ભજનરસ/ઉપાડી ગાંસડી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 61: Line 61:
'''આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.'''
'''આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
મીરાં માત્ર હિરની દાસી નથી, હિરની લાડલી છે, એટલે આ વાત વધુ સારી રીતે સમજી શકે ને?
{{Poem2Close}}
{{center|'''ઝીણી ઝીણી... માસ જેઠની-'''}}
{{Poem2Open}}
મીરાંનાં પગલાં હળવાં પડતાં હશે પણ પેલાં ગાંસડી જોનારને હૈયે મ નહીં હોય. એ વળી પૂછતા જણાય છે : ચાલો, ગાંસડી ભલે અણતોળી રહી, ભલે પગરખાં ન પહેર્યાં પણ તારો રસ્તો કેવોક છે? એ તો મોટા ધણીનો મારગ એટલે ફૂલથી ભરેલ ને ઘટાદાર છાયાથી છવાયેલો જ હશે ને! એમાં કાંઈ કહેવાનું હોય? મીરાંના જવાબમાં ત્રણ વસ્તુઓ આંખો સામે તરવરી રહે છે ઃ ઊની ઊની અને ઝીણી હોવાથી ઊડતી રણની રેતી, જેઠ મહિનાનો આકરો તાપ અને લૂ-ઝરતા વાયરા. પણ પેલી ધ્રુવપંક્તિ એ સર્વને હસી કાઢી, સામે જ પૂછે છે : કેમ નાખી દેવાય? —ઉપાડી ગાંસડી વેઠની.
{{Poem2Close}}
{{center|'''મીરાં કે પ્રભુ... પેટની રે-'''}}
{{Poem2Open}}
ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કે એના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં? વિશ્રામ ક્યાં? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે. એને ઠારવા માટે મેં આ પંથ લીધો છે, આ ગાંસડી ઉપાડી છે. હવે તો આ માર્ગ મૂકવા માગું તોયે મૂકી શકું એમ નથી. મીરાંની વાણી :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''હરિવર મૂક્યો કેમ જાય?'''
'''હવે મુજથી હરિવર મૂક્યો કેમ જાય?'''
'''નંદકુંવર સાથે નેડલો બંધાણો'''
{{right|'''પ્રાણ ગયે ન છુટાય.'''}}
</poem>}}
{{Poem2Open}}
આવી પ્રાણથીયે વધુ પ્રબળ ઝંખના માટે કહેવાયું હશે :
{{Poem2Close}}
{{center|'''હરિ ન વિસરે, તેને હરિ ન વિસારે.'''}}
{{HeaderNav2
|previous = દવ તો લાગેલ
|next = દીવડા વિના
}}