મનીષા જોષીની કવિતા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 752: Line 752:
તમારા સિવાય
તમારા સિવાય
બીજું કોઈ નથી મારું.
બીજું કોઈ નથી મારું.
</poem>
== ૨૪. દેવદૂત ==
<poem>
તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં,
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા.
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત?
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું.
પણ તમે આવજો.
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને,
મારા ઘરનો.
</poem>
== ૨૫. ઓસીકાની ખોળ ==
<poem>
ઓસીકાની ખોળ પર ચીતરેલી
રંગબેરંગી ભાતમાં છપાયેલાં
હાથી, ઘોડા, ઊંટ અને જાસુદ પર
માથું ટેકવીને સૂઈ જઉં છું,
ને અડધી રાત્રે
હણહણતા અશ્વો
ખરીઓ પછાડતા દોડે છે, મારી છાતી પર.
ક્યાં જઈ રહ્યું છે આ અશ્વસૈન્ય?
કોને જીતવા?
કહે છે કે, હાથીઓને
જીવવા માટે આખું જંગલ હોય છે,
પણ મરવાનાં સ્થળ નિશ્ચિત હોય છે,
ક્યાં જઈ રહ્યા છે આ હાથીઓનાં ઝૂંડ,
મરવા માટે?
બળબળતા રણમાં ડગલાં ભરતાં આ ઊંટ
કઈ હિજરત માટે નીકળ્યાં છે?
ઊગ, જાસુદ,
હાથી, ઘોડા ને ઊંટના રસ્તામાં ઊગ.
વાળ, એમને પાછાં વાળ.
સવાર થવામાં જ છે.
</poem>
</poem>