વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 2: Line 2:


{{Heading|વિનોદ જોશીની કવિતા|}}
{{Heading|વિનોદ જોશીની કવિતા|}}


ગીત તો, પ્રાગ્-નરસિંહયુગની કવિતાથી ગુજરાતી કવિતામાં રચાતું ને ગવાતું આવ્યું છે. વિષય ભલે ભક્તિ કે અધ્યાત્મનો હોય, ભલે તે પદ, પ્રભાતિયું, કાફી, ગરબી કે અન્ય નામે સમયે સમયે ઓળખાતું આવ્યું હોય પણ હતું તો તે ગીત જ. મધ્યકાલીન ગુજરાતી પદો અને લોકગીતો વર્ષો સુધી એકબીજાને ઘડતાં ચાલ્યાં ને એમાંથી ગીતનું ભાવમંડિત કલેવર ધડાઈ આવ્યું. અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભથી નવાં બળોને નિરૂપવા દલપત-નર્મદે ગીતના સ્વરૂપને અજમાવ્યું ને એમ ગુજરાતી ગીત વિકસતું ચાલ્યું. ત્યારથી તે આજ સુધી તે માત્ર જીવંત જ નથી રહ્યું, જુવાન રહ્યું છે, એની યૌવનશ્રી ખીલતી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતી સાહિત્ય ગીતથી ધબકી રહ્યું છે. અનેક કંઠો, કવિકલમો દ્વારા ગુજરાતી ગીત શણગારાતું રહ્યું, સંવારાતું રહ્યું, વિધ વિધ રીતે ખૂલતું ને ખીલતું રહ્યું. ગુજરાતીમાં દરેક જમાનાને એનું રસસિદ્ધ ગીત મળતું રહ્યું છે. એટલે ગીતકવિ તરીકે આપણે રમેશ પારેખને વખાણીએ, અનિલ જોશીના ગીતકાર લેખે ગુણ ગાઈએ કે વિનોદ જોશીની ગીતકવિતા પર વારી જઈએ; પણ ખરી વાત એ છે કે એમની પ્રતિભાને પ્રગટાવવા, ઉછેરવા, શણગારવા ને ઉન્નત કરવામાં સદીઓથી રચાતી, ગવાતી અને પ્રસારતી આવતી ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધ વિરાસતની મોટી ભૂમિકા રહી છે.
ગીત તો, પ્રાગ્-નરસિંહયુગની કવિતાથી ગુજરાતી કવિતામાં રચાતું ને ગવાતું આવ્યું છે. વિષય ભલે ભક્તિ કે અધ્યાત્મનો હોય, ભલે તે પદ, પ્રભાતિયું, કાફી, ગરબી કે અન્ય નામે સમયે સમયે ઓળખાતું આવ્યું હોય પણ હતું તો તે ગીત જ. મધ્યકાલીન ગુજરાતી પદો અને લોકગીતો વર્ષો સુધી એકબીજાને ઘડતાં ચાલ્યાં ને એમાંથી ગીતનું ભાવમંડિત કલેવર ધડાઈ આવ્યું. અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભથી નવાં બળોને નિરૂપવા દલપત-નર્મદે ગીતના સ્વરૂપને અજમાવ્યું ને એમ ગુજરાતી ગીત વિકસતું ચાલ્યું. ત્યારથી તે આજ સુધી તે માત્ર જીવંત જ નથી રહ્યું, જુવાન રહ્યું છે, એની યૌવનશ્રી ખીલતી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતી સાહિત્ય ગીતથી ધબકી રહ્યું છે. અનેક કંઠો, કવિકલમો દ્વારા ગુજરાતી ગીત શણગારાતું રહ્યું, સંવારાતું રહ્યું, વિધ વિધ રીતે ખૂલતું ને ખીલતું રહ્યું. ગુજરાતીમાં દરેક જમાનાને એનું રસસિદ્ધ ગીત મળતું રહ્યું છે. એટલે ગીતકવિ તરીકે આપણે રમેશ પારેખને વખાણીએ, અનિલ જોશીના ગીતકાર લેખે ગુણ ગાઈએ કે વિનોદ જોશીની ગીતકવિતા પર વારી જઈએ; પણ ખરી વાત એ છે કે એમની પ્રતિભાને પ્રગટાવવા, ઉછેરવા, શણગારવા ને ઉન્નત કરવામાં સદીઓથી રચાતી, ગવાતી અને પ્રસારતી આવતી ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધ વિરાસતની મોટી ભૂમિકા રહી છે.