સ્વરૂપસન્નિધાન/પદ્યવાર્તા-વિનોદ જોશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ્યવાર્તા-વિનોદ જોશી| }} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના મધ્યકાળના એક લોકપ્રિય સાહિત્યસ્વરૂપ તરીકે પદ્યવાર્તાનું ચોક્કસ સ્થાન છે. તેના પ્રવર્તક શામળરચિત પદ્યવાર્તાઓને કેન્દ્ર...")
 
No edit summary
Line 34: Line 34:
પંદરમા શતકનું ભીમનું સદયવત્સસાવલિંગા હજી પ્રકાશિત થયું નથી, એટલે એ આપણે નહીં જોઈ શકીએ. બાકી એ કથાવસ્તુ બહુ જ લોકપ્રિય છે એટલે આપણે એ પછીના ૧૬મા શતકના માધવાનલ કામકંડલાનો જ ઉલ્લેખ કરી શકીશું, જેનો લેખક આમોદનો કાયસ્થ ગણપતિ છે. આ પણ બહુ લોકપ્રિય કથાવસ્તુ છે અને ગણપતિએ તેને રસિક કરવા તેનો સારી રીતે વિસ્તાર કર્યો છે. પણ બધા કથાકાવ્યકારોમાં સૌથી મોટો શામળ છે અને એણે એટલું વિપુલ અને વિસ્તૃત કથાગ્રથન કર્યું છે કે તેની પછી કથાકાવ્યપ્રવાહ લગભગ બંધ પડ્યો.
પંદરમા શતકનું ભીમનું સદયવત્સસાવલિંગા હજી પ્રકાશિત થયું નથી, એટલે એ આપણે નહીં જોઈ શકીએ. બાકી એ કથાવસ્તુ બહુ જ લોકપ્રિય છે એટલે આપણે એ પછીના ૧૬મા શતકના માધવાનલ કામકંડલાનો જ ઉલ્લેખ કરી શકીશું, જેનો લેખક આમોદનો કાયસ્થ ગણપતિ છે. આ પણ બહુ લોકપ્રિય કથાવસ્તુ છે અને ગણપતિએ તેને રસિક કરવા તેનો સારી રીતે વિસ્તાર કર્યો છે. પણ બધા કથાકાવ્યકારોમાં સૌથી મોટો શામળ છે અને એણે એટલું વિપુલ અને વિસ્તૃત કથાગ્રથન કર્યું છે કે તેની પછી કથાકાવ્યપ્રવાહ લગભગ બંધ પડ્યો.
{{Right|– રા. વિ. પાઠક}}<br>
{{Right|– રા. વિ. પાઠક}}<br>
{{Right|‘નભોવિહાર' પૃ. ૬૮-૭૦}}
{{Right|‘નભોવિહાર' પૃ. ૬૮-૭૦}}<br>
<center>'''પદ્યાત્મક વાર્તા : સભારંજનલક્ષી સ્વરૂપ'''</center>
<center>'''પદ્યાત્મક વાર્તા : સભારંજનલક્ષી સ્વરૂપ'''</center>
વાર્તાની પદ્યાત્મક સ્વરૂપમાં વિશેષ પ્રસિદ્ધિ થાય છે. કારણ કે એ સાહિત્ય મુખ્યત્વે કરીને કહેવા માટે જ સરજાયું હોય છે. કથાકારો અને વાર્તાકારો રસિક શ્રોતાવર્ગ આગળ રાગ કાઢીને તે વાતો લલકારતા. શ્રોતાઓમાંના કેટલાક જરાતરા ભણેલા વળી પોતાના , આપ્તમંડલમાં તેમ જ પડોશીઓમાં તેની કથા કરતા. આમ મુખપરંપરાથી આ કાવ્યોની પ્રસિદ્ધિ થતી. ચોમાસાના ચાર મહિનામાં જ્યારે ગામના લોકોથી ખેતરોમાં કામ કરી શકાય એવું ન હોય – તેવા દિવસોમાં ગામમાં એકાદ બે ભણેલા હોય તે આ લોકપ્રિય કાવ્યોના હસ્તલિખિત ચોપડા કાઢીને વાંચતા; અને પડોસીઓ એકઠા બેસીને નિવૃત્તિથી તે સાંભળતા. આમ આ પ્રાચીન કાળના વાંચનનું અને જ્ઞાનપ્રચારનું લક્ષ્ય તેમ જ ધ્યેય જુદા પ્રકારનું હોવાથી તે પરિસ્થિતિને અનુકૂલ થઈ પડે તેવું પદ્યમય કથાસાહિત્ય ઉત્પન્ન થતું હતું. તે કાલનું વાંચન કેવલ આત્મતૃપ્તિનું નહોતું; પરન્તુ પરપ્રસન્નતાનું-સભારંજનનું હતું. તેથી જ પદ્યાત્મક વાર્તાઓ અસ્તિત્વમાં આવી છે.  
