નારીસંપદાઃ વિવેચન/સાઠીના સાહિત્યનું દિગ્દર્શન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <big><big>'''૩૯'''</big></big> <center><big><big>'''ઇતિહાસઆલેખનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ'''</big><br> પારુલ કંદર્પ દેસાઈ</big></center> {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના વિવિધ ઇતિહાસનો ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે મધ...")
 
No edit summary
 
Line 36: Line 36:
દેરાસરીએ આ ગ્રંથમાં નીવડી આવેલી કૃતિઓથી પ્રભાવિત સાહિત્યકારોનો તેમ જ પ્રજાજીવનનો ચિતાર પણ આપ્યો છે, ‘જયકુમારી વિજય’ લખાયા પછી" ... એ પુસ્તક પરથી કેટલાક કાળ સુધીને માટે ગુજરાતી નાટક રચનાનો આકાર રચાયો. પ્રેમમાં પડેલા નાયક-નાયિકા પોતાની વચ્ચે ઘણું અંતર છતાં અનેક વિધ્નો નિવારીને આખરે લગ્ન કરીને સુખી થાય છે એ જ વાર્તા આ પછી રચાયેલાં અને ભજવાયેલા નાટકોમાં સમાઈ હતી."  એ જ રીતે ’લલિતા દુઃખદર્શક નાટક એટલું લોકપ્રિય બન્યું હતું કે ‘નંદન’ એ શબ્દ મુંબઈગરી ભાષામાં મૂર્ખતા અને અધમતાવાચક થઈ પડ્યો હતો. કહેવાય છે કે એ ખેલ જોઈ એક ડોશી ઉપર એટલી અસર થઈ હતી કે પોતાની દીકરીનો વિવાહ કરેલો વર નંદનકમાર જેવો છે અને તેથી દીકરી આખરે લલિતાની પેઠે દુઃખી થશે એમ ધારી એણે એ વિવાહ ફોક કર્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’નો જનમાનસ પર એવો પ્રભાવ પડયો હતો કે તેના પાત્રોના નામ પરથી છોકરાઓના નામ રખાતા. સમાજ પર સાહિત્યનો કેવો વ્યાપક પ્રભાવ પડયો હતો તેનું નિદર્શન અહીં મળે છે. દેરાસરી આ ગ્રંથમાં તત્કાલીન સાહિત્યિક ગતિવિધિ સાથે સાહિત્યિક વાદવિવાદો કે ઊહાપોહ કે નર્મદ - નવલરામ વચ્ચેના વાદવિવાદો આનાં ઉદાહરણો છે. તો વળી, સાહિત્યસ્વરૂપ વિશેની તેમની સુઝ સમજને પ્રગટ કરતાં નિરિક્ષણો પણ અહીં મળે છે. જેમ કે "વળી, હાસ્યરસના મદારીનું ખરું ચાતુર્ય પોતાના માંકડાને ખેલવવા કરતાં તેને અંકુશમાં રાખવા વધારે જોઈએ છીએ. તેમજ પ્રસંગ, પ્રયોજન, સ્વાભાવિકતા, બુદ્ધિ, રસિકતા, ચાતુર્ય, અનુભવ, અપૂર્વતા, અને અંકુશ વગરનો હાસ્યરસ એકલાં મરચાનાં ભોજન જેવો છે."(૧૯)<ref>૧૯. પૃ.૬</ref>  નાટ્યશાસ્ત્રના જાણકાર તરીકેનો એમનો પરિચય આવાં વિધાનથી થાય છેઃ "મલિનતાદર્શક ચિત્ર જાતે પ્રગટ રૂપે મલિન ન જોઈએ. માત્ર સૂચનાથી મલિનતા દર્શાવાય અને એનાં અનિષ્ટ પરિણામો કુશળ વસ્તુસંકલનાથી જણાવાય તો જ આવાં નાટકોથી નીતિબોધ થઈ શકે છે."