મનોહર ત્રિવેદીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 227: Line 227:
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
</poem>
== બે ==
<poem>
આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
તડકા જો હોત તો તો સમજ્યાં કે
જાળીથી વાયરાઓ લાવે છે લૂ
ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
ને પળે પળે દાઝું છું હું
હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
સીમ ભણી ખળખળતાં વ્હેણ
સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
આંગણમાં આવીને
</poem>
</poem>