન્નારીઓ તથા સજ્જનો! આપણે બહુ ગુજરાતી સાહિત્યના સર્જકો, ઉપાસકો તથા રસિકો તરીકે આજે અહીં મળ્યાં છીએ. ‘સાહિત્ય’ શબ્દનો વિશેષ અર્થ શો છે તેનો પ્રથમ વિચાર કરી આપણે આગળ ચાલીએ. આપણા વિદ્વાનોએ એના જુદા જુદા અર્થ કર્યા છે. “सहितस्य भावः साहित्यम्” એટલે અનેક વ્યક્તિઓના વિચારનું સંમિલન ભાષા દ્વારા પ્રગટ થાય તે સાહિત્ય. ‘हितेन सह सहितं तस्य भावः साहित्यम्’ એટલે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય. ‘शब्दार्थो सहितौ काव्यम्” એટલે શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એકબીજાની સાથે મળેલા હોય તે સાહિત્ય. આ વ્યાખ્યાઓમાં બે મુખ્ય તત્ત્વો સમાયેલાં છેઃ એક વિચાર અને વાણીનું સુંદર સંમિલન અને બીજું આવી રીતે અનેક સાહિત્યકારોએ કાલપરંપરામાં પદ્ય કે ગદ્યમાં રચેલો સંગ્રહ. વિચાર અને વાણી વચ્ચેનો સંબંધ જેમ વ્યક્તિમાં છે, તેમ એક ભાષા બોલતી પ્રજાનું માનસ અને તેના સાહિત્ય વચ્ચેનો સંબંધ અંગાંગી પ્રકારનો છે. એટલે કે કોઈ પણ કાળનું સાહિત્ય એ તે સમયની પ્રજાના માનસનો આવિર્ભાવ છે. તેમજ ભવિષ્યની પ્રજાનું માનસ ઉત્પન્ન કરવામાં તેના સાહિત્યની પણ સારી કે નરસી અસર થાય છે. વિચારોનો સૂક્ષ્મ આત્મા શબ્દોની સ્થૂલ સૃષ્ટિમાં જન્મ લઈ દેહ ધારણ કરે તેનું પુષ્ટ જીવન વિચારોના મૌલિક મૂલ્ય તથા શબ્દોની હૃદયંગમતાના સુંદર સમન્વય ઉપર જ આધાર રાખે છે. તે બંને તત્ત્વોમાં વિચાર તે જ આત્મા છે અને શબ્દ તેનું શરીર છે, તે સાહિત્યસૃષ્ટિનું એક સનાતન સત્ય છે. તે બંનેનો જે સાહિત્યમાં સંયોગ હોય તે જ સાહિત્ય ચિરંજીવ બને છે અને સમાજના માનસને ઉચ્ચ કક્ષા ઉપર ટકાવે છે.
સન્નારીઓ તથા સજ્જનો! આપણે બહુ ગુજરાતી સાહિત્યના સર્જકો, ઉપાસકો તથા રસિકો તરીકે આજે અહીં મળ્યાં છીએ. ‘સાહિત્ય’ શબ્દનો વિશેષ અર્થ શો છે તેનો પ્રથમ વિચાર કરી આપણે આગળ ચાલીએ. આપણા વિદ્વાનોએ એના જુદા જુદા અર્થ કર્યા છે. “सहितस्य भावः साहित्यम्” એટલે અનેક વ્યક્તિઓના વિચારનું સંમિલન ભાષા દ્વારા પ્રગટ થાય તે સાહિત્ય. ‘हितेन सह सहितं तस्य भावः साहित्यम्’ એટલે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય. ‘शब्दार्थो सहितौ काव्यम्” એટલે શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એકબીજાની સાથે મળેલા હોય તે સાહિત્ય. આ વ્યાખ્યાઓમાં બે મુખ્ય તત્ત્વો સમાયેલાં છેઃ એક વિચાર અને વાણીનું સુંદર સંમિલન અને બીજું આવી રીતે અનેક સાહિત્યકારોએ કાલપરંપરામાં પદ્ય કે ગદ્યમાં રચેલો સંગ્રહ. વિચાર અને વાણી વચ્ચેનો સંબંધ જેમ વ્યક્તિમાં છે, તેમ એક ભાષા બોલતી પ્રજાનું માનસ અને તેના સાહિત્ય વચ્ચેનો સંબંધ અંગાંગી પ્રકારનો છે. એટલે કે કોઈ પણ કાળનું સાહિત્ય એ તે સમયની પ્રજાના માનસનો આવિર્ભાવ છે. તેમજ ભવિષ્યની પ્રજાનું માનસ ઉત્પન્ન કરવામાં તેના સાહિત્યની પણ સારી કે નરસી અસર થાય છે. વિચારોનો સૂક્ષ્મ આત્મા શબ્દોની સ્થૂલ સૃષ્ટિમાં જન્મ લઈ દેહ ધારણ કરે તેનું પુષ્ટ જીવન વિચારોના મૌલિક મૂલ્ય તથા શબ્દોની હૃદયંગમતાના સુંદર સમન્વય ઉપર જ આધાર રાખે છે. તે બંને તત્ત્વોમાં વિચાર તે જ આત્મા છે અને શબ્દ તેનું શરીર છે, તે સાહિત્યસૃષ્ટિનું એક સનાતન સત્ય છે. તે બંનેનો જે સાહિત્યમાં સંયોગ હોય તે જ સાહિત્ય ચિરંજીવ બને છે અને સમાજના માનસને ઉચ્ચ કક્ષા ઉપર ટકાવે છે.
આવી રીતે વિચારોનું તત્ત્વ તે સાહિત્યની ભૂમિકા છે. પરંતુ જીવન જેમ પ્રગતિમય છે તેમ વિચારો પણ પ્રગતિમય હોય તો જ તેનું બળ ટકી શકે છે. જ્ઞાન અને અનુભવની અસરથી વિચારોનું પરિવર્તન થાય તે સ્વાભાવિક છે. અને તેથી જ સાહિત્ય પણ જો નવા વિચારોથી પ્રાણવાન ન થાય તો તે લોહી વગરનું અને નિર્જીવ બને છે. આવી યુગે યુગે બદલાતી વિચારસરણીઓને વ્યક્ત કરવા માટે સાહિત્યમાં નવા શબ્દો અને શૈલીનું પણ સર્જન થાય છે. એક યુગનું સાહિત્ય પછીના યુગોમાં તેમાં જે સનાતન સત્યો રહેલાં હોય તેટલા પૂરતું સજીવ રહે છે. અને બાકીનું ઇતિહાસના ભંડારમાં જ ભરાઈ રહે છે. જેવી રીતે પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવું એટલું જ નહિ, પણ પરિસ્થિતિને પણ જીવનને ઉચ્ચ માર્ગ ઉપર લઈ જવા માટે અનુકૂળ બનાવવી, એ મનુષ્યજીવનશાસ્ત્રનો નિયમ છે, તેવી જ રીતે પ્રજાજીવનનું પ્રતિબિંબ થવા ઉપરાંત બદલાતી પરિસ્થિતિમાં જીવનનો ઉત્કર્ષ થાય તેવા પ્રકારનું સાહિત્ય ઉત્પન્ન કરવું તે સાક્ષરતાનો ધર્મ છે. એમ ન થાય તો જીવન ટકી શકે નહીં અને પ્રજાજીવન સાથેનો નિકટ સંબંધ તૂટી જાય. સાહિત્ય વડે જો મૂલ્યાંકનોનું પરિવર્તન થાય તો જ તે જનતા ઉપર જરૂરી અસર કરી શકે.
આવી રીતે વિચારોનું તત્ત્વ તે સાહિત્યની ભૂમિકા છે. પરંતુ જીવન જેમ પ્રગતિમય છે તેમ વિચારો પણ પ્રગતિમય હોય તો જ તેનું બળ ટકી શકે છે. જ્ઞાન અને અનુભવની અસરથી વિચારોનું પરિવર્તન થાય તે સ્વાભાવિક છે. અને તેથી જ સાહિત્ય પણ જો નવા વિચારોથી પ્રાણવાન ન થાય તો તે લોહી વગરનું અને નિર્જીવ બને છે. આવી યુગે યુગે બદલાતી વિચારસરણીઓને વ્યક્ત કરવા માટે સાહિત્યમાં નવા શબ્દો અને શૈલીનું પણ સર્જન થાય છે. એક યુગનું સાહિત્ય પછીના યુગોમાં તેમાં જે સનાતન સત્યો રહેલાં હોય તેટલા પૂરતું સજીવ રહે છે. અને બાકીનું ઇતિહાસના ભંડારમાં જ ભરાઈ રહે છે. જેવી રીતે પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવું એટલું જ નહિ, પણ પરિસ્થિતિને પણ જીવનને ઉચ્ચ માર્ગ ઉપર લઈ જવા માટે અનુકૂળ બનાવવી, એ મનુષ્યજીવનશાસ્ત્રનો નિયમ છે, તેવી જ રીતે પ્રજાજીવનનું પ્રતિબિંબ થવા ઉપરાંત બદલાતી પરિસ્થિતિમાં જીવનનો ઉત્કર્ષ થાય તેવા પ્રકારનું સાહિત્ય ઉત્પન્ન કરવું તે સાક્ષરતાનો ધર્મ છે. એમ ન થાય તો જીવન ટકી શકે નહીં અને પ્રજાજીવન સાથેનો નિકટ સંબંધ તૂટી જાય. સાહિત્ય વડે જો મૂલ્યાંકનોનું પરિવર્તન થાય તો જ તે જનતા ઉપર જરૂરી અસર કરી શકે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યઃ
'''પ્રાચીન ગુજરાતી સાહિત્યઃ'''
આ છે સંક્ષિપ્તમાં સાહિત્યજીવનની મીમાંસા. હવે આપણે ગુજરાતી સાહિત્યને આ દૃષ્ટિબિંદુથી તપાસીએ. ગુજરાતના દૂર ભૂતકાળમાં ગયા વિના જ્યારથી ગુજરાતી જીવન ઘડાવા માંડ્યું, એટલે ઈ.સ.૧૧મા સૈકાથી શરૂ કરીશું. મૂળરાજ સોલંકીથી ભીમદેવ સુધીના સમયમાં ગુજરાતના ઘડતરનો પ્રથમ યુગ હતો. ગુજરાતના રાજકીય ક્ષેત્રના વિકાસ સાથે ઉત્તરેથી આવી હાલના ગુજરાતમાં વસેલી પ્રજાઓએ પોતાના દેશને આબાદ કરવા વ્યાવહારિક પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમાં જૈન ધર્મના અનુયાયીઓ અગ્રેસર હતા. ગુજરાતનું માનસ ઘડવામાં બે વસ્તુઓ મુખ્ય હતીઃ એક તો તેના પશ્ચિમ કાંઠાનો સમુદ્ર અને બીજી તેની ધરાને રસાળ બનાવનાર અનેક નદીઓ. આ બંને કુદરતી સાધનોએ ગુજરાતને સમૃદ્ધ બનાવી તેનું ભવિષ્ય ઘડ્યું. દેશપરદેશના વ્યાપાર ખેડાયા અને સાધનસંપત્તિની વૃદ્ધિ વડે સાહિત્ય અને કલાઓને પણ ઉત્તેજન મળ્યું. આપણા પશ્ચિમકાંઠાના સમુદ્રે પારસીભાઈઓનાં વહાણોને ગુજરાતમાં આણી આપણા કિનારા ઉપર ઉતાર્યાં અને ત્યારથી ગુજરાત તેમનું વતન થયું એ પણ આપણું મોટું સદ્‌ભાગ્ય નીવડ્યું. અહિંસાપ્રધાન જૈન ધર્મ અને ગુજરાતની નરમ ભૂમિ એ બંનેએ એનું જીવન શાંતિપ્રિય ને વ્યાવહારિક બનાવ્યું. રજપૂત રાજાઓએ પણ જૈન તેમજ હિન્દુ ધર્મને તથા સાહિત્યના વિકાસને ઉત્તેજન આપ્યું. એ સાહિત્યવિકાસની શરૂઆત જૈન સાધુઓને હાથે થઈ. હેમચંદ્રાચાર્યે વ્યાકરણ રચી તે સમયની ભાષાનું ખોખું તૈયાર કર્યું અને બીજા અનેક સાધુઓએ રાસાઓ રચી ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્યની શરૂઆત કરી. પરંતુ આ અને પછીના ઠેઠ ૧૮-૧૯મી સદીના લાંબા કાળમાં ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા તે એનું ધાર્મિક ભાવનાપ્રધાન પદ્યસાહિત્ય જે પ્રજા શાંતિમય અને પૈસેટકે સુખી હોય તેનામાં ધર્મના જ્ઞાન કરતાં પણ ભાવનાને વધારે પુષ્ટિ મળે છે. એટલે ગુજરાતી જીવનમાં વ્યાવહારિકતા અને ધાર્મિકતા એ બંને સાથે રહી. તત્ત્વજ્ઞાનની સીડી ઉપર ચડી માત્ર હવાઈ વાતાવરણમાં લટકવા કરતાં સ્થૂલ ભૂમિ ઉપર રહીને જીવનની ભોગ્ય વસ્તુઓ ભગવાનની કૃપાથી જ મળે છે માટે તેની ભક્તિ કરીને જીવન ભોગવવામાં સુખ છે એ સામાન્ય ગુજરાતી પ્રજાજનોનો જીવનમંત્ર થયો. અને એ પ્રકારના વ્યાવહારિક અને ધાર્મિક મિશ્રણવાળું મધ્યમ માર્ગનું માનસ એ ગુજરાતની વિશિષ્ટતા. આ કારણથી જે ધાર્મિક સંપ્રદાયમાં ભોગ અને ભક્તિ એ બંનેને સ્થાન છે તેવા સંપ્રદાય તરફ ગુજરાતની જનતાનું મન આકર્ષાય તે સ્વાભાવિક છે. એવો સંપ્રદાય એને મળ્યો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મમાં અને કૃષ્ણભક્તિના સમર્પણભાવમાં. શ્રીકૃષ્ણ ગુજરાતના ધાર્મિક જીવનનું મધ્યબિંદુ બન્યા, પણ તે મહાભારતની ગીતાના કૃષ્ણ કરતાં મથુરાના, ભાગવતપુરાણના, બાળલીલાના, પ્રેમભક્તિ વડે સર્વસમર્પણના કૃષ્ણ હતા.
આ છે સંક્ષિપ્તમાં સાહિત્યજીવનની મીમાંસા. હવે આપણે ગુજરાતી સાહિત્યને આ દૃષ્ટિબિંદુથી તપાસીએ. ગુજરાતના દૂર ભૂતકાળમાં ગયા વિના જ્યારથી ગુજરાતી જીવન ઘડાવા માંડ્યું, એટલે ઈ.સ.૧૧મા સૈકાથી શરૂ કરીશું. મૂળરાજ સોલંકીથી ભીમદેવ સુધીના સમયમાં ગુજરાતના ઘડતરનો પ્રથમ યુગ હતો. ગુજરાતના રાજકીય ક્ષેત્રના વિકાસ સાથે ઉત્તરેથી આવી હાલના ગુજરાતમાં વસેલી પ્રજાઓએ પોતાના દેશને આબાદ કરવા વ્યાવહારિક પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમાં જૈન ધર્મના અનુયાયીઓ અગ્રેસર હતા. ગુજરાતનું માનસ ઘડવામાં બે વસ્તુઓ મુખ્ય હતીઃ એક તો તેના પશ્ચિમ કાંઠાનો સમુદ્ર અને બીજી તેની ધરાને રસાળ બનાવનાર અનેક નદીઓ. આ બંને કુદરતી સાધનોએ ગુજરાતને સમૃદ્ધ બનાવી તેનું ભવિષ્ય ઘડ્યું. દેશપરદેશના વ્યાપાર ખેડાયા અને સાધનસંપત્તિની વૃદ્ધિ વડે સાહિત્ય અને કલાઓને પણ ઉત્તેજન મળ્યું. આપણા પશ્ચિમકાંઠાના સમુદ્રે પારસીભાઈઓનાં વહાણોને ગુજરાતમાં આણી આપણા કિનારા ઉપર ઉતાર્યાં અને ત્યારથી ગુજરાત તેમનું વતન થયું એ પણ આપણું મોટું સદ્‌ભાગ્ય નીવડ્યું. અહિંસાપ્રધાન જૈન ધર્મ અને ગુજરાતની નરમ ભૂમિ એ બંનેએ એનું જીવન શાંતિપ્રિય ને વ્યાવહારિક બનાવ્યું. રજપૂત રાજાઓએ પણ જૈન તેમજ હિન્દુ ધર્મને તથા સાહિત્યના વિકાસને ઉત્તેજન આપ્યું. એ સાહિત્યવિકાસની શરૂઆત જૈન સાધુઓને હાથે થઈ. હેમચંદ્રાચાર્યે વ્યાકરણ રચી તે સમયની ભાષાનું ખોખું તૈયાર કર્યું અને બીજા અનેક સાધુઓએ રાસાઓ રચી ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્યની શરૂઆત કરી. પરંતુ આ અને પછીના ઠેઠ ૧૮-૧૯મી સદીના લાંબા કાળમાં ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા તે એનું ધાર્મિક ભાવનાપ્રધાન પદ્યસાહિત્ય જે પ્રજા શાંતિમય અને પૈસેટકે સુખી હોય તેનામાં ધર્મના જ્ઞાન કરતાં પણ ભાવનાને વધારે પુષ્ટિ મળે છે. એટલે ગુજરાતી જીવનમાં વ્યાવહારિકતા અને ધાર્મિકતા એ બંને સાથે રહી. તત્ત્વજ્ઞાનની સીડી ઉપર ચડી માત્ર હવાઈ વાતાવરણમાં લટકવા કરતાં સ્થૂલ ભૂમિ ઉપર રહીને જીવનની ભોગ્ય વસ્તુઓ ભગવાનની કૃપાથી જ મળે છે માટે તેની ભક્તિ કરીને જીવન ભોગવવામાં સુખ છે એ સામાન્ય ગુજરાતી પ્રજાજનોનો જીવનમંત્ર થયો. અને એ પ્રકારના વ્યાવહારિક અને ધાર્મિક મિશ્રણવાળું મધ્યમ માર્ગનું માનસ એ ગુજરાતની વિશિષ્ટતા. આ કારણથી જે ધાર્મિક સંપ્રદાયમાં ભોગ અને ભક્તિ એ બંનેને સ્થાન છે તેવા સંપ્રદાય તરફ ગુજરાતની જનતાનું મન આકર્ષાય તે સ્વાભાવિક છે. એવો સંપ્રદાય એને મળ્યો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મમાં અને કૃષ્ણભક્તિના સમર્પણભાવમાં. શ્રીકૃષ્ણ ગુજરાતના ધાર્મિક જીવનનું મધ્યબિંદુ બન્યા, પણ તે મહાભારતની ગીતાના કૃષ્ણ કરતાં મથુરાના, ભાગવતપુરાણના, બાળલીલાના, પ્રેમભક્તિ વડે સર્વસમર્પણના કૃષ્ણ હતા.