(૨૦)<ref>૨૦. પૃ. ૧૧૮</ref> નવલકથાસાહિત્યના ઉદ્ભવમાં અંતરાયરૂપ બનતાં કારણો વિશેનુ તેમનું નિરીક્ષણ વાસ્તવદર્શી, અપૂર્વ અને રસપ્રદ છે. નવલરામ સાથેની વાતચીતને અહીં મૂકી આપે છે "એમણે કહેલું કે આપણામાં નવલકથા અગર નાટકમાં લખવા જેવી પ્રેમકથા અને પ્રેમપ્રસંગ થતાં નથી. આપણી રૂઢિને લઈને બાળલગ્નના માઠા ચાલને પરિણામે પ્રેમ એ શું છે એ સમજવા જેટલી ઉંમર પહેલાં તો લાકડે માંકડું જોડાઈ જાય છે. આપણાં સંસારજીવનમાં જુદી જુદી ભાવનાઓ ઉલ્લાસ પામશે અને વિસ્તાર પામશે ત્યારે હ્રદયના વિકાસની સાથે ગૌણ રૂપે પણ અસ્તિત્વમાં રહેલી ખાસ શક્તિઓ પણ ખીલી નીકળશે."(૨૧)<ref>૨૧. પૃ. ૨૦૮</ref> તો વળી, જીવનચરિત્ર લખનારમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય હોવા જોઈએ. તેમાં જે વ્યકિતનું જીવનચરિત્ર લખતા હોઈએ તેના જીવનથી મોહિત થયા હોઈએ અને તેના જીવનનો પૂર્ણ અભ્યાસ હોય તો જીવનચરિત્ર ઉત્તમ લખાય છે.(૨૨)<ref>૨૨. પૃ. ૨૧૩</ref>
દેરાસરીએ આ ગ્રંથમાં નીવડી આવેલી કૃતિઓથી પ્રભાવિત સાહિત્યકારોનો તેમ જ પ્રજાજીવનનો ચિતાર પણ આપ્યો છે, ‘જયકુમારી વિજય’ લખાયા પછી" ... એ પુસ્તક પરથી કેટલાક કાળ સુધીને માટે ગુજરાતી નાટક રચનાનો આકાર રચાયો. પ્રેમમાં પડેલા નાયક-નાયિકા પોતાની વચ્ચે ઘણું અંતર છતાં અનેક વિધ્નો નિવારીને આખરે લગ્ન કરીને સુખી થાય છે એ જ વાર્તા આ પછી રચાયેલાં અને ભજવાયેલા નાટકોમાં સમાઈ હતી."  એ જ રીતે ’લલિતા દુઃખદર્શક નાટક એટલું લોકપ્રિય બન્યું હતું કે ‘નંદન’ એ શબ્દ મુંબઈગરી ભાષામાં મૂર્ખતા અને અધમતાવાચક થઈ પડ્યો હતો. કહેવાય છે કે એ ખેલ જોઈ એક ડોશી ઉપર એટલી અસર થઈ હતી કે પોતાની દીકરીનો વિવાહ કરેલો વર નંદનકમાર જેવો છે અને તેથી દીકરી આખરે લલિતાની પેઠે દુઃખી થશે એમ ધારી એણે એ વિવાહ ફોક કર્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’નો જનમાનસ પર એવો પ્રભાવ પડયો હતો કે તેના પાત્રોના નામ પરથી છોકરાઓના નામ રખાતા. સમાજ પર સાહિત્યનો કેવો વ્યાપક પ્રભાવ પડયો હતો તેનું નિદર્શન અહીં મળે છે. દેરાસરી આ ગ્રંથમાં તત્કાલીન સાહિત્યિક ગતિવિધિ સાથે સાહિત્યિક વાદવિવાદો કે ઊહાપોહ કે નર્મદ - નવલરામ વચ્ચેના વાદવિવાદો આનાં ઉદાહરણો છે. તો વળી, સાહિત્યસ્વરૂપ વિશેની તેમની સુઝ સમજને પ્રગટ કરતાં નિરિક્ષણો પણ અહીં મળે છે. જેમ કે "વળી, હાસ્યરસના મદારીનું ખરું ચાતુર્ય પોતાના માંકડાને ખેલવવા કરતાં તેને અંકુશમાં રાખવા વધારે જોઈએ છીએ. તેમજ પ્રસંગ, પ્રયોજન, સ્વાભાવિકતા, બુદ્ધિ, રસિકતા, ચાતુર્ય, અનુભવ, અપૂર્વતા, અને અંકુશ વગરનો હાસ્યરસ એકલાં મરચાનાં ભોજન જેવો છે."(૧૯)<ref>૧૯. પૃ.