અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કારણ (નથી) (ન હો) (છાકટો): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કારણ (નથી) (ન હો) (છાકટો)| ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> કોઈ ઇચ્છાનું...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = તો?
|next = પર્વતને નામે
}}

Latest revision as of 10:41, 23 October 2021


કારણ (નથી) (ન હો) (છાકટો)

ચિનુ મોદી `ઈર્શાદ'

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)