આ છે નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના પાંચ છ સૈકાના સાહિત્યયુગનું રહસ્ય. એમાં ગુજરાતની ધાર્મિક તૃષ્ણાની રસમય તૃપ્તિ, સો વરસના અદ્‌ભુત વિશ્વપરિવર્તન પછી પણ આજ સુધી ગુજરાતની સામાન્ય જનતામાં કૃષ્ણના સાહિત્યની લોકપ્રિયતા. વૈષ્ણવ ધર્મ તો બંગાળા અને દક્ષિણમાં પણ પ્રસર્યો છે. પણ બંગાળાની આવેશમય પ્રજા અને દક્ષિણની જ્ઞાનપ્રધાન પ્રજાઓ કરતાં ગુજરાતની ભવનામય પ્રજાએ વૈષ્ણવ ધર્મને પોતાના માનસને અનુકૂળ થાય એવી રીતે અપનાવી લીધો. એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં કાળે કરીને અનિષ્ટ તત્ત્વો પણ ઉત્પન્ન થયાં, છતાં એને શુદ્ધ બનાવીને સાચવી રાખ્ચો. પરંતુ પૌરાણિક હિન્દુ ધર્મ તો બહુમુખી છે અને ગુજરાતના સર્વગ્રાહી માનસને તે અનુકૂળ નીવડ્યો. શાક્ત અને શૈવ ધર્મ-સંપ્રદાયો પણ ગુજરાતમાં બહુ પુરાણા છે. ઈશ્વરી શક્તિને દેવીના સ્વરૂપમાં તેમજ રુદ્ર સ્વરૂપમાં પણ ગુજરાત પૂજે છે. ગુજરાતની બહારના ઊર્મિલ ભક્તિના આચાર્યો વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ વગેરેના ઉપદેશોએ ગુજરાતની માનસભૂમિમાં જ પોતાનું વતન કર્યું. પણ સૈકાઓ પછી પૌરાણિક ધર્મને સુધારી વેદધર્મને સજીવ કરનાર ગુજરાતી મહર્ષિ દયાનંદ સરસ્વતીને હિન્દુ સમાજમાં નવું બળ પૂરવા માટે ગુજરાતની બહાર જવું પડ્યું. કવિ નર્મદે હિન્દુસ્થાનના પ્રાંતોની વિશિષ્ટતા વિષેનો લોકમત જણાવ્યો છે કે “તેલંગણનો વેદ, મૈથિલનું વ્યાકરણ, બંગાળનો ન્યાય, દ્રવિડનો વેદાંત, કાશીનું સાંખ્ય, હરદ્વારનો યોગ, મારવાડનું જ્યોતિષ, દ્રવિડના રસાલંકાર અને ગુજરાતના કાવ્યપુરાણ” આવી પૌરાણિક સંસ્કૃતિએ ગુજરાતના સાહિત્યને રંગી નાખ્યું અને નરસિંહ મહેતાથી દયારામ સુધીના ચાર-પાંચ સૈકા સુધી ગુજરાતી સાહિત્યનું વહેણ લગભગ એક જ દિશામાં વહ્યા કર્યું. અતિશય ભક્તિ-ભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાએ ગુજરાતના માનસને વેપારમાં પહોંચેલું પણ ધર્મે ભોળું બનાવ્યું. અને ગુજરાતીઓ માત્ર બાહ્ય ધર્મના પાલનથી ઉત્પન્ન થતા ઢોંગ અને પાખંડના ભોગ પણ બન્યા. એ અનિષ્ટ તત્ત્વનું જોર જ્યારે વધતું ગયું ત્યારે તેની સામે પુકાર કરવા માટે ગુજરાતના અંતરમાંથી અવાજ નીકળ્યો. કાંઈક કડવી, કાંઈક તીખી અને કટાક્ષમય વાણીમાં અખાએ અંધશ્રદ્ધામાંથી “આત્મજ્ઞાન”ને રસ્તે જવા માટે લોકોને ઉપદેશ કર્યો. નરસિંહ મહેતાએ ભક્તિભાવનાથી ઈશ્વર મેળવવા માટે વેદાન્તનો ઉફયોગ કર્યો; ત્યારે તેના પછીના અખાએ આત્મજ્ઞાનનો આંતરધર્મ અપનાવવા માટે વેદાંતનું રહસ્ય સમજાવ્યું. નરસિંહ મહેતાએ તથા મીરાંબાઈએ લોકોની ધર્મભાવનાને ભક્તિરસ વડે ભીની રાખી ત્યારે અખાએ લોકોને ચટકો લાગે એવી ભાષામાં પણ સચોટ રીતે ધર્મના તાત્ત્વિક સ્વરૂપનું ભાન કરાવ્યું. પણ અખાનાં કથનો તેની ‘અખેગીતા’માં જ રહ્યાં; ત્યારે નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ અને દયારામનાં કવનો ગુજરાતનાં હૃદયમાં વસ્યાં. આમ જીવન અને સાહિત્ય એકબીજાની સાથે ઓતપ્રોત થઈને ઠેઠ અર્વાચીન કાળસુધી રહ્યાં.
આ છે નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના પાંચ છ સૈકાના સાહિત્યયુગનું રહસ્ય. એમાં ગુજરાતની ધાર્મિક તૃષ્ણાની રસમય તૃપ્તિ, સો વરસના અદ્‌ભુત વિશ્વપરિવર્તન પછી પણ આજ સુધી ગુજરાતની સામાન્ય જનતામાં કૃષ્ણના સાહિત્યની લોકપ્રિયતા. વૈષ્ણવ ધર્મ તો બંગાળા અને દક્ષિણમાં પણ પ્રસર્યો છે. પણ બંગાળાની આવેશમય પ્રજા અને દક્ષિણની જ્ઞાનપ્રધાન પ્રજાઓ કરતાં ગુજરાતની ભવનામય પ્રજાએ વૈષ્ણવ ધર્મને પોતાના માનસને અનુકૂળ થાય એવી રીતે અપનાવી લીધો. એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં કાળે કરીને અનિષ્ટ તત્ત્વો પણ ઉત્પન્ન થયાં, છતાં એને શુદ્ધ બનાવીને સાચવી રાખ્ચો. પરંતુ પૌરાણિક હિન્દુ ધર્મ તો બહુમુખી છે અને ગુજરાતના સર્વગ્રાહી માનસને તે અનુકૂળ નીવડ્યો. શાક્ત અને શૈવ ધર્મ-સંપ્રદાયો પણ ગુજરાતમાં બહુ પુરાણા છે. ઈશ્વરી શક્તિને દેવીના સ્વરૂપમાં તેમજ રુદ્ર સ્વરૂપમાં પણ ગુજરાત પૂજે છે. ગુજરાતની બહારના ઊર્મિલ ભક્તિના આચાર્યો વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ વગેરેના ઉપદેશોએ ગુજરાતની માનસભૂમિમાં જ પોતાનું વતન કર્યું. પણ સૈકાઓ પછી પૌરાણિક ધર્મને સુધારી વેદધર્મને સજીવ કરનાર ગુજરાતી મહર્ષિ દયાનંદ સરસ્વતીને હિન્દુ સમાજમાં નવું બળ પૂરવા માટે ગુજરાતની બહાર જવું પડ્યું. કવિ નર્મદે હિન્દુસ્થાનના પ્રાંતોની વિશિષ્ટતા વિષેનો લોકમત જણાવ્યો છે કે “તેલંગણનો વેદ, મૈથિલનું વ્યાકરણ, બંગાળનો ન્યાય, દ્રવિડનો વેદાંત, કાશીનું સાંખ્ય, હરદ્વારનો યોગ, મારવાડનું જ્યોતિષ, દ્રવિડના રસાલંકાર અને ગુજરાતના કાવ્યપુરાણ” આવી પૌરાણિક સંસ્કૃતિએ ગુજરાતના સાહિત્યને રંગી નાખ્યું અને નરસિંહ મહેતાથી દયારામ સુધીના ચાર-પાંચ સૈકા સુધી ગુજરાતી સાહિત્યનું વહેણ લગભગ એક જ દિશામાં વહ્યા કર્યું. અતિશય ભક્તિ-ભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાએ ગુજરાતના માનસને વેપારમાં પહોંચેલું પણ ધર્મે ભોળું બનાવ્યું. અને ગુજરાતીઓ માત્ર બાહ્ય ધર્મના પાલનથી ઉત્પન્ન થતા ઢોંગ અને પાખંડના ભોગ પણ બન્યા. એ અનિષ્ટ તત્ત્વનું જોર જ્યારે વધતું ગયું ત્યારે તેની સામે પુકાર કરવા માટે ગુજરાતના અંતરમાંથી અવાજ નીકળ્યો. કાંઈક કડવી, કાંઈક તીખી અને કટાક્ષમય વાણીમાં અખાએ અંધશ્રદ્ધામાંથી “આત્મજ્ઞાન”ને રસ્તે જવા માટે લોકોને ઉપદેશ કર્યો. નરસિંહ મહેતાએ ભક્તિભાવનાથી ઈશ્વર મેળવવા માટે વેદાન્તનો ઉફયોગ કર્યો; ત્યારે તેના પછીના અખાએ આત્મજ્ઞાનનો આંતરધર્મ અપનાવવા માટે વેદાંતનું રહસ્ય સમજાવ્યું. નરસિંહ મહેતાએ તથા મીરાંબાઈએ લોકોની ધર્મભાવનાને ભક્તિરસ વડે ભીની રાખી ત્યારે અખાએ લોકોને ચટકો લાગે એવી ભાષામાં પણ સચોટ રીતે ધર્મના તાત્ત્વિક સ્વરૂપનું ભાન કરાવ્યું. પણ અખાનાં કથનો તેની ‘અખેગીતા’માં જ રહ્યાં; ત્યારે નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ અને દયારામનાં કવનો ગુજરાતનાં હૃદયમાં વસ્યાં. આમ જીવન અને સાહિત્ય એકબીજાની સાથે ઓતપ્રોત થઈને ઠેઠ અર્વાચીન કાળસુધી રહ્યાં.
અર્વાચીન ગુજરાતી સાહિત્ય
'''અર્વાચીન ગુજરાતી સાહિત્ય'''
દયારામ પછી ગુજરાતી સાહિત્યનો અર્ચાવીન કાળ શરૂ થયો. તેને હવે લગભગ સો વર્ષ પૂરાં થયાં છે. દયારામનું અવસાન અને નર્મદનું સાહિત્યજીવન એ બંને એક જ કાળમાં થયાં. છતાં પણ એ બે જણા વચ્ચે કેટલું અંતર! એ કાળ માત્ર નવા યુગનો નહીં, પણ આખા દેશના નવા અવતારનો જન્મકાળ હતો. અત્યાર સુધી ગુજરાતી, થોડું સંસ્કૃત અને ફારસી એ ભાષાઓમાંના સાહિત્યથી જીવન ઘડાતું. હવે અંગ્રેજી ભાષાનું અને તેના સાહિત્યનું શિક્ષણ શરૂ થવાની સાથે જીવનના દરેક વિભાગમાં નવા વિચારો અને જૂની પ્રણાલિકાઓ વચ્ચેનો વિગ્રહ શરૂ થયો. જીવનનાં મૂલ્યાંકનો બદલાવા લાગ્યાં અને નવી વિચારસરણીઓ અને ભાવનાઓએ નવું જ માનસ દેશમાં સર્વત્ર ઉત્પન્ન કર્યું. સ્વાભાવિક રીતે સાહિત્યનું વહેણ પણ બદલાયું. ગુજરાતના શાંતિમય અને સંરક્ષક જીવનમાં ઉત્પાતનો આંચકો આવે એવાં છૂટાંછવાયાં બળોને એકત્રિત અને વ્યક્ત કરનાર પુરુષ ઉત્પન્ન થવા માટેનું વાતાવરણ તૈયાર થવા માંડ્યું. અને તરત જ નર્મદકવિમાં તે બળો મૂર્તિમંત થયાં. ધાર્મિક ક્ષેત્રમાં સંકોચાઈ રહેલું ગુજરાતી સાહિત્ય એમાંથી છૂટ્યું અને તેનાં ગદ્ય અને પદ્ય એ બંને અંગોને સાંસારિક, સામાજિક, આર્થિક, રાજકીય, વગેરે ક્ષેત્રોમાં નર્મદે પ્રવેશ કરાવ્યો. પણ નર્મદનો આવેશમય વેગ ધાર્મિક અને સંરક્ષણવૃત્તિવાળા ગુજરાતને માટે વધારે પડતો હતો. મુંબઈના છૂટા વાતાવરણમાં રહેલો અને જુસ્સાવાળો પણ ઉચ્છૃંખલ સ્વભાવનો નર્મદ એના જમાનાથી વધારે આગળ વધી ગયો હતો. અને ગુજરાતના સાહિત્યક્ષેત્રમાં તો જાણે બે તડ પડી ગયાં હોય એવું વાતાવરણ ઉત્પન્ન થયું હતું. દલપતરામના “ધીરે ધીરે સુધારાનો સાર”નો નમ્ર અવાજ નર્મદના “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે!”ના બ્યૂગલના અવાજ કરતાં ગુજરાતને વધારે રુચિકર લાગ્યો. છતાં નર્મદની સાહિત્યસેવાનું મૂલ્ય દલપતરામની સભારંજની કવિતાના સાહિત્ય કરતાં ઊંચું હતું. પચાસેક વરસ પછી નર્મદનો નાદ ગુજરાતે પારખ્યો. નવગુજરાતના આદ્ય જ્યોતિર્ધર તરીકે તો નર્મદને જ મુકાય.
દયારામ પછી ગુજરાતી સાહિત્યનો અર્ચાવીન કાળ શરૂ થયો. તેને હવે લગભગ સો વર્ષ પૂરાં થયાં છે. દયારામનું અવસાન અને નર્મદનું સાહિત્યજીવન એ બંને એક જ કાળમાં થયાં. છતાં પણ એ બે જણા વચ્ચે કેટલું અંતર! એ કાળ માત્ર નવા યુગનો નહીં, પણ આખા દેશના નવા અવતારનો જન્મકાળ હતો. અત્યાર સુધી ગુજરાતી, થોડું સંસ્કૃત અને ફારસી એ ભાષાઓમાંના સાહિત્યથી જીવન ઘડાતું. હવે અંગ્રેજી ભાષાનું અને તેના સાહિત્યનું શિક્ષણ શરૂ થવાની સાથે જીવનના દરેક વિભાગમાં નવા વિચારો અને જૂની પ્રણાલિકાઓ વચ્ચેનો વિગ્રહ શરૂ થયો. જીવનનાં મૂલ્યાંકનો બદલાવા લાગ્યાં અને નવી વિચારસરણીઓ અને ભાવનાઓએ નવું જ માનસ દેશમાં સર્વત્ર ઉત્પન્ન કર્યું. સ્વાભાવિક રીતે સાહિત્યનું વહેણ પણ બદલાયું. ગુજરાતના શાંતિમય અને સંરક્ષક જીવનમાં ઉત્પાતનો આંચકો આવે એવાં છૂટાંછવાયાં બળોને એકત્રિત અને વ્યક્ત કરનાર પુરુષ ઉત્પન્ન થવા માટેનું વાતાવરણ તૈયાર થવા માંડ્યું. અને તરત જ નર્મદકવિમાં તે બળો મૂર્તિમંત થયાં. ધાર્મિક ક્ષેત્રમાં સંકોચાઈ રહેલું ગુજરાતી સાહિત્ય એમાંથી છૂટ્યું અને તેનાં ગદ્ય અને પદ્ય એ બંને અંગોને સાંસારિક, સામાજિક, આર્થિક, રાજકીય, વગેરે ક્ષેત્રોમાં નર્મદે પ્રવેશ કરાવ્યો. પણ નર્મદનો આવેશમય વેગ ધાર્મિક અને સંરક્ષણવૃત્તિવાળા ગુજરાતને માટે વધારે પડતો હતો. મુંબઈના છૂટા વાતાવરણમાં રહેલો અને જુસ્સાવાળો પણ ઉચ્છૃંખલ સ્વભાવનો નર્મદ એના જમાનાથી વધારે આગળ વધી ગયો હતો. અને ગુજરાતના સાહિત્યક્ષેત્રમાં તો જાણે બે તડ પડી ગયાં હોય એવું વાતાવરણ ઉત્પન્ન થયું હતું. દલપતરામના “ધીરે ધીરે સુધારાનો સાર”નો નમ્ર અવાજ નર્મદના “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે!”ના બ્યૂગલના અવાજ કરતાં ગુજરાતને વધારે રુચિકર લાગ્યો. છતાં નર્મદની સાહિત્યસેવાનું મૂલ્ય દલપતરામની સભારંજની કવિતાના સાહિત્ય કરતાં ઊંચું હતું. પચાસેક વરસ પછી નર્મદનો નાદ ગુજરાતે પારખ્યો. નવગુજરાતના આદ્ય જ્યોતિર્ધર તરીકે તો નર્મદને જ મુકાય.