૬</ref>  નાટ્યશાસ્ત્રના જાણકાર તરીકેનો એમનો પરિચય આવાં વિધાનથી થાય છેઃ "મલિનતાદર્શક ચિત્ર જાતે પ્રગટ રૂપે મલિન ન જોઈએ. માત્ર સૂચનાથી મલિનતા દર્શાવાય અને એનાં અનિષ્ટ પરિણામો કુશળ વસ્તુસંકલનાથી જણાવાય તો જ આવાં નાટકોથી નીતિબોધ થઈ શકે છે."(૨૦)<ref>૨૦. પૃ. ૧૧૮</ref> નવલકથાસાહિત્યના ઉદ્ભવમાં અંતરાયરૂપ બનતાં કારણો વિશેનુ તેમનું નિરીક્ષણ વાસ્તવદર્શી, અપૂર્વ અને રસપ્રદ છે. નવલરામ સાથેની વાતચીતને અહીં મૂકી આપે છે "એમણે કહેલું કે આપણામાં નવલકથા અગર નાટકમાં લખવા જેવી પ્રેમકથા અને પ્રેમપ્રસંગ થતાં નથી. આપણી રૂઢિને લઈને બાળલગ્નના માઠા ચાલને પરિણામે પ્રેમ એ શું છે એ સમજવા જેટલી ઉંમર પહેલાં તો લાકડે માંકડું જોડાઈ જાય છે. આપણાં સંસારજીવનમાં જુદી જુદી ભાવનાઓ ઉલ્લાસ પામશે અને વિસ્તાર પામશે ત્યારે હ્રદયના વિકાસની સાથે ગૌણ રૂપે પણ અસ્તિત્વમાં રહેલી ખાસ શક્તિઓ પણ ખીલી નીકળશે."(૨૧)<ref>૨૧. પૃ. ૨૦૮</ref> તો વળી, જીવનચરિત્ર લખનારમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય હોવા જોઈએ. તેમાં જે વ્યકિતનું જીવનચરિત્ર લખતા હોઈએ તેના જીવનથી મોહિત થયા હોઈએ અને તેના જીવનનો પૂર્ણ અભ્યાસ હોય તો જીવનચરિત્ર ઉત્તમ લખાય છે.(૨૨)<ref>૨૨. પૃ. ૨૧૩</ref>
સમગ્ર રીતે તપાસતા આ ગ્રંથમાં વિષય, સ્વરૂપ અને અભિવ્યકિતની દ્રષ્ટિએ મધ્યકાલીન સાહિત્યથી આ સાહિત્ય કઈ રીતે અલગ બને છે એની ચર્ચા નથી કે પ્રમોદકુમાર પટેલ કહે છે તેમ "દેરાસરીએ આ સમયના નવા કાવ્યશાસ્ત્રની અને નવી વિવેચનપદ્ધતિની ખાસ નોંધ લીધી નથી."(૨૩)<ref>૨૩. પૃ. ૬૩, અનુ આધુનિકતા વાદ સં. ભોળાભાઈ પટેલ ચંદ્રકાન્ત ટોપીવાળા</ref>
સમગ્ર રીતે તપાસતા આ ગ્રંથમાં વિષય, સ્વરૂપ અને અભિવ્યકિતની દ્રષ્ટિએ મધ્યકાલીન સાહિત્યથી આ સાહિત્ય કઈ રીતે અલગ બને છે એની ચર્ચા નથી કે પ્રમોદકુમાર પટેલ કહે છે તેમ "દેરાસરીએ આ સમયના નવા કાવ્યશાસ્ત્રની અને નવી વિવેચનપદ્ધતિની ખાસ નોંધ લીધી નથી."(૨૩)<ref>૨૩. પૃ. ૬૩, અનુ આધુનિકતા વાદ સં. ભોળાભાઈ પટેલ ચંદ્રકાન્ત ટોપીવાળા</ref>
પ્રસ્તાવનામાં જયંત પાઠક નોંધે છે  તેમ "કેટલુંક લખાણ ટાંચણિયું, યાદી જેવું બની ગયું છે ને કયારેક લલિત સાહિત્યના પુસ્તકોને જેટલી જગા નથી અપાઈ તેટલી ઈતર ગ્રંથોને આપી દેવાઈ છે." આવી કેટલીક મર્યાદા હોવા છતાં સરળ અને પ્રાસાદિક શૈલીમાં સાઠ વર્ષ પૂર્વેની અને સાઠી દરમ્યાનની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક  આંદોલનો વિશેની પ્રમાણભૂત માહિતી એમાંથી મળે એ રીતે આ ગ્રંથનું ઐતિહાસિક મહત્વ છે. આ ગ્રંથ વિશેનું ચન્દ્રકાન્ત ટોપીવાળાનું નિરીક્ષણ ગ્રંથની મહત્તાને સૂચવે છે.: "દેરાસરીને