સૌરાષ્ટ્રની રસધાર-4/હોથલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 621: | Line 621: | ||
“પીરાણેપાટણ, મશિયાઈને આંગણે.” | “પીરાણેપાટણ, મશિયાઈને આંગણે.” | ||
“જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.” | “જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.” | ||
<center> | <center>છતી કરી</center> | ||
પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા : “ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો! કાળઝાળ સાવજ રહે છે.” | પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા : “ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો! કાળઝાળ સાવજ રહે છે.” | ||
પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ‘ક્યારે સાવજ મારીએ!’ | પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ‘ક્યારે સાવજ મારીએ!’ | ||