કંકાવટી મંડળ 1/નાગ-પાંચમ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 85: Line 85:
બેય ભાઈ તો બેનને ઘેર ગયા છે. સાંજ ટાણું થયું છે. એક સંતાણું ઊંબરમાં ને એક સંતાણું પાણિયારે. બેય કહે છે કે ‘આંહીં આવે ત્યારે ટસકાવીએ!’
બેય ભાઈ તો બેનને ઘેર ગયા છે. સાંજ ટાણું થયું છે. એક સંતાણું ઊંબરમાં ને એક સંતાણું પાણિયારે. બેય કહે છે કે ‘આંહીં આવે ત્યારે ટસકાવીએ!’
બેન તો ઊંબરમાં આવી ત્યાં ઠ…સૂક ઠેસ વાગી. તરત બેન બોલી :
બેન તો ઊંબરમાં આવી ત્યાં ઠ…સૂક ઠેસ વાગી. તરત બેન બોલી :
{{Poem2Close}}
<poem>
::ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીર!
::::: મારાં નપીરીનાં પીર!
::શેષનાગ બાપ ને નાગણ મા
::::: જેણે પૂર્યાં હીર ને ચીર.
</poem>
{{Poem2Open}}
સાંભળીને ખાંડિયાના મનમાં થયું કે “લે! આ બેન તો આશિષ આપે છે. એને તે કાંઈ કરડાય!”
બેય ભાઈ માનવીના સ્વરૂપ લઈને બેનને મળ્યા છે, ભાણિયાને સોનાનાં સાંકળાં કરીને રાફડામાં ચાલ્યા ગયા છે.
નાગપાંચમ મા એને ફળ્યાં એવાં સહુને ફળજો!
{{Poem2Close}}
{{Poem2Open}}
<small>[આ વ્રતકથાની પ્રાચીનતા પુરવાર કરતી ‘ચતુર્વિશતિ પ્રબન્ધ’ માંહેની વૈરોટ્યા અલિંજર નાગવાળી કથાનો સવિસ્તર નિર્દેશ પ્રસ્તાવનામાં મેં કરેલ છે તે જોઈ જવા જેવો છે. — લેખક.]</small>
{{Poem2Close}}
{{Poem2Close}}