સાઠ વર્ષનો સાહિત્ય અંગેનો ગાળો બહુ પાસેનો લાગવાથી પોતાનો અભિપ્રાય અધિક ન ઉચ્ચારતા, જે પળે પુસ્તક પ્રગટ થયું ત્યારે એના વિશે શું કહેવાયું હતું અને એની શી કિંમત અંકાઈ હતી એ જણાવવા પર એમણે વિશેષ કાળજી રાખી છે. આમ થવાથી જોઈ શકો કે આજે યાઉસ જેવા વિવેચકો જે વિવિધ સમયના અને વિવિધ વાચકોના પ્રતિભાવોનો ઇતિહાસ માંગે છે, એનો પ્રચ્છન્ન નમૂનો અહીં પડેલો છે. એક યા બીજી રીતે અભિગ્રહક સિદ્ધાન્તનો અણસાર પણ દેરાસરીના ઇતિહાસમાં જોઈ શકાશે(૨૪)<ref>૨૪. પૃ. ૫૮, સાહિત્ય ઇતિહાસની અભિધારણા. ચંદ્રકાન્ત ટોપીવાળા</ref> આમ, ઇતિહાસ આલેખનનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ અહીં જોવા મળે છે.૧૯૬૯ માં તેની બીજી આવૃતિ થઈ છે. હવે તેનું પુનર્મુદ્રણ થાય તે ખૂબજ આવશ્યક છે.
પ્રસ્તાવનામાં જયંત પાઠક નોંધે છે  તેમ "કેટલુંક લખાણ ટાંચણિયું, યાદી જેવું બની ગયું છે ને કયારેક લલિત સાહિત્યના પુસ્તકોને જેટલી જગા નથી અપાઈ તેટલી ઈતર ગ્રંથોને આપી દેવાઈ છે." આવી કેટલીક મર્યાદા હોવા છતાં સરળ અને પ્રાસાદિક શૈલીમાં સાઠ વર્ષ પૂર્વેની અને સાઠી દરમ્યાનની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક  આંદોલનો વિશેની પ્રમાણભૂત માહિતી એમાંથી મળે એ રીતે આ ગ્રંથનું ઐતિહાસિક મહત્વ છે. આ ગ્રંથ વિશેનું ચન્દ્રકાન્ત ટોપીવાળાનું નિરીક્ષણ ગ્રંથની મહત્તાને સૂચવે છે.: "દેરાસરીને સાઠ વર્ષનો સાહિત્ય અંગેનો ગાળો બહુ પાસેનો લાગવાથી પોતાનો અભિપ્રાય અધિક ન ઉચ્ચારતા, જે પળે પુસ્તક પ્રગટ થયું ત્યારે એના વિશે શું કહેવાયું હતું અને એની શી કિંમત અંકાઈ હતી એ જણાવવા પર એમણે વિશેષ કાળજી રાખી છે. આમ થવાથી જોઈ શકો કે આજે યાઉસ જેવા વિવેચકો જે વિવિધ સમયના અને વિવિધ વાચકોના પ્રતિભાવોનો ઇતિહાસ માંગે છે, એનો પ્રચ્છન્ન નમૂનો અહીં પડેલો છે. એક યા બીજી રીતે અભિગ્રહક સિદ્ધાન્તનો અણસાર પણ દેરાસરીના ઇતિહાસમાં જોઈ શકાશે(૨૪)<ref>૨૪. પૃ. ૫૮, સાહિત્ય ઇતિહાસની અભિધારણા. ચંદ્રકાન્ત ટોપીવાળા</ref> આમ, ઇતિહાસ આલેખનનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ અહીં જોવા મળે છે.૧૯૬૯ માં તેની બીજી આવૃતિ થઈ છે. હવે તેનું પુનર્મુદ્રણ થાય તે ખૂબજ આવશ્યક છે.




Line 45: Line 45:
<hr>
<hr>
'''પાદટીપ'''
'''પાદટીપ'''
{{reflist}}
<ref>૧. પૃ.૨</ref>
<ref>૧. પૃ.૨</ref>
<ref>૨. એજ</ref>
<ref>૨. એજ</ref>
Line 52: Line 51:
<ref>૧૧. પૃ. ૧૨૮</ref>
<ref>૧૧. પૃ. ૧૨૮</ref>
<ref>૧૮. પૃ.૬</ref>
<ref>૧૮. પૃ.૬</ref>
 
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2