આત્માની માતૃભાષા/29: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 144: Line 144:
{{Right|અમદાવાદ, ૫-૫-૧૯૪૪}}
{{Right|અમદાવાદ, ૫-૫-૧૯૪૪}}
</poem>
</poem>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિના જીવનવિષયક ઉમાશંકરની આવી બીજી દીર્ઘ કવિતા ‘ભટ્ટ બાણ’ છે, જેમાં કવિની રચનાપ્રક્રિયાને સમજવાનો ઉપક્રમ હોય. કવિતાને વિષય બનાવતી અનેક કવિતાઓ અન્ય ઘણા કવિઓની જેમ ઉમાશંકરે રચેલી છે. કવિને જેનો નિકટતમ પરિચય હોય એવો વિષય તે ‘કવિતા.’ ઉમાશંકર આ કવિતામાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળના અંતિમ વૈષ્ણવ કવિની પ્રેમલક્ષણાભક્તિની રચનાઓના પ્રેરકબળ તરીકે એમની અનન્ય પ્રભુભક્તિ ઉપરાંત માનવીય પ્રીતિનું રસાયણ પણ ભળ્યું છે, એવી કવિના જીવનમાં પ્રવેશેલી એક ભક્તનારીનો અનુષંગ છે. માનવીય પ્રેમની અનુભૂતિ વિના દિવ્ય-ઈશ્વરીય પ્રેમની અભિવ્યક્તિ દુષ્કર છે, કેમકે એ અભિવ્યક્તિનાં કલ્પનો-પ્રતીકો લૌકિક પ્રેમનાં હોય છે. એ કલ્પનો-પ્રતીકો ઠાલાં બની રહે, જો કવિને માનવીય ધરાતલ પર એનો સઘન અનુભવ ન હોય — પછી ભલે કવિ એ ધરાતલને અતિક્રમી ગયા હોય. પ્રેમલક્ષણા-ભક્તિની કવિતાનો એટલે એક ‘પ્રેમકવિતા’ તરીકે પાઠ કરી શકાય, અને એ પાઠની ભૂમિકામાં વાચકને એ સ્પર્શે છે, એની રસાનુભૂતિનો વિષય બને છે.
કવિના જીવનવિષયક ઉમાશંકરની આવી બીજી દીર્ઘ કવિતા ‘ભટ્ટ બાણ’ છે, જેમાં કવિની રચનાપ્રક્રિયાને સમજવાનો ઉપક્રમ હોય. કવિતાને વિષય બનાવતી અનેક કવિતાઓ અન્ય ઘણા કવિઓની જેમ ઉમાશંકરે રચેલી છે. કવિને જેનો નિકટતમ પરિચય હોય એવો વિષય તે ‘કવિતા.’ ઉમાશંકર આ કવિતામાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળના અંતિમ વૈષ્ણવ કવિની પ્રેમલક્ષણાભક્તિની રચનાઓના પ્રેરકબળ તરીકે એમની અનન્ય પ્રભુભક્તિ ઉપરાંત માનવીય પ્રીતિનું રસાયણ પણ ભળ્યું છે, એવી કવિના જીવનમાં પ્રવેશેલી એક ભક્તનારીનો અનુષંગ છે. માનવીય પ્રેમની અનુભૂતિ વિના દિવ્ય-ઈશ્વરીય પ્રેમની અભિવ્યક્તિ દુષ્કર છે, કેમકે એ અભિવ્યક્તિનાં કલ્પનો-પ્રતીકો લૌકિક પ્રેમનાં હોય છે. એ કલ્પનો-પ્રતીકો ઠાલાં બની રહે, જો કવિને માનવીય ધરાતલ પર એનો સઘન અનુભવ ન હોય — પછી ભલે કવિ એ ધરાતલને અતિક્રમી ગયા હોય. પ્રેમલક્ષણા-ભક્તિની કવિતાનો એટલે એક ‘પ્રેમકવિતા’ તરીકે પાઠ કરી શકાય, અને એ પાઠની ભૂમિકામાં વાચકને એ સ્પર્શે છે, એની રસાનુભૂતિનો વિષય બને છે.
Line 231: Line 232:
(૨) આ કાવ્યસંદર્ભે ઉમાશંકરનું ‘ધારાવસ્ત્ર'માંનું કાવ્ય ‘રેવાને તટે જમનાની રાધા’ જોઈ શકાય.
(૨) આ કાવ્યસંદર્ભે ઉમાશંકરનું ‘ધારાવસ્ત્ર'માંનું કાવ્ય ‘રેવાને તટે જમનાની રાધા’ જોઈ શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 28
|next = 30
}}