અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક પંખીને કંઈક —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એક પંખીને કંઈક કહેવું હતું, માનવીની પાસે આવતાં ખમચાતું હતું; ઊડી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક પંખીને કંઈક —|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
એક પંખીને કંઈક કહેવું હતું,
એક પંખીને કંઈક કહેવું હતું,

Revision as of 07:13, 10 July 2021


એક પંખીને કંઈક —

ઉમાશંકર જોશી

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, `હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચ ને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. `કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ' કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)