વાર્તાની પદ્યાત્મક સ્વરૂપમાં વિશેષ પ્રસિદ્ધિ થાય છે. કારણ કે એ સાહિત્ય મુખ્યત્વે કરીને કહેવા માટે જ સરજાયું હોય છે. કથાકારો અને વાર્તાકારો રસિક શ્રોતાવર્ગ આગળ રાગ કાઢીને તે વાતો લલકારતા. શ્રોતાઓમાંના કેટલાક જરાતરા ભણેલા વળી પોતાના , આપ્તમંડલમાં તેમ જ પડોશીઓમાં તેની કથા કરતા. આમ મુખપરંપરાથી આ કાવ્યોની પ્રસિદ્ધિ થતી. ચોમાસાના ચાર મહિનામાં જ્યારે ગામના લોકોથી ખેતરોમાં કામ કરી શકાય એવું ન હોય – તેવા દિવસોમાં ગામમાં એકાદ બે ભણેલા હોય તે આ લોકપ્રિય કાવ્યોના હસ્તલિખિત ચોપડા કાઢીને વાંચતા; અને પડોસીઓ એકઠા બેસીને નિવૃત્તિથી તે સાંભળતા. આમ આ પ્રાચીન કાળના વાંચનનું અને જ્ઞાનપ્રચારનું લક્ષ્ય તેમ જ ધ્યેય જુદા પ્રકારનું હોવાથી તે પરિસ્થિતિને અનુકૂલ થઈ પડે તેવું પદ્યમય કથાસાહિત્ય ઉત્પન્ન થતું હતું. તે કાલનું વાંચન કેવલ આત્મતૃપ્તિનું નહોતું; પરન્તુ પરપ્રસન્નતાનું-સભારંજનનું હતું. તેથી જ પદ્યાત્મક વાર્તાઓ અસ્તિત્વમાં આવી છે.  
Line 49: Line 49:
આ વાર્તાઓમાં માનવ, દેવદાનવ અને અન્ય માનવેતર પાત્રો આવે છે. આમાં પાત્રાલેખનકલા ધ્યાન ખેંચે તેવી હોય છે. સામાન્ય રીતે પુરુષપાત્રો અને નાયક, સ્ત્રીપાત્રો કે નાયિકાની તુલનાએ પ્રમાણમાં ઝાંખાં લાગે છે, અને વાર્તાકાર અસંભવિત અશક્ય એવા બનાવો ઘડવા માંડે છે. તે એમ કરે છે તેનું કારણ એ છે કે ઘડતર પ્રવૃત્તિ વાચકને ઈષ્ટ છે. દા.ત. મરજીમાં આવે ત્યારે તિરોહિત, અદૃશ્ય થઈ શકાય, અદૃશ્ય રહી ગમે તેટલે દૂર ધોકાથી કોઈને મારી શકાય. આ બધી પ્રવૃત્તિઓ કોઈપણ એક વ્યક્તિને નહીં પણ આખી માનવજાતને ઈષ્ટ છે. લાખો વરસથી માણસે આવી શક્તિઓ જ્ઞાત કે અજ્ઞાત રીતે ઈચ્છી છે..... જગતના સંભવાસંભવની બુદ્ધિને આવું ૫તાં ક્લેશ નથી થતો, ઊલટી મજા આવે છે. માટે આવા બનાવો વાર્તામાં આવે છે.
આ વાર્તાઓમાં માનવ, દેવદાનવ અને અન્ય માનવેતર પાત્રો આવે છે. આમાં પાત્રાલેખનકલા ધ્યાન ખેંચે તેવી હોય છે. સામાન્ય રીતે પુરુષપાત્રો અને નાયક, સ્ત્રીપાત્રો કે નાયિકાની તુલનાએ પ્રમાણમાં ઝાંખાં લાગે છે, અને વાર્તાકાર અસંભવિત અશક્ય એવા બનાવો ઘડવા માંડે છે. તે એમ કરે છે તેનું કારણ એ છે કે ઘડતર પ્રવૃત્તિ વાચકને ઈષ્ટ છે. દા.ત. મરજીમાં આવે ત્યારે તિરોહિત, અદૃશ્ય થઈ શકાય, અદૃશ્ય રહી ગમે તેટલે દૂર ધોકાથી કોઈને મારી શકાય. આ બધી પ્રવૃત્તિઓ કોઈપણ એક વ્યક્તિને નહીં પણ આખી માનવજાતને ઈષ્ટ છે. લાખો વરસથી માણસે આવી શક્તિઓ જ્ઞાત કે અજ્ઞાત રીતે ઈચ્છી છે..... જગતના સંભવાસંભવની બુદ્ધિને આવું ૫તાં ક્લેશ નથી થતો, ઊલટી મજા આવે છે. માટે આવા બનાવો વાર્તામાં આવે છે.
{{Right|– રણજિત પટેલ, અનામી'}}<br>
{{Right|– રણજિત પટેલ, અનામી'}}<br>
{{Right|ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. પ પ૩૦-૫૩૪}}
{{Right|ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. પ પ૩૦-૫૩૪}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits