અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/નિરુદ્દેશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે. ક્યારેક મને...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નિરુદ્દેશે|રાજેન્દ્ર શાહ}}
<poem>
<poem>
નિરુદ્દેશે
નિરુદ્દેશે

Revision as of 09:31, 10 July 2021


નિરુદ્દેશે

રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે
         કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
         કોકિલ મધુર-કંઠ,
નૅણ તો ઘેલાં થાય નિહાળી
         નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
         પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
         ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન—
         વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
         જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
         હું જ રહું અવશેષે.

(સંકલિત કવિતા, પૃ. ૩)