અંગ્રેજી સાહિત્યના શિક્ષણે બંગાળાને અંગ્રેજી જીવનનો પણ રંગ લગાડ્યો. ગુજરાતમાં વિચારોનું પરિવર્તન થવા માંડ્યું, પણ આચારમાં તો થોડા અપવાદ સિવાય ખાસ અસર ન થઈ. યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણે શિક્ષિતવર્ગને વિચારતા કર્યા અને તેની અસર ગુજરાતી સાહિત્ય ઉપર ધીમે ધીમે વધવા લાગી. ખાસ નોંધવા જેવી એક અસર સંસ્કૃતના અભ્યાસ ઉપર થઈ. અત્યાર સુધી સંસ્કૃતનાં સાહિત્ય અને શાસ્ત્રોનું જ્ઞાન મોટે ભાગે શાસ્ત્રીઓ અને પંડિતો પાસે જ હતું. રાજ્યભાષા ફારસી હોવાથી સંસ્કૃત કરતાં ફારસી જાણનારા જનો વિશેષ હતા. પણ ઉચ્ચશિક્ષણમાં સંસ્કૃતને સ્થાન મળવાથી અંગ્રેજી સાહિત્ય સાથે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો પરિચય જેમ વધવા માંડ્યો તેમ એ જ્ઞાનભંડારનાં દ્વાર ખુલ્લાં થયાં. પરિણામે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણી આર્યસંસ્કૃતિના જ્ઞાનની વૃદ્ધિ થવાની સાથે એ બંનેનું તુલનાત્મક સાહિત્ય ઉત્પન્ન કરવા તરફ આપણા વિદ્વદ્‌વર્ગની પ્રવૃત્તિ શરૂ થઈ, હિંદુ ધર્મનાં મૂલ્યાંકનો, જેનું આપણા પૂર્વજોએ તત્ત્વદર્શન કરાવ્યું હતું તેના હાલની પરિસ્થિતિ પ્રમાણે પુનર્જીવનની રચના એ આપણા સાહિત્યનું એક અંગ બન્યું. સાહિત્યમાં ધાર્મિક ભક્તિભાવ પશ્ચાદ્‌ભૂમિ ઉપર ગયો અને સ્વદેશભક્તિ તથા સમાજની પુનર્રચનાની ભાવના આગળ આવી. જૂના અને નવા વિચારોના ઘર્ષણનો તોડ કેવી રીતે કહાડવો એ ચર્ચાનો વિષય બન્યો. આ પ્રશ્નોને ગુજરાતી જનતા પાસે મૂકી તેનું માર્ગદર્શન આપવા માટે કોઈ સમર્થ ચિંતક અને લેખકની જરૂર પડી. ગુજરાતને સદ્‌ભાગ્યે એવો એક ઉત્તમ સાક્ષર તે મંથનકાળના જમાનામાં પ્રગટ થયો. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર”માં નવલકથાના સ્વરૂપમાં આવા પ્રાણપ્રશ્નોની ઉન્નત શૈલીમાં ચર્ચા કરી માર્ગદર્શન આપનારું અર્વાચીન યુગનું પુરાણ પ્રસિદ્ધ કર્યું. પ્રજાએ એ સર્વગ્રાહી નવલપુરાણનો સુંદર સત્કાર કર્યો. અનેક સાહિત્યકારોની ગદ્ય અને પદ્યકૃતિઓનાં ઝરણાં ગુર્જરભૂમિમાં ફૂટવા લાગ્યાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગંગાનો પ્રવાહ શરૂ થયો. નવા વિચારોના જોરથી શિક્ષિત વર્ગનું માનસ બદલાવા લાગ્યું, પરંતુ ગુજરાતનું રૂઢિજીવન એટલું ચુસ્ત હતું કે તેના જોરની અસર સાંસ્કારિક કે સામાજિક જીવન ઉપર બહુ થઈ શકી નહીં. માનસિક જીવન અને વ્યાવહારિક જીવન એટલે વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું ગયું. નવા અને જૂના વિચારો વચ્ચે ગુજરાતને ગળે ઊતરે એવો સમન્વય સમજાવનાર સાહિત્યની જરૂર હતી. મણિલાલ નભુભાઈએ વેદાંતને અભેદભાવ રૂપે ગુજરાતી સાહિત્યમાં ઉતારી જીવનનું આર્ય સંસ્કૃતિને અનુરૂપ પરિવર્તન કરવાને “સુદર્શન” માસિકમાં પ્રચાર કર્યો. તેવો જ પ્રચાર નર્મદાશંકર મહેતાએ પણ કર્યો. ધાર્મિક અને સમાજ-સુધારાનો પ્રચાર પ્રાર્થનાસમાજની સંસ્થા તરફથી રમણભાઈએ “જ્ઞાનસુધા”માં શરૂ કર્યો. “સુદર્શન” અને “જ્ઞાનસુધા” વચ્ચેની ચર્ચાઓએ શિક્ષિતવર્ગમાં રસ ઉત્પન્ન કર્યો. તેની સાથે શ્રેયઃસાધક અધિકારીમંડળે સુધારાની સામે પ્રચાર શરૂ કર્યો. સામાજિક જનતાનું માનસ તો રૂઢિચુસ્ત જ રહ્યું અને એનું વિનોદી અને કટાક્ષયુક્ત ચિત્ર ગુજરાતી સાહિત્યને રમણભાઈના “ભદ્રંભદ્ર”માં મળ્યું. સંરક્ષણ  વર્ગે તેનો પ્રતિકાર કર્યો અને વાતાવરણમાં ઉગ્રતા પણ આવી. સુધારાની જરૂર તો હતી જ, પણ મૂર્તિપૂજા જેવી પુરાણી સંસ્થાની વધારે પડતી નિંદા સહન કરવા ગુજરાત તૈયાર ન હતું. અને તેથી પ્રાર્થનાસમાજ, એનામાં કેટલાંક ઇષ્ટ તત્ત્વો હોવા છતાં, નબળી પડતી ગઈ. વિવાદગ્રસ્ત વિષયોની ઉચ્ચકક્ષાની ચર્ચા વડે જનતાને માર્ગદર્શન આપવાની જરૂર પડી. આનંદશંકરભાઈએ તે પૂરી પાડી. અને “વસંત”નો જન્મ થવાની સાથે જ આપણા આધુનિક સાહિત્યની વસંતઋતુ શરૂ થઈ. સંક્રાંતિકાળના અનેક પ્રશ્નોનું અભ્યાસપૂર્ણ અને તલસ્પર્શી વિવેચન કરી આપણા સાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમનું વલણ મધ્યમમાર્ગ તરફ રહેલું કહેવાય છે. પણ એ મધ્યમમાર્ગ લોકોને સંતોષવા માટે નહીં, પરંતુ બન્ને બાજુને તાત્ત્વિક દૃષ્ટિએ તપાસીને તેમાંનાં ઇષ્ટ તત્ત્વોનો સુમેળ સાધવાનો સમન્વયમાર્ગ હતો. આર્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ – બન્નેમાંથી આપણી આધુનિક સંસ્કૃતિ ઉપજાવવા અને આપણા જીવનને સંસ્કારમય બનાવવા માટે એમનાં વિશાળ વાચન અને મનન “વસંત” અને “આપણો ધર્મ”માં ગુજરાત પાસે એમણે મૂકયાં અને સંસ્કારિતાને ગુજરાતના જીવનમાં સ્થાન આપ્યું. કેશવલાલ ધુવે પણ આપણા સાહિત્યને રસશાળી અને ઔચિત્યભાવપૂર્ણ લેખોથી સમૃદ્ધ બનાવ્યું છે. કૃષ્ણલાલભાઈએ જૂના અને નવા ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસની રચનાનું પ્રથમ કાર્ય કરીને આપણા સાહિત્યના ઇતિહાસકર્તાઓ માટે માર્ગસૂચક સ્તંભો રોપ્યા છે.
અંગ્રેજી સાહિત્યના શિક્ષણે બંગાળાને અંગ્રેજી જીવનનો પણ રંગ લગાડ્યો. ગુજરાતમાં વિચારોનું પરિવર્તન થવા માંડ્યું, પણ આચારમાં તો થોડા અપવાદ સિવાય ખાસ અસર ન થઈ. યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણે શિક્ષિતવર્ગને વિચારતા કર્યા અને તેની અસર ગુજરાતી સાહિત્ય ઉપર ધીમે ધીમે વધવા લાગી. ખાસ નોંધવા જેવી એક અસર સંસ્કૃતના અભ્યાસ ઉપર થઈ. અત્યાર સુધી સંસ્કૃતનાં સાહિત્ય અને શાસ્ત્રોનું જ્ઞાન મોટે ભાગે શાસ્ત્રીઓ અને પંડિતો પાસે જ હતું. રાજ્યભાષા ફારસી હોવાથી સંસ્કૃત કરતાં ફારસી જાણનારા જનો વિશેષ હતા. પણ ઉચ્ચશિક્ષણમાં સંસ્કૃતને સ્થાન મળવાથી અંગ્રેજી સાહિત્ય સાથે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો પરિચય જેમ વધવા માંડ્યો તેમ એ જ્ઞાનભંડારનાં દ્વાર ખુલ્લાં થયાં. પરિણામે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણી આર્યસંસ્કૃતિના જ્ઞાનની વૃદ્ધિ થવાની સાથે એ બંનેનું તુલનાત્મક સાહિત્ય ઉત્પન્ન કરવા તરફ આપણા વિદ્વદ્‌વર્ગની પ્રવૃત્તિ શરૂ થઈ, હિંદુ ધર્મનાં મૂલ્યાંકનો, જેનું આપણા પૂર્વજોએ તત્ત્વદર્શન કરાવ્યું હતું તેના હાલની પરિસ્થિતિ પ્રમાણે પુનર્જીવનની રચના એ આપણા સાહિત્યનું એક અંગ બન્યું. સાહિત્યમાં ધાર્મિક ભક્તિભાવ પશ્ચાદ્‌ભૂમિ ઉપર ગયો અને સ્વદેશભક્તિ તથા સમાજની પુનર્રચનાની ભાવના આગળ આવી. જૂના અને નવા વિચારોના ઘર્ષણનો તોડ કેવી રીતે કહાડવો એ ચર્ચાનો વિષય બન્યો. આ પ્રશ્નોને ગુજરાતી જનતા પાસે મૂકી તેનું માર્ગદર્શન આપવા માટે કોઈ સમર્થ ચિંતક અને લેખકની જરૂર પડી. ગુજરાતને સદ્‌ભાગ્યે એવો એક ઉત્તમ સાક્ષર તે મંથનકાળના જમાનામાં પ્રગટ થયો. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર”માં નવલકથાના સ્વરૂપમાં આવા પ્રાણપ્રશ્નોની ઉન્નત શૈલીમાં ચર્ચા કરી માર્ગદર્શન આપનારું અર્વાચીન યુગનું પુરાણ પ્રસિદ્ધ કર્યું. પ્રજાએ એ સર્વગ્રાહી નવલપુરાણનો સુંદર સત્કાર કર્યો. અનેક સાહિત્યકારોની ગદ્ય અને પદ્યકૃતિઓનાં ઝરણાં ગુર્જરભૂમિમાં ફૂટવા લાગ્યાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગંગાનો પ્રવાહ શરૂ થયો. નવા વિચારોના જોરથી શિક્ષિત વર્ગનું માનસ બદલાવા લાગ્યું, પરંતુ ગુજરાતનું રૂઢિજીવન એટલું ચુસ્ત હતું કે તેના જોરની અસર સાંસ્કારિક કે સામાજિક જીવન ઉપર બહુ થઈ શકી નહીં. માનસિક જીવન અને વ્યાવહારિક જીવન એટલે વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું ગયું. નવા અને જૂના વિચારો વચ્ચે ગુજરાતને ગળે ઊતરે એવો સમન્વય સમજાવનાર સાહિત્યની જરૂર હતી. મણિલાલ નભુભાઈએ વેદાંતને અભેદભાવ રૂપે ગુજરાતી સાહિત્યમાં ઉતારી જીવનનું આર્ય સંસ્કૃતિને અનુરૂપ પરિવર્તન કરવાને “સુદર્શન” માસિકમાં પ્રચાર કર્યો. તેવો જ પ્રચાર નર્મદાશંકર મહેતાએ પણ કર્યો. ધાર્મિક અને સમાજ-સુધારાનો પ્રચાર પ્રાર્થનાસમાજની સંસ્થા તરફથી રમણભાઈએ “જ્ઞાનસુધા”માં શરૂ કર્યો. “સુદર્શન” અને “જ્ઞાનસુધા” વચ્ચેની ચર્ચાઓએ શિક્ષિતવર્ગમાં રસ ઉત્પન્ન કર્યો. તેની સાથે શ્રેયઃસાધક અધિકારીમંડળે સુધારાની સામે પ્રચાર શરૂ કર્યો. સામાજિક જનતાનું માનસ તો રૂઢિચુસ્ત જ રહ્યું અને એનું વિનોદી અને કટાક્ષયુક્ત ચિત્ર ગુજરાતી સાહિત્યને રમણભાઈના “ભદ્રંભદ્ર”માં મળ્યું. સંરક્ષણ  વર્ગે તેનો પ્રતિકાર કર્યો અને વાતાવરણમાં ઉગ્રતા પણ આવી. સુધારાની જરૂર તો હતી જ, પણ મૂર્તિપૂજા જેવી પુરાણી સંસ્થાની વધારે પડતી નિંદા સહન કરવા ગુજરાત તૈયાર ન હતું. અને તેથી પ્રાર્થનાસમાજ, એનામાં કેટલાંક ઇષ્ટ તત્ત્વો હોવા છતાં, નબળી પડતી ગઈ. વિવાદગ્રસ્ત વિષયોની ઉચ્ચકક્ષાની ચર્ચા વડે જનતાને માર્ગદર્શન આપવાની જરૂર પડી. આનંદશંકરભાઈએ તે પૂરી પાડી. અને “વસંત”નો જન્મ થવાની સાથે જ આપણા આધુનિક સાહિત્યની વસંતઋતુ શરૂ થઈ. સંક્રાંતિકાળના અનેક પ્રશ્નોનું અભ્યાસપૂર્ણ અને તલસ્પર્શી વિવેચન કરી આપણા સાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમનું વલણ મધ્યમમાર્ગ તરફ રહેલું કહેવાય છે. પણ એ મધ્યમમાર્ગ લોકોને સંતોષવા માટે નહીં, પરંતુ બન્ને બાજુને તાત્ત્વિક દૃષ્ટિએ તપાસીને તેમાંનાં ઇષ્ટ તત્ત્વોનો સુમેળ સાધવાનો સમન્વયમાર્ગ હતો. આર્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ – બન્નેમાંથી આપણી આધુનિક સંસ્કૃતિ ઉપજાવવા અને આપણા જીવનને સંસ્કારમય બનાવવા માટે એમનાં વિશાળ વાચન અને મનન “વસંત” અને “આપણો ધર્મ”માં ગુજરાત પાસે એમણે મૂકયાં અને સંસ્કારિતાને ગુજરાતના જીવનમાં સ્થાન આપ્યું. કેશવલાલ ધુવે પણ આપણા સાહિત્યને રસશાળી અને ઔચિત્યભાવપૂર્ણ લેખોથી સમૃદ્ધ બનાવ્યું છે. કૃષ્ણલાલભાઈએ જૂના અને નવા ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસની રચનાનું પ્રથમ કાર્ય કરીને આપણા સાહિત્યના ઇતિહાસકર્તાઓ માટે માર્ગસૂચક સ્તંભો રોપ્યા છે.
નરસિંહ મહેતાથી દયારામ સુધીનું ગુજરાતનું પદ્યપ્રધાન ભાવનાત્મક સાહિત્ય અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી પણ સજીવ રહીને બીજી દિશા તરફ વળ્યું. પૌરાણિક કૃષ્ણની લીલાનાં ગુણગાનમાંથી સનાતન કૃષ્ણની જડ તેમ જ ચેતન પ્રકૃતિની લીલા એ કવિતાનું કેન્દ્ર બની. ભક્તિકાવ્યોનું સ્થાન પ્રકૃતિકાવ્યોનએ લીધું. અંગ્રેજી કવિતાની અસર ગુજરાતી કાવ્ય ઉપર સ્પષ્ટ રીતે જણાવા લાગી અને નૈસર્ગિક શક્તિનું પૂજન એ ઈશ્વરભક્તિનો એક પ્રકાર થયો. ભાગવત અને ગીતગોવિંદની પ્રેરણા મેળવનાર ગુજરાતી પ્રાચીન સાહિત્યયુગના આદિકવિ નરસિંહ મહેતા, અંગ્રેજી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓની પ્રેરણા મેળવનાર અર્વાચીન યુગના મુખ્ય પ્રથમ કવિ નરસિંહરાવ; પોતિયું, બંડી અને બાવાટોપી પહેરતા નરસિંહ મહેતા અને કોટ, પાટલૂન અને હેટ પહેરતા નરસિંહરાવ વચ્ચે કેટલો ફેર લાગે છે? પણ તે બાહ્ય દેખાવ પાછળનું સામ્ય જરા જોઈએ. બન્ને કવિઓનાં ભક્તહૃદયો એમણે જુદી જુદી રીતે ઈશ્વરને પારખ્યો છતાં એક જ ભૂમિકા ઉપર હતાં. એકે ઈશ્વરના અવતારની રાસલીલા ગાઈ, બીજાએ ઈશ્વરની પ્રકૃતિના રાસની વિવર્તલીલા ગાઈ. પણ બન્નેમાં ઊંડો ભક્તિભાવ, પોતપોતાના જમાનામાં બન્ને સુધરેલા ગણાતા નાગરો અને બન્ને ન્યાત બહાર. બન્નેનાં વેદ, ગોત્ર અને શાખા પણ એક જ. બન્નેને સંતાનના વિરહનું ઊંડું દુઃખ પણ બન્નેમાં ઈશ્વર ઉપરની અચલ શ્રદ્ધાએ ઉપજાવેલાં વિરલ ધૈર્ય અને સહનશક્તિ રાસલીલા નિહાળવા મશાલ ધરીને ઊભેલા નરસિંહ મહેતાએ ગાયુઃ
નરસિંહ મહેતાથી દયારામ સુધીનું ગુજરાતનું પદ્યપ્રધાન ભાવનાત્મક સાહિત્ય અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી પણ સજીવ રહીને બીજી દિશા તરફ વળ્યું. પૌરાણિક કૃષ્ણની લીલાનાં ગુણગાનમાંથી સનાતન કૃષ્ણની જડ તેમ જ ચેતન પ્રકૃતિની લીલા એ કવિતાનું કેન્દ્ર બની. ભક્તિકાવ્યોનું સ્થાન પ્રકૃતિકાવ્યોનએ લીધું. અંગ્રેજી કવિતાની અસર ગુજરાતી કાવ્ય ઉપર સ્પષ્ટ રીતે જણાવા લાગી અને નૈસર્ગિક શક્તિનું પૂજન એ ઈશ્વરભક્તિનો એક પ્રકાર થયો. ભાગવત અને ગીતગોવિંદની પ્રેરણા મેળવનાર ગુજરાતી પ્રાચીન સાહિત્યયુગના આદિકવિ નરસિંહ મહેતા, અંગ્રેજી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓની પ્રેરણા મેળવનાર અર્વાચીન યુગના મુખ્ય પ્રથમ કવિ નરસિંહરાવ; પોતિયું, બંડી અને બાવાટોપી પહેરતા નરસિંહ મહેતા અને કોટ, પાટલૂન અને હેટ પહેરતા નરસિંહરાવ વચ્ચે કેટલો ફેર લાગે છે? પણ તે બાહ્ય દેખાવ પાછળનું સામ્ય જરા જોઈએ. બન્ને કવિઓનાં ભક્તહૃદયો એમણે જુદી જુદી રીતે ઈશ્વરને પારખ્યો છતાં એક જ ભૂમિકા ઉપર હતાં. એકે ઈશ્વરના અવતારની રાસલીલા ગાઈ, બીજાએ ઈશ્વરની પ્રકૃતિના રાસની વિવર્તલીલા ગાઈ. પણ બન્નેમાં ઊંડો ભક્તિભાવ, પોતપોતાના જમાનામાં બન્ને સુધરેલા ગણાતા નાગરો અને બન્ને ન્યાત બહાર. બન્નેનાં વેદ, ગોત્ર અને શાખા પણ એક જ. બન્નેને સંતાનના વિરહનું ઊંડું દુઃખ પણ બન્નેમાં ઈશ્વર ઉપરની અચલ શ્રદ્ધાએ ઉપજાવેલાં વિરલ ધૈર્ય અને સહનશક્તિ રાસલીલા નિહાળવા મશાલ ધરીને ઊભેલા નરસિંહ મહેતાએ ગાયુઃ
{{Poem2Close}}
<poem>
“દીવટીઓ રે દીવટીઓ, નરસૈંયો હરિનો દીવટીઓ,
“દીવટીઓ રે દીવટીઓ, નરસૈંયો હરિનો દીવટીઓ,
પૂર્વ પ્રીત ધરી મન માંહે તો રસનાએ રસ ભરીયો. નરo”
પૂર્વ પ્રીત ધરી મન માંહે તો રસનાએ રસ ભરીયો. નરo”
</poem>
{{Poem2Open}}
તે “દીવટીઆ”ને ખબર હતી કે પાંચસો એક વરસ પછી ગુજરાતમાં બીજો નરસિંહ દિવેટિયો પ્રકૃતિની લીલા ઉપર પ્રતિભાશાળી કવિત્વની મશાલ વડે ઉજ્જ્વલ પ્રકાશ નાખશે? નરસિંહ મહેતાનું “વૈષ્ણવજન” કાવ્ય અને નરસિંહરાવનું “મંગળ મંદિર ખોલો” કાવ્ય લોકપ્રિય થયાં અને ગાંધીજીએ પણ અપનાવી ગુજરાતમાં અમર કર્યાં. પણ નરસિંહ એકલો કવિ હતો; ત્યારે નરસિંહરાવ તો ભાષાજ્ઞાન અને ભાષાશાસ્ત્રના ભંડાર અને વિવેચનના ચૂડામણિ હતા. કવિતામાં કોમળતા અને ચર્ચામાં ઉગ્રતા એ બન્ને ગુણો એમના વિશાળ અને નિખાલસ માનસમાં એકસાથે રહી શકતા હતા.
