પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૧.: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રીદી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું ભાષણ |ગુજરાતી સાહિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| શ્રીદી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું ભાષણ |ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન | {{Heading| શ્રીદી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું ભાષણ |ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન<br> | ||
અગિયારમું અધિવેશન: લાઠી <br> | |||
ડિસેમ્બર: ૧૯૩૩ }} | ડિસેમ્બર: ૧૯૩૩ }} | ||
Line 7: | Line 8: | ||
<center>'''<big>{{Color|Red|[[દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]]}}</big>'''</center> | ||
<center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૬૮)]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૬૮)]]}}</big>'''</center> | ||
પોતાની સ્વસ્થતાથી અને સૌજન્યથી જેમણે ગુજરાતને આકર્ષ્યું છે અને નીરવ રહીને જેમણે ગુજરાતી સાહિત્યની સતત સેવા કરી છે એવા દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લાઠીમાં મળેલ સાહિત્ય પરિષદ સંમેલનનું પ્રમુખપદ શોભાવે છે. | |||
‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તમ્ભો’ના ગ્રંથોના કર્તા તરીકે એમને ગુજરાત ઓળખે છે. સાહિત્યના ઇતિહાસ ઉપરાંત તટસ્થ વિવેચન પણ બન્યું તેટલું એ ગ્રંથોમાં એમણે ઉમેર્યું છે. ગુજરાતી અને અગુજરાતી અભ્યાસીઓ માટે આ પુસ્તકો માર્ગદર્શન તરીકે બહુ ઉપયોગી પૂરવાર થયાં છે. એ ઉપરાંત વરસો થયાં ‘મોર્ડન રિવ્યુ’ માસિકનાં પૃષ્ઠોમાં ગુજરાતી ગ્રંથોનાં સંક્ષિપ્ત અવલોકનો તેઓ આપ્યા કરે છે અને સતત વહેતા સાહિત્ય-પ્રવાહની સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્ન રાખે છે. | |||
એમના ફારસી ભાષાના જ્ઞાનથી પણ ગુજરાતને લાભ થયો છે. ઇતિહાસના ગ્રંથોના અનુવાદ કરીને અને ગુજરાતને લગતી બીજી વિગતો વગેરેનો ઉદ્ધાર કરીને એમણે આપણને સારી સમૃદ્ધિ આપી છે. ઘણીવાર ફારસી સાહિત્યનો રસાસ્વાદ પણ એમણે કરાવ્યો છે. અભ્યાસના ક્ષેત્રમાં મુસ્લિમ અને પારસી લેખકોના સાહિત્યનું પણ એમણે મમત્વથી નિરીક્ષણ કર્યું છે. | |||
ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસને માટે મુંબાઈની વિદ્યાપીઠમાં એમણે જે કાર્ય કર્યું છે તે તો એ વિદ્યાપીઠનો વિગતોથી ભરેલો ઇતિહાસ બહાર પડશે ત્યારે જ જણાશે. પરંતુ આજે યે તેઓ ગુજરાતીના અભ્યાસના એક પીઢ સંરક્ષક તરીકે વિદ્યાપીઠમાં જાગતી જ્યોત સમા બેઠા છે. વય અને જ્ઞાનની વૃદ્ધિ સાથે જે સ્વસ્થતા એમણે કેળવી છે તે એમના પરિચયમાં આવનારના લક્ષમાં તરત જ આવે છે. અને ગુજરાત માટે પોતાથી બને તે બધું કરવાની તત્પરતા પણ એમનામાં તીવ્ર સ્વરૂપમાં રહેલી છે એ આપણથી અજાણ્યું રહેતું નથી. સ્વ. કલાપીના ધામમાં પરિષદનું સંમેલન મળે ત્યારે આવા એક પ્રૌઢ સાહિત્યકાર પ્રમુખપદે હોય એ જ ઉચિત અને શોભાસ્પદ હતું. | |||
<br> | |||
<br> | |||
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્ઘાત]]}}</big>'''</center> | |||
મહેરબાન ઠાકોરસાહેબ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! | |||
ગુજરાતી સાહિત્યપરિષદના અગિયારમા સંમેલનના સત્કારમંડળે સંમેલનના પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરી છે અને તેને આપ સર્વેએ બહાલી આપી છે તે બદલ હું તેમનો તથા આપ સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે મારા પોતાના દૃષ્ટિબિંદુથી જોતાં મારે એ જણાવવું જોઈએ કે મને સંમેલનના પ્રમુખપદે સંવરવામાં સત્કારમંડળે, તથા તેને બહાલી આપવામાં આપ સૌએ મારી યોગ્યતાને બદલે મારા પ્રત્યેના પક્ષપાતને અગ્રસ્થાન આપી પ્રસ્તુત ઠરાવ કર્યો છે. પક્ષપાતી ઠરાવ એ ખરો ઇનસાફ કહેવાય નહિ, અને એ ઠરાવ સામે મારે અપીલ નોંધાવવી હોય તો તે ક્યાં નોંધાવવી તે બાબત પણ હું ગૂંચવણમાં પડ્યો છુંઃ કારણ સત્કારમંડળના ઠરાવ સામે હું આપ સર્વેની પાસે અપીલ નોંધાવી તે ઠરાવ ફેરવવા માગણી કરી શકત, પરંતુ આપ સર્વેએ પણ તેને બહાલી આપી છે, તો હવે મારે માત્ર આખા ગુજરાતનાં વિદ્યારસિક બહેનો ને ભાઈઓ પાસે બીજી–સેકન્ડ–અપીલ નોંધાવવાની રહી; તે હું નોંધાવું છું. જો તેઓ પણ એ ઠરાવ બહાલ રાખશે તો હું હાર્યો કહેવાઈશ. જો બહાલ ન રાખતાં મારી યોગ્યતા ને પાત્રતા વિરુદ્ધ ફેંસલો આપશે તો હું જીતીશઃ કારણ તેઓ અને હું એકમતના થઈશું; એટલે જો મારી યોગ્યતા ન હોવાને લીધે આ પ્રમુખપદનાં અંગેની ફરજો તથા જવાબદારી સારી રીતે અદા ન કરી શક્યો હોઉં તો તેનો ભાર – તે બદલ ઠપકો – મારે શિર ન રહેતાં મને ચૂંટનારા ઉપર રહેશે. એ બાબત સહેજ પણ મારી ખુશી પર રહેવા દીધી હોત તો હું તે માથે લેવાની ચોખ્ખી ના કહેત, અને તે પણ માત્ર શિષ્ટાચાર ખાતર નહિ. પણ મારું અંતઃકરણ તેની ના પાડતું હોવાથી જ. |