અરણ્યરુદન/સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારે પ્રવર્તી રહેલા વિક્ષોભકર સંજોગોમાં સર્જકોનો ધર્મ શો? કેટલાક એમ માને છે કે શબ્દશક્તિનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી જો ઇષ્ટ પરિણામો લાવી શકાતાં હોય તો સર્જકે તેમ અવશ્ય કરવું જોઈએ; તો કેટલાક એમ માને છે કે વાતાવરણ ક્ષુબ્ધ હોય ત્યારે આપણી ભાષા પર પણ એની અસર પહોંચે છે. શબ્દોને નફરતનો પાસ બેસે છે, રાજપુરુષોની ધૂર્તતા અને વિચક્ષણતા શબ્દમાં રહેલી મૂળભૂત સન્દિગ્ધતાનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર બને છે. જેમ ચેપી રોગથી આપણે બચીને ચાલીએ છીએ તેમ આવા અનિષ્ટકર ચેપનો ભોગ બનેલી ભાષાથી તત્કાળ – પૂરતા દૂર રહેવું, મૌન સેવવું, ભાષાનો બહિષ્કાર જ આવી પરિસ્થિતિમાં સમર્થ શસ્ત્ર બની રહે.
અત્યારે પ્રવર્તી રહેલા વિક્ષોભકર સંજોગોમાં સર્જકોનો ધર્મ શો? કેટલાક એમ માને છે કે શબ્દશક્તિનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી જો ઇષ્ટ પરિણામો લાવી શકાતાં હોય તો સર્જકે તેમ અવશ્ય કરવું જોઈએ; તો કેટલાક એમ માને છે કે વાતાવરણ ક્ષુબ્ધ હોય ત્યારે આપણી ભાષા પર પણ એની અસર પહોંચે છે. શબ્દોને નફરતનો પાસ બેસે છે, રાજપુરુષોની ધૂર્તતા અને વિચક્ષણતા શબ્દમાં રહેલી મૂળભૂત સન્દિગ્ધતાનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર બને છે. જેમ ચેપી રોગથી આપણે બચીને ચાલીએ છીએ તેમ આવા અનિષ્ટકર ચેપનો ભોગ બનેલી ભાષાથી તત્કાળ – પૂરતા દૂર રહેવું, મૌન સેવવું, ભાષાનો બહિષ્કાર જ આવી પરિસ્થિતિમાં સમર્થ શસ્ત્ર બની રહે.