તે “દીવટીઆ”ને ખબર હતી કે પાંચસો એક વરસ પછી ગુજરાતમાં બીજો નરસિંહ દિવેટિયો પ્રકૃતિની લીલા ઉપર પ્રતિભાશાળી કવિત્વની મશાલ વડે ઉજ્જ્વલ પ્રકાશ નાખશે? નરસિંહ મહેતાનું “વૈષ્ણવજન” કાવ્ય અને નરસિંહરાવનું “મંગળ મંદિર ખોલો” કાવ્ય લોકપ્રિય થયાં અને ગાંધીજીએ પણ અપનાવી ગુજરાતમાં અમર કર્યાં. પણ નરસિંહ એકલો કવિ હતો; ત્યારે નરસિંહરાવ તો ભાષાજ્ઞાન અને ભાષાશાસ્ત્રના ભંડાર અને વિવેચનના ચૂડામણિ હતા. કવિતામાં કોમળતા અને ચર્ચામાં ઉગ્રતા એ બન્ને ગુણો એમના વિશાળ અને નિખાલસ માનસમાં એકસાથે રહી શકતા હતા.
નરસિંહરાવ પછી ગુજરાતમાં નવી કવિતાનો પ્રવાહ છૂટથી વહેતો થયો. કાન્ત, કલાપી, બળવંતરાય ઠાકોર, ખબરદાર વગેરેએ ઊંચા પ્રકારનાં ઊર્મિકાવ્યોથી  આપણું સાહિત્ય સમૃદ્ધ કર્યું, પણ ગુજરાતી જનતાના હૃદયને સ્પર્શનાર, ડોલનશૈલીથી ડોલાવનાર, વિચાર અને શબ્દના મધુર સુશ્લિષ્ટ સમન્વયથી મુગ્ધ કરનાર અને કોઈ પણ વિષયને ઉચ્ચ કોટિ ઉપર ઉપાડી લઈ તેનો રસપૂર્ણ થાળ પીરસનાર તે તો ન્હાનાલાલ કવિ. એમની અને બળવંતરાય ઠાકોરની કાવ્યશૈલી ગુજરાતના ઊગતા કવિઓએ અપનાવી. સુંદરમ્, ઉમાશંકર જોષી, મનસુખલાલ ઝવેરી વગેરે આ યુગના કવિઓ કાવ્ય-સાહિત્યનો પ્રવાહ ચાલુ રાખી રહ્યા છે. નવા શબ્દોના તથા જુદી જુદી શૈલીઓના  પ્રયોગો થઈ રહ્યા છે અને નવીનતાનો મોહ પણ વધતો જાય છે. કેટલેક ઠેકાણે કૃત્રિમતા પણ જણાય છે. નરસિંહરાવે ચાલીસેક વરસ પહેલાં સાહિત્યપરિષદના પ્રમુખસ્થાનેથી એમનો અભિપ્રાય દર્શાવ્યો હતો કે “ગોવર્ધનરામ, મણિલાલ, કલાપી, ન્હાનાલાલ ઇત્યાદિની કવિતા જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિઓ અનુકરણથી ઉતારી શકાય જ નહીં, અને તેને અભાવે તે ઊર્મિઓનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ – એ ગુણો હતા અને તેવી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીનયુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે.” આશા રાખીએ કે હાલના યુગની  હવેની કવિતા આ દોષને પાત્ર ન બને અને કોઈનું અનુકરણ કરે કે ન કરે તોપણ આપણા સાહિત્યના પદ્યાંગની પ્રતિષ્ઠા જાળવે. કવિતાનું મૂલ્ય એના શબ્દભારમાં નહીં પણ સહેલાઈથી સમજાય એવા ઉચિત અર્થગૌરવમાં રહેલું છે.  
નરસિંહરાવ પછી ગુજરાતમાં નવી કવિતાનો પ્રવાહ છૂટથી વહેતો થયો. કાન્ત, કલાપી, બળવંતરાય ઠાકોર, ખબરદાર વગેરેએ ઊંચા પ્રકારનાં ઊર્મિકાવ્યોથી  આપણું સાહિત્ય સમૃદ્ધ કર્યું, પણ ગુજરાતી જનતાના હૃદયને સ્પર્શનાર, ડોલનશૈલીથી ડોલાવનાર, વિચાર અને શબ્દના મધુર સુશ્લિષ્ટ સમન્વયથી મુગ્ધ કરનાર અને કોઈ પણ વિષયને ઉચ્ચ કોટિ ઉપર ઉપાડી લઈ તેનો રસપૂર્ણ થાળ પીરસનાર તે તો ન્હાનાલાલ કવિ. એમની અને બળવંતરાય ઠાકોરની કાવ્યશૈલી ગુજરાતના ઊગતા કવિઓએ અપનાવી. સુંદરમ્, ઉમાશંકર જોષી, મનસુખલાલ ઝવેરી વગેરે આ યુગના કવિઓ કાવ્ય-સાહિત્યનો પ્રવાહ ચાલુ રાખી રહ્યા છે. નવા શબ્દોના તથા જુદી જુદી શૈલીઓના  પ્રયોગો થઈ રહ્યા છે અને નવીનતાનો મોહ પણ વધતો જાય છે. કેટલેક ઠેકાણે કૃત્રિમતા પણ જણાય છે. નરસિંહરાવે ચાલીસેક વરસ પહેલાં સાહિત્યપરિષદના પ્રમુખસ્થાનેથી એમનો અભિપ્રાય દર્શાવ્યો હતો કે “ગોવર્ધનરામ, મણિલાલ, કલાપી, ન્હાનાલાલ ઇત્યાદિની કવિતા જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિઓ અનુકરણથી ઉતારી શકાય જ નહીં, અને તેને અભાવે તે ઊર્મિઓનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ – એ ગુણો હતા અને તેવી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીનયુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે.” આશા રાખીએ કે હાલના યુગની  હવેની કવિતા આ દોષને પાત્ર ન બને અને કોઈનું અનુકરણ કરે કે ન કરે તોપણ આપણા સાહિત્યના પદ્યાંગની પ્રતિષ્ઠા જાળવે. કવિતાનું મૂલ્ય એના શબ્દભારમાં નહીં પણ સહેલાઈથી સમજાય એવા ઉચિત અર્થગૌરવમાં રહેલું છે.  
પંડિતયુગઃ
'''પંડિતયુગઃ'''
ગોવર્ધનરામથી ન્હાનાલાલ સુધીના સમયને કેટલાક લેખકોએ પંડિતયુગ કહ્યો છે. એનો અર્થ એમ હોય કે, તે યુગની પદ્ય અને ગદ્ય કૃતિઓ વિદ્વાન કે શિક્ષિતવર્ગને જ સ્પર્શી શકી પણ આમજનતાથી એ સાહિત્ય અળગું રહ્યું, તો તેમાં કાંઈ તથ્ય નથી એમ તો નહીં કહી શકાય. પણ એ પંડિતયુગની એક અનુકરણીય વિશિષ્ટતા એ હતી કે એના સાહિત્યનું સર્જન ઊંડા અભ્યાસ અને મનનનું પરિણામ હતું. યુનિવર્સિટીનું ઉચ્ચશિક્ષણ શરૂ થવાની સાથે જ્ઞાનમાં જે રસ ઉત્પન્ન થયો તેણે અભ્યાસને પોષણ આપ્યું અને કેટલેક અંશે તે વિદ્વદ્‌ભોગ્ય રહ્યું, પણ સર્જનની દૃષ્ટિએ તેમાં જ તેનું ખરું મૂલ્ય હતું. સંસ્કૃતનું જ્ઞાન વધવાની સાથે ગુજરાતી ભાષાને સાંસ્કારિક બનાવવાના પ્રશંસનીય આશયની શરૂઆતમાં સંસ્કૃત શબ્દોનો વધારે પડતો પ્રચાર થાય એને મર્યાદિત રાખવાની જરૂર તો પડે, પણ તે ઇચ્છા કેટલેક અંશે ક્ષંતવ્ય છે. દરેક ભાષાના સાહિત્યમાં આમ જ બન્યું છે. ઉચ્ચ કક્ષાના સાહિત્યને સમાજના બધા થરને સ્પર્શવું જોઈએ એ માન્યતા ભૂલભરેલી છે. ઇંગ્લૅન્ડ જેવો દેશ, જેમાં ઉચ્ચ સાહિત્યનો ભંડાર છે ત્યાં શેક્‌સપીઅર, મિલ્ટન, ટૅનિસન, બ્રાઉનિંગ, વગેરેની કૃતિઓથી પ્રજાનો મોટો ભાગ અજ્ઞાન રહ્યો છે, એનો પ્રસાદ તો શિક્ષિતવર્ગ જ લઈ શકે છે. તેમ છતાં એમ તો ન જ કહી સહી શકાય કે તેટલા માટે આવા મહાન સાહિત્યસર્જકોની જનતાને જરૂર નથી. દરેક સમાજમાં-સંસ્કૃતિ મેળવેલા સમાજમાં પણ-સંસ્કૃતિના થર તો રહેવાના જ. તે થરોની કક્ષાઓ ઊંચી થાય અને જુદા જુદા થરોનું અંતર જેમ બને તેમ ઓછું થાય એ તો અવશ્ય હિતકારક છે. એમાં જ દરેક પ્રજાની સંસ્કૃતિનું માપ રહેલું છે અને તેમ કરવામાં સાહિત્ય ઘણી મદદ કરી શકે તેમ છે. તદ્દન નીચેના થરને સ્પર્શે એવું સાહિત્ય પણ જો જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં શક્તિમાન થાય તો ઉપલા થરોનું સાહિત્ય કુદરતી રીતે એના કરતાં વધારે ઊંચું થાય અને ઉચ્ચ કક્ષાના સાહિત્યની અસર નીચલા થરોના સાહિત્ય ઉત્પન્ન કરનારા ઉપર પણ વધારે સારી થાય. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સમાજમાં થરો હોય ત્યાં સુધી સાહિત્યમાં પણ થરો રહેવાના. ઉચ્ચતમ સાહિત્યનો સ્વાદ લેનારો વર્ગ એવો સંસ્કાર મેળવે કે તેથી તે વર્ગમાંથી આમજનતાને યોગ્ય સાહિત્ય ઉપજાવનાર લેખકો ઉત્પન્ન થાય અને આ પરિણામ લાવવામાં વિદ્વદ્‌ભોગ્ય ઉચ્ચ સાહિત્યની સફળતા રહેલી છે. લોકભોગ્ય સાહિત્ય માટે પણ અભ્યાસની જરૂર તો રહેવાની જ. લોકમાનસને કેળવવા માટે સરલ ભાષામાં પણ પ્રગતિમાન વિચારો દર્શાવવા પડે અને તેને માટે પ્રચલિત પ્રશ્નોનું સામાન્ય જ્ઞાન અભ્યાસ વડે જ મળે. અત્યારે સાહિત્યનાં ઘણાંખરાં અંગોના પ્રકાશનમાં વિસ્તાર વધ્યો છે પણ ઊંડાઈ તેમ જ ઊંચાઈ તો અભ્યાસથી જ વધશે.
ગોવર્ધનરામથી ન્હાનાલાલ સુધીના સમયને કેટલાક લેખકોએ પંડિતયુગ કહ્યો છે. એનો અર્થ એમ હોય કે, તે યુગની પદ્ય અને ગદ્ય કૃતિઓ વિદ્વાન કે શિક્ષિતવર્ગને જ સ્પર્શી શકી પણ આમજનતાથી એ સાહિત્ય અળગું રહ્યું, તો તેમાં કાંઈ તથ્ય નથી એમ તો નહીં કહી શકાય. પણ એ પંડિતયુગની એક અનુકરણીય વિશિષ્ટતા એ હતી કે એના સાહિત્યનું સર્જન ઊંડા અભ્યાસ અને મનનનું પરિણામ હતું. યુનિવર્સિટીનું ઉચ્ચશિક્ષણ શરૂ થવાની સાથે જ્ઞાનમાં જે રસ ઉત્પન્ન થયો તેણે અભ્યાસને પોષણ આપ્યું અને કેટલેક અંશે તે વિદ્વદ્‌ભોગ્ય રહ્યું, પણ સર્જનની દૃષ્ટિએ તેમાં જ તેનું ખરું મૂલ્ય હતું. સંસ્કૃતનું જ્ઞાન વધવાની સાથે ગુજરાતી ભાષાને સાંસ્કારિક બનાવવાના પ્રશંસનીય આશયની શરૂઆતમાં સંસ્કૃત શબ્દોનો વધારે પડતો પ્રચાર થાય એને મર્યાદિત રાખવાની જરૂર તો પડે, પણ તે ઇચ્છા કેટલેક અંશે ક્ષંતવ્ય છે. દરેક ભાષાના સાહિત્યમાં આમ જ બન્યું છે. ઉચ્ચ કક્ષાના સાહિત્યને સમાજના બધા થરને સ્પર્શવું જોઈએ એ માન્યતા ભૂલભરેલી છે. ઇંગ્લૅન્ડ જેવો દેશ, જેમાં ઉચ્ચ સાહિત્યનો ભંડાર છે ત્યાં શેક્‌સપીઅર, મિલ્ટન, ટૅનિસન, બ્રાઉનિંગ, વગેરેની કૃતિઓથી પ્રજાનો મોટો ભાગ અજ્ઞાન રહ્યો છે, એનો પ્રસાદ તો શિક્ષિતવર્ગ જ લઈ શકે છે. તેમ છતાં એમ તો ન જ કહી સહી શકાય કે તેટલા માટે આવા મહાન સાહિત્યસર્જકોની જનતાને જરૂર નથી. દરેક સમાજમાં-સંસ્કૃતિ મેળવેલા સમાજમાં પણ-સંસ્કૃતિના થર તો રહેવાના જ. તે થરોની કક્ષાઓ ઊંચી થાય અને જુદા જુદા થરોનું અંતર જેમ બને તેમ ઓછું થાય એ તો અવશ્ય હિતકારક છે. એમાં જ દરેક પ્રજાની સંસ્કૃતિનું માપ રહેલું છે અને તેમ કરવામાં સાહિત્ય ઘણી મદદ કરી શકે તેમ છે. તદ્દન નીચેના થરને સ્પર્શે એવું સાહિત્ય પણ જો જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં શક્તિમાન થાય તો ઉપલા થરોનું સાહિત્ય કુદરતી રીતે એના કરતાં વધારે ઊંચું થાય અને ઉચ્ચ કક્ષાના સાહિત્યની અસર નીચલા થરોના સાહિત્ય ઉત્પન્ન કરનારા ઉપર પણ વધારે સારી થાય. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સમાજમાં થરો હોય ત્યાં સુધી સાહિત્યમાં પણ થરો રહેવાના. ઉચ્ચતમ સાહિત્યનો સ્વાદ લેનારો વર્ગ એવો સંસ્કાર મેળવે કે તેથી તે વર્ગમાંથી આમજનતાને યોગ્ય સાહિત્ય ઉપજાવનાર લેખકો ઉત્પન્ન થાય અને આ પરિણામ લાવવામાં વિદ્વદ્‌ભોગ્ય ઉચ્ચ સાહિત્યની સફળતા રહેલી છે. લોકભોગ્ય સાહિત્ય માટે પણ અભ્યાસની જરૂર તો રહેવાની જ. લોકમાનસને કેળવવા માટે સરલ ભાષામાં પણ પ્રગતિમાન વિચારો દર્શાવવા પડે અને તેને માટે પ્રચલિત પ્રશ્નોનું સામાન્ય જ્ઞાન અભ્યાસ વડે જ મળે. અત્યારે સાહિત્યનાં ઘણાંખરાં અંગોના પ્રકાશનમાં વિસ્તાર વધ્યો છે પણ ઊંડાઈ તેમ જ ઊંચાઈ તો અભ્યાસથી જ વધશે.
વનસ્પતિજીવનમાં નિયમ છે કે વૃક્ષનાં મૂળો જેમ જેમ ઊંડાં જાય તેમ તેમ તે ઊંચું ચડે છે. સાહિત્યજીવનમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. આ પંડિતયુગ તે સર્જકયુગ હતો. તેનું એક કારણ એ હતું કે શરૂઆતના ઉચ્ચ શિક્ષણમાં નવીનતા ઉપરાંત અભ્યાસમાં રસ ઉત્પન્ન થયો હતો. ઉચ્ચ કક્ષાના અધ્યાપકોના શિક્ષણથી જ્ઞાનની જિજ્ઞાસા અને મનની એકાગ્રતા ઉત્પન્ન થઈ હતી. એ બન્ને જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી વિદ્વત્તા ટકી રહી. પણ દરેક દેશના સાહિત્યમાં બને છે તેમ સર્જનનાં પુષ્ટિકારક તત્ત્વો નબળાં પડે તે પછી પ્રત્પાઘાત આવે છે તેમ આપણે ત્યાં પણ થયું. પૂરનો ઉછાળો આવ્યા પછી પાણી પ્રસરી જાય તેમ બન્યું અને મૌલિકતા કરતાં અનુકરણની વૃત્તિ વધી. મનની શાંતિ અને એકાગ્રતા હોય ત્યારે જ સર્જકને વિચારો સ્ફુરે છે. અત્યારે જીવનની ઘણી પ્રવૃત્તિઓ અને આર્થિક જીવનની મુશ્કેલીઓ એટલી બધી વધી પડી છે કે કોઈ પણ પ્રવૃત્તિ નિરાંતે ઊંડાઈ અને વ્યાપકતાથી થઈ શકતી નથી. પહેલાં સાહિત્યકારો સાહિત્યસૃષ્ટિમાં જ ઘણે ભાગે વિહરતા અને એમનું મન જ્ઞાન વધારવામાં જ તત્પર રહેતું. અત્યારના જીવનવિગ્રહના અને ઝડપથી બદલાતા સામાજિક પરિવર્તનના કાળમાં એ મુશ્કેલ બન્યું છે. આપણા કરતાં સંસ્કૃતિમાં ઘણી વધારે આગળ વધેલી બંગાળાની પ્રજાની પણ આ જ સ્થિતિ છે. પરંતુ જેમ બધે બને છે તેમ આપણે ત્યાં પણ સંસ્કૃતિના ચક્રની ગતિમાં નવો સર્જનકાળ આવશે એવી આશા તો જરૂર રાખી શકાય.
