બીડેલાં દ્વાર/અનુવચન: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |અનુવચન}} '''સાહિત્યકારનું''', એટલે કે સર્વ પ્રદેશોના કલાકાર...")
 
No edit summary
Line 19: Line 19:
‘બીડેલાં દ્વાર’માં મૂળના અનુભવોને વફાદાર રહેવાનો યત્ન કર્યા છતાં તેનું ગુજરાતી જીવનને બંધબેસતું સંયોજન કરવામાં નવા જ આનુષંગિક પ્રસંગો આણવા પડ્યા છે. ને મને સંતોષ છે કે શ્રી સિંકલેરને જે કહેવાનું છે તેનો ભાવ મેં બદલ્યો નથી, તેમ તેનું જોશ મેં તોડ્યું નથી. રૂપાંતરો કરવામાં મારો પ્રયત્ન મૂળ લેખકની કૃતિને રજૂ કરવાનો નથી હોતો, પણ આપણા પ્રાંતીય સંસારને સમાન અનુભવો દ્વારા રજૂ કરવાનો હોય છે. એથી વિશેષ કશું જ કહેવાનું નથી.
‘બીડેલાં દ્વાર’માં મૂળના અનુભવોને વફાદાર રહેવાનો યત્ન કર્યા છતાં તેનું ગુજરાતી જીવનને બંધબેસતું સંયોજન કરવામાં નવા જ આનુષંગિક પ્રસંગો આણવા પડ્યા છે. ને મને સંતોષ છે કે શ્રી સિંકલેરને જે કહેવાનું છે તેનો ભાવ મેં બદલ્યો નથી, તેમ તેનું જોશ મેં તોડ્યું નથી. રૂપાંતરો કરવામાં મારો પ્રયત્ન મૂળ લેખકની કૃતિને રજૂ કરવાનો નથી હોતો, પણ આપણા પ્રાંતીય સંસારને સમાન અનુભવો દ્વારા રજૂ કરવાનો હોય છે. એથી વિશેષ કશું જ કહેવાનું નથી.
આ પુસ્તકના કાગળોના બે રંગો જુદા પડતા જણાશે. એટલી વિકૃતિને માટે લેખક પોતે જ જવાબદાર છે. પ્રકાશકોએ કાગળોનો ભેળસેળ કર્યો હોવાની શંકા કોઈ આણશો નહિ. હકીકત એ છે કે પહેલા 80 જેટલા પાનાં છપાઈ ગયાં પછી તરત જ હું નવું લખાણ તેની સાથે ચાલુ રાખીશ એવી મારી ગણતરી, અન્ય રોકાણોના વિક્ષેપને લીધે, ખોટી પડી. મૂળ પુસ્તકનો દરિયો ડોળવાની ક્રિયા બહુ અઘરી પડી, (આ કરતાં તો મૌલિક લખી કાઢવું ઘણું સહેલું!) વિક્ષેપો વધતા ચાલ્યા, નવું લખાણ લાંબા લાંબા ત્રણ સમયગાળામાં પસાર થઈને ટુકડે ટુકડે જ ઉતારી શકાયું. પ્રકાશકોની ધીરજની આવી કસોટી, કોઈ બીજો ઓછો ખમતીધર પ્રકાશક હોત તો, વધુ પડતી આકરી ગણાત. શ્રી આર. આર. શેઠનો હું આ ધીરજ બદલ આભાર માનું છું.
આ પુસ્તકના કાગળોના બે રંગો જુદા પડતા જણાશે. એટલી વિકૃતિને માટે લેખક પોતે જ જવાબદાર છે. પ્રકાશકોએ કાગળોનો ભેળસેળ કર્યો હોવાની શંકા કોઈ આણશો નહિ. હકીકત એ છે કે પહેલા 80 જેટલા પાનાં છપાઈ ગયાં પછી તરત જ હું નવું લખાણ તેની સાથે ચાલુ રાખીશ એવી મારી ગણતરી, અન્ય રોકાણોના વિક્ષેપને લીધે, ખોટી પડી. મૂળ પુસ્તકનો દરિયો ડોળવાની ક્રિયા બહુ અઘરી પડી, (આ કરતાં તો મૌલિક લખી કાઢવું ઘણું સહેલું!) વિક્ષેપો વધતા ચાલ્યા, નવું લખાણ લાંબા લાંબા ત્રણ સમયગાળામાં પસાર થઈને ટુકડે ટુકડે જ ઉતારી શકાયું. પ્રકાશકોની ધીરજની આવી કસોટી, કોઈ બીજો ઓછો ખમતીધર પ્રકાશક હોત તો, વધુ પડતી આકરી ગણાત. શ્રી આર. આર. શેઠનો હું આ ધીરજ બદલ આભાર માનું છું.
{{Poem2Close}}
રાણપુર : તા. 22–7–’39 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
રાણપુર : તા. 22–7–’39 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
{{Poem2Close}}