ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી ચરણેષુ,
શ્રી ચરણેષુ,
{{space}}
{{space}}એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.
એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.


આજ એ ક્ષણો યાદ આવતાં દુઃખ નથી થતું, થાય છે માત્ર એટલું જ… માણસની દૃષ્ટિ કેટલી ટૂંકી હોય છે! વર્તમાનના સુખને લંબાવી-લંબાવીને ભવિષ્યના અજાણ્યા પ્રદેશને એના વડે વ્યાપ્ત કરી દેવાની એને કેવી લાલસા હોય છે! જે સુખ જાણેલું છે એની જ સદૈવ કામના કરવાથી, જે મળ્યું છે એને હરહંમેશ અંતર સાથે જકડી રાખવાની ઇચ્છાથી જ, માણસનાં દુઃખોનો આરંભ થાય છે. મને લાગે છે, કલ્પના ને આશા જ તમામ દુઃખોનું મૂળ છે. એમ ન હોત તો ઉષાના રંગીન સ્મિત જેવા દિવસોને અંતે ચિતાના ભડકા જેવી સંધ્યા ને રાખના ઢગલા જેવી રાત એના સ્વાભાવિક ક્રમ પ્રમાણે જીવનમાં આવીને ગોઠવાઈ જાય, ત્યારે દુઃખ ને વેદનાથી માનવીનું હૈયું ફાટી ન જાત.
આજ એ ક્ષણો યાદ આવતાં દુઃખ નથી થતું, થાય છે માત્ર એટલું જ… માણસની દૃષ્ટિ કેટલી ટૂંકી હોય છે! વર્તમાનના સુખને લંબાવી-લંબાવીને ભવિષ્યના અજાણ્યા પ્રદેશને એના વડે વ્યાપ્ત કરી દેવાની એને કેવી લાલસા હોય છે! જે સુખ જાણેલું છે એની જ સદૈવ કામના કરવાથી, જે મળ્યું છે એને હરહંમેશ અંતર સાથે જકડી રાખવાની ઇચ્છાથી જ, માણસનાં દુઃખોનો આરંભ થાય છે. મને લાગે છે, કલ્પના ને આશા જ તમામ દુઃખોનું મૂળ છે. એમ ન હોત તો ઉષાના રંગીન સ્મિત જેવા દિવસોને અંતે ચિતાના ભડકા જેવી સંધ્યા ને રાખના ઢગલા જેવી રાત એના સ્વાભાવિક ક્રમ પ્રમાણે જીવનમાં આવીને ગોઠવાઈ જાય, ત્યારે દુઃખ ને વેદનાથી માનવીનું હૈયું ફાટી ન જાત.