વનસ્પતિજીવનમાં નિયમ છે કે વૃક્ષનાં મૂળો જેમ જેમ ઊંડાં જાય તેમ તેમ તે ઊંચું ચડે છે. સાહિત્યજીવનમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. આ પંડિતયુગ તે સર્જકયુગ હતો. તેનું એક કારણ એ હતું કે શરૂઆતના ઉચ્ચ શિક્ષણમાં નવીનતા ઉપરાંત અભ્યાસમાં રસ ઉત્પન્ન થયો હતો. ઉચ્ચ કક્ષાના અધ્યાપકોના શિક્ષણથી જ્ઞાનની જિજ્ઞાસા અને મનની એકાગ્રતા ઉત્પન્ન થઈ હતી. એ બન્ને જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી વિદ્વત્તા ટકી રહી. પણ દરેક દેશના સાહિત્યમાં બને છે તેમ સર્જનનાં પુષ્ટિકારક તત્ત્વો નબળાં પડે તે પછી પ્રત્પાઘાત આવે છે તેમ આપણે ત્યાં પણ થયું. પૂરનો ઉછાળો આવ્યા પછી પાણી પ્રસરી જાય તેમ બન્યું અને મૌલિકતા કરતાં અનુકરણની વૃત્તિ વધી. મનની શાંતિ અને એકાગ્રતા હોય ત્યારે જ સર્જકને વિચારો સ્ફુરે છે. અત્યારે જીવનની ઘણી પ્રવૃત્તિઓ અને આર્થિક જીવનની મુશ્કેલીઓ એટલી બધી વધી પડી છે કે કોઈ પણ પ્રવૃત્તિ નિરાંતે ઊંડાઈ અને વ્યાપકતાથી થઈ શકતી નથી. પહેલાં સાહિત્યકારો સાહિત્યસૃષ્ટિમાં જ ઘણે ભાગે વિહરતા અને એમનું મન જ્ઞાન વધારવામાં જ તત્પર રહેતું. અત્યારના જીવનવિગ્રહના અને ઝડપથી બદલાતા સામાજિક પરિવર્તનના કાળમાં એ મુશ્કેલ બન્યું છે. આપણા કરતાં સંસ્કૃતિમાં ઘણી વધારે આગળ વધેલી બંગાળાની પ્રજાની પણ આ જ સ્થિતિ છે. પરંતુ જેમ બધે બને છે તેમ આપણે ત્યાં પણ સંસ્કૃતિના ચક્રની ગતિમાં નવો સર્જનકાળ આવશે એવી આશા તો જરૂર રાખી શકાય.
સાહિત્યવિવેચનઃ
'''સાહિત્યવિવેચનઃ'''
પંડિતયુગ વિશે વિચાર કરતાં આપણે જરા આગળ વધી ગયા. અર્વાચીન ગદ્યસાહિત્ય નર્મદ અને નવલરામથી શરૂ થયું. ત્યારપછી શબ્દોનાં જોડણી, વ્યુત્પત્તિ, ઉચ્ચાર, લિપિ વગેરે અનેક વિવાદગ્રસ્ત વિષયો બહુ સારી રીતે છણાયા અને કેટલાંએક વરસો સુધી તો તે સાહિત્યનાં મુખ્ય અંગ બની ગયા. વિદ્વાન ગુજરાતી સાક્ષરોએ આપણી ભાષાને શુદ્ધ બનાવી તેને અત્યારનું સ્વરૂપ આપ્યું. અર્વાચીન યુગમાં દરેક ભાષાના સાહિત્યમાં વિવેચન એ મુખ્ય સ્થાન ધરાવે છે. વિચારોની આપલે એનાથી જ થાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓને એનાથી તુલનાત્મક જ્ઞાન મળે છે. પણ સાહિત્યના વિવેચક થવા માટે તો ખાસ વિશેષ અધિકારની જરૂર છે. જેણે પુષ્કળ વાંચ્યું નથી અથવા વાંચેલું પૂરું પચાવ્યું નથી, ચિંતન અને મનન વડે એની નિષ્પક્ષપાત રીતે તુલના કરી નથી, વિવિધ પ્રકારની વિવેચનપદ્ધતિઓનો અભ્યાસ કર્યો નથી તેને વિવેચનમાં ઊતરવાનો અધિકાર નથી. અધિકાર વિનાનું વિવેચન તો માત્ર ટીકા જ રહે છે. અને તે કોઈ વખત અંગત સ્વરૂપની હોય તો તે ટીકા નહીં પણ નિંદા બને છે. વિશાળ વિદ્વત્તા, ઔચિત્યબુદ્ધિ તથા તુલનાત્મક ન્યાયબુદ્ધિ એ વિવેચનના વિશિષ્ટ ગુણો છે. વર્તમાનપત્રો અને સામયિકોના અવલોકનકારોને પણ આ જ નિયમ લાગુ પડે છે. આપણું સાહિત્ય વધે છે તેની સાથે વિવેચન પણ વધતું જાય છે. પણ સાહિત્યને જો ઉચ્ચ કોટિ ઉપર રાખવું હોય તો વિવેચનકારોએ પોતાની જવાબદારી સમજ્યા પછી જ કલમ હાથમાં લેવી જોઈએ. વિવેચનમાં પણ સર્જન રહેલું છે અને તેથી વિવેચક માત્ર ટીકાકાર નથી, પણ વિવેચનની વસ્તુમાંથી પોતાના મૌલિક વિચારો આપે છે.
પંડિતયુગ વિશે વિચાર કરતાં આપણે જરા આગળ વધી ગયા. અર્વાચીન ગદ્યસાહિત્ય નર્મદ અને નવલરામથી શરૂ થયું. ત્યારપછી શબ્દોનાં જોડણી, વ્યુત્પત્તિ, ઉચ્ચાર, લિપિ વગેરે અનેક વિવાદગ્રસ્ત વિષયો બહુ સારી રીતે છણાયા અને કેટલાંએક વરસો સુધી તો તે સાહિત્યનાં મુખ્ય અંગ બની ગયા. વિદ્વાન ગુજરાતી સાક્ષરોએ આપણી ભાષાને શુદ્ધ બનાવી તેને અત્યારનું સ્વરૂપ આપ્યું. અર્વાચીન યુગમાં દરેક ભાષાના સાહિત્યમાં વિવેચન એ મુખ્ય સ્થાન ધરાવે છે. વિચારોની આપલે એનાથી જ થાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓને એનાથી તુલનાત્મક જ્ઞાન મળે છે. પણ સાહિત્યના વિવેચક થવા માટે તો ખાસ વિશેષ અધિકારની જરૂર છે. જેણે પુષ્કળ વાંચ્યું નથી અથવા વાંચેલું પૂરું પચાવ્યું નથી, ચિંતન અને મનન વડે એની નિષ્પક્ષપાત રીતે તુલના કરી નથી, વિવિધ પ્રકારની વિવેચનપદ્ધતિઓનો અભ્યાસ કર્યો નથી તેને વિવેચનમાં ઊતરવાનો અધિકાર નથી. અધિકાર વિનાનું વિવેચન તો માત્ર ટીકા જ રહે છે. અને તે કોઈ વખત અંગત સ્વરૂપની હોય તો તે ટીકા નહીં પણ નિંદા બને છે. વિશાળ વિદ્વત્તા, ઔચિત્યબુદ્ધિ તથા તુલનાત્મક ન્યાયબુદ્ધિ એ વિવેચનના વિશિષ્ટ ગુણો છે. વર્તમાનપત્રો અને સામયિકોના અવલોકનકારોને પણ આ જ નિયમ લાગુ પડે છે. આપણું સાહિત્ય વધે છે તેની સાથે વિવેચન પણ વધતું જાય છે. પણ સાહિત્યને જો ઉચ્ચ કોટિ ઉપર રાખવું હોય તો વિવેચનકારોએ પોતાની જવાબદારી સમજ્યા પછી જ કલમ હાથમાં લેવી જોઈએ. વિવેચનમાં પણ સર્જન રહેલું છે અને તેથી વિવેચક માત્ર ટીકાકાર નથી, પણ વિવેચનની વસ્તુમાંથી પોતાના મૌલિક વિચારો આપે છે.
નવલકથાઓઃ
'''નવલકથાઓઃ'''
ગદ્યસાહિત્યના વિવેચનમાં રસ લેનાર પ્રમાણમાં થોડા હોય છે. પણ લોકોને આથી વધારે રસ તો નવલકથા અને વાર્તામાં જ પડે છે. પ્રાચીનયુગમાં આખ્યાનો તથા મધ્યકાલીન યુગની વાર્તાઓ અને લોકકથાઓ પછી અંગ્રેજી સાહિત્યની અસરથી આપણા કાવ્યનું સ્વરૂપ બદલાયું અને નવલકથાઓ શરૂ થઈ. બન્નેમાં કલ્પના એ મુખ્ય તત્ત્વો છે. ભાવનાશાળી ગુજરાતને કલાત્મક સાહિત્ય વધારે પસંદ પડે એ સ્વાભાવિક છે અને તેથી નવલકથાઓને સૌથી વધારે આવકાર મળ્યો અને સાંસારિક અને ઐતિહાસિક નવલકથાઓ લોકોને ખાસ પ્રિય બની.
ગદ્યસાહિત્યના વિવેચનમાં રસ લેનાર પ્રમાણમાં થોડા હોય છે. પણ લોકોને આથી વધારે રસ તો નવલકથા અને વાર્તામાં જ પડે છે. પ્રાચીનયુગમાં આખ્યાનો તથા મધ્યકાલીન યુગની વાર્તાઓ અને લોકકથાઓ પછી અંગ્રેજી સાહિત્યની અસરથી આપણા કાવ્યનું સ્વરૂપ બદલાયું અને નવલકથાઓ શરૂ થઈ. બન્નેમાં કલ્પના એ મુખ્ય તત્ત્વો છે. ભાવનાશાળી ગુજરાતને કલાત્મક સાહિત્ય વધારે પસંદ પડે એ સ્વાભાવિક છે અને તેથી નવલકથાઓને સૌથી વધારે આવકાર મળ્યો અને સાંસારિક અને ઐતિહાસિક નવલકથાઓ લોકોને ખાસ પ્રિય બની.
કનૈયાલાલ મુનશીનું મૌલિક અને કલામય પાત્રસર્જન, રમણલાલ દેસાઈનું પ્રચલિત સામાજિક પ્રશ્નોનું રસપૂર્ણ સમાલોચન, ધૂમકેતુનું ઔતિહાસિક દર્શન તથા ચુનીલાલ શાહ – એ સર્વેએ આધુનિક ગુજરાતના સાહિત્યજીવનને પુષ્કળ સમૃદ્ધ બનાવ્યું છે. કનૈયાલાલ મુનશી માત્ર નવલકથાકાર નથી, નવગુજરાતના સ્વપ્નદ્રષ્ટા છે. છેલ્લાં સો વરસના યુગમાં એક છેડે ગુજરાતના ગૌરવનું ભાન કરાવનાર નર્મદ અને બીજે છેડે ગુજરાતની અસ્મિતાને મૂર્તિમંત બનાવનાર મુનશી. એકે બ્યૂગલ વગાડીને અજ્ઞાનતાની ઘોર નિદ્રામાં પડેલા ગુજરાતને જગાડ્યું; બીજાએ ઇતિહાસ અને સંસ્કૃતિનો સાદ સંભળાવી જાગ્રત થયેલા ગુજરાતને પોતાની અસ્મિતાનું ભાન કરાવ્યું.
કનૈયાલાલ મુનશીનું મૌલિક અને કલામય પાત્રસર્જન, રમણલાલ દેસાઈનું પ્રચલિત સામાજિક પ્રશ્નોનું રસપૂર્ણ સમાલોચન, ધૂમકેતુનું ઔતિહાસિક દર્શન તથા ચુનીલાલ શાહ – એ સર્વેએ આધુનિક ગુજરાતના સાહિત્યજીવનને પુષ્કળ સમૃદ્ધ બનાવ્યું છે. કનૈયાલાલ મુનશી માત્ર નવલકથાકાર નથી, નવગુજરાતના સ્વપ્નદ્રષ્ટા છે. છેલ્લાં સો વરસના યુગમાં એક છેડે ગુજરાતના ગૌરવનું ભાન કરાવનાર નર્મદ અને બીજે છેડે ગુજરાતની અસ્મિતાને મૂર્તિમંત બનાવનાર મુનશી. એકે બ્યૂગલ વગાડીને અજ્ઞાનતાની ઘોર નિદ્રામાં પડેલા ગુજરાતને જગાડ્યું; બીજાએ ઇતિહાસ અને સંસ્કૃતિનો સાદ સંભળાવી જાગ્રત થયેલા ગુજરાતને પોતાની અસ્મિતાનું ભાન કરાવ્યું.
Line 46: Line 50:
સાહિત્યના કોઈ પણ અંગને ગુજરાતમાં સૌથી વધારે ચડતી-પડતી આવી હોય તો તે નાટ્યસાહિત્યને છે. પારસી નાટકમંડળીઓએ નાટકોની શરૂઆત કરીને તેની લોકપ્રિયતા વધારી. તે પછી મોરબી, વાંકાનેર, મુંબઈ ગુજરાતી, દેશીનાટક સમાજ વગેરે મંડળીઓએ કેટલાંક ઉત્તમ નાટકો આપ્યાં; પણ તે પછીથી થોડા અપવાદ સિવાય આપણાં નાટકો સાહિત્યની તેમ જ કળાની દૃષ્ટિએ ઊતરવા માંડ્યાં. સિનેમા અને રંજન સંબંધી કરવેરાનો આઘાત પણ લાગ્યો. પરંતુ સદ્‌ભાગ્યે હવે શિક્ષિતવર્ગે નાટ્યકળા પોતાના હાથમાં લીધી છે. અવેતન નાટ્યમંડળોએ ઉચ્ચ પ્રકારનાં અભિનયકળા તથા સંવાદો સાથે નાટ્યપ્રયોગોનો લાભ જનતાને આપ્યો પછી લોકોનો રસ વધવા માંડ્યો છે. નાટકના સંવાદોમાં વિચાર, વાણી અને વિનોદ એ ત્રણે તત્ત્વોની ચમત્કારિક અને રસમય ગૂંથણી હોય તો સંગીતના અભાવની ઊણપ પણ જણાતી નથી. હમણાં જ ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ મુંબઈ તથા ગુજરાતમાં ઊજવાઈ ગયો અને આપણા નાટક-સાહિત્યમાં નવું જીવન આવ્યું છે.
સાહિત્યના કોઈ પણ અંગને ગુજરાતમાં સૌથી વધારે ચડતી-પડતી આવી હોય તો તે નાટ્યસાહિત્યને છે. પારસી નાટકમંડળીઓએ નાટકોની શરૂઆત કરીને તેની લોકપ્રિયતા વધારી. તે પછી મોરબી, વાંકાનેર, મુંબઈ ગુજરાતી, દેશીનાટક સમાજ વગેરે મંડળીઓએ કેટલાંક ઉત્તમ નાટકો આપ્યાં; પણ તે પછીથી થોડા અપવાદ સિવાય આપણાં નાટકો સાહિત્યની તેમ જ કળાની દૃષ્ટિએ ઊતરવા માંડ્યાં. સિનેમા અને રંજન સંબંધી કરવેરાનો આઘાત પણ લાગ્યો. પરંતુ સદ્‌ભાગ્યે હવે શિક્ષિતવર્ગે નાટ્યકળા પોતાના હાથમાં લીધી છે. અવેતન નાટ્યમંડળોએ ઉચ્ચ પ્રકારનાં અભિનયકળા તથા સંવાદો સાથે નાટ્યપ્રયોગોનો લાભ જનતાને આપ્યો પછી લોકોનો રસ વધવા માંડ્યો છે. નાટકના સંવાદોમાં વિચાર, વાણી અને વિનોદ એ ત્રણે તત્ત્વોની ચમત્કારિક અને રસમય ગૂંથણી હોય તો સંગીતના અભાવની ઊણપ પણ જણાતી નથી. હમણાં જ ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ મુંબઈ તથા ગુજરાતમાં ઊજવાઈ ગયો અને આપણા નાટક-સાહિત્યમાં નવું જીવન આવ્યું છે.
મનોરંજન એ નાટકનું માત્ર એકલું અંગ નથી. સમાજના કૂટપ્રશ્નોના આબેહૂબ ચિત્ર સાથે રસમય કલાવિધાન વડે હૃદયમાં ઊતરે એવું માર્ગદર્શન આપવું એમાં નાટકોની સફળતા રહેલી છે. પશ્ચિમના દેશોમાં સિનેમા અને ટેલિવિઝન આવ્યા પછી પણ નાટકો સારી રીતે ટકી રહ્યાં છે તેનું આ જ કારણ છે. નાટકો લખનાર, ભજવનાર અને જોનાર એ ત્રણે વર્ગોનો ઉચ્ચ કોટિ ઉપર સુયોગ થાય તો આપણે ત્યાં પણ તેમ બની શકે છે. અવેતન નાટ્યમંડળો ગમે તેટલાં હોય પણ ધંધાદારી નાટ્યમંડળીઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસવાળા કલાકારોને ઉત્તેજન આપી જનતા પાસે ઉચ્ચ નાટકો મૂકશે ત્યારે જ ગુજરાતી નાટ્યકળાનું ભાવિ ઉજ્જ્વળ થશે.
મનોરંજન એ નાટકનું માત્ર એકલું અંગ નથી. સમાજના કૂટપ્રશ્નોના આબેહૂબ ચિત્ર સાથે રસમય કલાવિધાન વડે હૃદયમાં ઊતરે એવું માર્ગદર્શન આપવું એમાં નાટકોની સફળતા રહેલી છે. પશ્ચિમના દેશોમાં સિનેમા અને ટેલિવિઝન આવ્યા પછી પણ નાટકો સારી રીતે ટકી રહ્યાં છે તેનું આ જ કારણ છે. નાટકો લખનાર, ભજવનાર અને જોનાર એ ત્રણે વર્ગોનો ઉચ્ચ કોટિ ઉપર સુયોગ થાય તો આપણે ત્યાં પણ તેમ બની શકે છે. અવેતન નાટ્યમંડળો ગમે તેટલાં હોય પણ ધંધાદારી નાટ્યમંડળીઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસવાળા કલાકારોને ઉત્તેજન આપી જનતા પાસે ઉચ્ચ નાટકો મૂકશે ત્યારે જ ગુજરાતી નાટ્યકળાનું ભાવિ ઉજ્જ્વળ થશે.
હાસ્યરસનું સાહિત્યઃ
'''હાસ્યરસનું સાહિત્યઃ'''
હાસ્યરસનું સાહિત્ય આપણે ત્યાં થોડા સમયથી જ શરૂ થયું છે. રમણભાઈના ભદ્રંભદ્રે અને જ્યોતીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન મહેતા, ગગનવિહારી મહેતા, જયેન્દ્રરાવ દુરકાળ વગેરેનાં લેખો તથા કેટલીએક વાર્તાઓએ હાસ્યરસ સારી રીતે પીરસ્યો છે. પણ સામાન્ય સાહિત્યમાં માર્મિક વિનોદરસનો અભાવ ધ્યાન ખેંચે છે. માત્ર પ્રહસન એક વસ્તુ છે અને સાહિત્યનાં વિવિધ અંગોમાં બીજા રસની જોડે માર્મિક વિનોદ ભેળવવો એ જુદી વસ્તુ છે. આપણા સાહિત્યમાં કરુણરસ પુષ્કળ છે, ગંભીર સાહિત્ય પણ વધ્યું છે, પરંતુ નવલકથાઓ કે નાટકોનાં પાત્રોમાં બૌદ્ધિક વિનોદના ચમત્કારવાળી કૃતિઓ બહુ ઓછી છે. માત્ર મોં મલકાવે તેવો નહિ પણ બુદ્ધિને સતેજ કરે એવા સૂક્ષ્મ હાસ્યરસની જરૂર છે. હલકો વિનોદ એ કંઈ હળવા સાહિત્યનું અંગ નથી, તેમ જ માત્ર ખડખડાટ હસાવે તે કંઈ હાસ્યરસનું લક્ષણ નથી. મનમાં હસાવે એવો માર્મિક અને નિર્મળ રસ ઘણી વખત ઉત્તમ પ્રકારનો હોય છે. આપણી વિનોદવૃત્તિ ઉચ્ચ અને સૂક્ષ્મ થશે તો જ તેનું સાહિત્ય ખીલશે. આજે આ વૃત્તિ પોષવા માટે રંજનકૃતિઓને ઊંચી ચડાવવી પડશે.
