રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 149: Line 149:
સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો!
સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો!
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::::કેડ્યે કટારાં વાંકડાં રે ચંદણ!
::::::: હાલતો ગેમરની હાલ્ય,
::::એક દિ’યાંરો ઝોલો વાગિયો રે રાજા!
::::::: આવી બેઠો આથર માંય.
</poem>
{{Poem2Open}}
આ રાજા ચંદણ, જે કમ્મરે વાંકડા કટાર બાંધતો, જે હાથીની મલપતી ચાલ્ય ચાલતો, તેને એક દિવસનો આંચકો વાગ્યો, અને એ ધરતીની ધૂળમાં આવી બેઠો.
{{Poem2Close}}
<poem>
::::શેર શેર સોનું પે’રતી મેણાંગરી,
::::::: જોખાતી મોતિયાભાર,
::::એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,
::::::: ઘરઘરરી પણિયાર.
::::શેર શેર સોનું પે’રતી મેણાંગરી,
::::::: જોખાતી ફૂલાં રે ભાર;
::::એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,
::::::: ઘરઘરરી પણિયાર.
</poem>
{{Poem2Open}}
ને આ રાણી, જે શેર શેર સોનાના દાગીના અંગ માથે પહેરતી, જે મોતીએ અને ફૂલે જોખાતી એવી તો સુકોમળ હતી, તે આજ એક દિવસનો આંચકો લાગતાં તો ઘરઘરની પાણી ભરનારી બની ગઈ.
ચારેય જણાં હાલ્યાં, પણ કૂડકાવડિયો થયો મોઢા આગળ. એણે સૂરજને કહ્યું કે “હે સૂર્યનારાયણ! ભોંયને માથે ચણા ભુંજાઈ જાય એવો આકરો તું આ ચારેયને માથે તપ.”
સૂરજ તો બાળોબાળ તપવા માંડ્યો. અણવાડે પગે, ઉઘાડે માથે, પોતભર બેય ચાલ્યાં જાય છે. એમાં માર્ગે કૂડકાવડિયે પાણીની પરબ માંડીને વેશપલટો કરી બેઠો છે. “અરે હે રાજા ચંદણ! તરસ્યા હશો. પાણી પીતા જાવ.”
“ના ભાઈ! મારી સીમડી ન વટાવી જાઉં ત્યાં સુધી પાણી મૂંથી ન પિવાય.” રાજા ચંદણ તો ગયા, પણ કૂડકાવડીએ કળશો પાણી એને પગલે ઢોળી દીધું. પછી ચાલતી ચાલતી રાણી મેણાંગરી પરબ પાસે થઈને નીકળી. એને કૂડકાવડિયે કહ્યું કે “રાણી મેણાંગરી! પાણી પીતાં જાવ.”
કે’, “અમારી સીમ વળોટ્યા પહેલાં પિવાય નહીં પાણી, ભાઈ!”
“પણ આંહીં જુઓ, રાજા ચંદણે તો પીધું.” એમ કહીને પોતે ઢોળેલું પાણી દેખાડ્યું.
કે’, “ભાઈ! રાજા ચંદણની વાંસે તો હું છું, તે એ પીએ. પણ મારી વાંસે કોઈ નથી. મૂંથી ન પિવાય.” પરબનો સંકેલો કરીને કૂડકાવડિયો તો રાજારાણીની આગળ દોટ કાઢીને પહોંચ્યો છે ગંગાજમના પાસે, ને કહ્યું કે “હે ગંગાજમના! આ ચાર જીવને તું ત્રણ તુંગે કરી નાખ.”
ગંગાજમના તો હરિને હુકમે કૂડકાવડિયાને વચને વશ હતી. એને કાંઠે રાજારાણી ને કુંવરિયા આવી પહોંચ્યાં. ચંદન કહે કે “હે રાણી! પાણી ઊંડાં છે. પ્રથમ હું જઈને આ સૂંડો સામે પાર મૂકી આવું, પછી તમને લઈ જાઉં.”
કે’, “ભલે.”
{{Poem2Close}}
<center>[2]</center>
{{Poem2Open}}
સૂંડો સામે ઘાટ પહોંચાડીને રાજા ચંદણ પાછા વળે છે, પણ જેવા મધવહેનમાં પહોંચે છે કે તુરત પાણીનો ખળકો આવે છે ને એને તાણી જાય છે. સૂંડો સામે કાંઠે, ને રાજા જાય છે તણાતા. તણાતે તણાતે તણાતે નીચવાશ એક ત્રંબાવટી નગરી આવે છે, એ નગરીનું મસાણ નદીકાંઠે આવે છે, ને મસાણમાં ડાઘુડા એક ચેહને બાળતા ઊભા છે. આ ચેહ નગરી ત્રંબાવટીના રાજાની છે.
અરે કોઈક તણાતું આવે છે! દેખીને ડાઘુ નદીમાં પડ્યા. રાજા ચંદણનું શરીર બહાર કાઢ્યું. ચંદણ બેભાન છે. દવાદારૂ કરીને એને તો ભાનમાં આણ્યા છે. કોઈક દુઃખિયો લાગે છે! રાજાએ ઓળખાણ આપી નહીં.
હવે નગરી ત્રંબાવટીનો નિયમ છે કે રાજા મરે ત્યારે તાબાના તમામ રાજાઓને તેડાવે, એમાંથી જેને ગાંડી હાથણી વરમાળે તેને નવો રાજા બનાવે.
