અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/પારાવાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હું પોતે મારામાં છલકું {{space}}પંચામૃતનો મુખરિત પારાવાર. હું છું મા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પારાવાર|વેણીભાઈ પુરોહિત}}
<poem>
<poem>
હું પોતે મારામાં છલકું
હું પોતે મારામાં છલકું

Revision as of 10:47, 10 July 2021


પારાવાર

વેણીભાઈ પુરોહિત

હું પોતે મારામાં છલકું
         પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
         ને હું મુજ ઊર્મિલ મઝધાર :
         પંચામૃતનો સુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ
         ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિત સ્વરમંડલ,
         ને હું મારો અભિહત હાહાકાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,
         હું મારો અભિસાર —
સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
         હું મારો અસવાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
         હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
         છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબ ગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्यजीवोऽहम् नित्यजीवोऽहम्,
હું પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.