હાસ્યરસનું સાહિત્ય આપણે ત્યાં થોડા સમયથી જ શરૂ થયું છે. રમણભાઈના ભદ્રંભદ્રે અને જ્યોતીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન મહેતા, ગગનવિહારી મહેતા, જયેન્દ્રરાવ દુરકાળ વગેરેનાં લેખો તથા કેટલીએક વાર્તાઓએ હાસ્યરસ સારી રીતે પીરસ્યો છે. પણ સામાન્ય સાહિત્યમાં માર્મિક વિનોદરસનો અભાવ ધ્યાન ખેંચે છે. માત્ર પ્રહસન એક વસ્તુ છે અને સાહિત્યનાં વિવિધ અંગોમાં બીજા રસની જોડે માર્મિક વિનોદ ભેળવવો એ જુદી વસ્તુ છે. આપણા સાહિત્યમાં કરુણરસ પુષ્કળ છે, ગંભીર સાહિત્ય પણ વધ્યું છે, પરંતુ નવલકથાઓ કે નાટકોનાં પાત્રોમાં બૌદ્ધિક વિનોદના ચમત્કારવાળી કૃતિઓ બહુ ઓછી છે. માત્ર મોં મલકાવે તેવો નહિ પણ બુદ્ધિને સતેજ કરે એવા સૂક્ષ્મ હાસ્યરસની જરૂર છે. હલકો વિનોદ એ કંઈ હળવા સાહિત્યનું અંગ નથી, તેમ જ માત્ર ખડખડાટ હસાવે તે કંઈ હાસ્યરસનું લક્ષણ નથી. મનમાં હસાવે એવો માર્મિક અને નિર્મળ રસ ઘણી વખત ઉત્તમ પ્રકારનો હોય છે. આપણી વિનોદવૃત્તિ ઉચ્ચ અને સૂક્ષ્મ થશે તો જ તેનું સાહિત્ય ખીલશે. આજે આ વૃત્તિ પોષવા માટે રંજનકૃતિઓને ઊંચી ચડાવવી પડશે.
ઇતિહાસસંબંધક સંશોધનઃ
ઇતિહાસસંબંધક સંશોધનઃ
બીજો એક સાહિત્યવિભાગ જેમાં હજી જોઈએ તેવી પ્રગતિ થઈ નથી તે ઇતિહાસવિષયક વિવેચનાત્મક સંશોધનવિભાગ છે. કલ્પનાત્મક સાહિત્ય તરફ આપણા સાહિત્યકારો વધારે આકર્ષાય છે એ નિઃશંક છે. એમાં બહુ અભ્યાસની જરૂર રહેતી નથી એટલે સાહિત્યકાર થવાનો એ ટૂંકો રસ્તો છે. પણ વિવેચન, સંશોધન, વગેરે સંગીન વિષયોમાં અભ્યાસ અને ખંત વિના પ્રગતિ થઈ શકતી નથી. ઇતિહાસના સાહિત્યના સંશોધનમાં આપણે ત્યાં ઘણા ઓછાએ રસ લીધો છે. સદ્‌ગત દુર્ગાશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનો ગણ્યાગાંઠ્યા છે, અને એ વિષયમાં આપણે ઘણું કરવાનું છે. વિવેચન કરતાં પણ એમાં અભ્યાસ અને નિષ્પક્ષપાત તુલનાશક્તિની વધારે જરૂર છે. હિંદના બીજા પ્રદેશોમાં આ વિષયના સારા વિદ્વાનો છે. આપણે તો ગુજરાતનાં સંશોધનો માટે પણ બહારના વિદ્વાનો ઉપર આધાર રાખીએ છીએ. આ વસ્તુસ્થિતિ બદલી આપણામાંથી કેટલાએક લેખકો એ તરફ આકર્ષાય તે અત્યંત ઇચ્છવા યોગ્ય છે. કોઈ પણ પ્રદેશના સાહિત્યની કીર્તિ તેના ‘સાક્ષરો’ની સંખ્યા ઉપર નહીં પણ વિદ્વાનોની સંખ્યા ઉપર રહેલી છે. રત્નમણિરાવ, ભોગીલાલ સાંડેસરા તથા કામદાર જેવા ઇતિહાસાત્મક વૃત્તિવાળા સાહિત્યકારોની જરૂર છે. આશા છે કે ગુજરાત વિદ્યાસભા, ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં સાહિત્યસભાઓ અને સંશોધનમંડળોના સભાસદો આ વિષયોમાં વધારે ઊંડો રસ લઈ સંશોધનવૃત્તિને ઉત્તેજિત કરશે.
બીજો એક સાહિત્યવિભાગ જેમાં હજી જોઈએ તેવી પ્રગતિ થઈ નથી તે ઇતિહાસવિષયક વિવેચનાત્મક સંશોધનવિભાગ છે. કલ્પનાત્મક સાહિત્ય તરફ આપણા સાહિત્યકારો વધારે આકર્ષાય છે એ નિઃશંક છે. એમાં બહુ અભ્યાસની જરૂર રહેતી નથી એટલે સાહિત્યકાર થવાનો એ ટૂંકો રસ્તો છે. પણ વિવેચન, સંશોધન, વગેરે સંગીન વિષયોમાં અભ્યાસ અને ખંત વિના પ્રગતિ થઈ શકતી નથી. ઇતિહાસના સાહિત્યના સંશોધનમાં આપણે ત્યાં ઘણા ઓછાએ રસ લીધો છે. સદ્‌ગત દુર્ગાશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનો ગણ્યાગાંઠ્યા છે, અને એ વિષયમાં આપણે ઘણું કરવાનું છે. વિવેચન કરતાં પણ એમાં અભ્યાસ અને નિષ્પક્ષપાત તુલનાશક્તિની વધારે જરૂર છે. હિંદના બીજા પ્રદેશોમાં આ વિષયના સારા વિદ્વાનો છે. આપણે તો ગુજરાતનાં સંશોધનો માટે પણ બહારના વિદ્વાનો ઉપર આધાર રાખીએ છીએ. આ વસ્તુસ્થિતિ બદલી આપણામાંથી કેટલાએક લેખકો એ તરફ આકર્ષાય તે અત્યંત ઇચ્છવા યોગ્ય છે. કોઈ પણ પ્રદેશના સાહિત્યની કીર્તિ તેના ‘સાક્ષરો’ની સંખ્યા ઉપર નહીં પણ વિદ્વાનોની સંખ્યા ઉપર રહેલી છે. રત્નમણિરાવ, ભોગીલાલ સાંડેસરા તથા કામદાર જેવા ઇતિહાસાત્મક વૃત્તિવાળા સાહિત્યકારોની જરૂર છે. આશા છે કે ગુજરાત વિદ્યાસભા, ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં સાહિત્યસભાઓ અને સંશોધનમંડળોના સભાસદો આ વિષયોમાં વધારે ઊંડો રસ લઈ સંશોધનવૃત્તિને ઉત્તેજિત કરશે.
પત્રકારત્વઃ
'''પત્રકારત્વઃ'''
પત્રકારત્વ એ પણ હાલના સમયમાં સાહિત્યનું એક મુખ્ય અંગ છે. વર્તમાનપત્રો અને વાર્તાઓ જનતાના ઘણા મોટા ભાગનાં વાંચન બન્યાં છે; અને લોકમાનસના સ્વસ્થ ઘડતરમાં વર્તમાનપત્રોના લેખકોની અસર હજી પણ ઘણી વધશે. છેલ્લાં વીસેક વર્ષથી આપણાં વર્તમાનપત્રોની કક્ષા સુધરતી ગઈ છે, એ આનંદની વાત છે. રવિવારની આવૃત્તિઓમાં વિવિધ વિષયોનું જ્ઞાન મળે છે, પણ હજી એ ધંધામાં દાખલ થનારાઓને પત્રકારત્વની નીતિરીતિનું શિક્ષણ મળે એ જરૂરનું છે.ગુજરાત યુનિવર્સિટીએ પત્રકારત્વ માટે ડિપ્લોમા કહાડવાનો ઠરાવ કર્યો છે અને આશા છે કે થોડા વખત પછી પત્રકારત્વની સંસ્થાઓ તેને માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો પ્રબંધ કરશે. વર્તમાનપત્રોનું ઉપસાહિત્ય સુધરતું જાય છે પણ હજી અંગ્રેજી પત્રોમાંથી શબ્દેશબ્દ ભાષાંતર થાય છે તેથી કેટલીએક વખત આપણી ભાષા મચડાઈ જાય છે. “મને લાગેવળગે છે ત્યાં સુધી” એ અંગ્રેજીમાંથી કરેલા ભાષાંતરના વાક્યમાં તો જાણે ભૂત વળગ્યું હોય એવો ભાસ થાય છે. ‘સળગતા પ્રશ્નો’ એ પ્રયોગમાં પણ બધે આગ લાગી છે તેમ પ્રશ્નોમાં પણ આગ લાગી છે એમ લાગે છે. શબ્દેશબ્દનું રસહીન ભાષાંતર કરવા કરતાં આપણી પ્રચલિત ભાષામાં એને યથોચિત ભાવ ઉતારવો એ વધારે સારું છે. વર્તમાનપત્રોના લેખકો આમજનતાના સાક્ષરો છે અને એમનાં ભાષા તેમજ વિચારો ચલણી સિક્કાઓની માફક સમાજમાં પ્રસરી જાય છે, તે જોતાં ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ માટે આપણા પત્રકારભાઈઓ હજી પણ ઘણું વધારે કરે એવી આશા રાખીશું.
પત્રકારત્વ એ પણ હાલના સમયમાં સાહિત્યનું એક મુખ્ય અંગ છે. વર્તમાનપત્રો અને વાર્તાઓ જનતાના ઘણા મોટા ભાગનાં વાંચન બન્યાં છે; અને લોકમાનસના સ્વસ્થ ઘડતરમાં વર્તમાનપત્રોના લેખકોની અસર હજી પણ ઘણી વધશે. છેલ્લાં વીસેક વર્ષથી આપણાં વર્તમાનપત્રોની કક્ષા સુધરતી ગઈ છે, એ આનંદની વાત છે. રવિવારની આવૃત્તિઓમાં વિવિધ વિષયોનું જ્ઞાન મળે છે, પણ હજી એ ધંધામાં દાખલ થનારાઓને પત્રકારત્વની નીતિરીતિનું શિક્ષણ મળે એ જરૂરનું છે.ગુજરાત યુનિવર્સિટીએ પત્રકારત્વ માટે ડિપ્લોમા કહાડવાનો ઠરાવ કર્યો છે અને આશા છે કે થોડા વખત પછી પત્રકારત્વની સંસ્થાઓ તેને માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો પ્રબંધ કરશે. વર્તમાનપત્રોનું ઉપસાહિત્ય સુધરતું જાય છે પણ હજી અંગ્રેજી પત્રોમાંથી શબ્દેશબ્દ ભાષાંતર થાય છે તેથી કેટલીએક વખત આપણી ભાષા મચડાઈ જાય છે. “મને લાગેવળગે છે ત્યાં સુધી” એ અંગ્રેજીમાંથી કરેલા ભાષાંતરના વાક્યમાં તો જાણે ભૂત વળગ્યું હોય એવો ભાસ થાય છે. ‘સળગતા પ્રશ્નો’ એ પ્રયોગમાં પણ બધે આગ લાગી છે તેમ પ્રશ્નોમાં પણ આગ લાગી છે એમ લાગે છે. શબ્દેશબ્દનું રસહીન ભાષાંતર કરવા કરતાં આપણી પ્રચલિત ભાષામાં એને યથોચિત ભાવ ઉતારવો એ વધારે સારું છે. વર્તમાનપત્રોના લેખકો આમજનતાના સાક્ષરો છે અને એમનાં ભાષા તેમજ વિચારો ચલણી સિક્કાઓની માફક સમાજમાં પ્રસરી જાય છે, તે જોતાં ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ માટે આપણા પત્રકારભાઈઓ હજી પણ ઘણું વધારે કરે એવી આશા રાખીશું.
જીવનચરિત્રોઃ
'''જીવનચરિત્રોઃ'''
વાચકને પ્રેરણા મળે એવાં જીવનચરિત્રો સાહિત્યનું એક મુખ્ય અંગ છે. આવાં જીવનચરિત્રો આપણે ત્યાં ઓછાં છે. જોકે કેટલીએક આત્મકથાઓ સારા પ્રકારની છે. ગાંધીજીની આત્મકથા તથા નર્મદ કવિ, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર અને ચંદ્રવદન મહેતાનાં આત્મવૃત્તાંતો આ કક્ષામાં મૂકી શકાય. તટસ્થપણે લખાયેલાં જીવનચરિત્રોની સંખ્યા વધે એમ જરૂર ઇચ્છીશું. વાસ્તવિક જીવનની જે પ્રેરણાઓ નવલકથાઓમાંથી મળી શકતી નથી તે આવાં જીવનચરિત્રોમાંથી મળી રહે છે. જીવનની સફળતા તથા નિષ્ફળતા કેવા સંજોગોમાં થાય છે, તેમજ દૂરથી મોટા મનાતા માનવીઓમાં કેવી નબળાઈ તથા ખામીઓ રહેલી છે તે તો તટસ્થપણે લખાયેલી જીવનકથાઓમાંથી જ જાણી શકાય.
વાચકને પ્રેરણા મળે એવાં જીવનચરિત્રો સાહિત્યનું એક મુખ્ય અંગ છે. આવાં જીવનચરિત્રો આપણે ત્યાં ઓછાં છે. જોકે કેટલીએક આત્મકથાઓ સારા પ્રકારની છે. ગાંધીજીની આત્મકથા તથા નર્મદ કવિ, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર અને ચંદ્રવદન મહેતાનાં આત્મવૃત્તાંતો આ કક્ષામાં મૂકી શકાય. તટસ્થપણે લખાયેલાં જીવનચરિત્રોની સંખ્યા વધે એમ જરૂર ઇચ્છીશું. વાસ્તવિક જીવનની જે પ્રેરણાઓ નવલકથાઓમાંથી મળી શકતી નથી તે આવાં જીવનચરિત્રોમાંથી મળી રહે છે. જીવનની સફળતા તથા નિષ્ફળતા કેવા સંજોગોમાં થાય છે, તેમજ દૂરથી મોટા મનાતા માનવીઓમાં કેવી નબળાઈ તથા ખામીઓ રહેલી છે તે તો તટસ્થપણે લખાયેલી જીવનકથાઓમાંથી જ જાણી શકાય.
સામયિકોઃ
'''સામયિકોઃ'''
બાલસાહિત્યના વિષયમાં આપણે સારી પ્રગતિ કરી છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એવાં સામયિકો સારી સંખ્યામાં છે અને ભવિષ્યના જ્ઞાનનો પાયો ઠીક બને એવી માહિતી પણ મળે છે. પણ ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઇતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ તેટલું ઉત્તેજન આપ્યું નથી. વસંત, સુંદરીસુબોધ, સાહિત્ય, ગુજરાત, માનસી વગેરે જેવાં સામયિકો ગ્રાહકોની ઊનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યપ્રવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ તેટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે. સંસ્કૃતિ, કુમાર, અખંડાનંદ વગેરે સામયિકોને સારો સહકાર મળી રહ્યો છે એ ઘણું સંતોષકારક છે. પણ બીજાં માસિકોને પણ જનતા તરફથી સહકારની જરૂર છે. કોઈ માસિક સારું ચાલતું ન હોય તો તેમાં તેના સંચાલક કરતાં વધારે દોષ લેખકોનો અને જનતાનો છે. જો સારી કક્ષાના લેખકો મળે અને જનતા તેના ગ્રાહક થઈને ઉત્તેજન આપે તો માસિકના સંચાલકોની જવાબદારી ને ચિંતા ઘણી ઓછી થાય છે. સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધારણ લેખો પણ પ્રગટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે. કોઈ પણ દેશનાં સામયિકો વાંચ્યાથી તેના સાહિત્યની કિંમત અંકાય છે. આ દિશામાં પ્રગતિ કરવાની અવશ્ય જરૂર છે.
બાલસાહિત્યના વિષયમાં આપણે સારી પ્રગતિ કરી છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એવાં સામયિકો સારી સંખ્યામાં છે અને ભવિષ્યના જ્ઞાનનો પાયો ઠીક બને એવી માહિતી પણ મળે છે. પણ ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઇતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ તેટલું ઉત્તેજન આપ્યું નથી. વસંત, સુંદરીસુબોધ, સાહિત્ય, ગુજરાત, માનસી વગેરે જેવાં સામયિકો ગ્રાહકોની ઊનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યપ્રવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ તેટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે. સંસ્કૃતિ, કુમાર, અખંડાનંદ વગેરે સામયિકોને સારો સહકાર મળી રહ્યો છે એ ઘણું સંતોષકારક છે. પણ બીજાં માસિકોને પણ જનતા તરફથી સહકારની જરૂર છે. કોઈ માસિક સારું ચાલતું ન હોય તો તેમાં તેના સંચાલક કરતાં વધારે દોષ લેખકોનો અને જનતાનો છે. જો સારી કક્ષાના લેખકો મળે અને જનતા તેના ગ્રાહક થઈને ઉત્તેજન આપે તો માસિકના સંચાલકોની જવાબદારી ને ચિંતા ઘણી ઓછી થાય છે. સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધારણ લેખો પણ પ્રગટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે. કોઈ પણ દેશનાં સામયિકો વાંચ્યાથી તેના સાહિત્યની કિંમત અંકાય છે. આ દિશામાં પ્રગતિ કરવાની અવશ્ય જરૂર છે.
સ્ત્રીસાહિત્યઃ
સ્ત્રીસાહિત્યઃ
છેલ્લાં ત્રીસેક વરસથી ગુજરાતી સ્ત્રીઓનો વધી રહેલો મનોવિકાસ એ આપણી પ્રગતિનું શુભ ચિહ્ન છે. સ્ત્રીસાહિત્ય પણ ઠીક વિકસ્યું છે. પણ શિક્ષિત સ્ત્રીઓ જેટલી વધતી જાય છે તેના પ્રમાણમાં સ્ત્રીઓના લેખોમાં હજી વિવિધતા વધી નથી. વાર્તાઓ લખાય છે પણ સ્ત્રીઓને રસ પડે એવા બીજા વિષયોના લેખો ઓછા દેખાય છે. આપણી પદવીધારી સ્ત્રીઓએ લેખનકળામાં હજી જોઈએ તેટલો રસ લીધો નથી. પણ વાચનનો શોખ વધતો જાય છે એ આનંદની વાત છે. ગુજરાતી સ્ત્રીઓના માનસમાં વ્યાવહારિક બુદ્ધિ અને સમજશક્તિનું પ્રમાણ સારું છે. અત્યારે ભારતનાં રાજકીય ક્ષેત્રોમાં આપણી ગુજરાતી સ્ત્રીઓએ જવાબદારીની પદવીઓ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બાળક અને સ્ત્રી એ દેશનું ધન છે અને હજી પણ સાહિત્યના ક્ષેત્રમાં સ્ત્રીઓના વિષયોનું જ્ઞાન મળે તેવું ઉપયોગી સાહિત્ય સર્જા એ જરૂરી લાગે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પોતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે હજી ઘણું કરવાનું છે.