ખંડિયા રાજાઓ ભેગા થઈને બેઠા છે. હાં, હવે હાથણીને ગાંડી કરો, તેલ–સિંદૂરની બંદકા દ્યો, ધૂપ–શ્રીફળ ચડાવો ને સૂંઢમાં વરમાળ આપો. હાથણી વરમાળે તે રાજા.
તેલ–સિંદૂરની બંદકાવાળી હાથણી ગાંડી થઈને સૂંઢમાં વરમાળ લઈ રાજાઓની બેઠકમાં ઘૂમવા મંડી. બધાય રાજાઓ ડોકાં લાંબા કરી રહ્યા છે, પણ કોઈને હાથણી વરમાળતી નથી. એ તો આઘે જઈને ઉકરડે બેઠેલા ચીંથરેહાલ રાજા ચંદણને વરમાળે છે.
અહો! આ શું? આ ભિખારીને હાથણી વરમાળે છે! કાંઈક કારણ હોયા વગર વરમાળે નહીં. અરે હે ભાઈ ભિખારી! તું કોણ છો?
{{Poem2Close}}
<poem>
::::ક્યાંરો જાયો રે ક્યાંરો ઊપન્યો રે સાયબા!
::::::: કિયું રે કહીજે રે થારું ગામ!
::::રાજા ચંદણ તો કહીએ નામડો રે સાયબા!
::::લોયાણાગઢરો મારે રાજ : આ જી, જી, જી.
::::સત રે ધરમ રે મેં તો કારણે રે
::::::: મેલ્યો લોયાણાગઢરો રાજ.
</poem>
{{Poem2Open}}
વિગતે બધી વાત કરી છે. વાત સૌને ગળે ઊતરી છે. રાજા ચંદણને તો ત્રંબાવટીનાં રાજ સોપાણાં છે.
હવે આંહીં ગંગાજમનાને સામે ઘાટ જ્યાં સૂંડલો પડ્યો છે ત્યાં શું થયું? મોરગઢના રાજા શિકારે નીકળ્યા છે. ઓલ્યો હરિનો કૂડકાવડિયો પોતે જ સૂવર બનીને દોડે છે. સૂવરની પાછળ મોરગઢનો રાજા ભાલો લઈને ઘોડો દોડાવે છે. સૂવર ગંગાજમનાને કાંઠે દોડે છે, ને જ્યાં સાયર-નીરનો સૂંડલો પડ્યો છે ત્યાં લગી રાજાને લઈ આવી તે અલોપ થઈ જાય છે.
ઘોડેથી ઊતરીને રાજા સૂંડલામાં જુએ તો બે બેલડાં બાળક મોંમાં અંગૂઠો ચૂસતાં સૂતાં છે.
અહો! મારી અવસ્થા પાકી ગઈ, પણ શેર માટીની ખોટ છે. મારે ઘેર દીકરો જન્મ્યો તો નહીં, પણ એકને સાટે ગંગાજમનાએ મને બે દીધા.
એમ વિચારીને મોરગઢનો રાજા બે ય દીકરાને રાજમાં લઈ જાય છે. રાણીને ખોળે બેયને ધરી દ્યે છે, અને રાણીનાં તો થાનમાં ધાવણ, કૂખ ફાટી નથી તો ય વછૂટે છે. ડાબે જમણે થાનોલે બેય છોકરા ધાવવા લાગે છે.
હવે આંહીં ગંગાજમનાને આ કાંઠે રાણી મેણાંગરીનું શું થાય છે? પોતે આખી રાત ધૂડના ઓરિયામાં લપાઈને બેઠી રહે છે. પ્રભાતને પહોર એક ગામનો કુંભાર ગધેડું લઈને માટી ખોદવા આવે છે. પણ ઓરિયાની ભેખડ હેઠ કાંઈક ઝળેળ ઝળેળ થતું જોઈને ગધેડું ભડકે છે. કુંભાર જઈને જુએ તો કોઈક બાઈ બેઠી છે, ને એની ઉઘાડી કાયા ઉપર ડાબે ખંભે કાંઈક ઝળકે છે. સૂરજ અને બાઈના ખંભાનું પદ્મ, બેયની કરણ્યું એક બની ગઈ છે. ઝળેકાર થઈ ગયો છે.
અરે, તું કોણ છો? ડેણ છો? ડાકણ છો?
કે ભાઈ કુંભાર! હું ડેણેય નથી ને ડાકણેય નથી. મરતલોકનું માનવી છું. દુઃખિયારી છું.
બાઈને જોતાં જ કુંભારે કળી કાઢી. સાચે જ કોઈક કુળવાન છે. કે બાઈ! બેન! હાલ્ય મારે ઘેર. હું તને પાળીશ.
જેવો કુંભાર મેણાંગરીને લઈ ઘરે આવ્યો તેવી તો કુંભારણ છણકી ઊઠી:
{{Poem2Close}}
<poem>
::::એક રે છોડીને બીજી લાવિયો રે કુંભારા!
::::::: લાવિયો નેનકડી મારે શોક
::::::: આ…જી…જી…એ.
::::થારું વાંચ્છ્યું તો થારે નેણે પડજો કુંભારણ!
::::::: લાવિયો ધરણિયાવાળી બેન.
</poem>