અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ચાતક પીએ એઠું પાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અવગતની એંધાણી, એ સંતો, અવગતની એંધાણી, {{space}}ચાતક પીએ એઠું પાણી. રાજ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચાતક પીએ એઠું પાણી|`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}}
<poem>
<poem>
અવગતની એંધાણી,
અવગતની એંધાણી,

Revision as of 10:17, 10 July 2021


ચાતક પીએ એઠું પાણી

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
         ચાતક પીએ એઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
         એની પરબ મંડાણી;
સોનેરી દોરેથી ને હેમલા હેલથી
         રૂપેરી ધાર રેલાણી :
હે સંતો તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એઠું પાણી.
માનસર છોડીને આવ્યો શું હંસલો
         માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
         આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા
         સંતની નિષ્ફળ વાણી;
દાસીય ન્હોતી મનમ્હોલમાં એ થઈ
         માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી
કે ચાતક પીએ એઠું પાણી.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૫૯)