36,795
edits
No edit summary |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૯. ઇતિહાસઆલેખનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ|પારુલ કંદર્પ દેસાઈ}} | |||
પારુલ કંદર્પ દેસાઈ | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્યના વિવિધ ઇતિહાસનો ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું તેનો ઇતિહાસ તે યુગના ચારસો વર્ષ દરમ્યાન કોઈએ લખ્યો નથી. ઇતિહાસલેખનની સભાનતા કે સૂઝ એ જમાનામાં કેળવાઈ ન હતી. અર્વાચીન યુગમાં નર્મદ અને દલપતરામ પાસેથી મધ્યકાલીન કવિઓ વિશે પરિચયલેખો મળે છે, પણ તેને ઇતિહાસ-લેખન તરીકે ઓળખાવી-સ્વીકારી શકાય તેમ નથી. ઈ.સ. 1894માં પ્રસિધ્ધ થયેલો ગોવર્ધનરામનો દીર્ધ નિબંધ ‘કલાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન સોસાયટી એન્ડ મોરાલિટી’માં મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપવાની સભાનતા જોવા મળે છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસ આલેખનનો સૌ પ્રથમ સંનિષ્ઠ પ્રયત્ન ડાહ્યાભાઈ પી. દેરાસરીના ગ્રંથ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં જોવા મળે છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના (૬ ડિસેમ્બર, ૧૯૪૮) ને આઠ વર્ષ પૂરા થતાં હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘સાહિત્યને લગતા અમુક ખાસ કાર્યો કરવાની’ યોજના અન્વયે તેમને ઇતિહાસ ગ્રંથલેખનનું કાર્ય સોંપાયું હતું. તેની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૧૧ માં પ્રકાશિત થઈ છે અને ઈ.સ. ૧૯૬૯માં તેનું પુનર્મુદ્રણ થયું છે. | ગુજરાતી સાહિત્યના વિવિધ ઇતિહાસનો ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું તેનો ઇતિહાસ તે યુગના ચારસો વર્ષ દરમ્યાન કોઈએ લખ્યો નથી. ઇતિહાસલેખનની સભાનતા કે સૂઝ એ જમાનામાં કેળવાઈ ન હતી. અર્વાચીન યુગમાં નર્મદ અને દલપતરામ પાસેથી મધ્યકાલીન કવિઓ વિશે પરિચયલેખો મળે છે, પણ તેને ઇતિહાસ-લેખન તરીકે ઓળખાવી-સ્વીકારી શકાય તેમ નથી. ઈ.સ. 1894માં પ્રસિધ્ધ થયેલો ગોવર્ધનરામનો દીર્ધ નિબંધ ‘કલાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન સોસાયટી એન્ડ મોરાલિટી’માં મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપવાની સભાનતા જોવા મળે છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસ આલેખનનો સૌ પ્રથમ સંનિષ્ઠ પ્રયત્ન ડાહ્યાભાઈ પી. દેરાસરીના ગ્રંથ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં જોવા મળે છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના (૬ ડિસેમ્બર, ૧૯૪૮) ને આઠ વર્ષ પૂરા થતાં હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘સાહિત્યને લગતા અમુક ખાસ કાર્યો કરવાની’ યોજના અન્વયે તેમને ઇતિહાસ ગ્રંથલેખનનું કાર્ય સોંપાયું હતું. તેની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૧૧ માં પ્રકાશિત થઈ છે અને ઈ.સ. ૧૯૬૯માં તેનું પુનર્મુદ્રણ થયું છે. | ||