ભજનરસ/વહેતાનાં નવ વહીએ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 56: | Line 56: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ : | એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
‘હરિ મણિ કંઠ પોતાને મૂળ, | |||
{{right|તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.}} | |||
ઊંચો અનુભવ... નવ રીઝે- | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આત્મામાં પરમાત્મા દીસે, હિરજનમાં દીસે હિર અને ભૂત માત્રમાં ભગવંત વસે છે એવો ઊંચો અનુભવ જ પ્રાપ્ત કરવો જોઈએ. દેહદૃષ્ટિની જગ્યાએ દેવદૃષ્ટિ ગ્રહવી જોઈએ. જ્યાં કોઈ કામનાનું બીજ ઊગતું જ નથી એવા આનંદ અને અભયનું શિખર સર કરવું જોઈએ. બાકી નાનીમોટી ઇષ્ટપ્રાપ્તિ, વિઘ્નનાશ કે સિદ્ધિ માટે પ્રાર્થના કરવી એ તો રાંકનાં રોલાં જેવું, કાકલૂદી ને કાલાવાલા કરવા જેવું છે, મહાપુરુષોનું મન એમાં ઠરતું નથી. સકામ ભક્તિ કેવી પામર છે તેનાં વેધક શબ્દચિત્રો અખાએ આલેખ્યાં છે. અજ્ઞાન અંગ'ના છપ્પામાં તેણે કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
ધન આયુ વિધા બળ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ, | |||
જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ, | |||
અખો કહે સર્વે અમાલ, જોતાં આપે આપનો માલ. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આમાં શાન-ભક્તિ-વૈરાગ્યને પણ માયાની ભેટ ગણ્યાં છે. શુદ્ધ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને અખો ઓળખે છે. પરંતુ જ્ઞાની થઈને ભેળી ભજે એવી માયા અને ‘ભક્તિ કરતાં ભમેં બહુ' એવી ભ્રમજાળને પણ તે બરાબર જાણે છે. એટલે આવાં જ્ઞાન-ભક્તિને તે અજમાલ કહેતાં અચકાતો નથી. આ સર્વે માયાનાં ફૂલો છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''જો રે જાણો... અજમાલ્ય નાખ્યું-'''}} | |||
{{Poem2Open}} | |||
આ નાનકડા પદમાં અખાએ કહેવાનું બધું કહી દીધું છે અને જે ‘હસતાં રમતાં હિરમાં ભળ્યો' એ આવું અમાલ્ય વહેતી વાણીમાં નાખતો જાય છે. જે અજા છે એટલે કે જન્મી જ નથી એની વળી માયા ક્યાંથી હોય? ‘લઈ શકો તો લ્યો' કહી અખારામ છૂટી ગયા. પણ જે નથી તેને લેવાય શી રીતે? આ અજમાલ્ય છે, એમ ખબર પડતાવેંત કાંઈ લેવાપણું ન રહે. અને જે છે, એ તો સદા છે જ. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||