છેલ્લાં ત્રીસેક વરસથી ગુજરાતી સ્ત્રીઓનો વધી રહેલો મનોવિકાસ એ આપણી પ્રગતિનું શુભ ચિહ્ન છે. સ્ત્રીસાહિત્ય પણ ઠીક વિકસ્યું છે. પણ શિક્ષિત સ્ત્રીઓ જેટલી વધતી જાય છે તેના પ્રમાણમાં સ્ત્રીઓના લેખોમાં હજી વિવિધતા વધી નથી. વાર્તાઓ લખાય છે પણ સ્ત્રીઓને રસ પડે એવા બીજા વિષયોના લેખો ઓછા દેખાય છે. આપણી પદવીધારી સ્ત્રીઓએ લેખનકળામાં હજી જોઈએ તેટલો રસ લીધો નથી. પણ વાચનનો શોખ વધતો જાય છે એ આનંદની વાત છે. ગુજરાતી સ્ત્રીઓના માનસમાં વ્યાવહારિક બુદ્ધિ અને સમજશક્તિનું પ્રમાણ સારું છે. અત્યારે ભારતનાં રાજકીય ક્ષેત્રોમાં આપણી ગુજરાતી સ્ત્રીઓએ જવાબદારીની પદવીઓ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બાળક અને સ્ત્રી એ દેશનું ધન છે અને હજી પણ સાહિત્યના ક્ષેત્રમાં સ્ત્રીઓના વિષયોનું જ્ઞાન મળે તેવું ઉપયોગી સાહિત્ય સર્જા એ જરૂરી લાગે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પોતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે હજી ઘણું કરવાનું છે.
પારસી સાહિત્યઃ
'''પારસી સાહિત્યઃ'''
આજે આ સંમેલન આપણા પારસીભાઈઓના પાટનગર નવસારીમાં ભરાય છે, અને તેમાં પારસી સંસ્કૃતિનો વિભાગ રાખવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. મહેરજી રાણા, દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા વગેરે અનેક નામાંકિત પારસીઓએ પોતાના વતન નવસારીનું નામ દીપાવ્યું છે. પણ આપણે માટે આજે નોંધવાલાયક હકીકત એ છે કે, પારસી કોમે અને ખાસ કરીને નવસારીએ ગુજરાતને સારા સાહિત્યકારો આપ્યા છે. પારસીઓએ ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને જોકે એમનો પુરાણો સાહિત્યસંબંધ અવસ્તા, પહેલવી અને ફારસી સાથે હતોપણ ધીમે ધીમે ગુજરાતી સાહિત્યમાં પણ એમણે પ્રવેશ કર્યો. નવસારીના દેસાઈ કુટુંબના તથા બીજા અનેક પારસી ભાઈઓએ શુદ્ધ ગુજરાતીમાં લેખન કર્યું છે. મુંબઈના “ગુજરાતી”માં વર્ષો પહેલાં “ભર કટોરા રંગ” નામના શીર્ષક તળે નવસારીના ખરસેદજી દેસાઈ “બીરબલ” ઉપનામ ધારણ કરીને દર અઠવાડિયે સરસ વિનોદયુક્ત લેખ લખતા તે કોઈ પારસીભાઈએ લખ્યા છે એમ ખ્યાલ પણ ન આવે. આજે આપણે નવસારીના પારસી કુટુંબે સ્થાપેલી કૉલેજમાં એમના મહેમાન થયા છીએ એ પણ સુયોગ્ય છે. મુંબઈમાં પારસીભાઈઓનાં સાહિત્યનું પ્રથમ ક્ષેત્ર થયું. ગુજરાતી વર્તમાનપત્રોની તેમજ ગુજરાતીમાં નાટકો ભજવવાની શરૂઆત કરવાનું માન પારસી કોમને છે. તે પછી નવલકથાઓ, નાટકો વગેરે ક્ષેત્રમાં પણ એમણે પુસ્તકો લખવાં શરૂ કર્યાં, અને હજી પણ એમની એ પ્રવૃત્તિ ચાલુ છે. બહેરામજી મલબારી, ખબરદાર, કાબરાજી, સંજાના વગેરે ઘણા લેખકો તથા કવિઓ પારસી કોમે ગુજરાતને આપ્યા છે. ખબરદાર અને સંજાનાએ જે શુદ્ધ ગુજરાતી ભાષા વાપરી છે તેનો દાખલો તો પારસી કોમે અવશ્ય લેવો જોઈએ. મુંબઈના વાતાવરણમાં અત્યાર સુધી ગુજરાતી કરતાં અંગ્રેજીમાં લખવાની ટેવ વધારે પડવાથી ત્યાંના પારસીભાઈઓએ પ્રમાણમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ઓછો કર્યો છે. પણ હવે તો સ્થિતિ બદલાઈ છે. અંગ્રેજી જોકે ચાલુ રહેશે તોપણ હિંદી અને માતૃભાષા ગુજરાતીને ભવિષ્યમાં વધારે ઉત્તેજન મળશે. હવે તો એવો વખત આવશે કે સરકારી વ્યવહાર પણ હિંદીમાં ચાલશે અને ગુજરાતમાં તો ગુજરાતી ભાષામાં પણ થશે, એટલે પારસીભાઈઓએ પણ ગુજરાતી સાથે હિંદી પણ શીખવું પડશે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને અત્યારે જેને પારસી ગુજરાતી કહે છે તેને વધારે વ્યાકરણશુદ્ધ ને શિષ્ટ બનાવવી પડશે. મારા પોતાના અનુભવમાં મારા કેટલાએક પારસી મિત્રો નાનપણમાં ગુજરાતી નિશાળોમાં ભણ્યા છે તેઓ શુદ્ધ ગુજરાતી બોલી અને લખી જાણે છે, પણ મુંબઈ જેવા શહેરમાં તો ગુજરાતીનો પાયો કાચો રહેવાથી અને અંગ્રેજીમાં જ શિક્ષણ શરૂ કરવાથી હાલના જમાનાના ઘણા પારસીભાઈઓને ગુજરાતી તરફ માતૃભાષા તરીકે જે લાગણી હોવી જોઈએ તેનો અભાવ લાગે છે. કેટલાકો તો અંગ્રેજી જ પોતાની માતૃભાષા થઈ હોય એમ માને છે. હું તો ધારું છું કે પારસી કોમે હવે એમની ગુજરાતી તરફ અને જેમ બને તેમ શુદ્ધ અને સરલ ગુજરાતી તરફ વધારે લક્ષ આપવું એ એમના પોતાના જ હિતમાં છે. જે પારસીભાઈઓએ દોઢસો વરસમાં અંગ્રેજી ઉપર પુષ્કળ કાબૂ મેળવ્યો તે ધારે તો સારું ગુજરાતી બોલતાં ને લખતાં કેમ ન શીખી શકે? વધારે પડતા સંસ્કૃત શબ્દો વાપરવાનો જમાનો હવે ગયો છે અને શુદ્ધ સાથે સરલ ભાષા વધારે વખણાય છે એટલે પારસીભાઈઓને હવે મુશ્કેલી પડે તેમ નથી. અંગ્રેજ લોકો આવ્યા તે પહેલાં જ્યારથી પારસીભાઈઓ ગુજરાતમાં આવ્યા ત્યારથી ગુજરાતી જ બોલતા અને લખતા હતા. અલબત્ત, તેમની ભાષા ગુજરાતના જે ભાગમાં તેઓ વસ્યા ત્યાંની બોલીથી રંગાઈ ગઈ. ફારસી શબ્દોનો પણ તેમાં ઉપયોગ રહ્યો, અને તેને લીધે ગુજરાતી ભાષાને પણ ફાયદો થયો. બારસો-તેરસો વરસના લાંબા સમયમાં દોઢસોબસો વરસનો અંગ્રેજીનો ગાળો આવ્યો તે કંઈ બહુ મોટો ન કહેવાય. ભવિષ્યમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ અને વ્યવહારમાં વપરાશ જરૂર રહે પણ ગુજરાતીને હવે પોતાની માતૃભાષા ગણી, તેનું વાચન-લેખન વધે અને ખબરદાર જેવા કવિઓ અને પહેલાંના પારસી લેખકો ગુજરાતી ભાષાસાહિત્યમાં જે રસ લેતા તેવો રસ તેમનામાં વધે એમ તો આપણે જરૂર ઇચ્છીશું. આપણા ઇસ્લામીભાઈઓમાંથી કેટલાકોએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં રસ લીધો છે અને એ રસ ચાલુ રહે એમ ઇચ્છીશું.
આજે આ સંમેલન આપણા પારસીભાઈઓના પાટનગર નવસારીમાં ભરાય છે, અને તેમાં પારસી સંસ્કૃતિનો વિભાગ રાખવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. મહેરજી રાણા, દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા વગેરે અનેક નામાંકિત પારસીઓએ પોતાના વતન નવસારીનું નામ દીપાવ્યું છે. પણ આપણે માટે આજે નોંધવાલાયક હકીકત એ છે કે, પારસી કોમે અને ખાસ કરીને નવસારીએ ગુજરાતને સારા સાહિત્યકારો આપ્યા છે. પારસીઓએ ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને જોકે એમનો પુરાણો સાહિત્યસંબંધ અવસ્તા, પહેલવી અને ફારસી સાથે હતોપણ ધીમે ધીમે ગુજરાતી સાહિત્યમાં પણ એમણે પ્રવેશ કર્યો. નવસારીના દેસાઈ કુટુંબના તથા બીજા અનેક પારસી ભાઈઓએ શુદ્ધ ગુજરાતીમાં લેખન કર્યું છે. મુંબઈના “ગુજરાતી”માં વર્ષો પહેલાં “ભર કટોરા રંગ” નામના શીર્ષક તળે નવસારીના ખરસેદજી દેસાઈ “બીરબલ” ઉપનામ ધારણ કરીને દર અઠવાડિયે સરસ વિનોદયુક્ત લેખ લખતા તે કોઈ પારસીભાઈએ લખ્યા છે એમ ખ્યાલ પણ ન આવે. આજે આપણે નવસારીના પારસી કુટુંબે સ્થાપેલી કૉલેજમાં એમના મહેમાન થયા છીએ એ પણ સુયોગ્ય છે. મુંબઈમાં પારસીભાઈઓનાં સાહિત્યનું પ્રથમ ક્ષેત્ર થયું. ગુજરાતી વર્તમાનપત્રોની તેમજ ગુજરાતીમાં નાટકો ભજવવાની શરૂઆત કરવાનું માન પારસી કોમને છે. તે પછી નવલકથાઓ, નાટકો વગેરે ક્ષેત્રમાં પણ એમણે પુસ્તકો લખવાં શરૂ કર્યાં, અને હજી પણ એમની એ પ્રવૃત્તિ ચાલુ છે. બહેરામજી મલબારી, ખબરદાર, કાબરાજી, સંજાના વગેરે ઘણા લેખકો તથા કવિઓ પારસી કોમે ગુજરાતને આપ્યા છે. ખબરદાર અને સંજાનાએ જે શુદ્ધ ગુજરાતી ભાષા વાપરી છે તેનો દાખલો તો પારસી કોમે અવશ્ય લેવો જોઈએ. મુંબઈના વાતાવરણમાં અત્યાર સુધી ગુજરાતી કરતાં અંગ્રેજીમાં લખવાની ટેવ વધારે પડવાથી ત્યાંના પારસીભાઈઓએ પ્રમાણમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ઓછો કર્યો છે. પણ હવે તો સ્થિતિ બદલાઈ છે. અંગ્રેજી જોકે ચાલુ રહેશે તોપણ હિંદી અને માતૃભાષા ગુજરાતીને ભવિષ્યમાં વધારે ઉત્તેજન મળશે. હવે તો એવો વખત આવશે કે સરકારી વ્યવહાર પણ હિંદીમાં ચાલશે અને ગુજરાતમાં તો ગુજરાતી ભાષામાં પણ થશે, એટલે પારસીભાઈઓએ પણ ગુજરાતી સાથે હિંદી પણ શીખવું પડશે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને અત્યારે જેને પારસી ગુજરાતી કહે છે તેને વધારે વ્યાકરણશુદ્ધ ને શિષ્ટ બનાવવી પડશે. મારા પોતાના અનુભવમાં મારા કેટલાએક પારસી મિત્રો નાનપણમાં ગુજરાતી નિશાળોમાં ભણ્યા છે તેઓ શુદ્ધ ગુજરાતી બોલી અને લખી જાણે છે, પણ મુંબઈ જેવા શહેરમાં તો ગુજરાતીનો પાયો કાચો રહેવાથી અને અંગ્રેજીમાં જ શિક્ષણ શરૂ કરવાથી હાલના જમાનાના ઘણા પારસીભાઈઓને ગુજરાતી તરફ માતૃભાષા તરીકે જે લાગણી હોવી જોઈએ તેનો અભાવ લાગે છે. કેટલાકો તો અંગ્રેજી જ પોતાની માતૃભાષા થઈ હોય એમ માને છે. હું તો ધારું છું કે પારસી કોમે હવે એમની ગુજરાતી તરફ અને જેમ બને તેમ શુદ્ધ અને સરલ ગુજરાતી તરફ વધારે લક્ષ આપવું એ એમના પોતાના જ હિતમાં છે. જે પારસીભાઈઓએ દોઢસો વરસમાં અંગ્રેજી ઉપર પુષ્કળ કાબૂ મેળવ્યો તે ધારે તો સારું ગુજરાતી બોલતાં ને લખતાં કેમ ન શીખી શકે? વધારે પડતા સંસ્કૃત શબ્દો વાપરવાનો જમાનો હવે ગયો છે અને શુદ્ધ સાથે સરલ ભાષા વધારે વખણાય છે એટલે પારસીભાઈઓને હવે મુશ્કેલી પડે તેમ નથી. અંગ્રેજ લોકો આવ્યા તે પહેલાં જ્યારથી પારસીભાઈઓ ગુજરાતમાં આવ્યા ત્યારથી ગુજરાતી જ બોલતા અને લખતા હતા. અલબત્ત, તેમની ભાષા ગુજરાતના જે ભાગમાં તેઓ વસ્યા ત્યાંની બોલીથી રંગાઈ ગઈ. ફારસી શબ્દોનો પણ તેમાં ઉપયોગ રહ્યો, અને તેને લીધે ગુજરાતી ભાષાને પણ ફાયદો થયો. બારસો-તેરસો વરસના લાંબા સમયમાં દોઢસોબસો વરસનો અંગ્રેજીનો ગાળો આવ્યો તે કંઈ બહુ મોટો ન કહેવાય. ભવિષ્યમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ અને વ્યવહારમાં વપરાશ જરૂર રહે પણ ગુજરાતીને હવે પોતાની માતૃભાષા ગણી, તેનું વાચન-લેખન વધે અને ખબરદાર જેવા કવિઓ અને પહેલાંના પારસી લેખકો ગુજરાતી ભાષાસાહિત્યમાં જે રસ લેતા તેવો રસ તેમનામાં વધે એમ તો આપણે જરૂર ઇચ્છીશું. આપણા ઇસ્લામીભાઈઓમાંથી કેટલાકોએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં રસ લીધો છે અને એ રસ ચાલુ રહે એમ ઇચ્છીશું.
ગાંધીયુગનું સાહિત્યઃ
'''ગાંધીયુગનું સાહિત્યઃ'''
આપણે ઉપર જોયું કે પંડિતયુગનું સાહિત્ય સર્જનાત્મક હતું, પણ સામાન્ય જનતાને જોઈએ તેટલું તે સ્પર્શી શક્યું નહીં. લોકજીવન અને સાહિત્ય વચ્ચે અંતર તો રહ્યું જ. પણ છેલ્લાં ત્રીસેક વર્ષોથી આપણા સાહિત્યમાં જે પલટો આવ્યો છે તેનાથી આ દોષ ઘણે અંશે ઓછો થયો છે. ગાંધીજીએ આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતના જીવનમાં ક્રાન્તિકારી પરિવર્તન કરાવ્યું. એ પરિવર્તનથી સાહિત્યના ક્ષેત્રમાં પણ ઘણી અસર થઈ. ગાંધીજી અને તેમના અનુયાયીઓનાં પુસ્તકો, લેખો, અને ભાષણોએ સાહિત્યનું સ્વરૂપ બદલી નાખ્યું અને પંડિતયુગની શૈલી પશ્ચાદ્‌ભૂમિમાં પડી ગઈ. સાદી તથા સરલ ભાષામાં અને લોકો સમજી શકે તેવી વિચારસરણીમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ વગેરેએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તથા જીવન અને સાહિત્ય વચ્ચેનો અંગાંગી સંબંધ સુદૃઢ કર્યો. “નવજીવન” ને “હરિજન” પત્રોએ ગુજરાતના પત્રકારત્વને ઉચ્ચ કોટિ ઉપર ચડાવ્યું અને તેની વિશિષ્ટ લેખનશૈલી નવા સાહિત્યકારોએ અપનાવી. ગાંધીજી કવિ નહોતા પણ એમનું જીવન જ એક મહાકાવ્ય હતું. જીવન અને સાહિત્યનો સમન્વય એમણે જીવંત સ્વરૂપમાં કરી આપ્યો. એ વિશ્વવંદ્ય વિભૂતિ ભગવાન બુદ્ધના સમયથી પચ્ચીસો વરસ પછી દુનિયાના બીજા કોઈ ભાગમાં નહીં પણ ગુજરાતમાં જ પ્રગટ થઈ એ માત્ર અકસ્માત હતો કે કુદરતની ગહનતાનું રહસ્ય હતું તે વિચારવા જેવું છે. લગભગ હજાર વરસની ગુજરાતી સંસ્કૃતિનું પરિપક્વ ફળ એને કેમ ગણી ન શકાય? વૈષ્ણવ અને જૈન ધર્મનાં સંકળાયેલાં સિદ્ધાંતો અને ભાવનાઓ ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થયા પછી પરિસ્થિતિ અનુકૂળ થઈ ને તે બળવાન બન્યાં અને એક સંસ્કારી આત્મામાં મૂર્તિમંત થયાં એમ કેમ ન મનાય? શ્રીકૃષ્ણની ગીતા, વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મનાં સત્ય, અહિંસા અને સમ્યક્‌ભાવ એ સર્વના સાહિત્યની ભૂમિકા ઉપર ટૉલ્સ્ટૉય, રસ્કિન વગેરે પાશ્ચાત્ય ચિંતકોના સાહિત્યની અસરનું પરિણામ એમના જીવનમાં સ્પષ્ટ રીતે જણાય છે. પણ આ ભૂમિકા જો ન હોત તો માત્ર પાશ્ચાત્ય વિચારોની અસરથી ગાંધીજી જે થયા તે ન થયા હોત. ધાર્મિકતા, અહિંસાવૃત્તિ અને વ્યવહારકુશળતા એ ત્રણે ગુણો અખિલ ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતમાં છે અને તેથી તેમનું સબળ સ્વરૂપ ગુજરાતી સંસ્કૃતિના અદ્‌ભુત પરિણામરૂપે એમનામાં મૂર્તિમંત થયું એમ જો ગણીએ તો અતિશયોક્તિનો દોષ ગણાય ખરો?
