નારીસંપદાઃ વિવેચન/ડાયરીનું સાહિત્યસ્વરૂપ અને તેનો વિકાસ: Difference between revisions

formatting of heading
(+1)
 
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૩૭. ડાયરીનું સાહિત્યસ્વરૂપ અને તેનો વિકાસ|નલિની દેસાઈ}}
<big><big>'''૩૭'''</big></big>
 
<center><big><big>'''ડાયરીનું સાહિત્યસ્વરૂપ અને તેનો વિકાસ'''</big><br>
નલિની દેસાઈ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવી પોતાના અંગત અનુભવોની અભિવ્યક્તિ ઝંખતો હોય છે. ક્યારેક વ્યક્તિ પોતાના રોમાંચક જીવનની રસભરી ઘટના કહેવા માગતો હોય છે, તો ક્વચિત્ પોતાના વિશિષ્ટ જીવનકાળની આગવી મુદ્રા વાચકોને દર્શાવવા ચાહતો હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાની જીવનસંધ્યાએ ઊભા રહીને ગત કાળ પર દૃષ્ટિપાત કરતી હોય છે, તો કેટલીક વ્યક્તિઓ જીવનની સ્મરણીય ઘટનાઓને યાદ કરીને આલેખતી હોય છે. આત્મકથામાં અતીતને તાંતણે અને સ્મૃતિના દોર પર ચાલવાનું હોય છે. એમાં વ્યક્તિની યાદશક્તિ ઘણો મોટો ભાગ ભજવતી હોય છે, કારણ કે એના ભૂતકાળના પ્રસંગોની આસપાસ વિસ્મૃતિનું ધુમ્મસ ઘેરાઈ ચૂક્યું હોય છે. આની સામે ડાયરીનું સ્વરૂપ એવું છે કે જ્યાં વિસ્મૃતિનો કોઈ ભય નથી. આત્મચરિત્રમાં આલેખકનું લક્ષ ભૂતકાળ તરફ હોય છે, જ્યારે ડાયરીમાં એ ક્ષણે-ક્ષણ વર્તમાનને જીવતો અને શબ્દબદ્ધ કરતો હોય છે. વ્યક્તિ પોતે જેવું જીવન જીવતો હોય એવું જીવનને વર્તમાન પર સ્થિર રહીને આલેખતો હોય છે. વ્યક્તિની ચીવટ, નિષ્ઠા અને સતત જાગૃતિની આમાં અપેક્ષા રહે છે. બનેલી ક્ષણો તાજી હોય ત્યારે જ એને શબ્દમાં સાકાર કરી દે છે.
માનવી પોતાના અંગત અનુભવોની અભિવ્યક્તિ ઝંખતો હોય છે. ક્યારેક વ્યક્તિ પોતાના રોમાંચક જીવનની રસભરી ઘટના કહેવા માગતો હોય છે, તો ક્વચિત્ પોતાના વિશિષ્ટ જીવનકાળની આગવી મુદ્રા વાચકોને દર્શાવવા ચાહતો હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાની જીવનસંધ્યાએ ઊભા રહીને ગત કાળ પર દૃષ્ટિપાત કરતી હોય છે, તો કેટલીક વ્યક્તિઓ જીવનની સ્મરણીય ઘટનાઓને યાદ કરીને આલેખતી હોય છે. આત્મકથામાં અતીતને તાંતણે અને સ્મૃતિના દોર પર ચાલવાનું હોય છે. એમાં વ્યક્તિની યાદશક્તિ ઘણો મોટો ભાગ ભજવતી હોય છે, કારણ કે એના ભૂતકાળના પ્રસંગોની આસપાસ વિસ્મૃતિનું ધુમ્મસ ઘેરાઈ ચૂક્યું હોય છે. આની સામે ડાયરીનું સ્વરૂપ એવું છે કે જ્યાં વિસ્મૃતિનો કોઈ ભય નથી. આત્મચરિત્રમાં આલેખકનું લક્ષ ભૂતકાળ તરફ હોય છે, જ્યારે ડાયરીમાં એ ક્ષણે-ક્ષણ વર્તમાનને જીવતો અને શબ્દબદ્ધ કરતો હોય છે. વ્યક્તિ પોતે જેવું જીવન જીવતો હોય એવું જીવનને વર્તમાન પર સ્થિર રહીને આલેખતો હોય છે. વ્યક્તિની ચીવટ, નિષ્ઠા અને સતત જાગૃતિની આમાં અપેક્ષા રહે છે. બનેલી ક્ષણો તાજી હોય ત્યારે જ એને શબ્દમાં સાકાર કરી દે છે.