આપણે ઉપર જોયું કે પંડિતયુગનું સાહિત્ય સર્જનાત્મક હતું, પણ સામાન્ય જનતાને જોઈએ તેટલું તે સ્પર્શી શક્યું નહીં. લોકજીવન અને સાહિત્ય વચ્ચે અંતર તો રહ્યું જ. પણ છેલ્લાં ત્રીસેક વર્ષોથી આપણા સાહિત્યમાં જે પલટો આવ્યો છે તેનાથી આ દોષ ઘણે અંશે ઓછો થયો છે. ગાંધીજીએ આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતના જીવનમાં ક્રાન્તિકારી પરિવર્તન કરાવ્યું. એ પરિવર્તનથી સાહિત્યના ક્ષેત્રમાં પણ ઘણી અસર થઈ. ગાંધીજી અને તેમના અનુયાયીઓનાં પુસ્તકો, લેખો, અને ભાષણોએ સાહિત્યનું સ્વરૂપ બદલી નાખ્યું અને પંડિતયુગની શૈલી પશ્ચાદ્‌ભૂમિમાં પડી ગઈ. સાદી તથા સરલ ભાષામાં અને લોકો સમજી શકે તેવી વિચારસરણીમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ વગેરેએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તથા જીવન અને સાહિત્ય વચ્ચેનો અંગાંગી સંબંધ સુદૃઢ કર્યો. “નવજીવન” ને “હરિજન” પત્રોએ ગુજરાતના પત્રકારત્વને ઉચ્ચ કોટિ ઉપર ચડાવ્યું અને તેની વિશિષ્ટ લેખનશૈલી નવા સાહિત્યકારોએ અપનાવી. ગાંધીજી કવિ નહોતા પણ એમનું જીવન જ એક મહાકાવ્ય હતું. જીવન અને સાહિત્યનો સમન્વય એમણે જીવંત સ્વરૂપમાં કરી આપ્યો. એ વિશ્વવંદ્ય વિભૂતિ ભગવાન બુદ્ધના સમયથી પચ્ચીસો વરસ પછી દુનિયાના બીજા કોઈ ભાગમાં નહીં પણ ગુજરાતમાં જ પ્રગટ થઈ એ માત્ર અકસ્માત હતો કે કુદરતની ગહનતાનું રહસ્ય હતું તે વિચારવા જેવું છે. લગભગ હજાર વરસની ગુજરાતી સંસ્કૃતિનું પરિપક્વ ફળ એને કેમ ગણી ન શકાય? વૈષ્ણવ અને જૈન ધર્મનાં સંકળાયેલાં સિદ્ધાંતો અને ભાવનાઓ ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થયા પછી પરિસ્થિતિ અનુકૂળ થઈ ને તે બળવાન બન્યાં અને એક સંસ્કારી આત્મામાં મૂર્તિમંત થયાં એમ કેમ ન મનાય? શ્રીકૃષ્ણની ગીતા, વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મનાં સત્ય, અહિંસા અને સમ્યક્‌ભાવ એ સર્વના સાહિત્યની ભૂમિકા ઉપર ટૉલ્સ્ટૉય, રસ્કિન વગેરે પાશ્ચાત્ય ચિંતકોના સાહિત્યની અસરનું પરિણામ એમના જીવનમાં સ્પષ્ટ રીતે જણાય છે. પણ આ ભૂમિકા જો ન હોત તો માત્ર પાશ્ચાત્ય વિચારોની અસરથી ગાંધીજી જે થયા તે ન થયા હોત. ધાર્મિકતા, અહિંસાવૃત્તિ અને વ્યવહારકુશળતા એ ત્રણે ગુણો અખિલ ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતમાં છે અને તેથી તેમનું સબળ સ્વરૂપ ગુજરાતી સંસ્કૃતિના અદ્‌ભુત પરિણામરૂપે એમનામાં મૂર્તિમંત થયું એમ જો ગણીએ તો અતિશયોક્તિનો દોષ ગણાય ખરો?
સાહિત્ય અને વેપારી માનસઃ
'''સાહિત્ય અને વેપારી માનસઃ'''
સાહિત્ય અને જીવનના સંબંધને લગતી હવે એક જ બાબતમાં થોડુંક કહેવાની જરૂર છે. ગુજરાતના વેપારી માનસે એના સાહિત્યમાં એક અનિષ્ટ તત્ત્વ દાખલ કર્યું છે. સાહિત્ય માત્ર ધનના ઉપાર્જન માટે નહિ પણ સમાજને ઉચ્ચ પ્રકારનો માનસિક ખોરાક આપી તેનું પોષણ કરવા માટે છે તે કદી ભુલાવું ન જોઈએ. લેખન તેમજ પ્રકાશન વેપારી પદ્ધતિએ થવાના દાખલાઓ કેટલીએક વખત જોવામાં આવે છે. લોકોની જેવી માંગ હોય તેવું સાહિત્ય લખવું અથવા પ્રકટ કરવું-કરાવવું તેમાં આર્થિક લાભ તો હોય, પણ સાહિત્યનું ધ્યેય તો એમાં ઘણી વખત સચવાતું નથી. એવું સાહિત્ય કોઈ દિવસ ચિરંજીવ થતું નથી. એ તો એક વિષચક્ર ઊભું કરે છે. જેમ લોકોને તેમાં વધારે રસ પડતો જાય તેમ તે વધારે નીચું થતું જવાનું વલણ વધારે છે. સાહિત્યકારને નવા વિચારો આવતા બંધ થાય છે તો ય એક વખત સફળતા મેળવ્યા પછી જ્યાં સુધી ખપત રહે ત્યાં સુધી લેખન તો ચાલુ જ રહે છે. આ વિષચક્રને તો પોતાનું ઉત્તેજન બંધ કરી જનતા જ તોડી શકે. જ્યારે આપણો વાચકવર્ગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે જ આવું વ્યાપારી દૃષ્ટિબિંદુ સાહિત્યમાંથી અદૃશ્ય થશે. સમાજની ઉત્ક્રાંતિ માટે બદલાતાં મૂલ્યાંકનોનું પ્રતિબિંબ જો સાહિત્યમાં ન પડે તો તે સાહિત્ય નિર્બલ બનતું જાય છે સાહિત્યનાં આવાં મૂલ્યાંકનો બદલવા માટે સમાજને મદદરૂપ ન થાય અને અત્યારના અનેક વાદોના વિગ્રહમાં સાહિત્ય પ્રગતિમાન ન રહે તો સમાજ અને સાહિત્ય બંનેને ઘસડાઈ જવાનો ભય રહે છે.
સાહિત્ય અને જીવનના સંબંધને લગતી હવે એક જ બાબતમાં થોડુંક કહેવાની જરૂર છે. ગુજરાતના વેપારી માનસે એના સાહિત્યમાં એક અનિષ્ટ તત્ત્વ દાખલ કર્યું છે. સાહિત્ય માત્ર ધનના ઉપાર્જન માટે નહિ પણ સમાજને ઉચ્ચ પ્રકારનો માનસિક ખોરાક આપી તેનું પોષણ કરવા માટે છે તે કદી ભુલાવું ન જોઈએ. લેખન તેમજ પ્રકાશન વેપારી પદ્ધતિએ થવાના દાખલાઓ કેટલીએક વખત જોવામાં આવે છે. લોકોની જેવી માંગ હોય તેવું સાહિત્ય લખવું અથવા પ્રકટ કરવું-કરાવવું તેમાં આર્થિક લાભ તો હોય, પણ સાહિત્યનું ધ્યેય તો એમાં ઘણી વખત સચવાતું નથી. એવું સાહિત્ય કોઈ દિવસ ચિરંજીવ થતું નથી. એ તો એક વિષચક્ર ઊભું કરે છે. જેમ લોકોને તેમાં વધારે રસ પડતો જાય તેમ તે વધારે નીચું થતું જવાનું વલણ વધારે છે. સાહિત્યકારને નવા વિચારો આવતા બંધ થાય છે તો ય એક વખત સફળતા મેળવ્યા પછી જ્યાં સુધી ખપત રહે ત્યાં સુધી લેખન તો ચાલુ જ રહે છે. આ વિષચક્રને તો પોતાનું ઉત્તેજન બંધ કરી જનતા જ તોડી શકે. જ્યારે આપણો વાચકવર્ગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે જ આવું વ્યાપારી દૃષ્ટિબિંદુ સાહિત્યમાંથી અદૃશ્ય થશે. સમાજની ઉત્ક્રાંતિ માટે બદલાતાં મૂલ્યાંકનોનું પ્રતિબિંબ જો સાહિત્યમાં ન પડે તો તે સાહિત્ય નિર્બલ બનતું જાય છે સાહિત્યનાં આવાં મૂલ્યાંકનો બદલવા માટે સમાજને મદદરૂપ ન થાય અને અત્યારના અનેક વાદોના વિગ્રહમાં સાહિત્ય પ્રગતિમાન ન રહે તો સમાજ અને સાહિત્ય બંનેને ઘસડાઈ જવાનો ભય રહે છે.
આનો અર્થ એમ નથી કે સાહિત્યમાં પ્રકાશનો સસ્તાં થવાં ન જોઈએ. સાહિત્ય સમાજના બધા વર્ગોને ઉપલબ્ધ થવું જ જોઈએ અને તેથી તે માટે સારાં પુસ્તકોની સસ્તી આવૃત્તિઓ પણ જરૂર નીકળવી જોઈએ. સસ્તું સાહિત્યવર્ધક મંડળ આ દિશામાં ઘણું સ્તુત્ય કાર્ય કર્યા કરે છે અને ગુજરાતી સાહિત્યનો આમવર્ગમાં પ્રચાર કરે છે તે પ્રશંસનીય છે.
આનો અર્થ એમ નથી કે સાહિત્યમાં પ્રકાશનો સસ્તાં થવાં ન જોઈએ. સાહિત્ય સમાજના બધા વર્ગોને ઉપલબ્ધ થવું જ જોઈએ અને તેથી તે માટે સારાં પુસ્તકોની સસ્તી આવૃત્તિઓ પણ જરૂર નીકળવી જોઈએ. સસ્તું સાહિત્યવર્ધક મંડળ આ દિશામાં ઘણું સ્તુત્ય કાર્ય કર્યા કરે છે અને ગુજરાતી સાહિત્યનો આમવર્ગમાં પ્રચાર કરે છે તે પ્રશંસનીય છે.
સાહિત્યનું મૂલ્યઃ
'''સાહિત્યનું મૂલ્યઃ'''
કેટલાએક લોકો એમ માને છે કે આ યુગ સાહિત્યકારોનો એટલે સાક્ષરોનો નથી, પણ વિજ્ઞાનશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને રાજ્યકારભારીઓનો છે. આ લોકો સાહિત્યનો સાચો અર્થ સમજતા નથી એમ કહેવું જોઈએ. માત્ર કવિતઓ જ બનાવવી કે નવલકથાઓ તથા નાટકો જ લખવાં એમાં જ સાહિત્યક્ષેત્ર સમાઈ જાય છે એ એક ભ્રમ છે. સાહિત્ય એટલે ઉચ્ચ વિચારોની સૃષ્ટિને વાણીની સૃષ્ટિમાં જન્મ આપી તેને સમાજજીવનમાં એકરસ કરવું એ છે. આર્થિક કે રાજકીય પ્રગતિ સાધવા માટે ગમે તે પ્રયત્નો થાય પણ જ્યાં સુધી લોકમાનસ સંસ્કારી ન થાય ત્યાં સુધી આ પ્રયત્નોની સફળતાનો સંભવ દૂર જ રહેવાનો. સાહિત્ય વડે આપણું જીવન સુધારવા અત્યારે શેની જરૂર છે એ પ્રશ્ન વિચારવાનો રહ્યો. કૌટુંબિક ભાવના ઓછી થતી જાય છે, વ્યક્તિસ્વાતંત્ર્યને નામે સ્વૈરભાવ વધતો જાય છે, જીવનનાં મૂલ્યાંકનો વધારે આર્થિક અને સ્વાર્થી થતાં જાય છે, માનસિક વિહ્‌વળતા વધતી જાય છે, જીવનની ગંભીરતાનો ખ્યાલ ઓછો થતો જાય છે અને તેની હળવી બાજુનું આકર્ષણ વધતું જાય છે, અસામાજિક વૃત્તિ પણ વધતી જાય છેઃ આ બધાં અનિષ્ટ તત્ત્વોનો સાહિત્યે હૃદયને સ્પર્શે એવી રીતે સચોટ સામનો કરવાનો છે.
કેટલાએક લોકો એમ માને છે કે આ યુગ સાહિત્યકારોનો એટલે સાક્ષરોનો નથી, પણ વિજ્ઞાનશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને રાજ્યકારભારીઓનો છે. આ લોકો સાહિત્યનો સાચો અર્થ સમજતા નથી એમ કહેવું જોઈએ. માત્ર કવિતઓ જ બનાવવી કે નવલકથાઓ તથા નાટકો જ લખવાં એમાં જ સાહિત્યક્ષેત્ર સમાઈ જાય છે એ એક ભ્રમ છે. સાહિત્ય એટલે ઉચ્ચ વિચારોની સૃષ્ટિને વાણીની સૃષ્ટિમાં જન્મ આપી તેને સમાજજીવનમાં એકરસ કરવું એ છે. આર્થિક કે રાજકીય પ્રગતિ સાધવા માટે ગમે તે પ્રયત્નો થાય પણ જ્યાં સુધી લોકમાનસ સંસ્કારી ન થાય ત્યાં સુધી આ પ્રયત્નોની સફળતાનો સંભવ દૂર જ રહેવાનો. સાહિત્ય વડે આપણું જીવન સુધારવા અત્યારે શેની જરૂર છે એ પ્રશ્ન વિચારવાનો રહ્યો. કૌટુંબિક ભાવના ઓછી થતી જાય છે, વ્યક્તિસ્વાતંત્ર્યને નામે સ્વૈરભાવ વધતો જાય છે, જીવનનાં મૂલ્યાંકનો વધારે આર્થિક અને સ્વાર્થી થતાં જાય છે, માનસિક વિહ્‌વળતા વધતી જાય છે, જીવનની ગંભીરતાનો ખ્યાલ ઓછો થતો જાય છે અને તેની હળવી બાજુનું આકર્ષણ વધતું જાય છે, અસામાજિક વૃત્તિ પણ વધતી જાય છેઃ આ બધાં અનિષ્ટ તત્ત્વોનો સાહિત્યે હૃદયને સ્પર્શે એવી રીતે સચોટ સામનો કરવાનો છે.
વિકટ અને ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં આપણે પછાત ન પડી જઈએ અને ગુજરાતી જીવનમાં મૂલ્યાંકનો બદલવા તથા તેને પ્રગતિને પંથે લઈ જઈ ટકાવવા માટે જે વીર્યશક્તિ જોઈએ તે પોષી શકે એવા સાહિત્યની આવશ્યકતા છે. સાહિત્ય એ માત્ર ઉલ્લાસ અને મનોરંજન માટે નથી, પણ જીવનના ઘડતર માટે છે એ દૃષ્ટિએ એનું સર્જન થવું જોઈએ. સર્જનનું મૂલ્ય માત્ર લોકોને ગમે તેવું લખવામાં નથી પણ કલાવિધાન સાથે તેની મૌલિકતામાં અને ઉચ્ચ કક્ષાની મનોવૃત્તિને વેગમય બનાવવાની શક્તિમાં મુખ્યત્વે કરીને રહેલું છે. દરેક જમાનાનું સાહિત્ય તેની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, તેની માનવતાની પારાશીશી છે. ઉચ્ચ પ્રકારના આનંદ સાથે આપણને ઊર્ધ્વગામી બનાવે એનું નામ સાહિત્ય. ગુજરાતનું ગૌરવ અને એની કીર્તિ એની વ્યાવહારિક બુદ્ધિમાં માત્ર નહીં, માત્ર એની ધાર્મિક ભાવનામાં પણ નહીં, પણ એ બંનેનો તેના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સુયોગ કરવામાં છે. આપણે વેપાર-ઉદ્યોગમાં આગળ વધીશું પણ સંસ્કાર અને સામાજિક ભાવનામાં પાછા પડી જઈશું તો જીવનનું સમતોલન ગુમાવી બેસીશું અને પરિણામે આપણી પ્રતિષ્ઠાને પણ ટકાવી રાખીશું નહીં. આવું સમતોલન ઉપજાવવા માટે સમર્થ હોય એવા શિષ્ટ સાહિત્યનું સર્જન કરવું તે સાહિત્યકારોનો હાલના યુગમાં મુખ્ય ધર્મ છે.
વિકટ અને ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં આપણે પછાત ન પડી જઈએ અને ગુજરાતી જીવનમાં મૂલ્યાંકનો બદલવા તથા તેને પ્રગતિને પંથે લઈ જઈ ટકાવવા માટે જે વીર્યશક્તિ જોઈએ તે પોષી શકે એવા સાહિત્યની આવશ્યકતા છે. સાહિત્ય એ માત્ર ઉલ્લાસ અને મનોરંજન માટે નથી, પણ જીવનના ઘડતર માટે છે એ દૃષ્ટિએ એનું સર્જન થવું જોઈએ. સર્જનનું મૂલ્ય માત્ર લોકોને ગમે તેવું લખવામાં નથી પણ કલાવિધાન સાથે તેની મૌલિકતામાં અને ઉચ્ચ કક્ષાની મનોવૃત્તિને વેગમય બનાવવાની શક્તિમાં મુખ્યત્વે કરીને રહેલું છે. દરેક જમાનાનું સાહિત્ય તેની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, તેની માનવતાની પારાશીશી છે. ઉચ્ચ પ્રકારના આનંદ સાથે આપણને ઊર્ધ્વગામી બનાવે એનું નામ સાહિત્ય. ગુજરાતનું ગૌરવ અને એની કીર્તિ એની વ્યાવહારિક બુદ્ધિમાં માત્ર નહીં, માત્ર એની ધાર્મિક ભાવનામાં પણ નહીં, પણ એ બંનેનો તેના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સુયોગ કરવામાં છે. આપણે વેપાર-ઉદ્યોગમાં આગળ વધીશું પણ સંસ્કાર અને સામાજિક ભાવનામાં પાછા પડી જઈશું તો જીવનનું સમતોલન ગુમાવી બેસીશું અને પરિણામે આપણી પ્રતિષ્ઠાને પણ ટકાવી રાખીશું નહીં. આવું સમતોલન ઉપજાવવા માટે સમર્થ હોય એવા શિષ્ટ સાહિત્યનું સર્જન કરવું તે સાહિત્યકારોનો હાલના યુગમાં મુખ્ય ધર્મ છે.
18,450

edits